Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019
અવસાન નોંધ

ખંભાળીયાનાં રમેશભાઇ લાલનુ અવસાનઃ સાંજે પ્રાર્થનાસભા

જામખંભાળીયાઃ સ્વ.વાલજી કાળાભાઇ લાલ ''નાથા માસ્તર''ના પુત્ર રમેશભાઇ લાલ (માસ્તર) ઉ.વ.૮૩ તે સ્વ.પ્રભુદાસભાઇ લાલના નાનાભાઇ તથા સ્વ.ધિરજલાલભાઇના મોટાભાઇ તેમજ મેહુલકુમાર કિશોરચંદ્ર એન્ડ કાું. વાળા દિલિપભાઇ લાલ તેમજ ઉષાબેન ચંદ્રકાન્ત તથા મધુબેન રાજેશકુમાર  (કલ્યાણ), તથા હિનાબેન જગદીશકુમાર (વિરાર) તેમજ દક્ષાબેન દિપકકુમાર (કાન્દીવલી) તથા સ્વ.કમલેશભાઇના પિતાશ્રી તથા ગૌરવભાઇ તથા પ્રયાગભાઇના દાદાશ્રી તેમજ કિશોરભાઇ લાલ,સ્વ.સતીષભાઇ, હિરેનભાઇ, મીતેશભાઇ, પંકજભાઇ તથા યોગેશભાઇના કાકાનું તારીખ ૨૨-૯-૧૯ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે.

પ્રાર્થના સભા તા.૨૩ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ શ્રી જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે ભાઇઓ તેમજ બહેનો માટે રાખેલ છે તેમજ પિયર પક્ષની સાદળી પણ સાથે રાખેલ છે

જામનગરના જાણીતા એમ. પ્રવિણકુમાર એન્ડ કાું. વાળા મુળજીભાઇ દત્તાણીનું અવસાન

ખંભાળીયાઃ જામનગરના જાણીતા વેપારી એમ. પ્રવિણકુમાર એન્ડ કાું. વાળા મુળજીભાઇ વેરશીભાઇ દત્તાણી (ભાટીયાવાળા) ઉ.વ. ૮૯ તે ભાટીયાવાળા સ્વ. શામજીભાઇ, સ્વ. પરસોત્તમભાઇ તથા સ્વ. નાનજીભાઇના નાનાભાઇ તેમજ વનરાવનભાઇ (વનુભાઇજામનગર) અને કાંતિભાઇ (જામનગર)ના મોટાભાઇ તેમજ મનસુખભાઇ (મનુભાઇ), અશોકભાઇ નરેશભાઇ અને હરેશભાઇ તથા કમળાબેન (મીનાબેન) મહેન્દ્રકુમાર રાડીયા (ખંભાળિયા), જયોત્સનાબેન અજયકુમાર રાજા (પોરબંદર), હંસાબેન પ્રકાશકુમાર પાબારી (ગોંડલ), મધુબેન દિપકકુમાર દાસાણી (પોરબંદર) અને મીનાબેન શૈલેષકુમાર રાયઠઠ્ઠા (રાજકોટ) ના પિતાશ્રી તેમજ સ્વ. દેવરાજ જેઠાલાલ સુચક (જામજોધપુર)ના જમાઇ તથા વિશાખાબેન યોગેશકુમાર પાંઉ (રાજકોટ), અમિષા મહેશકુમાર માંડવીયા (પોરબંદર) તથા ધર્મેશ, યશ, હિમાંની, કૃતિક, હિતાર્થ અને યુગના દાદા સોમવાર તા. ર૩-૯-ર૦૧૯ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું બુધવાર તા. રપ-૯-ર૦૧૯ ના રોજ સાંજે ચાર થી સાડા ચાર ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ-તળાવની પાળ પાસે રાખવામાં આવેલ છે. સ્વસુર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.

