Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018
અવસાન નોંધ

બાંટવાના પાચીબેનનું અવસાન

માણાવદર : બાંટવા નિવાસી પાચીબેન મૈસુરભાઇ કરમટા (ઉ.વ.૭પ) તે કરમણભાઇ, નારણભાઇ, સેજાભાઇ તથા અર્જુન કરમટા (પત્રકાર-બાંટવા)ના માતુશ્રીનું તા. ર૬ ના રોજ અવસાન થયું છે.

માધવીબેન પંડયા

રાજકોટઃ નિવાસી મનસુખલાલ છગનલાલ પંડયાના પુત્રવધુ તે વિજયકુમારના ધર્મપત્ની તેમજ મૌલીકના માતુશ્રી માધવીબેન વી. પંડયા (ઉ.વ.૪૭)નું તા.ર૬ના અવસાન થયેલ છે. તે કેશોદ નિવાસી કીરીટભાઇ પ્રદિપભાઇ રાજેન્દ્રભાઇ વ્યાસના બહેન, તેમનું બેસણું તા.ર૮ને શનિવારે સાંજે પ થી ૬, વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

કાશીબા જાદવ

રાજકોટઃ કારડીયા રાજપુત કાશીબા રામસિંહભાઇ જાદવ (ઉ.વ.૮પ) જે મનસુખભાઇ તથા દયાબેનના માતા, સ્વ.ઉમેદસિંહ હીરજીભાઇ રાઠોડ (એસ.ટી.)ના મોટાબેન તથા કિશોરસિંહ જેઠવાના સાસુમાંનું તા.ર૬ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.ર૮ના શનિવારે ''અલ્પા'', ૧-વિરલ સોસાયટી, નાના મૌવા મેઇન રોડ, મારવાડી બિલ્ડીંગની સામેની શેરી ખાતે રાખેલ છે.

મંજુલાબેન ગોહેલ

જૂનાગઢઃ મજેવડી મ.ક.સ.સુ દરજી ગોહેલ મંજુલાબેન છોટાલાલ તે સ્વ. છોટુભાઇ જેરાજભાઇના ધર્મપત્ની અને રાજુભાઇ, દિલીપભાઇ તતા અતુલભાઇના માતુશ્રી તા.૨૬-૪-ના રોજ અવસાન પામેલ છે, સદ્ગતનું બેસણું તા.૨૮-૪ના શનીવારના રોજ સાંજે ૪ થી ૬ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ જૂનાગઢ ખાતે રાખેલ છે.

 

અશોકભાઈ ડોડીયા

રાજકોટઃ સ્વ.અશોકભાઈ ગોવિંદભાઈ ડોડીયા (ઉ.વ.૬૫) તે લતાબેન અશોકભાઈના પતિ તેમજ બાબુભાઈ, રમેશભાઈ, મોહનભાઈ, બળવંતભાઈ, પ્રતાપભાઈના ભાઈ તેમજ પ્રમોદભાઈ અને ચેતનભાઈના પિતાશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસ સ્થાને નવલનગર ૩/૧૮ મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન નિર્મળ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મંગળાબેન હરીવલ્લભ નિર્મળ તે ચંદ્રિકાબેન સુરેશકુમાર પરસોતમભાઈ ગરાચના ભાભીનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૨૮ શનિવાર સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય વાડી પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિશ્વાબેન પંડ્યા

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ મહુવા નિવાસી હાલ રાજકોટ સ્થિત પંડ્યા યોગેશકુમાર ભાનુશંકરભાઈની પુત્રી કુ.વિશ્વાબેન (ઉ.વ.૧૪) તે રમેશભાઈ છોટાલાલ વ્યાસ (સુરત)ની દોહિત્રી, તથા ભાનુશંકર છોટાલાલ પંડ્યા (મહુવા)ની પૌત્રી તથા નવનીતભાઈ છોટાલાલ પંડ્યા (લોયંગા), પ્રા.પ્રો.દેવેન્દ્રકુમાર છોટાલાલ પંડ્યા (રાજકોટ) જગદિશભાઈ છોટાલાલ પંડ્યા (સુરત) પ્રા.ડો.ભરતકુમાર છોટાલાલ પંડ્યા (વડોદરા)ની ભત્રીજાની દિકરી તેમજ મનિષાબેન કલ્પેશકુમાર વ્યાસ (રાજકોટ), જીજ્ઞાશાબેન હિતેશકુમાર વ્યાસ (જામનગર), નિતેશકુમાર ભાનુશંકર પંડ્યા (રાજકોટ), નિલેશભાઈ એન પંડ્યા (મહુવા), રજનીશભાઈ એન પંડયા (સુરત), સાગરભાઈ જે. પંડ્યા (કેનેડા) હિરેનભાઈ ડી.પંડ્યા (અમદાવાદ)ની ભત્રીજીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને શનિવારનાં રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાને અવંતિકા પાર્ક, બ્લોકનં બી-૪૪, એરપોર્ટની પાછળની દિવાલ, શિતલપાર્કની બાજુમાં રાજકોટ મુકામે રાખેલ છે.

રીટાબેન ભેસાણીયા

રાજકોટઃ રીટાબેન હસમુખભાઈ ભેસાણીયા તે હસમુખભાઈ ઘુસાભાઈ ભેસાણીયાના ધર્મપત્ની તથા રાજેશભાઈ ઘુસાભાઈ ભેસાણીયા, શોભનાબેન રાજેશભાઈ ભેસાણીયાના ભાભી તેમજ મોહીત હસમુખભાઈ ભેસાણીયા, સ્વાતિ મોહિત ભેસાણીયા, ચિંતન હસમુખભાઈ ભેસાણીયા, અંકુર રાજેશભાઈ ભેસાણીયાના માતાશ્રી તથા ભારતીબેન રતિલાલ ગોંડલીયા, રતિલાલ રામજીભાઈ ગોંડલીયા ના ભાભી તેમજ રુષિતાના રતિલાલ ગોંડલીયા મામીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 'શ્યામ' જયોતિનગર- ૨, ક્રિસ્ટલમોલ પાછળ, કાલાવડ રોડ સાંજે ૪ થી ૬ રાખેલ છે.