Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018
શાંતિલાલ કરશનદાસ કવરાણીનું અવસાનઃ સોમવારે પઘડીયુ

રાજકોટઃ શાંતિલાલ કરશનદાસ કવરાણી (મંદાણા) (ઉ.વ.૬૫)તે ગંગારામભાઈ કવરાણી અને મનિષકુમાર કવરાણીના ભાઈ તેમજ દિનેશ કવરાણી અને સન્ની કવરાણીના પિતાશ્રીનું તા.૨૧ના શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પઘડીયુ) તા.૨૩ના  સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે ગુરૂગુલરાજ સાહેબ કુટીયા, જુલેલાલ મંદિરની પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અધિક કલેકટર એ.વી વાઢેરના મોટાભાઇનું નિધનઃ સોમવારે બેસણુ

રાજકોટ, યુવા સેવા સાંસ્કૃતિક વિભાગમાં ઓ.એસ.ડી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એ.વી.વાઢેરના મોટાભાઇ પરસોતમભાઇ વી.વાઢેર (ઉ.વ.૭૮) તે શ્રીમતી ઇન્દુબેન પ્રવીણભાઇ ચાવડાના પિતાજીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ ભીડભંજન મહાદેવ મંદિર, તિરૂપતિનગર-શેરી નં.૪, રૈયા રોડ, હનુમાન મઢી પાસે રાખેલ છે. (એ.વી.વાઢેરનો મો.૯૪૨૭૧ ૧૫૦૦૨ અને ઇન્દુબેનનો મો.નં.૯૮૯૮૫ ૭૩૭૭૨ રાજકોટ)

અવસાન નોંધ

રોહિતભાઈ રાજયગુરૂ

રાજકોટ : ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના રોહિતભાઈ છેલશંકર રાજયગુરૂ (ઉ.વ.૪૦) (ગાંધીગ્રામ, રૈયા રોડવાળા) તેઓ સ્વ. છેલશંકર કેશવલાલ રાજયગુરૂ તથા જયશ્રીબેન રાજયગુરૂના પુત્ર અને પ્રદિપભાઈ (રાજકોટ), નયનાબેન (મોરબી)ના નાનાભાઈનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ શેરી નં. ૨ ખાતે રાખેલ છે.

ગીરીશભાઈ સુરેજા

રાજકોટ : ગીરીશભાઈ નંદલાલભાઈ સુરેજા (વ્યાસ) (ઉ.વ.૩૮) તે ભરતભાઈ તથા પ્રદિપભાઈ, દક્ષાબેન સુરેશકુમારના નાનાભાઈનું તા.૨૧ના શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ સ્થળ : રાધાકૃષ્ણ મંદિર, ગાંધીગ્રામ, રાજકોટ મુકામે રાખેલ છે.

ઈન્દુબેન કોશીયા

રાજકોટ : ગુર્જર પ્રજાપતિ સ્વ. ત્રિકમજીભાઈ રવજીભાઈ કોશીયાના ધર્મપત્નિ ઈન્દુબેન ત્રિકમજીભાઈ કોશીયા તે વિનુભાઈ, કિશોરભાઈ તથા પ્રકાશભાઈ, રમેશભાઈ કોશીયાના માતુશ્રીનું તા.૨૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬, ગુર્જર પ્રજાપતિની વાડી- ૧, દૂધસાગર રોડ જૂની જેલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન નિમાવત

રાજકોટઃ રામાનંદી સાધુશ્રી છબીલદાસ નરસંગદાસ નિમાવતના ધર્મપત્ની રમાબેન (ઉ.વ.૬૦)તે મનોજભાઈ, રાજેશભાઈ તથા અશોકભાઈના માતુશ્રીનું અવસાન તા.૨૦ શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ રવિવારે, ઉદયનગર, શેરીનં.૨૩, શ્રીનાગેશ્વર મંદિરે, સાંજે ૪ થી ૬ સમોઝાદ સ્કુલવાળી શેરી મોવડી ખાતે રાખેલ છે.