નટવરલાલ સાગર

કોડીનારઃ નટવરલાલ જગજીવનદાસ સાગર (ઉ.વ.૭૮) (નિવૃત એસ.ટી. ડ્રાઇવર-મહાજન) તે સ્વ.વસંતભાઇ (વસુબાપા)ના લધુબંધુ તેમજ રાજેશભાઇ તથા વિશાલભાઇ (શારદા જવેલર્સ)ના પિતા તેમજ રમેશભાઇ સાગર (શ્રીનાથજી જવેલર્સ)ના કાકાનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ સોમવારે સાંજે ૪ થી ૬, સોની મહાજન વાડી, જુની બજાર ખાતે રાખેલ છે.

મનુબા ગઢવી

રાજકોટઃ ગામ ચારણીયા હાલ રાજકોટના શંકરદાન માત્રાભાઇ સુરૂના પત્ની સ્વ.મનુબા (ઉ.વ.૭૦) જે પ્રવીણદાન, અજીતદાન તથા રવીદાન સુરૂના માતુશ્રીનું અવસાન તા.ર૧ને શનીવારે થયેલ છે.  તેમનું બેસણું તા.ર૩ સોમવારે ૪-ભારતીનગર, ગાંધીગ્રામ રાજકોટ પર રાખેલ છે. તેમની દશા તા.ર૮ને શનીવારે તથા ઉતરક્રીયા તા.ર૯ને રવીવારે રાખેલ છે.

વશરામભાઇ રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રજપૂત, વશરામભાઇ માવજીભાઇ રાઠોડ (રેલ્વે રીટાયર્ડ) તે બટુકભાઇ (રેલ્વે રીટાયર્ડ) તથા રાજેશકુમાર (ગૌરવ એન્ટરપ્રાઇઝ)ના પિતાશ્રી તેમજ ઉદયભાઇ, સાગરભાઇ, ગૌરવ, રૂદ્રરાજ, રશ્મીબેન તથા પુજાબેનના દાદાશ્રી તા.ર૦ ને શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું (ઉઠમણું) તા.ર૩ ને સોમવારે સાંજે ૪ થી ૬, મૌલેશ્વર મહાદેવ મંદિર, પુનીતનગર, પાણીના ટાંકાની સામે, ૧પ૦ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન ભાડેશીયા

રાજકોટઃ શ્રી ગુર્જર સુથાર મુળ રામોદ વાળા હાલ રાજકોટ મુકતાબેન ભુદરભાઇ ભાડેશીયા (ઉ.વ.૭૬) તે સ્વ.ભુદરભાઇના પત્ની તથા સ્વ.ભગવાનજીભાઇ, જમનાદાસ વાલજી ભાડેશીયાના નાનાભાઇના પત્ની તથા સ્વ.વેલજીભાઇ, ધીરૂભાઇ સ્વ.મનસુખભાઇ તથા હસમુખભાઇ ગણેશભાઇ વડગામા (મહેસાણા)ના બહેનનું તા.ર૦ના અવસાન થયું છે. બેસણું તા.ર૩ને સોમવારે સાંજે  ૪-૩૦ થી ૬-૦૦ કલાકે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

વનીતાબેન પીઠવા

રાજકોટઃ લુહાર વનીતાબેન (ઉ.વ.૬૭) તે મણીલાલ પરસોતમભાઇ પીઠવાના ધર્મપત્ની અને અજય, અમીત, રેણુકાબેન વિજયભાઇ પરમાર, હર્ષાબેન પરેશભાઇ મકવાણા તથા રૂપલબેન જતીનભાઇ પરમારના માતુશ્રીનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું શ્વસુરપક્ષે તથા તેમના પિયર પક્ષ તરફથી તા.ર૩ને સોમવારે સાંજે ૪ થી ૬ લુહાર વાડી, સિયાણીનગર, કોઠારીયા રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

