Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022
કથાકાર જનકભાઇ મહેતાના સાસુનું અવસાન : લાખાપાદરમાં બેસણુ

રાજકોટ : શ્રીમતી ભાનુબેન ગુણવંતરાય ભટ્ટ (ઉવ.૮૦) (લાખાપાદર-થાણા) જે નિતિનભાઇ તથા સ્‍વ. કિશોરભાઇ તથા હિતેષભાઇના માતુશ્રી તથા જાણીતા કથાકાર શાષાી જનકભાઇ મહેતા (ડોડીયાળાવાળા)ના સાસુમાનું ગઇ કાલે તા. ૨૩-૯-૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૨૬ સોમવારે બપોરે ૩ થી ૬ લાખાપાદર ગામ તાલુકો ધારી મુકામે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. પ્રભુ તેમના આત્‍માને શાંતિ આપે તેવી પ્રાર્થના સગા-સંબંધીઓએ કરી છે. (જનકભાઇ મહેતાના મો. ૯૪૨૬૪ ૩૦૨૪૫ રાજકોટ)

કૃષ્‍ણસિંહ જાડેજા (વિરપર)નું દુઃખદ અવસાન : સોમવારે મોરબી ખાતે બેસણુ

રાજકોટ : મુળ ગામ વિરપર મચ્‍છુ હાલ મોરબીના રહેવાસી કૃષ્‍ણસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૭પ) તે હિતેન્‍દ્રસિંહના પિતા, જે.એમ. જાડેજા (વાંકાનેર) અનિરૂધ્‍ધસિંહ બી. જાડેજા (મોરબી), આઇ.બી. જાડેજા (રાજકોટ), ધર્મવીરસિૈંહ, બી. જાડેજા (રાજકોટ), વનરાજસિંહ બી. જાડેજા (વાંકાનેર) ના મોટાભાઇનું તા. ર૩ ના શુક્રવારના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ર૬ ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી મોરબી-ર, સામાકાંઠે નેશનલ હાઇવે પાસે, ૩ર-મધુવન સોસાયટી ખાતે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ર૯ ને ગુરૂવારના રોજ રાખેલ છે. મો. નં. જે. એમ. જાડેજા ૯૯રપર ૪૮રપપ અને રાજદીપસિંહ જે. જાડેજા ૯૮ર૪૯ ૯૯ર૪૯.

ભૂજના દૈનિક અખબાર ‘‘ચંચલ''ના માલિક સતીશભાઇ ઉપાધ્‍યાયનું અવસાન

જામનગરઃ ભુજના દૈનિક અખબાર ચંચલના માલિકનું દુઃખદ અવસાન થયેલ છે.

ભુજના સતીશભાઈ ઉપાધ્‍યાય (ઉં.વ. ૫૨) તે સ્‍વ. જ્‍યોતિબાળાબેન મનહરલાલ મણિશંકર ઉપાધ્‍યાયના સુપુત્ર, શિલ્‍પાબેનના પતિ  માધવી,આદિત્‍ય અને વરુણના પિતા ,  તે ગં.સ્‍વ. ઇન્‍દુબેન ગુણવંતરાય ઉપાધ્‍યાય ના જમાઈ, તે જયેન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય (તંત્રી ચંચળ દૈનિક) પ્રદીપભાઈ ઉપાધ્‍યાય, યોગેશભાઈ ઉપાધ્‍યાય, મુકેશભાઈ ઉપાધ્‍યાય, તેમજ સુનંદાબેન ત્રિવેદીના ભાઈ, સંજય ઉપાધ્‍યાય, ધ્‍વનિ સનગર, વિશાલ ઉપાધ્‍યાય, સિદ્ધાર્થ ઉપાધ્‍યાય, પ્રતિક ઉપાધ્‍યાય,અંજલી અવધૂત પંડ્‍યાના કાકા ફાલ્‍ગુની અને રિપલના મામાનું તા. ૨૩/૯/૨૨ શુક્રવારના રોજ અવસાન પામેલ છે.

    તેમની પ્રાર્થના સભા સાથે મોસાળ પક્ષની સાદડી તા. ૨૬/૯/૨૨ સોમવારે સાંજે ૫ થી ૬ ઁરાજપુત સમાજ વાડીઁ, રઘુવંશી ચોકડી, નવી રાવલ વાડી, ભુજ ખાતે રાખવામાં આવેલ છે સંપર્ક - ૭૯૮૪૨૭૭૫૯૦, ૯૯૭૪૫૬૫૨૬૧.

