Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021
અનમોલ ધુપદાનીવાળા રોહિતભાઇ ઉપાધ્યાયનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થના સભા

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ ચોટીલા નિવાસી : હાલ-રાજકોટ સુમંતલાલ બી. ઉપાધ્યાય (રેલવે રીટા.) ના સુપુત્ર અને નિરૂભાઇ ઉપાધ્યાય (ચોટીલા)ના ભત્રીજા તેમજ મહિમનભાઇ ઉપાધ્યાય ચોટીલાના ભાઇ તથા ધર્મવ્રતભાઇ (અનમોલ એન્ટરપ્રાઇસ)ના મોટાભાગ રોહિતભાઇ (ઉ.વ.પ૦) (અનમોલ એન્ટરપ્રાઇસ) નું ટુંકી બીમારી બાદ તા. ર૪ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. રપ શનિવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ સુધી ગ્રાન્ડ ઠાકર બેંકવેટ હોલ, ગ્રાન્ડ ઠાકર લોજ, જયુબિલિ બાગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે મો.નં. ૯૮રપ૮ ૯૯ર૬૪, ૯૯૧૩રપ૧૬૯૦, ૯૮ર૪૧૧ર૬૯પ, ૭ર૦ર૯૬પર૯૮.

અવસાન નોંધ

લાભુબેન સુખડિયા

મોટી કુંકાવાવઃ ખેડૂત અગ્રણી સ્વ.ભીખાભાઇ ભગવાનભાઇ સુખડીયા (ભગત)નાં ધર્મપત્નિ લાભુબેન (ઉ.વ.૯૫) તે સ્વ.મથુરભાઇ, ચતુરભાઇ, મનસુખભાઇ (પૂર્વ સરપંચ) તથા મધુભાઇના માતુ શ્રી તેમજ ચુનીભાઇ તથા સુભાષભાઇ (સરપંચ શ્રી મોટી કુંકાવાવ)નાં કાકી તેમજ નિપુનભાઇ, મિરેનભાઇ તથા ઉમેશભાઇના દાદીમાનું તા.૨૪નાં રોજ અવસાન થયેલ છે. બેસણું શનિવારથી સોમવાર સુધી રાખેલ છે

મધુસુદનભાઇ ભગત

રાજકોટઃ મધુસુદન શાંતિલાલ ભગત (લંડન ખાતે) તેઓ કોકિલાબેનના પતિ તથા પ્રફુલચંદ્રભાઇ, સૂર્યકાંતભાઇ, સ્વ.ભરતભાઇ, ધર્મેન્દ્રભાઇ રશ્મિબેનના ભાઇ તથા નિરજભાઇના પિતાશ્રી તથા પૂજાબેનના સસરા તથા વિઆન, ઇવાનના દાદા તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

જયશ્રીબેન શાહ

રાજકોટઃ સ્વ.મહાસુખરાય કસ્તુરચંદ શાહ (બગડીયા)ના સુપુત્રી અ.સૌ જયશ્રી (જયના) (ઉ.વ.૪૯) તે કલ્પેશકુમાર અશ્વિનભાઇ શાહના પત્નિ, તે નિલય-પાર્શ્વના મમ્મી, સ્વ.કમલેશભાઇ, નરેશભાઇના બેન તા.૨૨ના વિલે પોર્લે (મુંબઇ) મુકામે અરીહંત શરણ પામેલ છે.  લૌકિક વ્યવહાર બંધ છે.

જયાબેન ધીંગાણી

રાજકોટઃ જયાબેન મોહનભાઈ ધીંગાણી (ઉ.વ.૮૨) તે અશોકભાઈ ધીંગાણી તથા જયેશભાઈ ધીંગાણી (આસ્થા એસ્ટેટ)નાં માતુશ્રીનું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ સોમવાર સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે, નવદુર્ગા હોલ ધોળકીયા સ્કુલ પાસે, યુનીવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૬૦૧૮ ૯૦૭૯૧, મો.૯૮૨૫૧ ૩૦૮૪૦

આશાબેન દફતરી

રાજકોટઃ સતિષકુમાર ખેલશંકર દફતરીના ધર્મપત્નિ અ.સૌ.આશાબેન સતિષકુમાર દફતરી (ઉ.વ.૭૧) જે ધારા તથા જોલીના માતુશ્રી  અને  ચિંતનકુમાર તથા નિમિતકુમારના સાસુજી, પ્રથમ તથા શ્રેયાંશના નાનીજી તા.૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૨૭ના સોમવારના રોજ સવારે ૧૦ કલાકે રાખેલ છે. ત્યારબાદ પ્રાર્થનાસભા રાખેલ છે. સ્થળ- પારસધામ જીનાલય, નિર્મલા રોડ, રાજકોટ.(૩૦.૨)

વનિતાબેન ચાવડા

રાજકોટ : કિરીટભાઇ રસીકલાલ ચાવડાના પત્ની સ્વ. વનિતાબેનનું તા. ર૩ ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ સોમવારે સાંજે ૪ થી પ.૩૦, રાધાકૃષ્ણ મંદિર, અક્ષરનગર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા તા. ર ને શનિવારે તેમના નિવાસ સ્થાને-૪ અક્ષરનગર, હીરાના બંગલા પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે. કિરીટભાઇ ચાવડા મો. ૯૯રપર ૧૯૯૮૦, સુરેશભાઇ ચાવડા મો. ૯૯રપર ૧૯૯૭૭

રાજુભાઈ જાદવ

રાજકોટઃ નિવાસી રાજુભાઈ દિનેશભાઈ જાદવનું તા.૨૪ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૪  થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને ડી-૧૦૩, મહર્ષી અરવિંદ ટાઉનશીપ, કર્ણાવતી સ્કૂલની બાજુમાં રેલનગર, રાજકોટ મુકામે રાખેલ છે. મો.૭૯૮૪૬ ૦૧૫૭૧, મો.૯૭૨૫૨ ૯૨૨૬૭

કાળુગીરી ગોસાઇ

રાજકોટઃ કૈ.વા. કાળુગીરી બળવંતગીરી ગોસાઈ (મુ. અમરેલી) તે ગીતાબેનના પતિ તથા અલ્પેશગીરી તથા પરેશગીરી તથા અલકનંદાબેનના પિતાશ્રી રાકેશપરીના સસરા તથા નટવરગીરી (અમરેલી) તથા દિલીપગીરી (સુરત) ના ભાઈ નું. તા. ૨૫  શનિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૭  ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રીનાથ મહાદેવ મંદિર શ્રીનાથપાર્ક કુવાડવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.