Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018
ધોરાજીના સેવાભાવી-શિક્ષણવિદ્દ પ્રફુલભાઈ પટોડીયાનું અમેરિકામાં દુઃખદ અવસાન

ધોરાજી :. અમેરિકાના ટેકસાસ રાજ્યમાં ઓસ્ટીન ગામ રહેલા ધોરાજીના સેવાભાવી પ્રફુલભાઈ પટોડીયાએ અમેરિકા ખાતે એન્જીનીયર હોય ત્યાં કામ કરતા અને ઈલેકટ્રોનિકસની સર્કિટ બનાવવાનો વ્યસાય કરતા અને ખાસ કરીને તેઓ ગુજરાતથી આવતા અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સ્કૂલ ફી તેમજ અન્ય તકલીફોમાં મદદ કાર્ય કરતા અને દૂર દૂરના રાજ્યોમાં પણ ગુજરાત વિદ્યાર્થીઓને પોતાના કોન્ટેકટમાં રાખી સલાહ સૂચનો તેમજ મદદ કરતા આવા સેવાભાવી પ્રફુલભાઈ પટોડીયાનું અમેરિકા ખાતે અવસાન થતા ઓસ્ટીન ખાતે વિશાળ સ્મશાન યાત્રા નીકળી હતી.

જેમાં ગુજરાતી સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, સગા-સ્નેહીઓ તેમજ અમેરિકન નાગરીકો જોડાયા હતા અને સ્વ. પ્રફુલભાઈ પટોડીયાની સેવાઓને બીરદાવી હતી અને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. સ્વ. પ્રફુલભાઈનું બેસણુ તા. ૨૯-૯-૧૮ને શનિવારે ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે તેમના નિવાસ સ્થાને સમય ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

બે વખત યુદ્ધમાં અગત્યની જવાબદારી નિભાવનાર નિવૃત વિંગ કમાન્ડર સંતોષકુમાર જોલીનું ભાવનગરમાં અવસાન

ભાવનગર, તા. ર૮ : બે વાર યુદ્ધમાં અગત્યની જવાબદારી નિભાવનારા નિવૃત વિંગ કમાન્ડર સંતોષકુમાર જોલીનું ભાવનગર ખાતે અવસાન થયું છે. આજે સવારે તેની ઇન્ડીયન એરફોર્સ દ્વારા સન્માન સાથે અંતિમવિધી કરાઇ હતી. ભાવનગર શહેરના ઇસ્કોન મોલ પાસેના લીલાશાંતિ હાઇટસ ખાતે રહેતા નિવૃત વિંગ કમાન્ડર સંતોષકુમાર જોલીનું નિધન થયું છે. આજે સવારે ૯ કલાકે ઇન્ડીયન એરફોર્સ દ્વારા સન્માન સાથે તેઓની અંતિમયાત્રા નિકળી હતી અને તેઓની અંતિમવિધી કરાઇ હતી. તેઓનો જન્મ ૧૯૩૯માં રૂરકેલા ગામે થયો હતો. તેઓએ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ દેશની સેવા માટે ઇન્ડીયન એરફોર્સમાં જોડાયા હતા. તેઓએ બે વાર યુદ્ધમાં અગત્યની જવાબદારી નિભાવી હતી. નિવૃતિ બાદ તેઓ ભાવનગર સ્થાયી થયા હતાં.

અવસાન નોંધ

સુરેશભાઈ છાપીયા

રાજકોટઃ જામનગર નિવાસી વણિક સુરેશભાઈ ગોકળદાસ છાપીયા (ઉ.વ.૬૨) તે સ્વ.અશોકભાઈ, સ્વ.દિલીપભાઈ (કેપ્ટન), નવીનભાઈ જ્યોત્સનાબેન પ્રવિણભાઈ શાહ- મુંબઈ, જયશ્રીબેન જયેશભાઈ વડોદરીયા- પાળીયાદ અને સુષ્મા મહેન્દ્રભાઈ મહેતા- રાજકોટના ભાઈ તા.૨૭ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આજરોજ તા.૨૮ને શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ વૈજનાથ મહાદેવ, હવાઈ ચોક, જામનગર ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રવિણચંદ્ર કોટક

