અવસાન નોંધ
જીવરાજભાઇ કોટડીયા
ગોંડલઃ જીવરાજભાઇ જાદવભાઇ કોટડીયા (ઉ.વ.૭૦) તે હસમુખભાઇ જતીનભાઇના પિતાનું તા.૨૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ ને શનિવારે સાંજે ૪ થી ૮ લુહારવાડી, ૨/૧પ સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખેલ છે.
સંતોકબેન કારિયા
ગોંડલઃ સંતોકબેન કરશનદાસ કારિયા (ઉ.વ.૯૧) ને સ્વ.વજુભાઇ, હસુભાઇ, જીતુભાઇના માતા તા.૨૧ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું: તા.૨૨ ને શુક્રવારે સાંજે પ વાગ્યે તેમના નિવાસ સ્થાન લક્ષમણનગર, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ પાછળ ગોંડલ રાખેલ છે.
ભાવેશભાઇ વ્યાસ
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મણ સ્વ.લક્ષ્મીશંકરભાઇ હિરજીભાઇ વ્યાસ (કરીયાણા વાળા)ના નાના પુત્ર ભાવેશભાઇ લક્ષ્મીશંકર વ્યાસ જે વિનોદરાય એલ. વ્યાસ (રાજકોટ) તેમજ વસુબેન બીપીનભાઇ દવે (રાજકોટ), પુષ્પાબેન યોગેશભાઇ દવે (નાની કુંડળ), સરલાબેન રમણીકભાઇ દવે (રાજકોટ), ગં. સ્વ. હંસાબેન ભરતભાઇ દવે (રાજકોટ)ના નાના ભાઇનું અવસાન ૪૬ વર્ષની ઉંમરે તા.ર૦ના થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.રપને સોમવારે ધુમધેતુ હોલ, રોયલપાર્ક, શેરી નં.૪, કાલાવાડ રોડ ખાતે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખવામાં આવેલ છે.
મંજુલાબેન કુંડલીયા
રાજકોટઃ પ્રભુદાસ નારણદાસ કુંડલીયાનાં પુત્ર ભરતભાઇના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૬૬) તે પિયુષભાઇ (સદ્દગુરૂ હાર્ડવેર માર્ટ), જીજ્ઞેશભાઇ તથા જયેશભાઇ (ગુરૂ આશિષ પેઇન્ટસ એન્ડ હાર્ડવેર માર્ટ)ના માતુશ્રી, નેણસી અભેચંદ પંડીત મોરબીના પુત્રી તથા સ્વ.હિંમતભાઇ, સ્વ.વસંતભાઇના બહેનનું દુઃખદ અવસાન તા.ર૧ના થયેલ છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનોનું તા.ર૩ના શનિવારે સાંજે ૬ કલાકે પંચનાથ મંદિર, ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદળી સાથે રાખેલ છે.
જગદીશભાઇ પંડયા
રાજકોટ : વાલમ બ્રાહ્મણ રાજકોટ નિવાસી જગદીશભાઇ ધીરજલાલ પંડયા (રીટાયર્ડ-જી.ઇ.બી.) ઉ.વ.૬૮, જે સ્વ. ધીરજલાલ કાશીરામ પંડયાના સુપુત્ર તથા સ્વ. ચંદ્રવદન ધીરજલાલ પંડયા, સ્વ. તિલકકુમાર ધીરજલાલ પંડયાના નાનાભાઇ તથા ગીરીશભાઇ પંડયા (નિવૃત-બી.એસ.એન.એલ.)ના નાના ભાઇ તથા પ્રદિપભાઇ પંડયા (નિવૃત-બી.એસ.એન.એલ.)ના મોટા ભાઇ, અશોકભાઇ પંડયાના સાળા તથા મુકેશભાઇ, કમલેશભાઇના પિતાશ્રીનું તા. ર૦ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ર૩ શનિવારના રોજ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, સાંજે પ થી ૭ રાખેલ છે.
