Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021
ચરખડી ભરતભાઇ નાનાલાલ જોષીનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : ચરખડી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઇ નાનાલાલ જોષી (ઉ.વ.૬૦) તે હરસુખભાઇ (ગોંડલ), રમેશભાઇ (ગોંડલ), સ્વ. મંજૂબેન પ્રવિણભાઇ પંડયાના નાનાભાઇ તથા મધુબેન જીતુભાઇ ભટ્ટના મોટાભાઇ તેમજ પરેશભાઇ ના પિતાશ્રી અને વિશ્વા, ક્રિશના દાદાનું તા. રર ને બુધવારના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ર૪ ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાન ચરખડી (ગોંડલ) ખાતે રાખેલ છે. પરેશભાઇ ૬૩પ૩૩ ર૩પપ૦, હરસુખભાઇ મો. ૯૮૭૯૦ ૦૭૩પ૧, રમેશભાઇ ૯૯રપર  ૩૩૭૮ર

જુનાગઢના જયંતિલાલ દવેનું અવસાન : સાંજે બેસણું

જુનાગઢ : ભાખરવડ નિવાસી હાલ જુનાગઢ જયંતિલાલ ગોવિંદજીભાઇ દવે (ઉ.૭પ) તે વિમલભાઇ તથા સમીરભાઇ અને માતંગીબેનના પિતા પ્રભુલાલભાઇના મોટાભાઇ તથા પ્રદિપ અને જયના મોટાબાપુજી તેમજ બાલકૃષ્ણ એ. શીલુ (ફોરેસ્ટ વેરાવળ) ના સસરાનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ર૩ ને ગુરૂવારના આજરોજ ઓમ બંગલોઝ બ્લોક નં. ૪, જીવનપાર્ક પેટ્રોલ પંપ વાળી ગલી ઝાંઝરોડ જુનાગઢ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક સાત્વનાં મો. નં. ૯પ૧ર૦ ૦૮૧૪૮.

અવસાન નોંધ

ઠા.કાંતિલાલ કટારીયા

રાજકોટઃ નિવાસી સ્વ.ઠા.કાંતિલાલ કટારીયા જે કરશનદાસ દેવજીભાઈ કટારીયા (ગોંડલવાળા)ના પુત્ર તથા જુગલભાઈ તથા વિશાલભાઈના પિતા તથા સ્વ.જગજીવનદાસ  ગોવિંદજી માધવાણી  (સાવરકુંડલાવાળા)ના જમાઈનું  જેમનું દુઃખદ અવસાન સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું / પ્રાર્થનાસભા તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૭ કલાકે, પીયર પક્ષની સાદડી સાથે પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે રાખેલ છે.

વિવેક ટાંક

રાજકોટઃ નિવાસી કાનજીભાઈ વશરામભાઈ ટાંક તથા દિવાળીબેન કાનજીભાઈના પૌત્ર તથા જગદીશભાઈ કાનજીભાઈ ટાંક તથા લતાબેન જગદીશભાઈના પુત્ર તથા મયુરભાઈ દિલીપભાઈ ટાંકના ભાઈ વિવેક જગદીશભાઈ ટાંકનું તા.૨૨ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬, કોઠારીયા મેઈન રોડ, બ્રહ્માણી હોલની સામે, હનુમાનજી મંદિરે રાખેલ છે.

કોકીલાબેન મુછાળા

રાજકોટઃ મોઢ માંડલીયા વણીક કોકીલાબેન ધીરૂભાઈ મુછાળા (ઉ.વ.૭૧) (નિવૃત જજશ્રી) તે ધીરૂભાઈ મુછાળાના  પત્નિ અને મહુવાવાળા સ્વ.કૃષ્ણકાંતભાઈ, સ્વ.વિનુભાઈ, ભારતીબેન, નયનભાઈ નાણાવટીના બહેન તથા દિલીપભાઈ મુછાળા ધારીનાં ભાભી, અશ્વિનભાઈ અને કિરીટભાઈ પટેલ, રાજકોટનાં મામીનું રાજકોટ ખાતે તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને લઈને ટેલીફોનીક બેસણું તા.૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. દિલીપભાઈ મુછાળા મો.૭૮૭૮૬ ૩૧૦૫૫, અશ્વિનભાઈ પટેલ મો.૯૮૨૫૨ ૯૫૯૫૫,   કિરીટભાઈ પટેલ મો.૯૮૭૯૮ ૭૧૮૧૮, નિતીનભાઈ અંબાણી મો.૯૪૨૬૯ ૯૮૫૨૨

સવિતાબેન ગોરવાડીયા

રાજકોટ : સવિતાબેન ધીરજલાલ ગોરવાડીયાનું તા. ૨૦ના અવસાન થયેલ સદગતનું બેસણુ તા. ૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં. ૨ યુનિટ નં.૧, સંતકબીર રોડ ખાતે રાખેલ છે. ધીરજલાલ મો. ૯૭૨૬૫ ૦૧૪૬૧, અશોકભાઇ મો. ૮૩૨૦૬ ૦૯૯૬૯, મિતેશભાઇ ધીરજભાઇ ગોરવાડીયા મો. ૯૪૨૭૨ ૯૧૧૨૩.