રાજકોટઃ તા.૨૮ સ્વ.દુર્લભજીભાઈ મંગળજીભાઈ કોટકના પુત્ર પ્રવિણચંદ્ર કોટક (પી.ડી.કોટક) (ઉ.વ.૬૯) (નિવૃત્ત પ્રોફેસર, મહિલા કોલેજ, રાજકોટ) તે સ્વ.નંદલાલભાઈ તથા સ્વ.મનસુખભાઈ (રાજકોટ), હિંમતભાઈ (લંડન), સુરેશભાઈ (કેન્યા) અને સ્વ.ધર્મેન્દ્રભાઈ, સ્વ.ચંદ્રિકાબેન, લત્તાબેન, મધુબેનના ભાઈ તેમજ આદિત્ય તથા કરિશ્માબેન જયેશકુમાર મજીઠીયાના પિતાશ્રી તેમજ બાબરા વાળા સ્વ.જમનાદાસ ખિમજીભાઈ જસાણીના જમાઈનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.૨૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે અનુપમા હોલ, અનુપમા સોસાયટી શેરીનં-૧, અમીનમાર્ગ, રાજકોટ મુકામે રાખેલ છે.

જશવંતીબેન તન્ના

રાજકોટઃ સ્વ.બચુલાલ ગોવાભાઈ તન્ના (તમાકુવાળા)ના પુત્રી જશવંતીબેન ઉર્ફે મૃદુલાબેન (ઉ.વ.૮૦) તે સ્વ.ગોરધનદાસ વિઠલદાસ દાવડા (મુંબઈવાળા)ના ધર્મપત્ની તે નિલેશભાઈના માતુશ્રી તે સ્વ. કલ્યાણજીભાઈ (કનુભાઈ), હર્ષદભાઈ તથા ચંદ્રકાંતભાઈના બહેન તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પિયર પક્ષની સાદડી તા.૨૯ને શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે ''હરિહર સોસાયટી કોમ્યુનીટી હોલ'', સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાબેન ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુતાર લીલાબેન છગનભાઈ ભાડેસીયા તે રમેશભાઈ, કિરીટભાઈ, રાજુભાઈ, રશમીભાઈ તથા રસીલાબેન અશ્વીનભાઈ અંબાસણા અને મનીષાબેન રાજેશભાઈ મીસ્ત્રીના માતુશ્રી તેમજ સ્વ.ધમરશીભાઈ રામજીભાઈ ખંભાયતાના બહેનનું તા.૨૭ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદુભાઈ મણીયાર

રાજકોટઃ મુ.કડુકાવાળા હાલ રાજકોટ શ્રી રામ સાડી તથા શ્રી રામ એન્ટરપ્રાઈઝ વાળા ચંદુભાઈ અમૃતલાલ મણીયાર જે દીપકભાઈ, ઘનશ્યામભાઈ (બચાભાઈ), કેતનભાઈ, દેવલભાઈના પિતા તથા વિનુભાઈ, હસુભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.કિશોરભાઈના મોટાભાઈ, સ્વ.રતિલાલ ધનજીભાઈ જીવરાજાનીના જમાઈનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૨૯ શનિવારે સાંજે ૫ કલાકે ગાયત્રી મંદિર, આનંદનગર મેઈન રોડ, નિલકંઠ સિનેમા સામે, રાજકોટ રાખેલ છે.

હરિશંકરભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ હરિશંકરભાઈ મોહનલાલ ત્રિવેદી રહે.સિહોર (ઉ.વ.૯૩)નો સ્વર્ગવાસ તા.૨૭ના રોજ થયેલ છે. તેમનું બેસણુ તા.૨૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે  સિહોર મુકામે રાખેલ છે. તે ઈન્દ્રવદનભાઈ, કીરીટભાઈ, સ્વ.નયનભાઈ, ગજેન્દ્રભાઈ તથા સ્વ.હર્ષાબેનના પિતાશ્રી તેમજ દર્શક, દેવાંગ તથા દીપના દાદા તેમજ ડો.પ્રમોદભાઈ, ડો.હસુભાઈ, રાજુભાઈ, સ્વ.અનીલભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ, મનોજભાઈના કાકા થાય. સ્થળઃ સીતારામ હોલ, મામલતદાર ઓફીસ સામે, ભાવનગર રોડ સિહોર

કમળાબેન છત્રાલીયા

રાજકોટઃ શેઠવડાળા નિવાસી ગુર્જર સુતાર કમળાબેન ડાયાભાઇ છત્રાલીયા (ઉ.વ.૭પ) તે ડાયાભાઇના પત્ની તથા સ્વ.નાથાભાઇ, મનસુખભાઇ, જીવણભાઇના ભાભી તથા ધીરૂભાઇ, કાળુભાઇ, નરેન્દ્રભાઇ, રેખાબેન, હસમુખભાઇ, ભરતભાઇના માતુશ્રીનું તા.ર૬ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.ર૯ને શનિવારે બપોરે ર થી પ શ્રી વિશ્વકર્મા ભુવન,  બસ સ્ટેન્ડ નજીક શેઠ વડાળા તા. જામજોધપુર જી. જામનગર ખાતે રાખેલ છે.

