Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019
હરીલાલ દોશીના ધર્મપત્ની જયાબેનનું ૧૦૧ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.જયાબેન (ઉ.વ.૧૦૧) તે સ્વ.હરીલાલ શીવજીભાઈ દોશીના ધર્મપત્નિ તથા સ્વ.લલીતભાઈ નવિનભાઈ, સ્વ.રજનીભાઈ, પ્રદિપભાઈ (અલ્હાબાદ બેંક), ભરતભાઈ (એલ.આઈ.સી.વાળા), પુનીતાબેન, ભાનુબેન, જયશ્રીબેન, સ્વ.દક્ષાબેન, ભારતીબેનના માતુશ્રી, હાર્દિક, પારસના દાદીમાં તથા સ્વ.રતીલાલ ત્રીભોવનદાસ કોઠારીના બહેનનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૦ સોમવારે સવારે ૧૦ વાગ્યે તથા પ્રાર્થનાસભા ૧૦:૩૦ વાગ્યે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પ્રસંગ હોલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ નરેશભાઈ દવેના ભત્રીજાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ શ્રી ચાર્તુવેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જીતેશ કમલેશભાઈ દવે (ઉ.વ.૩૦) (લાલો) તે સ્વ.ગીરજાશંકર કાનજીભાઈ દવેના પૌત્ર, સ્વ.કમલેશ ગીરજાશંકર દવેના પુત્ર, પુર્વીબેનનાભાઈ તથા યોગેશભાઈ અને નરેશભાઈ દવે (એડવોકેટ)ના ભત્રીજાનું દુઃખદ અવસાન તા.૨૭ના શુક્રવારના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, ગુલાબવાડી મીલપરા મેઈન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ઠા.પ્રવિણચંદ્ર ગઢીયા

 

જુનાગઢઃ ઠા પ્રવિણચંદ્ર હરિદાસ ગઢીયા ઉ.વ.૭૨ તે નિલેશભાઇ તથા ભાવેશભાઇના પિતા અને પોરબંદરના જીતુભાઇ ઠકરારના સસરાનુ તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા.૨૮ને શનીવારે સાંજે ૫ થી ૬ માંગનાથ મંદિર માંગનાથ રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

શશીકલાબેન રાઠી

રાજકોટઃ વિરપુર (જલારામ) રાજસ્થાન એમ્પોરીયમવાળા શ્યામલાલ રાઠીનાં ધર્મપત્ની શશીકલાબેન શ્યામલાલ રાઠી (ઉ.વ.૭ર) તા.ર૭ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.ર૯ને રવિવારે સાંજે ૪ થી ૬, શ્રી લોહાણા મહાજનવાડી, બસ સ્ટેન્ડ રોડ, વિરપુર ખાતે રાખેલ છે.

ભુપતભાઇ સંઘાણી

રાજકોટઃ ભુપતભાઇ ચુનીલાલ સંઘાણી (ઉ.વ.૮૮) તે જયભાઇ તથા વિક્રમભાઇ સંઘાણી તેમજ શચીબેન દિવ્યેશભાઇશેઠનાં પિતાશ્રી, સ્થાનકવાસી જૈન સંઘાણી સંઘ - રાજકોટ, રોટરી કલબ ઓફ રાજકોટ અને જૈન સોશીયલ ગ્રુપનાં અગ્રણીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી પ-૩૦ શ્રી જનકલ્યાણ કોમ્યુનીટી હોલ, ૩-જનકલ્યાણ સોસાયટી, રેલ્વે ફાટક પાસે રાખેલ છે.

પ્રમિલાબેન દવે

 

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ પ્રમીલાબેન દવે તે સ્વ. કાંતિલાલ ભાનુશંકર દવેના ધર્મપત્ની અને રાજુભાઇ, અવીનાશભાઇ તથા નીલાબેન (ઇન્દોર), જયોતિબેન (વડોદરા) તથા સુષ્માબેન (રાજકોટ)ના માતુશ્રી તેમજ સ્વ. ધીરૂભાઇ, સ્વ. અરવિંદભાઇ, સ્વ. દિનેશભાઇ તથા પ્રવિણભાઇ અને દિલીપભાઇ દવેના ભાભીનું તા. રપના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ થી પ-૩૦ દરમ્યાન સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક, શેરી નં.૩, મેઇન રોડ, રામકૃપા ડેરી સામે, યુનિ. રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિપુલપરી ગોસાઇ

મોરબી : જુના દેવળીયા નિવાસી ગોસાઇ વિપુલપરી ભગવાનપરી (ઉ.વ.૩ર) તે સ્વ. સ્વ. ભગવાનપરી બાલપરીના પુત્ર તથા કિરણપરીના મોટાભાઇ તથા ક્રિશપરીના પિતાનું તા. ર૬ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. ર૮ ને શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન ગામ જુના દેવળીયા (તા.હળવદ) ખાતે રાખેલ છે.