તુલસીદાસભાઇ ભગદે

રાજકોટઃ કચ્છી લોહાણ ઠા. તુલસીદાસ શામજીભાઇ ભગદે (ઉ.વ.પપ) તે ગં. સ્વ. સરસ્વતીબેન શામજીભાઇ ભગદે બાયઠવાળાનાં જયેષ્ઠ પુત્ર તે ભારતીબેનનાં પતિ, પુજા, ચાંદની, તથા યશનાં પિતા, ઠા. દિનેશ શામજીભાઇ ભગદે (મુકકદર ડેવલોપર્સ) ગાંધીધામ, દક્ષાબેન વિનોદભાઇ ઘનસોતા બારંદાવાળા - મંજુલાબેન પ્રતાપભાઇ કોઠારી જીયાપર વાળા, રશ્મિબેન જયેશભાઇ કતીરા ખાનાય વાળા, તેમના મોટાભાઇ સ્વ. મોતીરામ માધવજી ગણાત્રા - જંગડીયા વાળાના મોટા જમાઇ, ગીરીશભાઇ, પ્રવિણભાઇ, સ્વ.જૈન્તીભાઇ, બિપીનભાઇ, અશ્વિનભાઇ, વર્ષાબેન, મનિષાબેન તેમનાં બનેવી જે તા.ર૦ના શ્રીરામ શરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા આજે તા.ર૩ના સોમવારે સાંજે ૪ થી પ, શ્રી કચ્છી લોહાણા દરિયા સ્થાન મંદિર મહાશકિત પાર્ક, જૂનુ મોરબી રોડ મધ્યે રાખેલ છે.

હંસાબેન અમેવિયા

રાજકોટઃ પ્રજાપતિ અમેવિયા હરિલાલ પુનાભાઇનાં ધર્મપત્નિ હંસાબેન તે ઘનશ્યામભાઇ તથા પિન્ટુભાઇના માતુશ્રીનું તા.ર૧ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું આજે તા.ર૩ના સોમવારે નિવાસસ્થાન કાલાવાડ રોડ, ૭,યોગીપાર્ક, ગંગનાથ મહાદેવ મંદિરે, સાંજના ૪-૩૦ થી ૬-૩૦ કલાકે રાખેલ છે.

ચંદ્રીકાબેન લીંબડ

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ-સુથાર દરજી પડધરી વાળા હાલ રાજકોટ ચંદ્રિકાબેન કિરીટભાઇ લીંબડ તે કાંતીલાલ વિઠલભાઇ લીંબડ (બોમ્બે ટેઇલર-પડધરી) વાળાના (ઉ.વ.પ૭) તે રમેશભાઇના ભાભી તથા પરેશભાઇના કાકી તથા રાજુભાઇ તથા પૂજાબેન ભરતકુમાર ચૌહાણના માતુશ્રી તથા ધવલના દાદી તા.ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.ર૩ના સોમવારે સાંજે ૪ થી પ ગંગેશ્વર મહાદેવ  મંદિર, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

માવજીભાઇ ચાવડા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળ ગામ ફાટસર હાલ રાજકોટ માવજીભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૬૯)નું તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૩ને સોમવારે સાંજે ૪ થી ૬, સહકારેશ્વર મહાદેવ મંદીર સહકાર સોસાયટી શેરી નં.૭ ખાતે રાખેલ છે.

વિમલભાઇ શાહ

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણીક સ્વ.પ્રવિણચંદ્ર સવચંદ્ર શાહ (કઢી) / સ્વ.હીરાબેન પ્રવિણચંદ્ર શાહ (કઢી)ના જમાઇ, હર્ષાબેન વિમલભાઇ શાહ (ગગલાણી)ના પતિ, રાજેશભાઇ, દિલીપભાઇ પ્રવિણચંદ્ર શાહ (કઢી)ના બનેવી વિમલભાઇ પ્રભુદાસ શાહ (ગગલાણી) (ઉ.વ.૬૩) (નિવાસી કલકતા, હાલ અમદાવાદ)નું તા.૧૮ના અમદાવાદ મુકામે અવસાન પામેલ છે. તેમની સાદડી રાજેશભાઇ / દિલીપભાઇ પ્રવિણચંદ્ર શાહ (કઢી) મોસાળ પક્ષ)ની તા.ર૩ના સોમવારે સાંજે પ થી ૬, પંચનાથ મંદિર, પંચનાથ પ્લોટ, ખાતે રાખેલ છે.

