Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019
અવસાન નોંધ

પોરબંદરના હાજી અ. રહીમમીંયાબાપુ નાગાણીની વફાતઃ કાલે જામનગરમાં ઝિયારત

રાજકોટઃ પોરબંદરના મશહૂર નાગાણી પરિવારના ચશ્મો ચિરાગ સૈયદ હાજી અ. રહીમમીંયાબાપુ (ઉ.વ. ૪૮) ગઈકાલે બુધવારે સાંજે જન્નતનશીન થતા નાગાણી પરિવારને ભારે વજ્રઘાત થયો છે.

'મસ્ત' નાગાણીબાપુ ખૂબ જ પ્રેમ ધરાવતા હતા અને ૧૫ વર્ષની વયે જ હજ્જયાત્રા સંપન્ન કરી લીધી હતી અને અવારનવાર તેઓની હાલત બગડતી જતી હતી. ગઈકાલે તેઓને રાજકોટ ખાતે સારવારમાં લઈ અ વાયા હતા પણ સીવીલ હોસ્પિટલમાં જ આંખ મીંચી લીધી હતી.

પીરે તરીકત સૈયદ હાજી મો. હનીફમીંયાબાપુ નાગાણી (ગોંડલ) મર્હુમ સૈયદ મો. રફીઝબાપુ નાગાણી (ગોંડલ) અને જનાબ સૈયદ ગુલામ મુસ્તફામીંયા બાપુ દ્વારકાવાળા નાગાણી (રાજકોટ)ના ૪ ભાઈઓ પૈકી ચોથા ક્રમના મર્હુમ હાજી અ. રહીમમીંયાબાપુની ઝિયારત કાલે શુક્રવારે (૧૮ રમઝાન)ના સાંજે અસરની નમાઝ બાદ શંકર ટેકરી, પાણીના ટાંકા પાસે, જીલાની ચોક, જામનગર ખાતે યોજાશે. તેઓની દફનવિધિ કાલે રાત્રીના જામનગર ખાતે કરવામાં આવી હતી. તેઓના જનાઝામાં સેંકડો લોકો જોડાયા હતા.

પ્રતાપરાય જોષી

ગોંડલ : નારણદાસ જીવનલાલ જોશીના પુત્ર પ્રતાપરાય ઉ.વ.પ૭ તે નટવરભાઇ, કિશોરભાઇ, રાજેશભાઇના ભાઇ તથા પુનિતના કાકા અને સિદ્ધાર્થ તથા સુમિતના દાદાનું તા. રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને શુક્રવારના રોજ ૪થી ૬, મહાલક્ષ્મી હોલ વચલી શેરી ગોંડલ ખાતે રાખેલ છે.

શાંતુબેન આશર

ગોંડલ : શ્રી કચ્છી ભાટીયા જ્ઞાતિના દેવજીભાઇ જેઠાનંદ આશરના પત્ની શાંતુબેન (ઉ.વ.૭પ) તે હિતેશભાઇ, પરાગ માતુશ્રી, મીલી, રૂદ્ર, માન્યા, અગસત્યના દાદી તા. ર૧ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા (ઉઠમણુ) તા. ર૪ના સાંજના પ થી ૬, શ્રી કચ્છી ભાટીયા મહાજન વાડી મહાદેવ વાડીમાં રાખેલ છે.

વિશાલકુમાર નાંઢા

માળીયાહાટીના : સોની હરેશકુમાર રતિલાલ પાલા તથા ચેતનકુમાર રતિલાલ પાલાના ભાણેજ વિશાલકુમાર નરેન્દ્રભાઇ નાંઢા (ઉ.વ.ર૪)નું અમદાવાદ ખાતે તા. ૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને શુક્રવારે સાંજે ૪થી ૬, સોની મહાજન વાડી માળીયા હાટીના ખાતે રાખેલ છે.

અતેકાબેન જોયાવાલ

મોરબી : અતેકાબેન એહમદઅલી જોયાવાલા તે અબ્બાસભાઇ તૈયબઅલી માસ્તર (મોરબી)ના બૈરો હુસૈનભાઇ, અલીભાઇ, રોશનભાઇ તથા સકીનાબેન હુસૈનભાઇ હીરા (રાજકોટ)ના મા. અસગરભાઇ જોર્યાવાલ તથા મુસ્તફાભાઇ જોર્યાવાલા (રાજકોટ)ના બહેન ગુજરી ગયા છે. તેમની જયારતના સીપારા મગરીબ ઇશાની નમાજ બાદ તા. ર૩ના સૈફી મસ્જીદ મોરબીમાં રાખેલ છે.

ભરતભાઇ વિઠલાપરા

રાજકોટઃ પાળ નિવાસી ધીરૂભાઇ જીવરામભાઇ વિઠલાપરાના પુત્ર ભરતભાઇ ધીરૂભાઇ વિઠલાપરા (ઉ.વ.૪પ) તે પ્રવિણભાઇ વિઠલાપરાના મોટાભાઇ તથા સુધાબેન મનીષાબેનના ભાઇનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૩ના ગુરૂવારે સાંજે ૩ થી ૬ રાખેલ છે.

