Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020
વેરાવળ કાજલીના ભાજપ અગ્રણી ખેંગારસિંહ ઝાલાનું અવસાન

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં કાજલી ગામનાં ભાજપનાં અગ્રણી ખેંગારસિંહ ભામાભાઇ ઝાલાનું તા. ર૧ મીએ ૭૦ વર્ષની ઉમરે અવસાન થયેલ છે.

ખેંગારસિંહ ૧૯૭પ થી ૧૯૮૦ સુધી જનસંઘમાં અને અત્યાર સુધી ભાજપ પાર્ટી સાથે વફાદારી પૂર્વક જોડાયેલા હતા અને તેમને પાર્ટીમાં જીલ્લા તાલુકા કક્ષાનાં અનેક હોદાઓ ઉપર રહીને પાર્ટીની નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે. તેવો વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી પદે ર૦૦ર થી ર૦૦૭ સુધી બે ટર્મ કામગીરી કરેલ હતી, જુનાગઢ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ પદે ર૦૦૮ થી ર૦૧૧ સુધી કામગીરી કરેલ.  પ્રદેશ કારોબારી સદસ્ય ભાજપ બક્ષીપંચ મોરચો ર૦૧૧ થી ર૦૧ર અને ગીર-સોમનાથ જિલ્લા ભાજપ કિસાન મોરચાનાં જિલ્લા પ્રમુખપદે ર૦૧૪ થી ર૦૧પ સુધી સેવાઓ આપેલ. સ્મશાન યાત્રામાં કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ, ભાજપ મહામંત્રી માનસિંહભાઇ પરમાર પાર્ટીનાં હોદેદારો સહિતના લોકો જોડાયા હતાં. અને શ્રધ્ધાંજલી અર્પી હતી. 

બોટાદ પાલીકાનાં લગ્ન રજીસ્ટ્રાર અલ્કેશ જોષીનાં માતૃશ્રી હીરાબેનનું અવસાન

રાજકોટઃ બોટાદ શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરિવારના સ્વ.નીલકંઠરાય રતિલાલ જોષીના ધર્મપત્નિ હીરાબેન નીલકંઠરાય જોષી આજે તા.૨૨ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેઓ ઇશ્વરલાલ રતિલાલ જોષી (સહકાર નગર બોટાદ) તથા હર્ષદરાય રતિલાલ જોષીના મોટા ભાઇના પત્નિ તેમજ અલ્કેશભાઇ એન જોશી (લગ્ન રજીસ્ટાર, બોટાદ નગરપાલિકા) તથા શ્રી હિતેશભાઇ જોષી (બોટાદ માર્કેટીંગ યાર્ડ)ના માતૃશ્રી થાય. તેમજ વિરલભાઇ એ જોશી (ચાર્ટડ એકાઉન્ટ અમદાવાદ)ના દાદીમા થાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તમામ વિધિ સીમિતમાં રાખેલ છે. તેમજ બેસણું રાખેલ નથી. અલ્કેશભાઇ જોષી મો.નં. ૯૮૨૪૨ ૧૯૬૦૫, હિતેશભાઇ જોશી મો.નં.૯૮૨૪૮ ૯૪૧૯૩

અવસાન નોંધ

પુનિત ભજન મંડળના પ્રમુખ જયેશભાઇના સાળા ભગવાનજીભાઇ ગોકાણીનું અવસાન

રાજકોટ :.. પુનિત સદ્ગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીના સાળા ભગવાનજીભાઇ કરશનભાઇ ગોકાણી (ઉ.૮૦)નું તા. ર૦ ના જામનગર મુકામે અવસાન થયેલ છે. તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તા. ર૩ ના શનિવારે સાંજે ૭ થી ૯ પુનિત સદ્ગુરૂ ભજન મંડળ રાજકોટના દરેક સભ્યો પોતાને ત્યાં ધુન-ભજન કરી ઓડીયો-વિડીયો કિલપ જયેશભાઇને મો. ૯૭૧૪૧ ૯૮૯૭૦ ઉપર મોકલશે. ઉલ્લેખનીય છે કે ભગુભાઇ ધર્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ હતાં. નિયમિત રાત્રે ભાગવત - રામાયણનું પઠન કરતાં.