અવસાન નોંધ

રાજીવભાઇ ગઢીયા

વીરપુર (જલારામ): સ્વ.પ્રમોદકુમાર જમનાદાસ ગઢીયાના મોટા પુત્ર રાજીવભાઇ (ઉ.વ.૫૪) ને નંદિતના પિતાશ્રી  તથા પનાબેન ભરતભાઇ સુખા (સુરત), ભાવનાબેન  આશિષભાઇ ચંદારાણા (રાજકોટ), નયનાબેન (નિ.હિસાબનીશ-કલેકટર ઓફીસ,રાજકોટ) તેમજ ચંદ્રેશભાઇના ભાઇ, કિશોરભાઇ જગજીવનભાઇ ચાંદ્રાણી (વીરપુર) ના ભાણેજ તથા સ્વ. ચીમનલાલ કાનજીભાઇ હિરાણી (મોરબી વાળા) ના જમાઇ, અશોકભાઇના બનેવીનું તા.૨૩/૦૯ને શુક્રવારના રોજ દઃુખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૨૪/૦૯ને શનીવારના રોજ સાંજના ૫ થી ૬ ગાયત્રીનગર રેલવે સ્ટેશન રોડ, વીરપુર(જલારામ) ખાતે રાખેલ છે. મનીષ ચાંદાણી વીરપુર (જલારામ)

દિનેશભાઇ પરમાર

કેશોદઃ કેશોદ નિવાસી શ્રીમારુ કંસારા સ્વ. છોટાલાલ કાળીદાસ પરમારના પુત્ર દિનેશભાઇ છોટાલાલ પરમાર(નિવૃત પોસ્ટ માસ્તર)(ઉ.વ.૬૬) જે પ્રતિકભાઇ અને શ્રેયસભાઇના પિતાશ્રીનું તા. ૨૩/૦૯/૨૦૨૨ને શુક્રવારના રોજ ટૂંકી બીમારીથી શ્રીજી ચરણ પામેલ છે.

સદ્ગતનું ઉઠમણું તા. ૨૪.૦૯.૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી નીલકંઠ મહાદેવ મંદિર શરદ ચોક હવેલી પાસે, કેશોદ ખાતે રાખેલ છે. તુષારભાઇ-મો. ૯૮૨૪૩૧૨૩૬૬, પ્રતિકભાઇ-મો.૯૭૨૪૪૭૯૭૯૦.

ઉષાબેન પોપટ

ગોંડલ : કેશવલાલ પોપટના ધર્મપત્ની  ઉષાબેન તે જલ્પાબેન, મોનિકાબેન તથા પરેશભાઇના માતૃશ્રી તથા કિશોરભાઇ, પ્રવિણભાઇ, મનસુખભાઇના ભાભી તેમજ અમૃતલાલ લીલાધર લાખાણીના પુત્રી તા. ૨૨/૦૯/૨૦૨૨ ના રોજ અવસાન થયેલ  છે. તેમનુ ઉઠમણુ/ સાદડી તારીખ ૨૪/૦૯/૨૦૦ શનિવાર બપોરે ૪:૩૦ થી ૫:૩૦ સુવાસ વાડી, આશાપુરા રોડ, ગોંડલ રાખેલ છે.

મુકેશભાઇ ત્રિવેદી

મોરબીઃ  મૂળ હળવદ હાલ મોરબી નિવાસી સ્વ. વસંતલાલ કૃષ્ણરામ ત્રિવેદીના પુત્ર મુકેશભાઇ વસંતલાલ ત્રિવેદી (ઉ.વ.૭૧)  તેઓ સ્વ. હસમુખભાઇ, સ્વ. બીપીનભાઇના નાના ભાઇ તેમજ જીતેન્દ્રભાઇ,સ્વ.મહેશભાઇ યોગેશભાઇના મોટાભાઇ તથા મીનાબેન   (માલુબેન) ના પતિ તેમજ દેવાંગ ત્રિવેદી, રીનલ ગૌરવ દવેના પિતા તથા સ્વ. ગંગાધરભાઇ અંબાશંકર જાનીના જમાઇનું તા. ૨૨-૦૯-૨૦૨૨ને ગુરુવારે દુઃખદ અવસાન થયુ છે. સદ્ગતનું બેસણુ તા.૨૪/૦૯/૨૦૨૨ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