શૈલેષભાઇ બુંધેલીયા

ઉપલેટાઃ શૈલેાભાઇ (સુરેશભાઇ) કાળાભાઇ બુંધેલીયા તે રમણીકભાઇ (દુધીવદર) તથા ડો.ચંદુભાઇ (કેરાળા) તથા નટુભાઇ (ઉપલેટા)ના નાના ભાઇ તા.ર૬ બુધવારે અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.ર૯ શનિવારે દુધીવદર તા.ધોરાજી મુકામે રાખેલ છે તેમની ઉતરક્રિયા વિધી દુધીવદર મુકામે રાખેલ છે.

પુજાબેન

રાજકોટઃ પરંજયભાઇ ધોળકિયા તથા નિરૂપમાબેન માંકડ (યોગીનીબેન-નિવૃત કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ)ના પુત્રી પૂજા (ઉ.વ.૩ર) તે વૈદ્યરાજ સ્વ.બબલાભાઇ વૈદ્યના પૌત્રી, રોહિતભાઇ, મધુકરભાઇના ભત્રીજી અને દીનેશભાઇ માંકડ (એસ.ટી જામનગર)ના ભાણેજનું તા.ર૬ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર૯મીને શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ કલાકે બાલમુકુંદ હોબી સેન્ટર, એરોડ્રોમ રોડ ફાટક પાસે, ખાતે રાખેલ છે.

ભાનુબેન સોલંકી

કુવાડવાઃ લુહાર કાંતીલાલ રૂગનાથભાઇ સોલંકીના પત્ની ભાનુબેન  તા.ર૬ના રામચરણ પામેલ છે. તેઓ હિંમતલાલ વશરામભાઇ પરમાર તથા રમણીકભાઇ તથા રમેશભાઇના બહેનનું બેસણું તા.ર૮ના શુક્રવારે ૪ થી ૬ લુહાર ચાલી કુવાડવા ખાતે રાખેલ છે.

 વિનોદભાઇ મકવાણા

 ગોંડલ : ખાંટ (રાજપૂત) વિનોદભાઇ લાલજીભાઇ મકવાણા તે વિપુલભાઇના પિતાનું તા. ૨૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ૧૭ સ્ટેશન પ્લોટ, જુનો સિમેન્ટ રોડ રમાનાથ હોસ્પિટલ સામે ગોંડલ ખાતે રાખેલ છે.

 બચીબેન રાણા

ગોંડલ : બચીબેન (ચંપાબેન) જીવણભાઇ રાણા ઉ.વ.૮૫ તે દાનસિંગભાઇ જીવણભાઇ રાણાના માતા, ભીખુભાઇ એન સોઢા (જીઇબી)ના સાસુનું તા. ૨૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૯ શનિવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ગીતાનગર, મેલડી માતાજી મંદિર પાછળ, ગોંડલ ખાતે રાખેલ છે.

બાબુભાઇ કલ્યાણી

જસદણઃ દશા મોઢ માંડલીયા વણીક બાબુભાઇ કલ્યાણી (ઉ.૮૯) તે નલુભાઇ તથા વિજયભાઇના પિતાશ્રી તેમજ જય અને યશના દાદાનું તા. ર૭ના અવસાન થયેલ છે.

જુલીબેન દવે

ધોરાજીઃ શૈલેષભાઇ દવેના પુત્રી જુલીબેન દવે (ઉ.ર૪) તે  સુરેશભાઇ દવે અને ભરતભાઇ દવે  (બ્રાહ્મણ/બોર્ડિંગ) ના ભત્રીજી તથા જીજ્ઞેશભાઇ, હાર્દીક, બ્રિજેશ, ઋષીના બહેનનું તા.રપ ના અવસાન થયેલ છે સાદડી ર૮ ને શુક્રવારે સાંજે પ વાગ્યે બ્રાહ્મણ બોર્ડિંગ ધોરાજી ખાતે રાખેલ છે.

દેવાભાઇ જીવાભાઇ સુબડ

રાજગોર બ્રાહ્મણ દેવાભાઇ જીવાભાઇ સુંબડ (ઉ.વ.૮૦) તે રમેશભાઇ, વસંતભાઇ, કપિલભાઇ, ચંદ્રકાંતભાઇ, અરવિંદભાઇના પિતાશ્રી તા. ર૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ને શનિવારે સાંજે ૪ થી ૬ નાની બરાર તા. માળિયા મિયાણા તેમના નિવાસ સ્થાને રાખેલ છે.