દેવભુમિ દ્વારકા જિલ્લાના પત્રકાર નીલેશભાઇ ગઢવીના પિતાશ્રીનું અવસાન

ખંભાળિયાઃ કાનાભાઇ રુડાચ (ગઢવી) ઉ.વ.૬૫ તે ખંભાળિયાના  નીલેશભાઇ (નારણભાઇ) ગઢવી(દેવભુમી જીએસટીવી પત્રકાર)ના પિતાશ્રીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ પ્રાર્થના સભા ટેલીફોનીક રીતે રાખેલ છે તથા વિધિ તેમના નિવાસ સ્થાન ગાયત્રીનગરમાં રાખેલ છે.

મંજુબેન દુધરેજીયા

રાજકોટ : મંજુબેન જગદીશપ્રસાદ દુધરેજીયા તે જગદીશપ્રસાદ રાધવજીભાઇ દુધરેજીયાના પત્ની તેમજ સુનિલભાઇ, પારૂલબેન, નયનાબેનના માતુશ્રી તેમજ વિષ્ણુપ્રસાદ રાઘવદાસના ભાભી તેમજ તુલસીદાસભાઇ (એડવોકેટ) અને વલ્લભદાસભાઇ ગોંડલીયાના બહેનનું તા. ર૩ના શનિવારે અવસાન થયેલ છે. જગદીશપ્રસાદ મો. ૯૪ર૮ર પ૩૦ર૧, સુનિલભાઇ મો. ૯૦૧૬૦ ૮ર૭૬૪ નો સંપર્ક કરી શકાય છે.

ઉર્મિલાબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ઉર્મિલાબેન ભાનુશંકર જોષી (નિવૃત પ્રા.શિ.), તે ભાનુશંકર શિવશંકર જોષી (રીટા. કોર્ટ કલાર્ક)ના ધર્મપત્ની તેમજ હિરેનભાઇ બી. જોષી (પાલીતાણા કોર્ટ), દિપ્તીબેન એમ. જાની (રાજકોટ કોર્ટ)ના માતુશ્રી તેમજ રમેશભાઇ, સ્વ.ભરતભાઇ અને અનિલભાઇના ભાભી તેમજ મનીષભાઇ બી. જાની (પી.જી.વી.સી.એલ.)ના સાસુ તેમજ સ્વ. વજેશંકર જીવાભાઇ દવેના પુત્રીનું  તા. ર૩ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. રપના સોમવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. વર્તમાન સંજોગોમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (મો. ૯૮૭૯૮ ૭૮૪૯, મો. ૯પ૮૬૭ ર૮૯૮૬)

દયાબેન આડેસરા

રાજકોટઃ દયાબેન ઘનશ્યામભાઇ આડેસરા (ઉ.વ.૮૨) તે ઘનશ્યામભાઇ ગોકળદાસ આડેસરાના ધર્મપત્નિ તેમજ હર્ષદભાઇ, સ્વ. દિલીપભાઇ, રસીલાબેન, દિવ્યાબેનના માતુશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મિલનભાઇ (મો.૯૪૦૮૪૭૨૧૬૩), ચેતનભાઇ (મો.૯૬૩૮૧ ૬૦૭૨૬), નીરજભાઇ (મો.૯૭૨૩૮ ૮૮૪૪૪), પ્રશાંતભાઇ (મો.૯૮૭૯૪ ૯૦૯૦૮) નો સંપર્ક કરી શકાશે.

