અવસાન નોંધ
રમાબેન રાઠોડ
રાજકોટ : મનસુખભાઈ તુલસીભાઈ રાઠોડના ધર્મપત્નિ તથા બીપીનભાઈ - કલ્પેશભાઈ અને નિલેશભાઈના માતુશ્રી રમાબેનનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના રોજ સાંજે ૫ થી ૬ અલકેશ્વર મહાદેવ મંદિર અલકાપુરી શેરી નં.૧, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
જયંતિલાલ વાઘેલા
રાજકોટ : વડાલવાળા જયંતિલાલ બાબુલાલ વાઘેલા (ઉ.વ.૭૮) તે અમૃતલાલ જયંતિલાલ વાઘેલા, પ્રકાશભાઈ જયંતિલાલ વાઘેલા, ભરતભાઈ જયંતિલાલ વાઘેલા, ઈલાબેન હરેશકુમાર મકવાણાના પિતા તથા યોગેશ એ. વાઘેલા, નયન એ. વાઘેલા, વૈશાલીબેન એ. વાઘેલા, દેવ પી. વાઘેલા, દેવાંશી બી. વાઘેલાના દાદા તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ અમરનાથ મહાદેવ મંદિર, હસનવાડીના છેડે રાખેલ છે.
રમાગૌરીબેન જાની
રાજકોટ : શ્રી સાતોદડીયા મેડતવાડ શ્રી ગૌડ બ્રાહ્મણ સ્વ. દુર્ગાશંકર પરસોતમ જાનીના ધર્મપત્નિ રમાગૌરીબેન (ઉ.વ.૮૬) કેતનકુમારના માતુશ્રી તથા જયશીલભાઈના દાદી તથા સ્વ.પોપટલાલ વેણીરામ શુકલના પુત્રી તા.૨૩ના કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨૪ના શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ શ્રી મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી શેરી નં. ૨, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
દિવાળીબેન મુળાશીયા
ધારીઃ ગીગાસણ નિવાસી વરીયા વંશ પ્રજાપતિ ફુલાભાઇ ઉકાભાઇ મુળાશીયાના પત્ની દિવાળીબેન (ઉ.વ.૮૦) તે બાબુભાઇ તેમજ ચતુરભાઇના માતુશ્રીનું તા.રરના રોજ ગીગાસણ મુકામે અવસાન થયેલ છે.
રમાબેન ધોરાજીયા
રાજકોટઃ ધોરાજી, મેવાડા સુતાર સ્વ.બાબુલાલ મોહનભાઇના પત્ની રમાબેન બાબુલાલ ધોરાજીયા તે અશોકભાઇ તથા વિશાલભાઇના માતુશ્રી તેમજ રાજુભાઇના કાકીનું તા.રરના અવસાન થયેલ છે.
મુકતાબેન ગોસ્વામી
રાજકોટઃ ગઢકા નિવાસી ગોસ્વામી ગુલાબગિરિ લાલગિરિના ધર્મપત્ની તેમજ કૈલાશગિરિ ગુલાબગિરિ ગોસ્વામી (પોલીસ હેડ કોન્સ્ટેબલ-વાંકાનેર), મનિષગિરિ ગુલાબગિરિ ગોસ્વામીના માતુશ્રી સ્વ.મુકતાબેન ગુલાબગિરિ ગોસ્વામી (ઉ.વ.૮૦) તા.રરના કૈલાશવાસી થયેલ છે. તેનું સદ્દગતનું બેસણું તા.ર૪ના શનિવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ શંખાઢોળ વિધી તા.૧૪ના રવિવારે રાખેલ છે.
મુકતાબેન બારૈયા
રાજકોટઃ ખાંટ રાજપુત મુકતાબેન અરજણભાઇ બારેયા (ઉ.વ.૬૪) તે અરજણભાઇ કરશનભાઇ બારૈયા (રીટાયર્ડ ડી.ઇ.ટી., પ્રોજેકટ બી.એસ.એનએલ)ના પત્ની તથા નિલેશ અરજણભાઇ બારૈયા અને જીજ્ઞાશા રામજીભાઇ ડાભીના માતુશ્રી તથા રામજીભાઇ મઘાભાઇ ડાભીના સાસુનું તા.રરના અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શનિવારે, માધવ, ૩-શ્રમજીવી સોસાયટી, ઢેબર રોડ, ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.
નિલેશકુમાર લાઠીગરા
ગોંડલ : નિલેશકુમાર લલીતભાઇ લાઠીગરા (ઉ.વ. ૪૦ )તે શ્રીમાળી સોની હરિલાલ ફુલચંદભાઇ ના પૌત્ર, તથા હિતેશભાઇ તથા કલ્પેશભાઇના નાના ભાઇનું તા. ૨૧ના અમરેલી મુકામે અવસાન થયેલ છે. સાદડી તા. ૨૩ શુક્રવારે લલીતભાઇના નિવાસ સ્થાને ગોકુલની વાત નાની બજાર મુકામે સાંજે ૪થી ૬ કલાકે ગોંડલ ખાતે રાખેલ છે.
