Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021
એડવોકેટ્સ સંજયભાઈ તથા મનીષભાઈ પંડ્યાના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ કોટડા નાયાણી, હાલ રાજકોટ, હરગોવિંદભાઈ મગનલાલ પંડ્યા (ઉ.વ.૭૭) તે શિવશંકરભાઈ, કૃષ્ણકાંતભાઈના ભાઈ તથા નરેશભાઈના કાકા તથા સંજયભાઈ એચ. પંડ્યા (એડવોકેટ) મો.૯૮૨૪૮ ૪૪૯૯૭, મનીષભાઈ એચ. પંડ્યા (એડવોકેટ) મો.૯૮૨૫૪ ૯૮૫૫૪, બકુલભાઈ એચ. પંડ્યા (પુષ્પાંજલી સોફટવેર) મો.૯૮૯૮૦ ૧૯૨૯૯ના પિતાશ્રીનું તા.૨૬ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧ માર્ચના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જસદણના કથાકાર મહેશપ્રસાદ વ્યાસના માતુશ્રીનું અવસાન

ભાવનગરઃ ખંભાળા (બાબરા)ના જનકભાઈ એમ. વ્યાસ, કનુભાઈ વ્યાસ તેમજ જસદણના કથાકાર મહેશપ્રસાદ એમ. વ્યાસ અને બાલકૃષ્ણદાસબાપુ (રોકડીયા હનુમાન)ના માતુશ્રી કંચનબેન એમ. વ્યાસ (ઉ.વ. ૯૨)નું મંગળવાર તા. ૨૩ના રોજ અવસાન થયુ છે.  ઉતરક્રિયા શુક્રવાર તા. ૫ માર્ચે ખંભાળા (બાબરા) ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

ઉમેશભાઈ (રાજુભાઈ) દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ઉમેશભાઈ નટવરલાલ દવે (રાજુભાઈ-ઉ.વ. ૬૧) તે સ્વ. નટવરલાલ ચંદુલાલ દવે અને સ્વ. મધુકાન્તાબેન દવેના પુત્ર તથા સ્વ. રમેશચંદ્ર દવે (આર.એમ.સી.)ના નાનાભાઈ તેમજ દક્ષાબેન અને જયેશભાઈના મોટાભાઈ તથા ભાવનાબેનના પતિ તથા ઉર્મીબેન ભૌતોશકુમાર વ્યાસ, હિરલબેન જતીનકુમાર દવે, અંજલીબેન સત્યેનકુમાર મહેતા અને જયભાઈના પિતાશ્રી તથા જયદેવ અને ભાર્ગવના કાકા તેમજ યશના મોટાબાપુજીનું તા. ૨૫ના અવસાન થયેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૪૪ ૨૭૦૯૯, મો. ૯૬૨૪૭ ૯૫૫૦૦, મો. ૯૬૨૪૦ ૯૬૩૨૪, મો. ૯૯૦૪૭ ૦૯૭૯૭

જશુમતિબેન ચાવડા

રાજકોટ : નિવાસી શ્રીમતિ જશુમતિબેન ચમનલાલ ચાવડા (ઉ.વ.૮૪) જે ચમનલાલ વાલજીભાઇ ચાવડાના ધર્મપત્નિ રણજીણભાઇ ચાવડા (રાજકોટ નાગરિક બેંક) - હરેશભાઇ ચાવડા ત્થા કિશોરભાઇ ચાવડા તથા નિર્મળાબેન પ્રકાશભાઇ ભટ્ટૃીના માતૃશ્રી ત્થા પ્રશાંતભાઇ ચાવડા તથા કેવલ ચાવડા તથા અર્પિતા ચાવડાના દાદીમા ત્થા ગ.સ્વ. હંસાબેન હેમતભાઇ ચાવડાના જેઠાણી ત્થા હિરેનભાઇ ચાવડા તથા જયેશભાઇ ચાવડાના ભાભુનું દુઃખદ અવસાન તા. ર૭ના રોજ થયેલ જેમનું ટેલિફોનિક બેસણું તા. ૧-૩ ને સોમવારે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ-રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે. રણજીતભાઇ ચાવડા -૯૮ર૪૯ ૧૦પ૬૦,  પ્રશાંત ચાવડા -૯૪ર૮ર ર૯૯૯૦, હરેશભાઇ ચાવડા -૯૪ર૮૩ ૪પ૩૮૬, કેવલ ચાવડા -૯૮ર૪૩ ૩૦રપ૦, કિશોરભાઇ ચાવડા -૯૮ર૪ર ૮પ૧૯પ.