દિલીપભાઇ ભટ્ટ

રાજકોટઃ સ્વ.  જયંતિલાલ મણીશંકર ભટ્ટ, મુળ સુઘાઘુના હાલ રાજકોટના મોટા પુત્ર દિલીપભાઇ (દિપકભાઇ) પડધરી જીઇબી વાળા તે મુકેશભાઇ, વિનોદભાઇ, ભરતભાઇના મોટાભાઇ તથા પરેશભાઇના પિતાશ્રી તથા કુસલના દાદાનું તેમજ સ્વ. બાબુલાલ પંડયાના જમાઇનું મુંબઇ મુકામે તા.૨૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના સોમવારે રાખેલ છે. કોરોનાને કારણે લૌકીક વિધિ બંધ રાખેલ છે. મુકેશભાઇ મો.૯૩૭૭૮૫૩૦૪૩ , પરેશભાઇ મો. ૭૦૪૮૧ ૭૮૨૧૧, સસરાપક્ષનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૫ના રોજ સવારે ૯ થી ૧૨ અને ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ પંડયા મો.૯૮૭૯૦ ૭૫૭૪૨, રમેશભાઇ પંડયા મો. ૯૮૨૫૭ ૯૮૪૧૩

કિશોરભાઇ પલાણ

રાજકોટઃ ઠા.સ્વ. વસંતભાઇ જાદવજીભાઇ પલાણના નાનાપુત્ર કિશોરભાઇ વસંતભાઇ પલાણ (જલારામ દુગ્ધાલય એન્ડ જાંબુવાળા) તે ભરતભાઇ(જલારામ જાબુંવાળા)ના નાનાભાઇ તેમજ બંસી અને શ્યામના પિતાશ્રી તેમજ બાબરા નિવાસી સ્વ. બાવચંદભાઇ કાનજીભાઇ ખખ્ખરના મોટા જમાઇનું તા.૨૨ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ પલાણ મો.૯૭૨૭૪ ૭૨૭૩૬, ૯૮૨૫૮ ૬૬૨૯૮

લીલાવંતીબેન સુરેલીયા

રાજકોટઃ મુળગામ વેકરી હાલ રાજકોટ સ્વ. લાલજીભાઇ કુરજીભાઇ સુરેલીયાના ધર્મપત્નિ લીલાવંતીબેન લાલજીભાઇ સુરેલીયા (ઉ.વ.૮૧)નું તા.૨૨ના શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. તે સતિષભાઇના માતુશ્રી તથા જામજોધપુરવાળા બાબુભાઇ, છગનભાઇ, લીલાધરભાઇ અમૃતભાઇ વડગામાના બહેનનું બેસણું તથા ઉત્તરક્રિયા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકુફ રાખેલ છે. સતિષભાઇ ૯૪૨૮૪ ૬૭૨૧૭, રમેશભાઇ ૯૪૨૬૯ ૬૦૩૭૬, અશોકભાઇ ૯૪૨૮૩ ૭૫૧૬૨, દિનેશભાઇ ૯૪૨૬૯ ૬૦૩૭૩, પંકજભાઇ ૯૪૨૬૨ ૮૯૭૯૩

રતિલાલભાઇ ધાંધિયા

જસદણઃ બોઘરાવદર નિવાસી કાઠી રાજગોર રતિલાલભાઇ કેશવજીભાઇ ધાંધિયા (ઉ.વ.૮૫) તે સ્વ. ભીખુભાઇ રતિલાલભાઇના પિતાશ્રી તેમજ નરભેરામભાઇ દેવજીભાઇ તથા વિનુભાઇ દેવજીભાઇ તથા મહેશભાઇ દેવજીભાઇ તથા ચંદુભાઇ દેવજીભાઇ તથા મનસુખભાઇ નારણભાઇ તથા પરેશભાઇ નારણભાઇના કાકાનું અવસાન શનિવારના બોઘરાવદર ખાતે થયેલ છે.

