Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017
નંદલાલભાઈ દેવજીભાઈ ધોળકીયાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટ : ગુર્જર પ્રજાપતિ નંદલાલભાઈ દેવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૬૧) તે સ્વ.સવજીભાઈ દેવજીભાઈ ધોળકીયા, બાબુભાઈ દેવજીભાઈ ધોળકીયાના નાનાભાઈ તથા મનોજભાઈ નંદલાલભાઈ ધોળકીયા, કૌશિકચાઈ નંદલાલભાઈ ધોળકીયાના પિતાશ્રીનું તા.૨૪ ને રવિવાર રોજ રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને જીવંતિકાનગર-૬, બટુક મહારાજની ગૌશાળા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. તેમની દશાની વિધી તા.૩ જાન્યુઆરીને બુધવારે અને સાંજે ૯ વાગ્યે ભજન તેમજ તા.૪ના રોજ ઉતરક્રિયા રાખવામાં આવેલ છે.

સાહિત્યકાર પુંજલભાઇ રબારીનું અવસાન

વઢવાણ : શ્રધ્ધા હોટલવાળા સુરેશભાઇ અને મનુભાઇ રબારીના પિતાશ્રી પુંજલભાઇ રબારી પીઢ સાહિત્યકાર અને મોરારીબાપુ દ્વારા પદમણી એવોર્ડ મેળવનાર એવા પુંજલભાઇ રબારી ટુંકી માંદગી બાદ અવસાન થયુ છે.

સ્મશાન યાત્રામાં શહેરના રાજકીય આગેવાનોથી લઇ અને અનેક લોકો સ્વયંભુ જોડાયા હતા ત્યારે વઢવાણની આવી પાવનકારી ધરા ઉપર અનેક લોક સાહિત્યકાર જન્મ્યા છે. આ પુંજલભાઇ રબારીએ આગવી એક ઓળખ ઉભી કરેલ હતી. પુંજલભાઇ રબારી પ્રખર રામાયણી હતા. સમાજના આ એક ઘરેણા સમાન હતા.

અવસાન નોંધ

ધનસુખભાઈ શુકલ

રાજકોટ : સલડી નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ધનસુખભાઈ જદુરામભાઈ શુકલ (ઉ.વ.૭૬) તે કેતનભાઈ રાજકોટ, મલયભાઈ ભાયાવદરના પિતાશ્રી તેમજ છેલભાઈ ગઢડા, વસંતભાઈ મહિમતભાઈના નાનાભાઈ તેમના નૌતમભાઈ જે. દવે રાજકોટના જમાઈ તેમજ યોગેન્દ્ર એન. દવેના બનેવીનું અવસાન રાજકોટ મુકામે તા.૨૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મંદિર, સહકારી કર્મચારી મેઈન રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અમૃતબેન ઠકરાર

જુનાગઢ : ગં.સ્વ.અમૃતબેન જગજીવનદાસ ઠકરાર (ઉ.વ.૯૭) તે સ્વ.જગજીવનભાઇ વિઠલજીભાઇ ઠકરાર (જુના જનસંધી)ના ધર્મપત્ની તેમજ હિરાલાલભાઇ જગજીવન ઠકરાર (લંડન), કાંતિલાલ જગજીવન ઠકરાર (એસ.ટી. નિવૃત) તેમજ સ્વ. ગુણવંતીબેન ગોરધનભાઇ લાખાણી, સ્વ.રસીલાબેન કિરીટકુમાર માણેક (ભાવનગર), ગં.સ્વ. મીનાબેન નીતિનકુમાર ખંધેડીયા (ભાવનગર), શ્રીમતિ હંસાબેન બીપીનકુમાર ઉનડકટ (પુના) ના માતુશ્રી તેમજ શ્રીમતિ ભારતીબેન કાંતિલાલ ઠકરાર (એસ.ટી. નિવૃત)ના સાસુ તા. ર૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

ભરતભાઇ ભટ્ટ

અમરેલી : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મ સમાજના મૂળ વડીયા હાલ અમરેલી નિવાસી ભરતભાઇ ભાઇશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.પ૯) તે શશીકાંતભાઇ ભટ્ટ (વડીયા) તથા નરેન્દ્રભાઇ ભટ્ટ (રાજકોટ)ના નાનાભાઇ તેમજ અન્શુમનભાઇ ત્રિવેદી (ધોળકીયા સ્કૂલ-રાજકોટ)ના બનેવી તથા હરેશભાઇ ડી. મહેતા અને હીમાન્સુ કે. ભટ્ટના સાઢુભાઇનું તા. રપના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાન કેરીયા રોડ-માણેકપરા શેરી નં.૧૩ એ અમરેલી ખાતે રાખેલ છે.

