Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019
અવસાન નોંધ

ગીતાબેન ટાંક

મોરબી : ગીતાબેન ખેલણશીભાઇ ટાંક (ઉ.૭ર) તે સ્વ. ખેલણશીભાઇ રતનશીભાઇ ટાંકના પત્ની, સ્વ. વસંતભાઇના ભાભી તથા તેજશભાઇ, કેતનાબેન, ધર્મેશકુમાર (રાજકોટ) અને હેતલબેન વિપુલકુમાર નાનાણી (રાજકોટ)ના માતા તેમજ રમેશભાઇ કાનજીભાઇ ભટ્ટી (રાજકોટ)ના બહેનનું તા. રપના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. ર૭ ને શુક્રવારે સાંજે પ થી ૬  શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિની વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે જેઇલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

યશવંતભાઇ ભટ્ટ

ગોંડલ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જ્ઞાતિના યશવંતભાઇ ભાઇશંકરભાઇ ભટ્ટ (બટુકભાઇ) ઉ.૮૦ તે સંજયભાઇ, સુનિલભાઇ, મેહુલભાઇ તથા નેહાબેન હિતેશકુમાર પંડયા (કોયમ્બતૂર)ના પિતા તથા સ્વ. મુકુંદરાય, નરન્દ્રભાઇ, પ્રવિણભાઇ, સ્વ. ભુપતભાઇ, સુરેશભાઇ, સુધીરભાઇ, જયોતિબેન મહેન્દ્રકુમાર દેસાઇના ભાઇનું તા. ર૬ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ર૮  ને શનિવારે સાંજે ૪ થી ૬, રાજશકિત એપાર્ટમેન્ટ, સુખનાથનગર, સરકારી દવાખાના પાછળ, ગેટ સામે ગોંડલ મુકામે રાખેલ છે.

ગંગાબેન પુરોહિત

રાજકોટઃ જગદીશ અબોટી બ્રાહ્મણ ગંગાબેન લાલજીભાઇ પુરોહિત (મૂળ શ્રીનગર, હાલ રાજકોટ) તે પ્રવીણભાઇ લાલજીભાઇ પુરોહિત (રીટાયર્ડ એરફોર્સ) તથા સરલાબેન ચંદ્રેશકુમાર લખલાણી (કેશોદ)ના માતુશ્રી તા.રપના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના સોમવારે સાંજે ૪ થી ૬, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીર, જનકપુરી મેઇન રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુ વાસવાણી રોડ ખાતે રાખેલ છે.

બાબુભાઇ જેઠવા

રાજકોટઃ જુનાગઢ નિવાસી બાબુભાઇ લાલજીભાઇ જેઠવા, નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર (ઉ.વ.૮૩) તે પરેશભાઇ બાબુભાઇ જેઠવા (એન્જી.), તે અતુલ બાબુભાઇ જેઠવા (સેલ્સ ટેક્ષ) રેખા હરીકૃષ્ણ ચૌહાણના પિતાનું તા.ર૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સત્સંગ હોલ, ૯-રાયજીનગર, મોતીબાગ પાસે, જુનાગઢ ખાતે રાખેલ છે.

પ્રતાપરાય જોષી

રાજકોટઃ ઔ.ગ્રુ.સા.ચારસો લીલીયા નિવાસી  હાલ અમરેલી પ્રતાપરાય ભાનુશંકર જોષી (ઉ.વ.૭૦) જે રાકેશભાઈ તથા કલ્પેશભાઈના પિતાશ્રી તે હરીશંકર નરભેરામ શુકલ (રાજકોટ)ના જમાઈ, જે રમેશભાઈ (આરએમસી રાજકોટ) તથા કાંતીભાઈ (જૂનાગઢ)નું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેનું શ્વસુર પક્ષનું બેસણું તા.૨૮ના રોજ બપોરે ૪ થી ૫ ''નથુતુલસી બાહ્મણ બોર્ડિંગ'' વાડી ૯- ગોપાલનગર, ડો.રાજાણીની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન કોટક

રાજકોટઃ ચંપાબેન જીવરાજભાઈ કોટક (ઉ.વ.૯૨) તેઓ ભીખુભાઈ, સ્વ.નાથાભાઈ (કમલેશભાઈ), અનિલભાઈના માતુશ્રી, મુકેશભાઈના કાકી અને શ્યામ અને ઉમંગના દાદીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ને શુક્રવારે સાંજે ૪:૪૫ કલાકે ભીડભંજન મહાદેવ મંદિર, તિરૂપતિનગર મેઈન રોડ, હનુમાન મઢી પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

ધનવંતીબેન મોટવાણી

રાજકોટઃ નિવાસી દિપક સાયકલ સ્ટોરવાળા સ્વ.નિચલદાસ (હીરાલાલ), હરદાસમલ મોટાવણીના ધર્મપત્નિ તે દિપકભાઈ, દિલીપભાઈ તથા હેમનભાઈના માતુશ્રી ધનવંતીબેન નિચલદાસ મોટવાણી, તા.૨૬ ગુરૂવારના રોજ પ્રભુચરણ પામેલ છે. પઘડીયું (ઉઠમણું) તા.૨૮ શનિવાર સાંજે ૫:૩૦ કલાકે મોઢ બ્રહ્મણની વાડી ચંદ્રમોલેશ્વર મંદિરની સામે પેરેડાઈઝ હોલની પાછળ, ચંદન પાર્ક મેઈન રોડ, બાપાસિતારામ ચોક, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૩૭૭૫ ૬૧૬૬૬)

જયશ્રીબેન સોલંકી

રાજકોટઃ મોટાલીલીયા નિવાસી ડો. શંભુભાઇ પી. સોલંકીના પુત્ર ડો. રાજુભાઇ (રાજેન્દ્રકુમાર) સોલંકી (રાજકોટ)ના પત્નિ જયશ્રીબેન (ઉ.વ.૫૯) તે પ્રતિમાબેન સોલંકી,  સિધ્ધાર્થભાઇ સોલંકીના માતુશ્રી ડો. કિશોરભાઇ (ભાવનગર)ના નાનાભાઇના પત્નિ, ડો. હર્ષવદનભાઇ, સુધીરભાઇ (રાજકોટ)ના ભાભી અને રાજકોટ નિવાસી નીમજીભાઇ શીંશાગીયાના પુત્રી, હિતેશભાઇ વડોદરના બહેનનું તા.૨૫મીએ અવસાન થયું છે. તેમનું સ્વસુરપક્ષ અને મોસાળ પક્ષ  સ્વીમીંગ પુલ પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે તા.૨૭ને શુક્રવારે સાંજે ૪થી ૬ દરમિયાન રાખેલ છે.