Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022
દિપક ઈન્‍દુભાઈ પારેખનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ દિપક ઈન્‍દુભાઈ પારેખનું બુધવાર તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૬ શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ નાગર બોર્ડિંગ વિરાણી હાઈસ્‍કુલ પાસે રાખેલ છે. સ્‍વ.ઈન્‍દુભાઈ ભગવાનદાસ પારેખ, સ્‍વ.નાનાભાઈ ભગવાનદાસ પારેખ, સ્‍વ.પ્રફુલ્લભાઈ ભગવાનદાસ પારેખ, પલ્લવી કિશોરભાઈ ત્રિવેદી- રાજકોટ, શ્રીલેખા નરેન્‍દ્રભાઈ લવિંગીયા- અમદાવાદ, અંજલી વિપુલભાઈ શાહ- અમદાવાદ, શૈલી, હર્ષ, પરીતા, શ્રેય અને મલય.

ચેતન ભાસા

રાજકોટ : ગોવિંદભાઇ બીજલભાઇ ભાસાના પુત્ર ચેતન ગોવિંદભાઇ ભાસા (ઇેલ. એન્‍જી.) તે ખીમજીભાઇ ભાસા, દિનેશભાઇ ભાસા, શાંતિલાલ ભાસાના ભત્રીજા તેમજ નિલેશભાઇ, અનિલભાઇ, અંકિતભાઇ અને ધવલકુામરના ભાઇનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૬ ના શનિવારે સવારે નિવાસ સ્‍થાન, ડો. ભીમરાવ આંબેડકર સોસાયટી,  રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જુગતાબેન મહેતા

ઔદીચ્‍ય બ્રાહ્મણ ખરેડી સમવાય સ્‍વ.જુગ્‍તાબેન ગુણવંતરાય મહેતા(ઉ.૮૦) સ્‍વ.ભાઇશંકરભાઇ ભટ્ટના પુત્રી જેઓ અ.સૌ.નિશાબેન ઉદયકુમાર દવે(રાજકોટ) જયોતિબેન જનકરાય દવે(જુનાગઢ) વીણાબેન સંજયુકમાર ભટ્ટ (વડોદરા)ના માતુશ્રી તેમજ દિપ, કરણ, હેતશ્રીના નાનીબાનું તા ૨૪ના જુનાગઢમાં અવસાન થયેલ છે ઉઠમણું તા.૨૬ શનિવારે, સાંજના ૪થી ૫, શ્રી ૐ કારેશ્વર મહાદેવ મંદીર, દીપાંજલી, સોસાયટી-૨ ટીંબાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

સુરેશભાઇ સોલંકી

ધોરાજીઃ સુરેશભાઇ રણછોડભાઇ સોલંકી રામચરણ પામેલ છે. તેનું બેસણું કાલે શનિવારે તા.૨૬ના સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાન કંસારાચોક, બારોટશેરી ધોરાજી રાખેલ છે.

લલિતરાય જાની

રાજકોટઃ પશુપાલન વિભાગ રાજકોટના  વરિષ્‍ઠ અધિકારી સ્‍વ.લલિતરાય.કે.જાની તા.૨૪ ગુરૂવારના રોજ કેલાશવાસી થયેલ છે. સદગતનું બેસણું ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે તા.૨૬ શનિવારના રોજ સાંજે ૪.૩૦થી ૬ રાખેલ છે.મનીષ જાની મો.૯૩૨૮૦ ૮૭૯૫૯

વિજયભાઇ ધરાદેવ

 જૂનાગઢ : સ્વ. વિજયભાઈ લાભશંકર ધરાદેર્વં  સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી કાર્યકર અને ટ્રસ્ટી તે વિભાબેનના પતિ, કોમલબેન નૈમીષકુમાર જીકરિયા, માધવીબેન, હેમલભાઈના પિતાશ્રી તથા સ્વ. હરિભાઈ, શીવાભાઈ, હિતેશભાઈ, (ભાવનગર) કલ્પનાબેન રાજેશભાઈ સુડીયાના ભાઈ તેમજ પડધરીવાળા નવનીતરાય ફૂલશંકર સાતાના જમાઈનું  આજે તા. ૨૩ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા. ૨૫ને શુક્રવાર ના રોજ સાંજે ૪ થી ૬સુધી ભૂતનાથ મહાદેવ મંદિર (હોલ) બાઉદીન કોલેજની સામે રાખવામાં આવેલ છે.