છગનભાઇ પરમાર

રાજકોટઃ પાટણ નિવાસી લુહાર છગનભાઇ (બાબુભાઇ) મેઘજીભાઇ પરમાર (ઉ.વ.૮૫) તે મનોજભાઇ તથા ભરતભાઇનાં  પિતાશ્રી અને સ્વ. અમરશીભાઇ તથા પોપટભાઇ (મોટી મારડ)નાં લધુબંધુ તથા કનકરાય (જામનગર) તથા કિશોરભાઇ (અમદાવાદ)નાં ગુરૂ બંધુ તા.૨૪ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાને જુના હુડકો કવાટર્સ નંબર-૧૮ જગફેશન વાળી શેરી  કોઠારીયા મેઇન રોડ રાજકોટ  ખાતે રાખેલ છે. મો.૯૮૭૯૩ ૫૨૮૮૦

કૃષ્ણકાંત ચોટાઇ

જુનાગઢ : યોગેશભાઇ, યજ્ઞેશભાઇ, કૈલેશભાઇ રાવલના પિતાશ્રી તથા રમેશભાઇ તેમજ સતીષભાઇ રાવલના ભાઇ કૃષ્ણકાંત રામશંકર રાવલ (ઉ.વ.૭૩)નું તા.ર૪ને રવિવારે થયેલ છે. બેસણું તા.ર૮ ગુરૂવારે સાંજના ૪ થી ૬ કોટેશ્વર મહાદેવ મંદિર, પોલીસ હેડ કવાર્ટર, જયશ્રી રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

 અશોકભાઇ ટાંક

રાજકોટઃ અશોકભાઇ મોહનભાઇ ટાંક (વકીલ) (ઉ.વ.૫૧) તે મોહનભાઇ મુળજીભાઇ ટાંકના પુત્ર, મનજીભાઇ  મુળજીભાઇ ટાંકના ભત્રીજા તે દિનેશભાઇ આણંદભાઇ ચોૈહાણના જમાઇ તે જીજ્ઞેશભાઇ, દિનેશભાઇ ચોૈહાણના બનેવી તે દયાળજીભાઇ, મહેશભાઇ, અતુલભાઇ તથા કોૈશિકભાઇના સાળાશ્રી નઅને યશના પિતાશ્રીનું તા.૨૪ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું  બંને પક્ષનુ ઉઠમણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન ભીમનાથ મહાદેવ મંદીર, ૮/૨, ગાયત્રીનગર કોર્નર, રાજકોટ ખાતે રાજકોટ ખાતે રાખેલ છે.

યોગરાજસિંહ સોંલકી

 રાજકોટઃ ગુર્જર રાજપુત યોગરાજસિંહ અભયસિંહ સોંલકી (ઉ.વ.૩૩) તે મહેન્દ્રસિંહના નાનાભાઇનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી, ૨ વિદ્યાનગર રાજકોટ ખાતે રાખેલ છે.

 હિતેષભાઇ દવે

 રાજકોટઃ મુળ ઇશ્વરીયા (લાખાપાદર), હાલ રાજકોટ બાબુલાલભાઇ રણછોડભાઇ દવે (ચાવડાગોર)ના પુત્ર હિતેષભાઇ બાબુલાલભાઇ દવે (ઉ.વ.૪૩) તે ભાવેશભાઇ તથા જીજ્ઞેશભાઇના મોટાભાઇ તથા ભાનુશંકરભાઇ તથા રમેશભાઇના ભત્રીજા તથા સ્વ. રમેશભાઇ તેરૈયા, સ્વ.સુભાષભાઇ તેરૈયા તથા સ્વ. ભુપતભાઇ તેરૈયાના ભાણેજનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ ગુરૂવારના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦, ધમેશ્વર મહાદેવ મંદીર, ધરમનગર મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

 દેવેન્દ્રભાઇ ઠાર

 રાજકોટઃ દિવ નિવાસી મોઢ વણિક સ્વ. કાંતિલાલભાઇ તથા સ્વ. મહાલક્ષ્મીબેન ઠારના પુત્ર  દેવેન્દ્રભાઇ  કાંતિલાલભાઇ ઠાર(ઉ.વ.૬૯, નિવૃત બી.ઓ.આઇ) હાલ રાજકોટ તે ગં.સ્વ. જયશ્રીબેનના પતિ તેમજ દિનસુતાબેન શાહ, વિમલકાંત ઠારના ભાઇ તેમજ શિલ્પેશભાઇ (ગ્રીશા કન્સલ્ટન્સી સર્વિસ), ગોૈરાંગ, ફાલ્ગુનીના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ શ્રીજીચરણ  પામેલ છે.  સદ્ગતનું ઉઠમણું તા.૨૮ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે અમરનાથ મહાદેવ મંદીર, સ્વામીનારાયણ મંદીર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રજ્ઞાબેન બાવીસી