હર્ષિદાબેન પારેખ

રાજકોટ : શ્રીમતિ હર્ષિદાબેન સુરેશભાઇ પારેખ (ઉ.વ.૭૦) તે સુરેશભાઇ શૌભાગ્યચંદ પારેખ (દેના બેંક) ના ધર્મપત્ની તેમજ જીનેશભાઇ, અભયભાઇ તથા દિશાબેન વોરાના માતુશ્રીનું તા. ર૭ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૦૧-૦૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સુરેશભાઇ પારેખ ૦ર૮૧-ર૪૮૦૭૮૩, જીનેશભાઇ ૯૪૦૮૦ ૩૯૧૪૯, અભયભાઇ : ૭૦૧૬૧ ૧૩ર૮૯.

દિપાબેન કનૈયા

બાબરા : સ્વ. ચંદુલાલ રેવાશંકર કનૈયાના પુત્રવધુ દિપાબેન શૈલેષભાઇ કનૈયા ઉ.વ. ૪૨ તેવો મનોજભાઇ, દિપકભાઇના ભાભીનું તા. ૨૬ના રાજકોટ ખાતે અવસાન થયું છે. બેસણુ તા. ૧ માર્ચ સાંજે ૪ થી ૬ કૃષ્ણનગર સોસાયટી બાબરા રાખેલ છે.

કિશોરભાઈ કિકાણી

રાજકોટઃ મુ. કમીગઢ, તા.જી. અમરેલી, નવસારી નિવાસી (મૂળ કમીગઢ, તા.જી. અમરેલી), કિશોરભાઈ ઘુસાભાઈ કિકાણી (ઉ.વ. ૫૯) તે આશીતભાઈ તથા અભિષેકભાઈના પિતાશ્રી તેમજ સંદીપભાઈના કાકાનું તા. ૨૫ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ના સવારના ૮ થી સાંજના ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રેહાનાબેન ચિત્તવાલા

જસદણ : દાઉદી વ્હોરા રહેનાબેન કમરૂદ્દીનભાઇ ચિત્તલવાળા તે ફખરૂદીનભાઇ, રશીદાબેન હાતીમભાઇ વજીહીના માતા, મ. અબ્બાસભાઇ, મ. શરફભાઇ ચિત્તલવાળા, જુબેદાબેન રાણપુર, સકીનાબેન ભાવનગર, રશીદાબેન રાજકોટ, ઝેહરાબેન મોરબીના ભાભી તા.૨૬ શુક્રવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે. મર્હુમાની જિયારત તા.૨૮ રવીવારના રોજ સવારે રાજકોટ રાખવામાં આવેલ છે.

યુસુફભાઇ કાચવાલા

ભાવનગર : યુસુફભાઇ તાહેરઅલી કાચવાળા (ઉવ.૬૦) તે અબ્દુલહુસેન (મુન્નાભાઇ)ના ભાઇ, ફરીદાબેનના પતિ, મુર્તુઝાભાઇ, બતુલબેનના પિતા મૂર્તુઝાભાઇ રાજકોટના સસરા, મુસ્તાફભાઇના કાકા તા.૨૬ ના રોજ ભાવનગર મુકામે વફાત થયેલ છે. મર્હુમની જિયારત (કુરઆન ખ્વાની) તા.૨૮ રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે કુતબી હોલ માણેકવાડી ખાતે તથા હિન્દુ વેપારીભાઇઓ માટે બેસણું સાંજે ૪ થી ૫ એમનાં નિવાસસ્થાન બહારની વ્હોરાવાડ, હલુરિયા ચોક ભાવનગર રાખેલ છે.