વનીતાબેન વ્યાસ

રાજકોટઃ વનિતાબેન ગોવિંદભાઇ વ્યાસનું તા.રરના અવસાન થયેલ છે. તે ગોવિંદભાઇ વ્યાસના ધર્મપત્ની તે પરેશભાઇ ગોવિંદભાઇ વ્યાસના માતુશ્રીનું બેસણું તા.ર૪ના શુક્રવારે નિલકંઠ મહાદેવ મંદિરમાં ૪ થી ૬ રાખેલ છે.

વસુમતીબેન મહેતા

રાજકોટઃ વસુમતીબેન કાન્તીલાલ મહેતા (ઉ.વ.૭૧) તે કાન્તીલાલ કપુરચંદ મહેતાનાં ધર્મપત્ની તે સંજયભાઇ, ઉષાબેન, મીનાબેનનાં માતુશ્રી તથા સુનીતાબેનનાં સાસુ તથા પ્રતિક, હેમાંશુના દાદીનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.રપને શનિવાર સવારે ૧૦-૩૦ કલાકે જૈન ભોજનશાળા, મેઇન બજાર, કાલાવડ મુકામે રાખેલ છે.

વાલજીભાઇ વેગડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.વાલજીભાઇ મોહનભાઇ વેગડ (ઉ.વ.૭પ) તે જશુબેનના પતિ, ઉષાબેન, દિપકભાઇ અને રાજેશભાઇના પિતાશ્રીનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શુક્રવારે, સાંજે પ થી ૭, હાટકેશ્વર મહાદેવનું મંદિર, નાગર બ્રાહ્મણ બોર્ડીંગ, વિરાણી સ્કુલ સામે રાખેલ છે.

દેવજીભાઇ કકકડ

મોરબીઃ કચ્છી લોહાણા વીરજીભાઇ નરસિંહભાઇ કકકડ ગામ ભાડરા (કચ્છ)ના હાલ મોરબીના પુત્ર દેવજીભાઇ કકકડ (ઉ.વ.૭પ) તે સ્વ.લીલાવંતીબેન તથા સ્વ.જયશ્રીબેનના પતી, તે વિજયભાઇ, ભાવેશભાઇ, કલ્પનાબેન જેન્તીલાલ તથા રીટાબેન હિતેષકુમારના પિતાશ્રી તેમજ સ્વ.પરસોતમભાઇ વિરજીભાઇ કકકડ, સ્વ.કરશનભાઇ વિરજીભાઇ કકકડ, મહાલક્ષ્મીબેન શીવજીભાઇ આહીયા, પ્રેમીલાબેન ચત્રભુજભાઇ કેસરીયા તથા જમનાબેન બુધ્ધિલાલ તન્નાના ભાઇ તે ખટાઉભાઇ નરસિંહભાઇ રૂપારેલના જમાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે પ થી ૬ જડેશ્વર મહાદેવ મંદીર મોરબી મુકામે રાખેલ છે.

અબ્બાસભાઇ ત્રિવેદી

ગોંડલ :  અબ્બાસભાઇ અલીભાઇ, તે અસ્માબેન ના શોહર અને રજબભાઇ, વજીરાબેન, માણેકબેન, અસ્માબેન, કુબરાબેન, બાનુબેન, જેહરાબેન ના ભાઇ તથા આફતાબભાઇ અને આશીકભાઇના બાવાજીનું અવસાન થયું છે. તેમના જયારતના સીપારા તા. ૨૪, શુક્રવાર સવારે ફજરની નમાજ બાદ, તૈયબી મસ્જીદમાં રાખેલ છે. જયારતનું જમણ રાત્રે મગરીબ-ઇશાની નમાજ બાદ મવાઇદમાં રાખેલ છે.

સુરેન્દ્રભાઇ પુજારા

રાજકોટ : મુળ મોરબીવાળા સુરેન્દ્રભાઇ અમૃતલાલ પુજારા (ઉ.વ.૭૬) તે સંજયભાઇ પુજારા તથા જેસીલભાઇ પુજારાના પિતાશ્રી તેમજ સ્વ. બકુલભાઇ, મુકેશભાઇ, ભરતભાઇ, સ્વ. જયોતિન્દ્રભાઇ, ઉષાબેન રાજાણી, સ્વ. અરૂણાબેન કારીયાના ભાઇ તેમજ સ્વ. સુખલાલ મુલચંદભાઇ પાઉંના જમાઇ તેમજ નિરંજનભાઇ, સ્વ. ઉમેશભાઇ તથા નરેન્દ્રભાઇ પાઉંના બનેવીનું તા. ૨૨ ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. ૨૪ ના શુક્રવારે સાંજે પ.૩૦ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.