ઇન્દીરાબેન કામદાર

રાજકોટ : ઇન્દીરાબેન અવનીકાંત કામદાર (ઉ.વ.૭૫) તે સ્વ. અવનીકાંત હકમીચંદભાઇ કામદારના ધર્મ પત્ની તથા રાજેશ (રાજુ), સંજય, રશ્મિનના માતા તથા સંગીતા, ભાવના, શિખાના સાસુનું તેમજ અપર્ણ, મનન, ઉત્કર્ષ અને રિષભના દાદીમાંનું તા. ૨૧ના ગુરૂવારે અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવાર તા. ૨૫ના સવારે ૧૧ થી ૧૨ કલાકે ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. સંપર્ક રાજેશ - ૭૮૦૨૦ ૬૦૩૧૩, સંજય- ૮૧૫૫૯ ૩૩૪૩૨, રશ્મિન- ૯૩૭૪૩ ૨૯૫૯૯. 

ભીખુભાઇ વાજા

રાજકોટઃ વાણંદ ભીખુભાઇ મનજીભાઇ વાજા (ઉ.વ.૯૦) તે હસુબેન દિનેશભાઇ ભટ્ટીના પિતાશ્રી તેમજ દિનેશભાઇ મગનભાઇ ભટ્ટી ત્રંબાવાળાના સસરા તેમજ રાવકીવાળા ગાંડૂભાઇ ગોહેલના જમાઇ તેમજ પરેશભાઇ, જીગાભાઇ, શીતલબેનના નાનાબાપુનુ તા.૨૦ના બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ લૌકીકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક દીલસોજી પાઠવવા દિનેશભાઇ મો.૯૮૨૪૨૧૮૩૪૫, જીગાભાઇ મો.૮૭૮૦૫૯૪૧૨૬ ઉપર સંપર્ક થઇ શકશે.

નિતીન જોષી

રાજકોટઃ રાજકોટ નિવાસી નિતિન મનસુખલાલ જોષી (આસી. ડાયરેકટર શ્રમ અને રોજગાર) તે એમ.ડી. જોષી (રીટા. ડે. કલેકટર)ના પુત્ર તે પાર્થ (કેનેડા) ના પિતાશ્રી તેમજ દિપકભાઇ (લંડન) તથા દુષ્યંતભાઇ (એ.જી. ઓફીસ)ના ભાઇ તથા હરકાંતરાય યાજ્ઞિક (રીટા. સુપ્રિ. એન્જીનીયર) ના જમાઇ તથા હિમાંશુભાઇ વ્યાસ (રીટા સેક્રેટરી) તથા કિરીટભાઇ દવે (રીટા એકઝી. એન્જીનીયર) ના સાઢુભાઇનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૬૮૭૬ ૩૦૩૩૮

મણીબેન જાની

જુનાગઢ :  લોઢવા નિવાસી જગજીવન કામેશ્વર જાનીના ધર્મપત્ની મણીબેન તે દીપકભાઇ જાની હાલ, એસ.ઓ.જી. જુનાગઢના માતૃશ્રીનું અવસાન તા. ર૧ ના રોજ થયેલ છે. તેનું ઉઠમણું તા. રપના સાંજે ૪ થી ૬ લોકડાઉનના કારણે ટેલિફોનિક રાખેલ છે.

જયાબેન ગોસ્વામી

વાંકાનેરઃ સ્વ. રતિગર અમૃતગર ગોસ્વામીના પત્ની જયાબેન ઉ.વ. ૭૮ તે સ્વ. મોહનગર તથા સ્વ. શીવરાજગરના નાનાભાઇના પત્ની તથા દલપતગર, બળવંતગર અને વિનોદગરના ભાભીશ્રી તેમજ સતિષગર, પંકજગર અને ભાવેશગરના માતુશ્રીનું તા. રર-પ-ર૦ર૦ના અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. અન્ય વીધી મોકુફ રાખેલ છે.