શાંતાબેન ઉદાણી

રાજકોટઃ ખાંભા નિવાસી હાલ રાજકોટ સ્વ.બાબુલાલ ભુરાભાઈ ઉદાણીના ધર્મપત્નિ શાંતાબેન બાબુલાલ ઉદાણીનું આજે તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું સવારે ૧૦ થી ૧૧ તથા પ્રાર્થનાસભા ૧૧ થી ૧૨ તા.૨૩ને સોમવારના રોજ વિરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૪૨૬૨ ૬૩૪૩૯)

દિનેશભાઇ વોરા

રાજકોટ : પ્રજાપતિ સ્વ. ખીમજીભાઇ વોરાના પુત્ર દિનેશભાઇ ખીમજીભાઇ વોરા તે રાજેશભાઇના નાનાભાઇનું તા.૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૨૩ને સોમવારે ૪થી૬ સોમેશ્વર મહાદેવ નકલંકધામ કોઠારિયા મેઇન રોડ, હુડકો ચોકડી ગ્રીનપાર્ક શેરી નં.૫ રાજકોટ ખાતે રાખેલ છે.

 વિનોદભાઇ મકવાણા

રાજકોટઃ મુળ કચ્છ માધાપર નિવાસી હાલ રાજકોટના વિનોદભાલ ટોકરશીભાઇ મકવાણા (ઉ.વ.૬૩) તે હિનાબેનના પતિ, સ્વ. કુંદનભાઇ,સ્વ. રમેશભાઇ, મહેશભાઇ, બિપીનભાઇ, હેતલબેનના ભાઇ, સ્વ. પ્રાગજીભાઇ પરસોતમભાઇ હણસોરાના જમાઇ, મિતેષ, હેમાંગી, શીતલ, આરતીના પિતાનું તા.૧૯ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૨૧ના રોજ સાંજે ૫ વાગ્યે ગૌરેશ્વર મહાદેવ મંદીર, હંસરાજનગર  મેઇન રોડ ખાતે રાખેલ છે.

પ્રધ્યુમનભાઇ પુરોહિત

જૂનાગઢઃ મુળ મોટા કોટડા હાલ મુંબઇ (બોરીવલી) નિવાસી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ પ્રધ્યુમનભાઇ જગજીવન પુરોહિત તે મહેશ્વર ગોકળદાસ અને સ્વ.રજનીકાંતના બનેવી તથા સ્વ.હસમુખરાય અમૃતલાલ ભટ્ટના સાળા તેમજ તારાબેન હસમુખરાયના ભાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે સાદડી તા.૨૩ના સાંજે ૫ થી ૬ ભૂતનાથ મહાદેવ સત્સંગ હોલ, જુનાગઢ રાખેલ છે.

પુર્ણાબા વાળા

જામકંડોરણાઃ મુળ પ્રાસલા હાલ પીપરડી (તા.જામકંડોરણા)નિવાસી પુર્ણાબા રામસિંહ વાળા (ઉ.વ.૬૦) તે ગીરીરાજસિંહ તથા કિશોરસિંહ વાળાના માતુશ્રીનું તા.૧૭ ને મંગળવારે અવસાન થયેલ છે.

બટુકભાઇ ચૌહાણ

રાજકોટઃ સોરઠીયા દરજી બટુકભાઇ ગોબરભાઇ ચૌહાણ (માંડણકુંડલા વાળા) હાલ રાજકોટનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૧ના શનિવારે સાંજના ૪ થી ૬, નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટના રોડ, શેઠ હાઇસ્કુલની બાજુમાં રાખેલ છે.

નવલભારથી ગોસ્વામી

રાજકોટઃ નવલભારથી શંકરભારથી ગોસ્વામી (ઉ.વ.૮૦) તે બળવંતભારથી તથા ચમનભારથીના મોટાભાઇ તથા ભરતભારથી (પોલીસ)નાં પિતાશ્રી તથા અર્જુનભારથી તથા કુ. પુજા (ભકિતનગર પોલીસ સ્ટેશન)નાં દાદાનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.ર૩ને સોમવારે સાંજે ૪ થી ૬, મવડી પોલીસ હેડ કવાટર્સ કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે. તેઓની શંખોદ્વાર વિધિ તા.ર૮ને શનિવારે તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.

પુષ્પાબેન રમેશભાઇ

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.રમેશભાઇ જાદવજીભાઇના પત્ની પુષ્પાબેન રમેશભાઇ તે વિશાલના માતુશ્રીનું તા.ર૦ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૩ના સોમવારે બપોરે ૩ થી પ, આશાપુરા હોટલની સામે, બ્લોક નં.ર૩, જામનગર રોડ ઘંટેશ્વર ખાતે રાખેલ છે.

