Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019
સેન્ટ્રલ આઇબીના યોગેન્દ્રસિંહ ચુડાસમાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ મુળ અણીયારી ભીમજી (ધંધુકા) નિવાસી હાલ રાજકોટ નિવાસી સેન્ટ્રલ આઇબી (રાજકોટ)માં ફરજ બજાવતાં યોગેન્દ્રસિંહ જયદેવસિંહ ચુડાસમા (ઉ.વ.૫૩) તે સ્વ. જયદેવસિંહ અણદુભા ચુડાસમાના પુત્ર, મહાવીરસિંહ જયદેવસિંહ જાડેજાના ભાઇ, રાઘવેન્દ્રસિંહ જાડેજાના પિતાશ્રી તથા વિશ્વજીતસિંહ મહાવીરસિંહના મોટાબાપુનું આજે તા. ૨૬ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન કુમકુમ પાર્ક-૧, વિમલનગર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ  ઉત્તરક્રિયા તા. ૨/૧૨ના નિવાસસ્થાને રાખેલ છે.

નિવૃત પોલીસ કર્મચારી રામદેવસિંહ ઝાલાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃમુળ રાતીદેવળી હાલ રાજકોટ નિવાસી નિવૃત પોલીસ કર્મચારી રામદેવસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તે પૃથ્વીરાજસિંહ જશુભા ઝાલાના પુત્ર, મહેન્દ્રસિંહ જશુભા ઝાલાના ભત્રીજા, વનરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, સ્વ. હરદેવસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાના મોટા ભાઇ તેમજ દશરથસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, ધનરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના ભાઇ અને વિરેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલાના કાકા તેમજ ઋત્વિકરાજસિંહ ઝાલાના પિતાશ્રીનું તા. ૨૫/૧૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૮/૧૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જામનગર રોડ પરાસર પાર્ક, પંચશીલ ફાર્મ હાઉસ, કૃષ્ણનગર મેઇન રોડ, વ્હોરા સોસાયટી રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા ૩૦/૧૧ના નિવાસસ્થાને રાખેલ છે.

દેવચડીવાળા ભીખુભા મકવાણાનું અવસાન

રાજકોટ : દેવચડી નિવાસી કારડીયા રાજપૂત ભીખુભા ઝીણાજીભાઈ મકવાણા (ઉ.વ.૯૬) તે પ્રતાપસિંહ, રણજીતસિંહ, નવલસિંહ તથા સુરેન્દ્રસિંહના પિતા તેમજ બળવંતસિંહ તેમજ ચંદ્રસિંહના મોટાબાપુ તેમજ કનકસિંહ, કુમારસિંહ, મહિપાલસિંહ, ચૈતન્યસિંહ, દિવ્યરાજસિંહ, અનિરૂદ્ધસિંહ, યુવરાજસિંહ, અજયસિંહ, અંશુમાનસિંહના દાદાનું કારતક વદ ૧૪ને સોમવારે તા.૨૫ના અવસાન થયેલ છે.

અવસાન નોંધ

કાળુભાઈ ગુજરાતી

રાજકોટઃ મૂળગામ ભાટગામ તા.ભેંસાણ હાલ રાજકોટ ખાંટ રાજપૂત કાળુભાઈ નાનજીભાઈ ગુજરાતી (ઉ.વ.૫૧) તે મયુરભાઈ તથા અજયભાઈ તથા કાજલબેનનાં પિતાશ્રી તા.૨૫ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કોઠારીયા સોલ્વન્ટ સીતારામ સોસાયટી શેરીનં.૨ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

દેવીસિંહ સિસોદીયા

રાજકોટઃ સ્વ.દેવીસિંહ ગગુભા સિસોદીયા (ઉ.વ.૯૦) (નિવૃત આઈ.બી.) તે નરેન્દ્રસિંહ (સરકારીપ્રેસ), કિરીટસિંહ તથા યશવંતસિંહ (યશ હોટલ)ના પિતાશ્રી તથા ભગીરથસિંહ, મહાવીરસિંહ, હરપાલસિંહ તથા જયરાજસિંહના દાદાશ્રીનું તા.૨૬ મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ૩૩, કરણપરા, સન્યાસ આશ્રમ, નિલકંઠ મહાદેવ, સમ્રાટ હોટલ સામે રાખેલ છે.

હિનાબેન ઠાકર

જેતપુર : ચોરવાડ નિવાસી હિનાબેન રમેશકુમાર ઠાકર (ઉ.વ.૫૧) તે હિતેષભાઇ દલસુખભાઇ રાવલ, મીનાબેન નરેશભાઇ ઠાકર, કિરણબેન વિજયભાઇ જોશી,(પોરબંદર) ના બહેન, પારૂલબેન જાનીના નણંદ, તા. ૨૪ના અવસાન પામેલ છે. પીયરપક્ષનું બેસણું તા.૨૮ ગુરૂવારના સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન સ્વામી વિવેકાનંદ સોસાયટી, નવાગઢ, જેતપુર રાખેલ છે.

અશોકભાઈ કાત્રોડીયા

રાજકોટઃ મુળ વાંકાનેર હાલ રાજકોટ સોની સ્વ.અશોકભાઈ ચતુરદાસ કાત્રોડીયા (ઉ.વ.૮૧) તે ચતુરદાસ દલીચંદ કાત્રોડીયાના પુત્ર તેમજ સ્વ.વસંતલાલ જમનાદાસ વાગડીયા (મોરબીવાળા)ના જમાઈ તેમજ શૈલેષભાઈ, આનંદભાઈ, માલાબેન, લીનાબેનના પિતાશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ અક્ષરવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું (બંને પક્ષનુ સાથે) તા.૨૮ને ગુરૂવાર સવારે ૧૧ થી ૧૨ પારેખ વાડી પહેલો માળ ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.