અમીબેન પારેખ

રાજકોટ : બેલા નિવાસી હાલ રાજકોટ સ્વ. હિંમતલાલ રાયચંદ પારેખના સુપુત્ર જીતેન્દ્રભાઇના નાના ભાઇ સ્વ. કૌશિકભાઇ ધર્મપત્ની અમીબેન કૌશિકભાઇ પારેખ તે આગમ તથા ભવ્યાના માતુશ્રી તથા હીનલના સાસુજી તથા મોરબી નિવાસી સ્વ. મનહરલાલ રેવાશંકર દોશીના સુપુત્રી તેમજ અશ્વિનભાઇ, હિતેન્દ્રભાઇ (એચએમ) તથા કમલેશભાઇના બહેન તા. ૨૨ના અરિહંતશરણ પામેલ છે.

દિપકભાઈ મકવાણા

રાજકોટઃ દિપકભાઈ વિઠલભાઈ મકવાણા તે સ્વ.વિઠલભાઈ લાલજીભાઈ મકવાણાના પુત્ર તથા સ્વ.વિનોદભાઈ, દિલીપભાઈ અને અરવિંદભાઈના ભત્રીજા તથા હીરેનભાઈના નાનાભાઈ તા.૧૯ના રોજ દેવલોક પામ્યાં છે. સદ્દગતનું બેસણું તા.૨૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજનવાડી, કનૈયા ડેરી સામે, વિસાવદર ખાતે રાખેલ છે. મો.૯૯૨૫૭ ૭૭૦૭૨

વિજયાબેન ગાંધી

મોરબી : ટંકારા નિવાસી સ્વ. મનસુખલાલ ચત્રભુજ ગાંધીના પુત્ર સ્વ. વનેચંદભાઇના ધર્મપત્ની વિજયાબેન (ઉ.૯પ) તા. રર બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ર૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

લલીતાબેન ભાડેસીયા

મોરબી : ગૌ. વા. લલીતાબેન લીલાધરભાઇ ભાડેસીયા, (ઉ.વ.૯૦) તે લીલાધરભાઇ ગોરધનભાઇ ભાડેશીયાના પત્ની તેમજ રંજનબેન મનસુખલાલ પીસાવરીયા (બરોડા), તરૂણાબેન પ્રમોદભાઇ ઠકકર (રાજકોટ), ચંદ્રીકાબેન મુકેશભાઇ સંપટ (મોરબી), નીલાબેન ઉદયભાઇ ઘાંઘા (રાજકોટ)ના માતુશ્રી, કિશોરભાઇ ઓઘડભાઇ વડગામાં (મુંબઇ), ના મોટાબેન તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું (મોરબી), તા. ર૩ ગુરૂવાર ૪ થી પ કલાકે રાખેલ છે.

કુલદીપસિંહ ઝાલા

ગોંડલ : ચોરડી નિવાસી કુલદીપસિંહ મહાવીરસિંહ ઝાલા તે હર્ષદસિંહ, સૂર્યદીપસિંહ ના ભાઇનું તા. ર૦ ના અવસાન થયુ છે. બેસણુ તા. ર૪ ના ચોરડી રાખેલ છે.

લાખુબેન પરમાર

દામનગર : સામાજિક કાર્યકર જેરામભાઇ રાઘવભાઇ પરમારના માતુશ્રી લાખુબેન રાઘવભાઇ પરમાર (ઉ.૯પ) તે જેરામભાઇ રાઘવભાઇ પરમાર તેમજ પરસોતમભાઇ રાઘવભાઇ પરમાર, કાંતાબેન, જમનાબેન, રાધાબેન, ગૌવરીબેનના માતાનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ શુક્રવાર તા. ર૪ ના સવારના ૮ થી સાંજના ૬ સુધી તેમના નિવાસ સ્થાન મુ. ગામ રાભડા તા. લાઠી જી. અમરેલી ખાતે રાખેલ છે.