જયાબેન ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ નાના વડીયા હાલ રાજકોટ ગં. સ્વ. જયાબેન મગનલાલ ભાડેશીયા (ઉ.વ.૮૩) તે સ્વ.મગનલાલ મોહનલાલ ભાડેશીયાના ધર્મપત્ની તથા વિનોદભાઇ, જગદીશભાઇ, ધીરજબેન, કુસુમબેન હરેશકુમાર કરગથરાના માતુશ્રી તથા રીતેશ, મોહીત અને દિક્ષીતા મયુરકુમાર પીલોજપરાના દાદીમાં તેમજ સ્વ.મગનભાઇ દેવજીભાઇ પીલોજપરા (અમરાપર - ટોળ) વાળાના બહેનનું તા.૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૩ને સોમવારે સાંજે ૪ થી ૬, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે. (પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

હિરાગૌરીબેન દવે

રાજકોટઃ વંથલી નિવાસી હાલ જુનાગઢ સ્વ.હિરાગૌરી દામોદરભાઈ દવે તે સ્વ.દામોદરભાઈ જગજીવનભાઈ દવેના ધર્મપત્ની તેમજ તે સ્વ.નિરંજનભાઈ દવેના માતુશ્રી તેમજ ગં.સ્વ.રાધાબેનના સાસુ તેમજ પ્રતિકભાઈ દવે તથા પ્રવિણાબેનના માતુશ્રી તથા પલ્લવીબેન, જલ્પોન, મીતાલબેન તથા રીધ્ધીબેનના દાદીમાનું તા.૨૦ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનુ બેસણું તા.૨૩ના રોજ ચિત્રકુટ સોસાયટી, ભાનુ એપાર્ટમેન્ટમાં જુનાગઢ ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે

ઉર્મિલાબેન કારિયા

રાજકોટઃ ગ.સ્વ.ઉર્મિલાબેન તે સ્વ.કિશોરભાઈ હીરાભાઈ કારિયાના ધર્મપત્ની (ઉ.વ.૬૭) તે યોગેશભાઈ કારિયાના માતુશ્રી સ્મૃતિબેનના સાસુ, મનનના દાદીમા, તે સ્વ.રતિભાઈ ડાહ્યાભાઈ સોમૈયાના દીકરી (કૃષ્ણ સિનેમાવાળા) તા.૨૦ રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાસરા પક્ષનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બંને સાથે સોમવારે તા.૨૩ના રોજ સાંજે ૫ વાગે સ્થળ જાગનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે

ધીરજલાલભાઇ કારીયા

રાણાવાવ : ધીરજલાલભાઇ ખેરાજભાઇ કારિયા (ઉ.૬ર) તે પરસોતમભાઇ તથા વલ્લભભાઇના ભાઇ તા. ર૦ મીએ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું આજે ભીડભંજન મહાદેવ મંદિરે બપોરે ૪ થી ૪-૩૦ વાગ્યે ભાઇ તથા બહેનોનું સંયુકત રાખેલ છે.

જશુમતીબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહમલ સ્વ. વ્રજલાલ ભગવાજી પંડયાનાં ધર્મપત્ની જશુમતીબેન વ્રજલાલ પંડયા (ઉ.વ.૮૮)તે વિનોદભાઇ(નિવૃત એસ.ટી.), મુકેશભાઇ (ગઠુભાઇ નિવૃત એસ.ટી), મધુસુધનભાઇ તથા કોકીલાબેન(ટીકુબેન)સનતભાઇ જોષીના માતા તથા કિશન, કીર્તનનાં દાદીમાંનું તા.૨૦ના શુક્રવારે અવસાન થયું છે સદ્ગતનું બેસણુ તા.૨૩ના સોમવારે રામમિંદર, પી.ડી.એમ. કોલેજ પાસે ગોંડલ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ સામે રાખેલ છે.

મંજુલાબેન સોલંકી

રાજકોટઃ ભાવસાર મંજુલાબેન ત્રીભોવનભાઈ સોલંકી (ઉ.વ.૭૬) તે રીટાર્યડ ડેપ્યુટી કલેકટર ટી.ડી.સોલંકીના ધર્મપત્ની તથા ટર્બો બેરીંગ પ્રા.લી વાળા કિરીટભાઈ સોલંકી તથા અરૂણાબેન, આરતીબેનના માતુશ્રી તેજસના દાદીમા તથા જમનભાઈ, મહેન્દ્રભાઈ, શશીકાંતભાઈ, ગીરીશભાઈ મલસાતરના બેન તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪ થી ૫, નૂતનનગર કોમ્યુનીટી હોલ, નૂતનનગર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.