Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021
ભાજપના નેતા રમેશભાઈ રૂપાપરાના પિતાશ્રી ધનજીભાઈનું દુઃખદ નિધન

રાજકોટઃ ધનજીભાઈ દેવશીભાઈ રૂપાપરાનું તા.૨૭ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. વોટસએપ કે એસ.એમ.એસ. દ્વારા જ શોકસંદેશો પાઠવવો. રૂબરૂ અથવા ટેલીફોનીક કોલ દ્વારા તકલીફ ન લેવા અનુરોધ કરાયો છે. રમેશભાઈ ધનજીભાઈ રૂપાપરા (પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા) મો.૯૮૨૪૦ ૫૬૫૬૫, કિશોરભાઈ ધનજીભાઈ રૂપાપરા મો.૯૪૨૮૨ ૦૧૬૪૫, સાગર કિશોરભાઈ રૂપાપરા મો.૯૨૬૫૪ ૦૮૮૨૭, દેવાંશ રમેશભાઈ રૂપાપરા મો.૯૯૭૮૭ ૫૬૫૬૫
વોટસએપ કે એસ.એમ.એસ. દ્વારા જ શોકસંદેશો પાઠવવા કરાઈ વિનંતી


 

કુસુમબેન કૃષ્ણકુમાર મોનાણીનું અવસાનઃ આજે સાંજે ઉઠમણું

રાજકોટઃ સ્વ.કુસુમબેન (ઉ.વ.૬૨) તે કૃષ્ણકુમાર મોનાણી (કાંતિભાઈ રેમન્ડવાળા)ના ધર્મપત્નિ તથા સુરેશભાઈ મોનાણીના માતુશ્રી (ભટ્ટ લેબ) તથા વિનોદભાઈ, રમેશભાઈ, હર્ષવદનભાઈ (હસુભાઈ) તથા જયંતભાઈ મોનાણીના ભાઈના ધર્મપત્નિ તથા મુકુંદરાય પોપટલાલ રાયચુરા (કુતિયાણા)ના પુત્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલું છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૯ના રોજ સોમવારે ભવનાથ મંદિર, શિવમ પાર્ક-૩, રૈયા ચોકડી પાસે, સાંજે ૪ થી ૫  રાખેલ છે.

અવસાન નોંધ

ડો. કિરીટભાઇ દેસાઇનાં પત્નીનું અવસાનઃ સાંજે ઉઠમણું-સાદડી

રાજકોટ : વર્ષાબેન ભોગીલાલ મહેતા તે ડો. કિરીટભાઇ જનાર્દનભાઇ દેસાઇના પત્ની, શૈલેષભાઇ મહેતાના બહેનનું તા. ર૭ ના અવસાન થયેલ છે.

ઉઠમણુ તા. ર૯ને સોમવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ નંદિશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી, નાણાવટી ચોક પાસે રાજકોટ તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો. ૯૮ર૪૦ ૩પ૧ર૩ તથા મો. ૯૪ર૭૦ ૮૮૭૮૭

શાન્તાબેન જાદવ

જામનગરઃ શાન્તાબેન બાબુભાઇ જાદવ (ઉ.૯ર) તે સ્વ. બાબુભાઇ જાદવના પત્ની ઇન્દુબેન મહેતા (જામનગર), ચંદ્રિકાબેન ગોહિલ, સુધાબેન રાઠોડ (ભાવનગર), અશોકભાઇ જાદવ (નયારા), હિતેશભાઇ જાદવ બી.એસ.એન.એલ.) તથા કોકિલાબેન મકવાણા (પોરબંદર)ના માતુશ્રીનું તા.ર૮ ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.ર૯ના સોમવારે સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસસ્થાન શાંતિવન શેરી નં. ૭ ખાતે રાખ્યું છે.

હંસાબેન તન્ના

વેરાવળઃ સ્વ.મહેન્દ્વકુમાર મથુરાદાસ તન્નાના પત્ની હંસાબેન ઉ.૮૮ તે હીરેનભાઈ,જેની,મેનાના માતૃશ્રી તથા મુળરાજ દયાળજીભાઇ રાચ્છના પુત્રી તેમજ જયેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઈ, અતુલભાઈ, દીલીપભાઈ,જયશ્રીબેન, સુધાબેન ના બહેન તથા ભાનુબેન (કેનેડા),જયોત્સનાબેન (વેરાવળ),જયંતભાઈ (મંુબઈ)ના ભાભીનું તા.રપના રોજઅવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

પ્રમીલાબેન પંડયા

જામનગરઃ મુંબઇ (દક્ષિણ) નિવાસી ગંગાસ્વરૂપ પ્રમિલાબેન બીપીનકુમાર પંડયા તે સ્વ. જેન્તીભાઇ, સ્વ.મનુભાઇ અને મગનભાઇ મોહનભાઇ જાનીના નાના બહેન તેમજ શારદાબેન મહેતાના મોટા બહેનનું તા.ર૮-૧૧-ર૦ર૧ના રોજ અવસાન થયું છે. તેમની સાદડી તા.૩-૧ર-ર૦ર૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૪.૩૦ શાંતિ ફાર્મની રોઝી પેટ્રોલ પમ્પ જામનગર ખાતે રાખેલ છે.

