Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019
મેવાસાના જેન્તીલાલ જીવનભાઇ ગોહેલનું અવસાન

મેવાસાઃદરજી જેન્તીલાલ જીવનભાઈ ગોહેલ (ઉં.વ. ૭૦)તે સુરેશભાઈ,દિનેશભાઈ ,મધુસૂદનભાઈનાં ભાઇ તથા  હિતેશભાઈ અને વિપુલભાઈનાં પિતાશ્રીનું  તા.૨૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા.૨૯ને શુક્રવારે સાંજે ૩ થી૫ કલાકે તેમના નિવાસસ્થાન મુઃમેવાસા તાઃજેતપુર જીઃરાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શૈલેષભાઇ ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના શૈલેષભાઇ સુંદરજીભાઇ ચૌહાણ (ઉ.વ.૬૦) તે સ્વ.વિનોદભાઇ તથા સ્વ.ભુપતભાઇના ભાઇ તથા રૂપેશભાઇના કાકા, કાજલ, વૈશાલી, રૂપાલીના પિતાશ્રી તથા સમીરભાઇ ચાવડાના બનેવીનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રના સોમવારે સવારે ૯ થી ૧૦ તથા ૧૦ થી ૧૧, શાંતી યજ્ઞ સાંગણવા ચોકની વાડી ખાતે રાખેલ છે.

સૈફુદીન વાડીવાલા

રાજકોટઃ સૈફુદીન મુસાજી વાડીવાલા (ઉ.વ.૮૧) તે અમીનાબેનના શોહર, તથા ફીરોઝભાઇ અને હુસૈનભાઇના બાવાજી, મ. મોહંમદહુસેનભાઇ, બાનુબેન, શીરીનબેન (મોરબી) શરીફાબેન (ઇંદોર) રેહનાબેન (લંડન)ના ભાઇ તથા અમીનાબેન, ફખરૂદીન, સૈફુદીન, યુસુફ, સીરાઝ અને ખદીજાબેનના કાકા તા.ર૮ના વફાત થયા છે. તેના જયારતના ફાતેહા (સીપારા) મરદો તથા બૈરોના તા.૩૦ને શનિવારે હુશેની બાગ (કૃષ્ણપરા)માં જોહરની નમાઝ બાદ રાખેલ છે.

વિજયભાઇ સોલંકી

રાજકોટ :  વિજયભાઇ સોલંકી (બારોટ) (ઉ.વ.૬૩) તે ધવલભાઇ બારોટના પિતાશ્રી નિવૃત એસ.ટી. કંડકટરનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૩૦ને શનિવારે સિગ્મા સ્કુલ, લોહાણા પરા, કેસરી પુલ પાસે ૪ થી ૬ ની વચ્ચે રાખેલ છે.

ભરતભાઈ માંડવીયા

રાજકોટઃ મુળ સણોસરા નિવાસી હાલ રાજકોટ સ્વ.બાબુભાઈ કાબાભાઈ માંડવિયાના પુત્ર ભરતભાઈ બાબુભાઈ માંડવિયા (ઉ.વ.૬૨) તે ચિરાગભાઈ તથા સંદિપભાઈના પિતાશ્રી અને નાથાભાઈ ભીખાભાઈ તથા રાજેન્દ્રભાઈ બટુકભાઈના મોટાભાઈનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને શનિવારે બપોરે  ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાજલક્ષ્મી એવન્યુ શેરી નં.૭ રેલ્વે ફાટક પાસે, મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન માંડલીયા

ધ્રોલઃ સુખડીયા રતીલાલ નારણજી માંડલીયાના ધર્મપત્ની તથા હરેશભાઇના માતુશ્રી તથા નીતીન માંડલીયા તથા મેહુલના દાદીમાં ભાનુમતીબેન (ઉ.વ.૮૦)નું તા.ર૮ ગુરૂવારનાં રોજ અરિહંત ચરણ પામેલ છે. ઉઠમણું તા.ર૯ને શુક્રવારે જૈન દેરાસર ઉપાશ્રય વાણંદ શેરી, ખાતે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

નર્મદાબેન પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. ગામ ખેરડી હાલ રાજકોટ હંશરાજભાઇ બેચેરભાઇ પીઠડીયાના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતિ નર્મદાબેહેન હંશરાજભાઇ પીઠડીયા (ઉ.વ.૮પ)નું તા.ર૮ના અવસાન થયેલ છે. તે અશ્વિનભાઇ, પ્રવીણભાઇ, સુરેશભાઇ (પીઠડીયા ઓટો ગેરેજ), જયેશભાઇ, મધુબેહેન હીમતલાલ ચૌહાણના માતુશ્રી તથા મિલનભાઇ, પાર્થભાઇ, મિતેશભાઇ, નેહાબહેન, વિધીબહેન દીપભાઇ સાચલાના દાદીમાં તેમજ ગામ જારીયાના સ્વ.દેવજીભાઇ ટંકારીયાના દીકરી સ્વ.જીવણભાઇના બહેન તથા ચંદુભાઇ, કનુભાઇ, હસુભાઇ, ધીરૂભાઇના ફઇબાનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૩૦ને શનિવારે ૪ થી પ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, પંચાયતનગર ચોક, યુનિવર્સિટી રોડ, મુકામે રાખેલ છે.