નવિનચંદ્ર જોટંગીયા

રાજકોટઃ કરાંચીવાળા વાણંદ- નવિનચંદ્ર ગોકળદાસ જોટંગીયા (ઉ.વ.૮૪) નિવૃત શિક્ષક તે જયેશભાઈ તથા જીજ્ઞેશભાઈનાં પિતા તેમજ સ્વ.બાબુભાઈ, કાકુભાઈ, મનુભાઈ, નવિનભાઈ ભટ્ટીના બનેવી તેમજ જયેશભાઈ લખતરીયા, ભાવેશભાઈ લખતરીયાનાં સસરાનું તા.૨૬ શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર શેરીનં.૨, શાળા નં.૪૭ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન ખખ્ખર

રાજકોટઃ કાલાવડ (શિતલા) સ્વ.ઠા. પરસોતમભાઈ હિરજીભાઈ ખખ્ખર (અરલાવાળા)ના ધર્મપત્નિ સ્વ.મુકતાબેન (ઉ.વ.૮૯) તે સ્વ.મગનભાઈ (રાજકોટ) તથા કિરીટભાઈ (જલીયાણ કાલાવડ)ના ભાભી તે વિનોદભાઈ તથા અનીલભાઈ તથા શોભનાબેન કિશોરકુમાર ઉનડકટ તથા રેખાબેન જગદીશકુમાર ખુનડીયાના માતુશ્રી તથા સ્વ.ભીમજીભાઈ કરશનજી રાજાના પુત્રી તા.૨૬ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડીના તા.૧/૩ને સોમવારના રોજ અનિલભાઈના નિવાસસ્થાને સાંજે ૫ થી ૬ રાખેલ છે. વિનોદભાઈ મો.૯૯૦૯૧ ૬૩૬૭૭, અનિલભાઈ મો.૯૯૭૯૧ ૬૭૩૯૯

રેહાનાબેન ભારમલ

રાજકોટઃ રેહાનાબેન કમરૂદ્દીન ભારમલ (ચીતલવાળા) તે ફખરૂદ્દીન અને રશીદાબેનના માતા, હાતીમભાઈ અને મુનીરાબેનના સાસુ તા.૨૬ના રોજ અવસાાન થયું છે. જિયારતના સીપારા રવિવારના તા.૨૮ના રોજ બપોરે નમાઝ બાદ મવાઈદમાં રાખેલ છે. મો.૯૮૨૫૩ ૩૨૨૫૨

કિશોરચંદ્ર મહેતા

રાજકોટઃ માણાવદર નિવાસી હાલ રાજકોટ સ્વ.હરસુખલાાલ મોહનલાલ મહેતાના પુત્ર કિશોરચંદ્ર (ઉ.વ.૭૬) તે વિનુભાઈ, રવિન્દ્રભાઈ, રશ્મિનભાઈ, ઈન્દુમતીબેન, મધુબેનના મોટાભાઈ તે ભાવેશ મહેતા (મોનાર્ક એપ્લાએનસિસ), મનીષા નીતિન સુતરીયા અને જસ્મીન મહેતા (વિઝન ઈન્સ્ટીટયુટ)ના પિતાશ્રીનું તા.૨૬ને શુક્રવારે સવારે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧/૩ સોમવારે સવારે ૯:૩૦ કલાકે પારસધામ દેરાસર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન વાછાણી

રાજકોટઃ સ્વ.કાંતાબેન મોહનભાઈ વાછાણી (ઉ.વ.૯૦) તા.૨૫ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૩ સોમવારે સાંજે ૪ થી ૬ અનિલભાઈ વાછાણીના નિવાસસ્થાને ''સીટીનેસ્ટ'', અંબાજી કડવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. છગનભાઈ કાનજીભાઈ વાછાણી મો.૯૪૨૬૯ ૩૪૪૫૪, જગદીશભાઈ મોહનભાઈ વાછાણી મો.૯૭૧૪૪ ૩૭૩૭૩, સ્વ.વિનોદભાઈ મોહનભાઈ વાછાણી મો.૮૮૬૬૨ ૨૭૭૬૬, અનીલભાઈ મોહનભાઈ વાછાણી મો.૯૭૨૭૦ ૪૫૩૦૬