રક્ષાબેન નિમાવત

મોરબી : રક્ષાબેન (રેખાબેન) ભરતભાઇ નિમાવત (ઉ.વ.પ૯) તેઓ ભરતભાઇ મણીરામભાઇ નિમાવત (સર્વોદય નોવેલ્ટી સ્ટોર)ના ધર્મપત્ની તેમજ વૈભવ અને પૂર્વીબેન કલ્પેશકુમાર હઠ્ઠીનારાયણના માતુશ્રી તેમજ રવિ નિમાવત (પત્રકાર)ના કાકીનું તા. ર૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું આજે તા. ર૩ ને સોમવારે સાંજે ૪થી ૬ કલાકે રામાનંદી સાધુ સમાજ વાડી, રામઘાટ પાસે, જેઇલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

મંજુલાબેન રાધનપુરા

રાજકોટઃ જામનગર નિવાસી (હાલ રાજકોટ) ગં.સ્વ. મંજુલાબેન જયંતિલાલ રાધનપુરા (ઉ.વ.૮૪) તે જયસુખભાઈ, વિનોદભાઈ (સીન્ડીકેટ બેંક), ભરતભાઈ (સુરત), જીતેન્દ્રભાઈ (વડોદરા)નાં માતુશ્રી તથા પડધરીવાળા પોપટલાલ જગજીવન ફિચડીયાનાં પુત્રી, તા.૨૨ના રોજ અક્ષરવાસી થયા છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ શ્રી રામઝરૂખા મંદિર, દિવાનપરા, ખિજડા શેરી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અરવિંદભાઈ પાલા

રાજકોટઃ ગિરનારા પરજીયા સોની અરવિંદભાઈ મગનલાલ પાલા રાજકોટ નિવાસી માળિયા હાટીના વાળા (ઉ.વ.૬૫) જેઓ સ્વ.મગનલાલ લાલજીભાઈના પુત્ર તથા રાજકોટ નિવાસી હેમાંન્સુભાઈ તથા કલ્પેશભાઈનાં પિતાશ્રી તથા સ્વાતિબેન કમલેશકુમાર ભીંડી (જામનગર)ના પિતાશ્રી તથા જેન્તીભાઈ તથા વિનોદભાઈ પાલાના નાનાભાઈ રમેશભાઈ તથા રસિકભાઈના મોટાભાઈ તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી ગિરનાર શોની જ્ઞાતિ, કલાભુવન લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન જોષી

રાજકોટઃ અત્રિ ગોત્ર મૂળ ત્રંબા રાજકોટ સ્વ.જન્મશંકર જગજીવન જોષીના પુત્રવધુ અને સ્વ.જયંતકુમાર (બટુકભાઈ)ના ધર્મપત્નિ નિર્મળાબેન (નીરૂબેન) (ઉ.વ.૬૪) તે પ્રદીપભાઈ અને સલિલભાઈના ભાભી તે પલ્લવીબેનના માતુશ્રી તે હાર્દિકકુમાર કૌશિકરાય પંડ્યાના સાસુ તે સ્વ.ભવાનીશંકર હરિશંકર ભટ્ટ (મૂળ મેંગણી હાલ રાજકોટ)ની પુત્રી તે નટુભાઈ, સ્વ.બટુકભાઈ અને ભકિતભાઈના બહેનનું અવસાન થયું છે. તેમનું બન્ને પક્ષનું ઉઠમણું અને બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૫ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખ્યું છે.