રાજુભાઇ મકવાણા

રાજકોટઃ સ્વ.ગોરધનભાઇ મુળુભાઇ મકવાણાના નાના પુત્ર રાજુભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૪૭)નું તા.ર૮ના અવસાન થયુ છે. તે અનિલભાઇ ગોરધનભાઇ મકવાણાના નાનાભાઇનું બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ હિરામણનગર શેરી નં.૩, હનુમાન મઢી, રૈયા રોડ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ શાહ

રાજકોટઃ સ્વ. વનમાળીદાસ પ્રાગજીભાઈ શાહ હલેન્ડા વાળા ના સુપુત્ર   રાજેન્દ્રભાઈ ( રાજુભાઈ ) (ઉં. વ. ૬૭) જી ઇ બી વાળા તે સ્વ. મહેન્દ્રભાઈ , બકુલભાઈ , અતુલભાઇ તેમજ શારદાબેન વિનોદરાય મોદી અને પારુલ બેન ઉદયભાઇ શાહના ભાઈ તથા મયંકભાઈ અને પ્રિયાબેનના પિતાશ્રી તેમજ નાનાલાલ ભાઈ સંઘવી ધાંગધ્રાના જમાઈ તા. ૨૯ ને શુક્રવારના રોજ શ્રી અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું કાલે તા. ૩૦ ને શનિવારના રોજ સાંજના ૪ કલાકે  સ્થાનકવાસી જૈન કોઠારી ઉપાશ્રય ભકિતનગર સર્કલ પાસે એચડીએફસી બેન્ક પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન કાયડી

રાજકોટઃ મુ.ચોરડી હાલ રાજકોટ સવિતાબેન પરસોતમદાસ કાપડી (ઉ.વ.૬૩)ના પુત્ર ભાવેશભાઈ પરસોતમદાસ કાપડીના માતુશ્રી તા.૨૮ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ કલાકે મવડી ધરમનગર શેરીનં.૧, દેશળ ભગતની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઈ વ્યાસ

રાજકોટઃ હડીયાણા ચોવીસી કટક નિવાસી હાલ રાજકોટ કિશોરભાઈ હરીશંકરભાઈ વ્યાસ તે શિલવંતીબેનના પતિ સ્વ.નરભેશંકર (ગાંડુભાઈ) શુકલ, સ્વ.જયંતાબેન (ટમીબેન)ના જમાઈ સ્વ.કિશોરભાઈ, સ્વ.દિનેશભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, ગજાનનભાઈ, તુષારભાઈ, સ્વ.હેમંતભાઈના બનેવી મલ્લહાર, મિહીર, સચીન, ચિરાગ, જય, અપૂર્વના ફુઆ કિન્નરીબેન, કવિતાબેન, આશાબેનના પિતા કેતન કુમાર મદાણી (કલકત્તા), નિકુંજકુમાર ત્રિવેદી (મુંબઈ), જયદેવકુમાર દવે  (વિદ્યાનગર)ના સસરાનું તા.૨૭ના બુધવારે અવસાન થયેલ છે.

શાંતાબેન ગોહેલ

રાજકોટઃ ગોમટા નિવાસી હાલ રાજકોટ શાંતાબેન ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.૮૬) તે કંચનબેન, ગોરધનભાઇ, ચમનભાઇ, શોભનાબેન ગોરધનભાઇ, ગોરીબેન, સાધનાબેન, ચમનભાઇ તથા બાલાભાઇના માતુશ્રી થાય તથા તે પ્રવિણભાઇ (ગોમટાવાળા) તથા ભારતીબેનના કાકી થાય હરસુખભાઇ હિરાણી (ભાવનગરવાળા), શાંતિલાલના સાસુમાં થાય એટ્રેકશન હેર ભરતકુમાર ગાલોરીયાના નાનીજીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ભકિતઆશ્રમ મંદિર, એ.જી. ચોક કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તેમની ઉત્તર ક્રિયા તા.૭ કાલાવડ રોડ એવરેસ્ટ પાર્ક -૨ (ઘરે) રાજકોટ ખાતે રાખેલ છે.