નટવરલાલ ત્રિવેદી

રાજકોટઃ સ્વ.નટરવલાલ ભીમજી ત્રિવેદી (ઉ.વ.૯૩) તે સ્વ.નરેન્દ્રભાઈ, અશોકભાઈ તથા જયેશભાઈના પિતાજી અને સ્વ.બાબુલાલ ત્રિવેદી  તથા સ્વ.કાંતિલાલ ત્રિવેદીના ભાઈનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ ચાર મંદિર, પ્રજાપતિ નગર, શેરી નં.૧, રામ ફાઈનાન્સની સામેની શેરી, પેડક રોડ ખાતે રાખેલ છે.

હિતેષભાઈ હંજ

રાજકોટઃ ઉનાવાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની હિતેષભાઈ હિંમતભાઈ હંજ (ઉ.વ.૫૭) તેઓ સ્વ.હિંમતભાઈ ગોવિંદજીભાઈ હંજના નાના દિકરા  અને સુદીપભાઈના પિતાશ્રી અને કાજલબેનના પતિ  તથા સ્વ.રમેશભાઈ, જીતુભાઈ, સ્વ.બિપીનભાઈ તથા મીનાબેન પટ્ટણી, સરોજબેન વાયાના નાનાભાઈ  અને પ્રફુલભાઈ પરસોત્તમભાઈ ઘઘડા (જામનગર)ના જમાઈનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૨૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુદીપભાઈ હંજ મો.+૯૧ ૮૩૪૯૩ ૪૫૩૪૫

પ્રવિણચંદ્ર ભુવા

રાજકટઃ પડધરી નિવાસી સોની પ્રવિણચંદ્ર દયાળજીભાઈ ભુવા (ઉ.વ.૮૭) તે ગો.વા.દયાળજીભાઈ માધવજીભાઈનાં પુત્ર તે નવલભાઈ, ચમનભાઈ, શાંતિભાઈ, ભગવાનજીભાઈ, રમણીકભાઈ તથા મનસુખભાઈના ભાઈ તથા એડવોકેટ મુકેશભાઈ ભુવા, ડો.લલિતભાઈ ભુવાનાં પિતાશ્રી અંકિત, જીજ્ઞા, ભાર્ગવ, નિકુંજનાં દાદા તા.૨૮ ના રવિવારનાં રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું સોમવાર તા.૨૯ના સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન ચોરાવાળી શેરી ખાતે રાખેલ છે.

કાંતિભાઇ કથ્રેચા

રાજકોટ : રાજકોટ નિવાસી ગુર્જર સુથાર કાંતિભાઇ (બટુકભાઇ) લખુભાઇ કથ્રેચા (ઉ.વ.૮૯), તેઓ સ્વ. કેશુભાઇ, સ્વ. નટુભાઇના ભાઇ અને સ્વ. યોગેશભાઇ, નીતિનભાઇના પિતા તેમજ ભૂમિત-જીજ્ઞેશના દાદાનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર૯ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્ટર સોસાયટી શેરી નં. ૯/૧૦, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદરાય જોષી

મોરબી : પંચાસર નિવાસી હાલ મોરબી સ્વ. ખેલશંકરભાઇ જગજીવનભાઇ જોષીના પુત્ર હર્ષદરાય ખેલશંકર જોષી (ઉ.૬૪) તે કિરીટભાઇ તથા સ્વ. અનિલભાઇના મોટાભાઇ તથા ચિરાગભાઇ અને હેમાક્ષીબેનના પિતા તથા હાર્દિકકુમાર દવે (મોરબી)ના સસરા તથા સ્વ. લાભશંકર ધીરજલાલ ઠાકર (કાલાવાડ)ના જમાઇ તથા ભાનુભાઇ, હસુભાઇ, નયનભાઇ, તથા બીપીનભાઇના બનેવીનું તા. ર૭ ના રોજ કૈલાસવાસ પામેલ છે. ઉઠમણુ તા. ર૯ ને સોમવારના રોજ જડેશ્વર મહાદેવનું મંદિર, સ્ટેશન રોડ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

બીપીનચંદ્ર ભોજાણી

મોરબી : બિપીનચંદ્ર રતિલાલ ભોજાણી (ઉ.૭૧, નિવૃત પોસ્ટલ કર્મચારી) તે સ્વ. રતિલાલ કુબેરદાસ ભોજાણીના પુત્ર તથા સ્વ. ડો. વિનોદરાય, સ્વ. પ્રફુલભાઇ, નવીનભાઇ તથા સ્વ. પ્રવિણાબેન (અમદાવાદ) તથા મીનાબેન (ધ્રાંગધ્રા)ના ભાઇ તથા ડો. અમિતભાઇ, ડો. મોહિતભાઇ, જીગરભાઇ તથા મૌલિકભાઇના કાકાનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૯ ને સોમવારના સાંજે ૪.૪૦ થી પ.૩૦ રાખેલ છે.