ભાનુમતીબેન મહેતા
ધોરાજી : સ્વ. મોહનભાઇ દલપતરામ મહેતાના પત્ની ગં.સ્વ. ભાનુમતીબેન ઉ.વ.૮૮, તે રાજુભાઇ (રાજદીપ ટ્રાવેર્લ્સ), રેખાબેન, નિતાબેન, બિંદુબેન, ભાવનાબેનના માતુશ્રી, તથા દર્પણ અને નિધિબેન મોદીના દાદીમાં તથા શ્રી પ્રભાકરભાઇ પરસોતમભાઇ લાઠીયાના સુપુત્રીનું તા. રર ને શુક્રવારે સવારે ૭:૪પ વાગ્યે અરિહંત શરણ પામેલ છે. ઉઠમણુ તા. ર૪ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે શ્રી ગોંડલ સંઘના ઉપાશ્રય, સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
પ્રવિણાબેન ભટ્ટ
મોરબીઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રવિણાબેન દિનકરરાય ભટ્ટ (ઉ.વ.પ૮) તે નિવૃત શિક્ષક દિનકરરાય અમૃતલાલ ભટ્ટના પુત્રી તેમજ હરકાંતભાઇ ભટ્ટ (શાંતિ નિકેતન વિદ્યાલય), બીપીનભાઇ ભટ્ટ (નલીની વિદ્યાલય) અને પરેશભાઇ ભટ્ટ (એસટી) ના બેનનું તા.૨૦ના અવસાન થયું છે. બેસણું તા.૨૩ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગાયત્રીનગર પ, વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે.
હસુમતીબેન જોગી
રાજકોટ : બ્રહ્મક્ષત્રિય જેતપુર નિવાસી ગં.સ્વ.હસુમતીબેન હરીલાલ જોષી તે સ્વ.જયંતિલાલ દયાળજીભાઈ છાટબાર (કામદાર)ના પુત્રી તે ભુપેન્દ્રભાઈ પિયુષભાઈ અરવિંદભાઈ જયેન્દ્રભાઈ તથા રામભાઈના બહેન, રમેશભાઈ લાલજીભાઈ જોગીના ભાભી તા.૨૧ના રોજ જેતપુર મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૨૩ને શનિવાર સાંજે ૫ થી ૬ કલાકે બ્રહ્મક્ષત્રિય વાડી, ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.
નિર્મલાબેન હિંડોચા
રાજકોટ : સ્વ.ગીરધરલાલ કાલીદાસ હિંડોચાના પુત્ર દામોદરભાઈ (ભીખુભાઈ)ના ધર્મપત્નિ નિર્મલાબેન તે આશિષભાઈના માતુશ્રી તેમજ સ્વ.જયંતિલાલ સવજી કોટકના સુપુત્રીનું તા.૨૨ના શુક્રવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સોરઠીયાવાડી શેરી નં. ૧, જીતેન્દ્ર નિવાસ ખાતે તા.૨૩ને શનિવારે સાંજે ૫ થી ૬ મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
પ્રભાબેન બામરોલિયા
ખંભાળીયાઃ ગુર્જર સુતાર ગં.સ્વ. પ્રભાબેન નાગજીભાઇ બામરોલિયા ઉ.૯૯ તે સ્વ. ધરમશી લાલજી બામરોલિયાના લઘુબંધુ સ્વ. નાગજી લાલજી બામરોલિયાના ધર્મપત્ની તથા કુ.જયુબેનના માતુશ્રી તથા શ્રી દયાળજીભાઇ બામરોલિયા (લંડન) અમુભાઇ બામરોલિયા (યુનાઇટેડ રેડિયો વાળા) તથા સ્વ. હસુભાઇના કાકી તેમજ મીસ્ત્રી મોટર ગેરેજવાળા મિતેશભાઇ તથા યુનાઇટેડ રેડિયો વાળા ધર્મેશભાઇના મોટાબા તા. ર૧ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.ર૩ને શનિવારે સાંજે પ થી પ-૩૦ વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી સ્ટેશન રોડ ખાતે રાખેલ છે