મંજુલાબેન દક્ષિણી

રાજકોટ : મુળ ગામ જામદૂધેઇ હાલ રાજકોટ નિવાસી મંજૂલાબેન સુરેશચંદ્ર દક્ષિણી ઉ.૬ર સુરેશચંદ્ર મોહનલાલ દક્ષિણીના ધર્મપત્ની, ધર્મેશભાઇ (ભવાની જાંબુવાળા), વિશાલભાઇ, પારૂલબેન કમલેશકુમાર કારિયા, નીતા અજયકુમાર વડેરાના માતુશ્રી તથ ચંદ્રકાંત એમ. દક્ષિણી (એડવોકેટ),  સુભાષચંદ્ર, ભરતભાઇ દક્ષિણીના ભાભીશ્રી અને ગો. વા. છગનલાલ દેવજીભાઇ બુધ્ધદેવ (બલંભા વાળા)ના પુત્રીનું દુઃખદ અવસાન તા. ર૧-૯-ર૦૧૯ ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું સોમવારે તા. ર૩-૯-ર૦૧૯ ના રોજ સાંજે પ થી ૬ કલાકે જાગનાથ મહાદેવનું મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કૃષ્ણકાંત કારીયા

જુનાગઢ : કૃષ્ણકાંત જગજીવનદાસ કારીયા (પ્રભુ દૂધવાળા) (ઉ.વ.૭૭), તે સ્વ. રસિકભાઇ તથા ગોપાલભાઇના મોટાભાઇ તેમજ પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ (કંપાલા), પરેશભાઇ, ચંદ્રિકાબેન અને કુંદનબેનના પિતા તથા પીયુષકુમાર સાતા અને રાજેન્દ્રકુમાર ભૂપ્તાના સસરા તા. ર૧ ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતની સ્મશાનયાત્રા તા. ર૩ ને સોમવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ્થાન (ગોકુલધામ સોસા., ખામધ્રોળ રોડ, જુનાગઢ)થી નીકળશે. તેમજ બેસણું સાંજે પ થી ૬ કલાકે, હેમનાથ મહાદેવ મંદિર, હેમાવન સોસા., ખામધ્રોળ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ઉષાબા ગઢવી

વિરપુર (જલારામ) ચરખડી નિવાસી હાલ જામનગર સ્વ. ઉદુભા નાનભા ઉધાસના ધર્મપત્ની તેમજ યોગેશભાઇ અને નિલેશભાઇના માતુશ્રી ઉષાબા ઉદુભા ઉધાસ (ગઢવી)નું જામનગર મુકામે તા. ર૧ ને શનિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ર૩ ના રોજ ગોકુલનગર જકાતનાકા પાસે રાજરાજેશ્વરી સોસાયટી, ફુલનાથ એપાર્ટમેન્ટ ૮૦૩ જામનગર રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા. ર૮ના રોજ જામનગર રાખેલ છે.

ગોરધનભાઇ હિરપરા

જામનગર : ગોરધનભાઇ હિરજીભાઇ હિરપરા તે અરૂણભાઇ, મહેશભાઇ તથા ગીરીશભાઇ (જીતુભાઇ)ના પિતાશ્રીનું તા. રરના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ર૭ના સાંજે પ થી ૬, પટેલ સમાજ, નંદનવન શેરી નં.૧, રણજીતસાગર રોડ જામનગર ખાતે રાખવામાં આવેલ છેે.

પ્રવિણાબેન મહેતા

પાટણવાવઃ ઔદીરગ ઝાલાવાડી બ્રાહ્મણ ચિભળિયા તળ પ્રવિણાબેન નાનાલાલ મહેતા તે નાનાલાલ શિવશંકર મહેતાના પત્ની પરેશભાઇ, મનીષભાઇ, પીયૂષભાઇના માતુશ્રી જીતુભાઇના ભાભી નું ૨૧-૯-૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩-૯-૨૦૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મ સમાજની વાડી, હર્ષદી ચોક, પાટણવાવ મુકામે રાખેલ છે.

