Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019
સુરેન્દ્રનગરના પત્રકાર સાજીદભાઈ બેલીમના માતુશ્રીનું દુઃખદ અવસાન

વઢવાણ, તા. ૨૧ :. સુરેન્દ્રનગરના ઈલેકટ્રીક મીડીયાના ટીવી રીપોર્ટર-પત્રકાર સાજીદભાઈ બેલીમના માતુશ્રી હુસેનાબેન બચુભાઈ બેલીમનું અવસાન થયેલ છે. સદ્ગત તેની પાછળ ત્રણ પુત્રો હનીફભાઈ બેલીમ (નિવૃત કંડકટર), હમીદભાઈ (એસ.ટી.), ઈલેકટ્રીક મિડીયાના પત્રકાર સાજીદભાઈ, પુત્રી હફિઝુનબેન, પુત્રવધુઓ અને પૌત્રા-પૌત્રીઓ - નવાસા સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. મર્હુમ હુસેનાબેનની કુરાન શરીફના સિપારાની ઝીયારત તેમજ બેસણુ સોમવારે સોની સમાજની વાડી ખાતે દેપાળા વાડ પાસે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

વિજયાબેન મુળજીભાઇ ચોટલીયાનું અવસાનઃ સોમવારે બેસણું

વિજયાબેન મુળજીભાઇ ચોટલીયા (ઉંમર વર્ષ-૮૦), તે શ્રી મુળજીભાઇ   કુંવરજીભાઇ ચોટલીયાનાં ધર્મપત્નિ તથા સ્વ. જયસુખભાઇ, શ્રી નારણભાઇ, પ્રવિણભાઇ, મહેશભાઇ, મુકેશભાઇનાં માતૃશ્રી તથા શિરિષભાઇ, મયુરભાઇ, પ્રિતેશભાઇ, નીલ તથા દેવાંગનાં દાદીમાનું તા.ર૦ નું દુઃખદ અવસાન  થયેલ છે. તેમનું બેસણું તા.ર૩સોમવારનાં રોજ  સાંજે ૪-  થી ૬ કલાક સુધી સરદારનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી કોમ્યુનીટી હોલ, પટેલ બોર્ડીંગ પાસે, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૩૭૪૧ ૦૫૬૪૯)

અવસાન નોંધ

નિલેશભાઇ ત્રિવેદીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ મુળગામ બોરડીના નિલેશભાઇ ચંદુભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૯) તે સત્યમના પિતાશ્રી તેમજ ચંદુભાઇ કાંતિલાલ ત્રિવેદીના પુત્ર અને સ્વ. તનસુખલાલ કે ત્રિવેદી, જયંતિલાલ કે ત્રિવેદીના ભત્રીજા તેમજ બહેન ધર્મિષ્ટાબેન કે ઠાકર (અમરેલી) ના ભાઇ અને દિપકભાઇ ત્રિવેદી (ધારી) ના ભાઇનું તા. ૧૯ના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું કોઠારીયા રોડ રાજકોટ ખાતે પર આવેલ ગોવિંદનગર બાજુમાં આવેલ મેઘાણીનગર વિસ્તારમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે  તા.૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખવામાં આવેલ છે.

હરીશ્ચંદ્રસિંહ મનુભા જાડેજા

રાજકોટઃ મુળ હડમતીયા નિવાસી હાલ રાજકોટ હરીશ્ચંદ્રસિંહ મનુભા જાડેજા (રીટા. એ.એસ.આઈ.) તે જસુભાના નાનાભાઈ તથા રવિરાજસિંહના પિતાશ્રીનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૩ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગવાડી-૨, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઈ કંસારા

રાજકોટ : ગોંડલ નિવાસી વલ્લભદાસ જમનાદાસ કંસારાના પુત્ર અતુલભાઈ (ઉ.વ.૪૬)નું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ કુબરફળી બાવાબાટીશેરી, મોટી બજાર, ગોંડલ ખાતે રાખેલ છે.

જેઠીબેન વાઢેર

વેરાવળ : લોઢવા નિવાસી ચારણ આઇમાના ભોયમાં જેઠીબેન જીવાભાઇ વાઢેર (પટેલ) તે મેણસીભાઇ, પરબતભાઇ, જાદવભાઇ, પાલાભાઇના માતુશ્રી તા.૨૦ ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૨ ને રવિવારે સુત્રાપાડા તાલુકાના લોઢાવા ગામે વાડીએ રાખેલ છે.

લીલાવંતીબેન પાઠક

વેરાવળ : વેરાવળ હાલ જુનાગઢ નિવાસી લીલાવંતીબેન કેશવલાલ પાઠક (ઉ.વ.૮૮) તે સ્વ.કેશવલાલ વજેરામ પાઠકના પુત્રી તથા દીનેશભાઇ (વેરાવળ) ના મોટા બહેન તથા સ્વ. પ્રવિણાબેન જે. રાવલ, લતાબેન એમ. જોષી (જુનાગઢવાળા) ના માતુશ્રી તથા કમલેશભાઇ જોષી, સમીરભાઇ રાવલ ના નાનીમાનું તા.૧૯ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનની પીયરપક્ષની સાદડી તા.૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર ડાભોર રોડ, વેરાવળ ખાતે રાખેલ છે.