 રાજકોટઃ નિવાસી પ્રજ્ઞાબેન  ધનસુખભાઇ બાવીસી (ઉ.વ.૬૩) તે ધનસુખભાઇ બાવીસીના ધર્મપત્નિ, ઉર્વી દિનેશકુમાર કોટકના માતુશ્રી, રસીકભાઇ બાવીસી તથા બી.કે બાવીસીનાં નાનાભાઇનાં પત્નિ તેમજ જામનગર નિવાસી મોહનભાઇ પ્રાગજીભાઇ મહેતાનાં સુપુત્રી તા.૨૪ (રવિવારે)નાં રોજ અવસાન પામેલ છે.

દાનુભા જાડેજા

મોરબીઃ વિરપરડા નિવાસી દાનુભા જીલુભા જાડેજા (ઉ.વ.૯ર) તે સ્વ.ડો.નરેન્દ્રસિંહ જાડેજા અને ગિરીરાજસિંહના પિતાશ્રી તેમજ એડવોકેટ મહાવીરસિંહ, અજયસિંહ, જયરાજસિંહ (ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી મોરબી પાલીકા) અને ભવ્યરાજસિંહના દાદા તા.ર૪ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.ર૮મીએ ગુરૂવારે બપોરે ૩ થી ૬, મુ.વિરપરડા તા.જી. મોરબી ખાતે રાખેલ છે.

અમૃતલાલ રાઠોડ

ધોરાજી : અમૃતલાલ રાઠોડ (એલઆઇસી નિવૃત્ત અધિકારી) તે વિરેન્દ્રભાઇ રાઠોડ (એડવોકેટ) તથા વિનોદભાઇના પિતાશ્રીનું તા. ૨૫ને સોમવારના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૭ને બુધવારે બપોરે ૪ થી ૬ રૂષીવાડી જુનાગઢ રોડ તથા ઉત્તરક્રિયા નિવાસસ્થાને ધોરાજી રાખેલ છે.

નારણભાઇ મઢવી

વાંકાનેર : મૂળ માખેલવાળા હાલ વાંકાનેરવાળા નારણભાઇ બેચરભાઇ મઢવી (ઉ.વ.૭૫)નું તા. ૨૦ના અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ૩૦ના રાખેલ છે.

હંસાબેન દવે

રાજકોટ :  જુનાગઢનાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હંસાબેન હરિલાલ દવે (ઉ.૮૧) તે નરેન્દ્રભાઇ, લલીતભાઇ, હર્ષદભાઇ, મેનાબેન અને ભારતીબેનના માતુશ્રીનું તા. ર૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૮ નાં સાંજે ૪ થી ૬ શ્રી આત્મેશ્વર મંદિર માનસ સ્કુલ પાસે,  ૧ રણછોડનગર, જુનાગઢ ખાતે રાખેલ છે.

પ્રાણલાલ મહેતા

નવાગામ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમવાય નવાગામ નિવાસી પ્રાણલાલ સદાશંકર મહેતા (ઉ.વ.૮૫) માહિતી ખાતાના નિવૃત કર્મચારી તે જયસુખભાઇ તથા દિનેશભાઇના મોટાભાઇ તેમજ રસિકભાઇ, ભરતભાઇ, વિજયભાઇ, સાવિત્રીબેન તથા નીરૂબેનના પિતાશ્રી તેમજ પ્રકાશભાઇના બાપુજી તેમજ નરેન્દ્રભાઇના સસરા તેમજ નેહલ, સુનીલ, રોનક તથા ક્રિષ્નાના દાદા તેમજ દેવેન્દ્ર તથા મિલનના નાનાનું તા.૨૪ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન નવાગામ (ગોમટા) ખાતે રાખેલ છે.

હસમુખલાલ મહેતા

રાજકોટ : હરસુખલાલ મોહનલાલ મહેતા (ઉ.વ.૮૪) તે યતિનભાઈ, જયેશભાઈ, હરેશભાઈ તથા પ્રતિક્ષાબેનનાં પિતાશ્રીનું તા.૨૫ને સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૮ને ગુરૂવારનાં રોજ સવારે ૯ કલાકે વર્ધમાનનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.