ઇન્દિરાબેન હિંડોચા

જૂનાગઢઃ ઇન્દિરાબેન હિંડોચા (ઉ.વ.૭૯) તે સ્વ.રમણીકલાલ મથુરાદાસ હિંડોચાના પત્નિ તથા ધર્મેન્દ્રભાઇ, મનિષભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ અને ભાવનાબેન વિજયકુમાર સૂતરીયાના માતૃશ્રી તેમજ સ્વ.મથુરાદાસ ચત્રભુજભાઇ મોરજરીયા (ધારી)ના પુત્રીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા.૨૩ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે ભૂતનાથ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જયોતિબેન શીંગાળા

વાંકાનેરઃ સ્વઃ કાંતીલાલ રામજીભાઇ જોબનપુત્રાના પુત્ર સ્વઃ હસમુખભાઇ ના પત્ની તથા રાજકોટ નિવાસી સ્વઃ અમરશીભાઇ નાગજીભાઇ શીંગાળાના પુત્રી-જયોતિબેન (ઉ.વર્ષ-૭૨)નુ તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.૨૩ને સોમવારે સાંજે ૫ કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા વાંકાનેર ખાતે રાખેલ છે. (ભાઇઓ બહેનોનું સાથે રાખેલ છે)

ગીતાબેન ચૌહાણ

રાજકોટ : કારડીયા રાજપુત સમાજના ગીતાબેન સામતભાઇ ચૌહાણ તે હસમુખભાઇ ચૌહાણ અને જીતેન્દ્રભાઇ ચૌહાણના માતુશ્રી તેમજ ભરતભાઇ બચુભાઇ રાઠોડના સાસુનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૫ ના સાંજે ૪ થી ૬ કારડીયા રાજપુત સમાજની વાડી, ૧૫૦ ફુટ રીંગરોડ, મવડી ચોકડી ખાતે રાખેલ છે.

જયાબેન ટાંક

જુનાગઢ :ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના જયાબેન દામજીભાઇ ટાંક (ઉ.વ.૮૫) તે પ્રવિણભાઇ દામજીભાઇ ટાંક, પ્રકાશભાઇ ટાંક (ડિસવાળા), દિપકભાઇ ટાંક તેમજ પ્રફુલભાઇ ટાંક (વાપિવાળા) ના માતુશ્રીનુેં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુઁ તા.૨૩ ના સાંજે ૪ થી ૬ ''શ્યામવાડી'' પાંજરાપોળ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

સુમિત્રાબેન વેકરીયા

રાજકોટઃ ગુર્જર સુથાર હાલ ઉપલેટા નિવાસી સુમિત્રાબેન કમલભાઇ વેકરીયા (ઉ.વ.૪૬) જે મુળ બાલવાવાળા જમનભાઇ દામજીભાઇ છત્રાલીયા અને મંગળાબેન જમનભાઇ છત્રાલીયાના પુત્રી તથા હંસાબેન જગદીશભાઇ સંચાણીયા પ્રજ્ઞાબેન અજયભાઇ બકરાણીયા, પરેશભાઇ જમનભાઇ છત્રાલીયાના બહેન તથા આરતીબેન પરેશભાઇ છત્રાલીયાના નણંદ તા.૨૨ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલા છે. જેમનું પિયરપક્ષનું બેસણું તા.૨૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર  સ્ટેશન પ્લોટ ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ખોડીદાસ કલોલા

રાજકોટઃ ગામ લુણસર તાલુકો વાંકાનેર વાળંદ ખોડીદાસભાઇ જગજીવનભાઇ કલોલા તે રજનીભાઇ તથા જયેશભાઇના પિતાશ્રી શ્રી હેમુભાઇ મોહનભાઇ તથા નટુભાઇના ભત્રીજાનું દુઃખદ અવસાન તા.૨૨ રવિવારના રોજ થયેલ છે. તેમનુ બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ બપોરના ૩ થી ૬ વાળંદ સમાજની વાડી માં લુણસર ગામ ખાતે રાખેલ છે.