પ્રતિકકુમાર ભટ્ટ

જામનગરઃ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ (મૂળ સાવરકુંડલા) હાલ જામનગર પ્રતીકકુમાર બળવંતરાય ભટ્ટ(ઉ.વ.૩૯)તે બળવંતરાય ભગવાનજી ભટ્ટના પુત્ર તેમજ હિમાંશુના નાનાભાઇ, ધારાબેન ના પતિ તેમજ પ્રવીણભાઇ દુર્ગાશંકર દવે (ઝાંઝરડા વાળા) હાલ જૂનાગઢના જમાઇ તથા કપિલભાઇ, સાગરભાઇ તથા જીગુબેન ગૌરાંગભાઇ ભટ્ટના બનેવી, સ્વ.પ્રતાપ શંકરભાઇ, રમણીકલાલ તથા નટવરલાલ ભગવાનજી ભટ્ટના ભત્રીજા તેમજ સ્વ. રવિશંકર લક્ષ્મશંકર પુરોહિત(મૂળ ચલાલા) ના ભાણેજનું અવસાન તા.૨૨/૦૯/૨૦૨૨ને ગુરૂવારના રોજ થયુ છે. ઉઠમણું તા. ૨૪/૦૯/૨૦૨૨ શનીવાર ૩ થી ૫ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, આનંદ આશ્રમ સામે,સાવરકુંડલા મુકામે રાખેલ છે.

શીતલબેન ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુથાર મૂળ ગોંડલવાળા હાલ રાજકોટ નિવાસી બીપીનભાઇ બાબુભાઇ ધામેચાના પુત્રવધુ તથા ઓનેષ્ટ ટેઇલર વાળા પંકજભાઇના ધર્મપત્ની તેમજ ધર્મેશભાઇ તથા વિમલભાઇ ના ભાભી અને શ્યામના માતુશ્રી તથા જીલહીયા વાળા હાલ પડધરી નિવાસી હસમુખભાઇ (ભુપતભાઇ) દયાળજીભાઇ ખેરડીયાની પુત્રી તે શીતલબેન પંકજભાઇ ધામેચા (ઉ.વ.૪૧) ૨૨ને ગુરુવારે શ્રીજી ચરણ પામેલ છે.

બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૫ રામમંદિર, રામનગર રોડ, પી.ડી.માલિવયા કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.  પંકજભાઇ-૯૮૭૯૭૪૨૬૦૩, ધર્મેશભાઇ-૯૮૨૪૮ ૯૮૧૦૫, દિવ્યેશભાઇ-૯૮૭૯૧ ૮૨૫૪૩

માલતીબેન શાહ

રાજકોટઃ માલતીબેન તે સ્વ.જયેન્દ્ર મગનલાલ શાહના ધર્મપત્ન (ઉ.વ.૮૨) તા. ૨૩ ના રોજ અરીહંત શરણ પામેલ છે. તે  સ્વ. નૌતમલાલ ઠાકરશી મહેતા ભાવનગર વાળાના પુુત્રી તથા સ્વ. રજનીભાઇ શાહ, સ્વ. નીરંજનાબેન મોદી. સ્વ. સુધાબેન શાહ, અરૂણાબેન દોશી, ઉષાબેન ઉદાણી, ઇલાબેન કોઠારીના ભાભી થાય. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મિલનકુમાર જોષી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. મિલનકુમાર જસવંતરાય ચઠ્ઠ (જોષી) તે પ્રજ્ઞાબેન ના પતિ, ભાગ્યેશ, ખ્યાતિબેન હિમાંશુકુમાર જોષી(એન), ભુમીબેન ધવલકુમાર સોલંકીના  પિઁતાશ્રી તથા ચંદ્રિકાબેન શૈલેષકુમાર મક્કડ (વિસાવદર), કાશ્મીરાબેન કિરીટકુમાર પુરખાના ભાઇ તથા જામનગર નિવાસી સ્વ. દિનકરરાય દયારામ પશાના જમાઇ અને દિલીપભાઇ (મહારાજ પકવાન વાળા) ના બનેવીનું તા.૨૩ના શુક્રવારના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડીને તા.૨૪ને શનિવારે સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ રાધાકૃષ્ણ મંદિર એરપોર્ટની દીવાલ પાસે ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