પ્રદીપકુમાર ત્રિવેદી

ઉના : શ્રીગોડ મેડતવાડ બ્રાહ્મણ ઉના નિવાસી (હાલ વેરાવળ) પ્રદીપકુમાર વ્રજલાલ ત્રિવેદી (ઉ.વ.૬૭) તે વિરલ પી. ત્રિવેદી, પાયલબેન મયુરભાઇ જાની (જુનાગઢ)ના પિતા, સ્વ. નરેન્દ્રભાઇ તથા જયેશભાઇના મોટા ભાઇ તથા તન્વીબેન અને જયભાઇના મોટાબાપુજીનું તા. રપને ગુરૂવારના રોજ અવસાન થયું છે.

ભરતભાઈ ત્રિવેદી

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાળ જ્ઞાતિના ભરતભાઈ જયંતીલાલ ત્રિવેદી (જામનગરવાળા) (નિવૃત સંયુકત સચિવ) હાલ ગાંધીનગર તે ઉષાબેનના પતિ, પરાગ અને જલ્પાના પિતાશ્રી મહેન્દ્રભાઈ જયંતીલાલ ત્રિવેદીના નાનાભાઈનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ સોમવારના સાંજે ૪ થી ૬ પટેલવાડી સેકટર ૭ ગાંધીનગર ખાતે રાખેલ છે.

મધુભાઈ જસાણી

રાજકોટઃ હાલાઈ લોહાણા બાબરા નિવાસી હાલ મુંબઈ મધુભાઈ મહેન્દ્રરાય જસાણી (ઉ.વ.૭૪) તેઓ સ્વ.કુંદનબેન મહેન્દ્રરાય જસાણીના પુત્ર, રેખાબેનના પતિ, સંજય, સ્વ.જયેશ, અમિત તથા ગોપાલના પિતા,  ઉષાબેન, ગુલાબેન, દક્ષાબેનના ભાઈ, હેતલ, મીનલ તથા શ્વેતાના સસરા, ગં.સ્વ.સુશીલાબેન નટવરલાલ મહેતાના જમાઈ, રૂચી, આર્યન તથા કયારાના દાદા તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

આશાદેવી સોલંકી

રાજકોટઃ મુળ- મુડા ખેડા ચિતોલા હાલ રાજકોટ આશાદેવી રાજકુમાર સોલંકી જે સ્વ.શેખરસિંહના પુત્રી, રાજકુમાર સોદાનસિંહ સોલંકીના પત્ની વિક્રમસિંહ (ગોવિંદા) સોલંકી, પ્રિયંકાબેન વિક્રમસિંહ સોલંકી, નીકિતાના મમ્મી તથા સ્વ.સંજયસિંહ, હરેશસિંહ, નાગેશસિંહ, મધુદેવી રંકેશસિંહ બૈંશ, સુનીતાબેન દીલીપસિંહ ભદૌરીયા, રાજલક્ષ્મીના બહેન તથા સ્વ.સોદાગસિંહ નિહાલસિંહ સોલંકીના પુત્રવધુનું તા.૨૫ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું ઉઠમણું સોમવાર તા.૨૯ના રોજ ''સંજયરાજ'', ૩- ગાયકવાડી, રાજકોટમાં  સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૪૦ ૯૪૬૮૭

ધીરજબેન પાઠક

રાજકોટઃ લેસ્ટર (યુ.કે.) નિવાસી ધીરજબેન રમણિકલાલ પાઠક (ઉ.વ.૮૬) તે મેખાટીંબી (ઉપલેટા) વાળા સ્વ.લાલજી ચકુભાઈ પાઠકનાં પુત્રવધુ અને સમેગા વાળા સ્વ.લાલજી મકનજી જોશીનાં પુત્રી અને અશ્વિનભાઈ, રાજેન્દ્રપ્રસાદ અને સૌ.સુકન્યાબેન દિપકકુમાર જોશીનાં માતુશ્રી તથા સ્વ.લાભભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, કુસુમબેન (કિરણબેન હર્ષદરાય જાની) અને જિતુભાઈ જોશીનાં મોટા બેનનું ગુરૂવાર તા.૧૮ના રોજ લેસ્ટર ખાતે દેહાવસાન થયેલ છે.