રચનાબેન પંડયા
રાજકોટ : રચનાબેન કૈલાશભાઇ પંડયા (ઉડીપીવાળા ) હાલ રાજકોટ તે કૈલાશભાઇ ગજેન્દ્રભાઇ પંડયાના પત્ની તથા નિખિલભાઇ ભટ્ટ,પ્રિ. ડો. મીનાશ્રીબેન ભટ્ટ (પંચોલી) અને વિશાખા જાષીના મોટાબહેન તથા દેવાંગભાઇ વ્યાસ (રાજકોટ ડેરી)ના સાસુનું તા. ૨૨ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૪ શનિવારે સાંજે ૫થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ગુરૂ પ્રસાદ સોસાયટી, બ્લોક નં. ૧૦ ગુરૂ પ્રસાદ ચોક રાજકોટ મુકામે રાખેલ છે.
ઈન્દુબા પઢીયાર
રાજકોટઃ ગોંડલ તાલુકાના ખાંડાધાર નિવાસી અમરસીભાઈ પઢીયારના પત્ની સ્વર્ગસ્થ ઈન્દુબા (ઉ.વ.૪૫)તે સૂર્યદીપસિંહ ભૌદીપસિંહ અને દિવ્યરાજસિંહના માતા અવસાન પામેલ છે.
બહાદુરખાન પઠાણ વફાત : કાલે સદર જુમ્મા મસ્જીદમાં જયારત
રાજકોટ : મરર્હુમ બહાદુરખાન આમીન ખાન પઠાણ (ઉ.વ.૬૫) તે અઝહર ખાનના પિતા તા.૨૨ના વફાત થયા છે. તેમની જયારત આવતીકાલે તા.૨૪ના શનિવારે સવારે ૧૦ કલાકે સદર જુમ્મા મસ્જીદ ખાતે રાખેલ છે. (મો.૭૫૭૪૯ ૧૭૭૭૧)
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીના ભાભીનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું
રાજકોટઃ સ્વ. આણંદજીભાઈ ભુરાભાઈ માવાણી (માજી.પ્રમુખ ધોરાજી નગરપાલિકા)ના ધર્મપત્નિ અને માજી.સંસદ રામજીભાઈ ભુરાભાઈ માવાણી તથા રમાબેન રામજીભાઈ માવાણીના ભાભી અને પંકજભાઈ હિરાભાઈ માવાણી (પીજીવીસીએલ) રમેશભાઈ હિરાભાઈ માવાણીના ભાભુ અને મૃગેશભાઈ આણંદજીભાઈ માવાણી તથા વિનેશભાઈ આણંદજીભાઈ માવાણી (પ્રમુખશ્રી મનસાતીર્થ- ૧, પ્રમુખશ્રી સમૃધ્ધિભવન)ના માતુશ્રી ગં.સ્વ.વૃજકુંવરબેન આણંદજીભાઈ માવાણીનું તા.૨૨ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન પટેલવાડી, ૧-દયાનંદ નગર, વાણીયાવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટના સિનિયર એડવોકેટ નટવરજતી અતીતના ધર્મપત્નિ વનીતાબેનનું દુઃખદ અવસાન
કાલે શનિવારે રાષ્ટ્રીય શાળામાં ૪ થી ૬ બેસણું
રાજકોટ : રાજકોટના સિનીયર એડવોકેટ શ્રી નટવરજતી ટી. અતીત (ગોસાઈ)ના ધર્મપત્નિ વનીતાબેન (ઉ.વ.૭૯) તે જયેશભાઈ અને નિખીલભાઈ અતીત (ગોસાઈ) એડવોકેટના માતુશ્રીનું કૈલાશગમન તા.૨૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાષ્ટ્રીય શાળા, રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રમાબેન રાઠોડ
રાજકોટઃ મનસુખભાઈ તુલસીભાઈ રાઠોડના ધર્મપત્ની તથા બીપીનભાઈ, કલ્પેશભાઈ અને નીલેષભાઈના માતુશ્રી રમાબેનનું તા.૨૨ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના સાંજે ૫ થી ૬ અલકેશ્વર મહાદેવ મંદીર અલકાપુરી શેરીનં- ૧, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રામદાસભાઈ કુબાવત
રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ.રામદાસભાઈ દયારામભાઈ કુબાવત જે દિનેશભાઈના ભાઈ તથા મુકેશભાઈ તથા શૈલેશભાઈના પિતાશ્રી તા.૨૨ના ગુરૂવારના રોજ રામચરણ પામેલા છે. તેમનું બેસણું તા.૨૬ સાંજે ૪ થી ૬ સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને વાંકાનેર ખાતે રાખેલ છે.