ભાનુબેન પરમાર

રાજકોટ : લુહાર ભાનુબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.૭૮) તે સ્વ.હસમુખ બાબુભાઈ પરમાર, રસીક બાબુભાઈ પરમાર, બીપીન બાબુભાઈ પરમારના માતુશ્રીનું તા.૨૦ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે કોઠારીયા રોડ, બ્રહ્માણી હોલની સામે, હનુમાનદાદાની મઢીમાં રાખેલ છે.

નલીનભાઇ ગોહિલ

રાજકોટઃ નિવાસી મચ્છુ કઠીયા સઇ સુથાર (દરજી) સ્વ. ખીમજીભાઇ રવજીભાઇના પુત્ર નલીનભાઇ (ઉ.વ.૫૬) દિનેશભાઇના નાનાભાઇ તથા  સંદીપભાઇ વિપુલભાઇના પિતાશ્રી તથા ભરતભાઇ , મુકેશભાઇ, વિશાલભાઇના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે. કમળગંગા ૨૨/૨૪ વિજય પ્લોટ ખાતે રાખેલ છે. સસરાપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

અમૃતલાલ કોઠારી

રાજકોટઃ મુળગામ જામવંથલી (જામનગર) અમૃતલાલ ગોકુળદાસ કોઠારી તે મહેન્દ્રભાઇ, સંજયભાઇ તથા રશ્મિબેનના પિતાશ્રી તે કલ્પનાબેન મહેન્દ્રભાઇ કોઠારી તથા અંજુબેન સંજયભાઇ કોઠારીના સસરાનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે હાલ રાજકોટ  નિવાસ સ્થાને રાજારામ સોસાયટી શેરી નં.૪ના ખુણે સાંદીપની વિદ્યાલયની પાછળ રાજ પાનની બાજુમાં સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

લલીતાબેન ઠકરાર

રાજકોટઃ લલિતાબેન છગનલાલ ઠકરાર (જામજોધપુર) (ઉ.વ. ૯૦) તે સુરેશભાઇ છગનલાલ ઠકરાર (હાલઃમલાવી)નાં માતુશ્રીનું તા.૨૦ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૩ને સોમવારે, સાંજે ૪.૩૦ વાગ્યે એ.વી.નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન દેવમુરારી

ચલાલા સ્વ.મંછારામ રણછોડદાસ દેવમુરારીના પત્ની ચંપાબેન (ઉ.વ.૮પ) તે રસીકભાઇ, મહેશભાઇ, ભરતભાઇના માતાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના રોજ સાંજે ૪ થી ૬ હરિધામ સોસાયટી સાંઇ મંદિર પાસે રેલ્વે ફાટક પાસે ચલાલા ખાતે રાખેલ છે.

નગીનદાસભાઇ રાજાણી

રાજકોટઃ નગીનદાસ રાજાણી (હકાભાઇ) (ઉ.વ.૬૭) તે હરિદાસ વિરજીભાઇ રાજાણીના પુત્ર વિનોદભાઇ (લંડન), કિરીટભાઇના મોટાભાઇ તેમજ નિખીલભાઇના પિતાશ્રી તેમજ બાબુલાલ ખેરાજ પાઉ પોરબંદરના જમાઇ તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું આજે તા.ર૧ને શનિવારે સાંજે ૪ થી પ સર્વેશ્વર મહાદેવ મંદીર, ગાંધીનગર-૧ તેમના નિવાસસ્થાનની બાજુમાં રાખેલ છે. (ગાંધીગ્રામ)

ચંપાબેન જોષી

રાજકોટઃ જામનગર-રાજગોર બ્રાહ્મણ શ્રીમતી ચંપાબેન કરશનભાઇ જોષી તે કરસનજી ભગવાનજીભાઇ જોશીના ધર્મપત્ની સ્વ.વિજયભાઇ, મનીષભાઇ, રમાબેન, ઇન્દુબેન (રાજકોટ), પ્રજ્ઞાબેનના માતુશ્રી તેમજ અમીષાબેન, સ્નેહાબેન તથા શ્યામના દાદીમાનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને સોમવારે સાંજના પ થી ૬ શ્રી ગાયત્રી શકિતપીઠ શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની પાછળ, માસ્તર સોસાયટી જામનગર ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૩૦ને સોમવારે રાખવામાં આવેલ છે.

અતુલભાઈ કંસારા

રાજકોટ : ગોંડલ નિવાસી વલ્લભદાસ જમનાદાસ કંસારાના પુત્ર અતુલભાઈ (ઉ.વ.૪૬)નું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ કુબરફળી બાવાબાટીશેરી, મોટી બજાર, ગોંડલ ખાતે રાખેલ છે.

માધાભાઇ ગોંડલીયા

જેતલસર  : માધાભાઇ મોહનભાઇ ગોંડલીયા (ઉ.વ.૮૫), તે પ્રાગજીભાઇ, પરશોતમભાઇ, હરસુખભાઇ અને રમણીકભાઇના પિતાનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૧ ના રોજ બપોરે ૩થી ૬ તેમના નિવાસસ્થાન, જેતલસર ગામ ખાતે રાખેલ છે.

રતિભાઈ રામાણી

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ મુળ ગામ બાલંભા, હાલ રાજકોટ નિવાસી રતીભાઈ કરમશીભાઈ રામાણી (ઉ.વ.૬૩) તે હેમાંશુભાઈ તથા ધર્મેન્દ્રભાઈના પિતાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૧૧- બ્રાહ્મણીયાપરા, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.