કમળાબેન સેદાણી

રાજકોટઃ સ્વ. ટપુભાઇ ભુરાભાઇ સાગલાણીની દીકરી તે ગોપાલભાઇ ટપુભાઇ સાગલાણીના બેન તથા ચેતનભાઇ, પિયુષભાઇના ફૈબા કમળાબેન રમણીકલાલ સેદાણી(ઉ.વ.૮૪)નુ ભાવનગર મુકામે તા.૨૩/૦૯ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા. ૨૬ને સોમવારના રોજ ''માતૃછાયા''૨, વિમલનગર રૈયારોડ રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

ઇલાબેન નકુમ

રાજકોટઃ કારડીયા રાજપુત ચક્ષુદાતા સ્વ.ઇલાબેન તેઓ સ્વ.રૂપસીંગભાઇ ખીમજીભાઇ નકુમ (નિવૃત એ.જી.ઓફીસ)ના ધર્મપત્ની, સ્વ.બિપિન નકુમ, આશાબેન ઉપેન્દ્રસિંહ પરમાર (લંડન) તથા ઉષાબેન ભવદીપભાઇ વાળાના માતુશ્રી તથા વિરાજ નકુમના દાદીમાંનું આજરોજ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ચક્ષુદાન જી.ટી.શેઠ સરકારી આંખ હોસ્પીટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ છે. તેઓશ્રીનું બેસણું તા.૨૬ને સોમવારને સાંજે ૪.૩૦થી ૬.૩૦ નિવાસ્થાન શ્રોફરોડ, જામટાવર પાસે રાખેલ છે.

જસુબેન વિઠલાણી

રાજકોટઃ સ્વ.રતીલાલ જીણાભાઇ વિઠલાણીના ધર્મપત્ની જસુબેન રતિલાલ વિઠલાણી તે કાંતીભાઇ, ચંદુભાઇ, ચિમનભાઇના ભાભી, રાજેન્દ્રકુમાર, દિલીપભાઇ, હરેશકુમારના સાસુ, તથા સ્વ.તુલસીદાસભાઇ, સ્વ.જગજીવનભાઇ, વૃન્દાવનભાઇ, પ્રવિણભાઇ, અરવિંદભાઇના બહેનનું દુઃખદ અવસાન તા.૨૪ શનિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૬ સોમવારે સાંજે ૪.૩૦થી પ, શ્રીમણીધર મહાદેવ, હુડકો ફાયરબ્રિગેડ  પાછળ, મણીનગર શેરી નં.૩, કોઠારીયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૫૭૪૨ ૮૧૪૭૧

સંજયકુમાર વાજા

ધોરાજી : વાળંદ સંજય કુમાર ગમનલાલ વાજા(ઉંમર ૪૪) તે ગમનલાલ બાબુલાલ વાજા ના સુપુત્ર તેમજ ધવલભાઈ ના મોટાભાઈનું તા. ૨૨ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૪ને શનિવારે તેમના નિવાસ્થાન નવા બસ સ્ટેન્ડ રોડ આરોગ્ય હેલ્થ દવાખાના સામે ફરેણી રોડ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

ભાનુબેન ભટ્ટ

લાખાપાદર(થાણા) -ઓ-ખ-સ-બ્રાહ્મણ ભાનુબેન ગુણવંતરાય ભટ્ટ જે સ્વ. ગુણવંતરાય પ્રભાશંકર ભટ્ટના ધર્મપત્નિ તથા નિતિનભાઇ તથા સ્વ.કીશોરભઇ તથા હીતેષભાઇના માતૃશ્રી તથા સ્વ. કનુભાઇ તથા સ્વ. ચંદુભાઇના ભાભી તથા નરેશભાઇ તથા અનીલભાઇના ભાભુનું તા. ૨૩ ના અવસાન થયેલ છે. જેમનુ બેસણું તા.૨૬ના રોજ બપોરે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાને મુ.લાખાપાદર તા.ધારી રાખેલ છે.

બટુકભાઈ જોષી

રાજકોટઃ બટુકભાઈ હરિલાલ જોષી
(ઉ.વ.૭૨) જુનાગઢ (મુ.અમરનગર) તેવો સ્‍વ.સંજયભાઈ જોષી, અજયભાઈ જોષી, જયોતિબેન હસમુખભાઈ જોષી (રાજકોટ)ના પિતાશ્રી તા.૨૩ના કૈલાશવાસ થયેલ છે. જેઓનું બેસણું તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના  નિવાસસ્‍થાને દાતાર કૃપા નાલંદા હાઈસ્‍કુલ પાસે, જુનાગઢ મુકામે રાખેલ છે.