ઉર્મિલાબેન ટાંક

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા ઉર્મિલાબેન બાબુભાઈ ટાંક તે મુકેશભાઈ, મહેશભાઈ તથા સોનલબેનના માતુશ્રીનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ સોમવારે સાંજે ૪ થી ૬ નટેશ્વર મંદિર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

સરસ્વતીબેન ગોહેલ

રાજકોટઃ નિવાસી સ્વ.જયંતિલાલ હીરાલાલ ગોહેલના ધર્મપત્ની, ડો.દેવદત્ત, રૂદ્રદત્ત (ટીનો), પક્ષદત્તભાઈ (હીરા ઈલેકટ્રીકવાળા) અને માધવીબેનના માતુશ્રી ગં.સ્વ.સરસ્વતીબેન જયંતિલાલ ગોહેલ (સરસ્વતીબેન ટપુભાઈ ચૌહાણ) તે તા.૨૭ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૮ શનિવારના રોજ તેમના નિવાસસ્થાને મ્યુનિસિપલ કવાટર્સ નં.૧૬૬ જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રજાપતિ સંદીપ આંબલીયા

રાજકોટ : પ્રજાપતિ મગનભાઇ મેઘજીભાઇ આંબલીયા (છત્રાસા વાળા)ના પુત્ર સંદીપ મગનભાઇ આંબલીયા (ઉ.વ.૩ર) તે હિતેષના નાનાભાઇ અને વિરલના મોટાભાઇનું તા. ર૭ ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ કેવલમ્  સામે આરએમસી કવાર્ટર ગેટ-ર, બ્લોક ર૪ કવાર્ટર નં. ૧૬૧૧, રાજકોટ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કાંતિલાલ ચગ

રાજકોટ : મુળ ધૂડશીયાવાળા હાલ રાજકોટ નિવાસી કાંતિલાલ અમૃતલાલ ચગ (ઉ.વ.૮પ) તે સુરેશભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાજી તથા હીરાલાલ અને હસમુખભાઇના મોટાભાઇ તેમજ વિનોદરાય કુંડલીયાના સસરા અને સ્વ. મગનલાલ ભીમજીભાઇ ખંધેડીયાના જમાઇનું તા. ર૭ ને શુક્રવારે અવસાન થયેલ છે તેમનું બેસણું તથા સાદડી આજે શનિવારે સાંજે ૪ થી પ વાગ્યે આશાપુરા મંદિર, એરપોર્ટ દિવાલ પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ ધ્રુવ

રાજકોટઃ રાજેશભાઇ હસુભાઇ ધ્રુવ તે સ્વ.હસુભાઇ ધ્રુવના પુત્ર, શ્રીમતી નીતાબેનના પતિ અને નીલના પિતાશ્રી તથા અશોકભાઇ અને પરેશભાઇના ભાઇ તથા સ્વ.પ્રવિણભાઇ પુંજાણીના જમાઇનું તા.ર૬ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૩૦ના સાંજે ૪-૩૦ થી ૬, નૂતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ મુકામે રાખેલ છે.

રમેશચંદ્ર પંડ્યા

રાજકોટ : ઔદિચ્ય ખરેડી મુળ શિવરાજગઢ (હાલ રાજકોટ) રમેશચંદ્ર મહાશંકરભાઈ પંડ્યા (ઉ.વ.૭૫) તે ભરતભાઈ તથા કેતનભાઈ (મુન્નાભાઈ) સુધાબેન હેમંતકુમાર વ્યાસ (રાજુલા), સ્વ.ભારતીબેન રાજેશકુમાર જોષી (રાજકોટ), ઉષાબેન અતુલકુમાર (જેતપુર), જાગૃતિબેન ભાવીનભાઈ પંડ્યા (રાજકોટ)ના પિતાશ્રીનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ભકિતનગર સર્કલ મેઘાણી રંગભવન રાજકોટ ખાતે રાખેલ છે.

બહાદુરસિંહ ઝાલા

રાજકોટ : મુળ ગામ કરમળ હાલ રાજકોટ નિવાસી સ્વ. ઝાલા બહાદુરસિંહ હેમંતસિંહ તે વિજયસિંહના પિતા તથા કરણસિંહને કીરીટસિંહના નાનાભાઈ તથા મહેન્દ્રસિંહના મોટાભાઈનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારના સાંજે ૪ થી ૬ પ્રજાપતિની વાડી, બજરંગ વાડી - ૧૨ ખાતે રાખેલ છે.