Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019
તિરૂપતિ ડેવલોપર્સવાળા જયેશભાઈ વરસાણીનું દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : શ્રી જયેશભાઈ વિઠ્ઠલભાઈ વરસાણી (ઉ.વ.૫૦) તે વિઠ્ઠલભાઈ વરસાણી (જવાહર વિદ્યાલય રાજકોટ)ના સુપુત્ર તથા સુનિલભાઇ (જામનગર), આરતીબેન રંગાણીના ભાઈ તથા યશ અને મીરાના પિતા તેમજ ગોરધનભાઈ ગજેરાના જમાઈ તેમજ લિનેશ - ગજેરા - યુએસએના બનેવીનું તા.૧૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, અમીન માર્ગ, રાજકોટ મુકામે રાખેલ છે.

દિવ્ય ભાસ્કરના સિનિયર ક્રાઇમ રિપોર્ટર મહેન્દ્રસિંહ જાડેજાના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ શુક્રવારે સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ મુળ લોધીકાના ચાંદલીના વતની હાલ રાજકોટ નિવાસી સાવજુભા હકુભા જાડેજા (ઉ.વ.૭૫) તે સ્વ. દિલીપસિંહ હકુભા, સ્વ. જામભા હકુભા તથા અનોપસિંહ હકુભા જાડેજાના ભાઇ અને મહેન્દ્રસિંહ જાડેજા (સિનિયર ક્રાઇમ રિપોર્ટર દિવ્ય ભાસ્કર-રાજકોટ) તથા વીણાબા ભગીરથસિંહ ચુડાસમા (ધંધૂકા)ના પિતાશ્રીનું તા. ૨૧/૫ના મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સવારે નવ કલાકે સદ્દગતના નિવાસસ્થાન દૂધની ડેરી પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટર ખાતેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ, રાજકિય ક્ષેત્રના આગેવાનો, મિત્રો અને લત્તાવાસીઓ જોડાયા હતાં. સ્વ. સાવજુભા જાડેજા ડેરીના નિવૃત કર્મચારી હતાં. પોતાના સરળ અને મળતાવડા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં. સદ્દગતનું બેસણું તા. ૨૪ના શુક્રવારે સાંજે ૪ થી ૬, દૂધ સાગર માર્ગ એચ. જે. સ્ટીલની સામે ગુ.હા. બોર્ડના કવાર્ટર   શ્રી ભીડભંજનયા મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ચંદુલાલ ચુડાસમા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક બગસરા નિવાસી ચંદુલાલ વલ્લભદાસ ચુડાસમા (ઉ.વ.૭૭) તે સ્વ.તારાબેનના પતિ, તથા ભુપેન્દ્રભાઈ, સ્વ.લલિતભાઈ, પ્રવિણભાઈના મોટાભાઈ, મંજીલાબેન (મુંબઈ), સ્વ.શારદાબેન (અમદાવાદ), પુષ્પાબેન, સરલાબેન (ઓસ્ટ્રેલીયા)ના ભાઈ તથા મહેશભાઈ, દિપકભાઈ, પ્રસાબેન (મુંબઈ)ના પિતાશ્રીનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૩ના, ૩- અમૃતનગર કિસ્ટલ મોલની પાછળ, જયોતિનગર ચોક, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ તેમજ બગસરા મુકામે તા.૨૪ના સાંજે ૪ થી ૬ શ્રી દશા સોરઠીયાવાડી, શિવાજીચોક બગસરા મુકામે રાખેલ છે.

વજુભાઈ ભારદીયા

રાજકોટઃ ગુર્જર સુથાર (ખંભાળીયાવાળા હાલ ધ્રોલ)  વજુભાઈ પરસોતમભાઈ ભારદીયા (ઉ.વ.૫૧) તેઓ પરસોતમભાઈ રવજીભાઈ ભારદીયાના પુત્ર તથા નરેન્દ્રભાઈ, શારદાબેન, જસુબેન, મજુબેનના ભાઈ તથા રૂપલબેનના પતિ તથા હર્ષ, જાનવીના પિતા તથા પ્રવિણભાઈ પ્રેમજીભાઈ શખલપરાના જમાઈનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૫ થી ૬ રાખેલ છે.

મુકતાબેન વૈશ્નવ

જુનાગઢઃ વલ્લભભાઇ નાનજીભાઇ વૈશ્નવમાં ધર્મ પત્ની સ્વ.મુકતાબેન વૈશ્નવ (ઉ.વ.૭૪)તે પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ તથા ભરતભાઇ વૈશ્નવના માતૃશ્રી તથા સ્વ.મોહનભાઇ લીંબાણી હાડવૈદ્યના દિકરીનું તા.૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા.૨૪ શુક્રવારના રોજ ગાયત્રી મંદિર-જેતપુર રાખેલ છે.

પ્રફુલચંદ્ર જોષી

વેરાવળઃ સારસ્વત બ્રાહ્મણ રાડીયા પ્રફુલચંદ્ર (ચીનાભાઇ) દુલેરાય જોષી ઉ.વ.૮૫ તે બકુલભાઇ વિપુલભાઇ, હાર્ષિદાબેનના પિતાશ્રી તા.૧૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪.૩૦ કલાકે નવા રામ મંદિર ખડખડ વેરાવળ ખાતે રાખેલ છે.

જશવંતરાય વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ઘેલારામજી જ્ઞાતિના મુળ કોટડાપીઠા વાળા જસવંતરાય જટાશંકર વ્યાસ, તે સ્વ.હર્ષદભાઇ વ્યાસ (રાજકોટ)ના નાનાભાઇ તથા મેહુલભાઇ જસવંતરાય વ્યાસના પિતાશ્રી તેમજ દિલીપભાઇના કાકાનું તા.૧૯ના ઇન્દોર ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ને શુક્રવારે સાંજે પ થી ૬ ઘેલારામજી જ્ઞાતીની વાડી, જયંત કે.જી.મેઇન રોડ, ખાતે રાખેલ છે.

લક્ષ્મીશંકર દવે

રાજકોટઃ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ લક્ષ્મીશંકર હીરજી દવે (ઉ.વ.૯પ) તે હીતેન્દ્રભાઇ, ધીરેન્દ્રભાઇ તથા અજયભાઇ તથા આશાબેનનાં પિતાશ્રી, તેમજ મિલનભાઇ, વિશાલભાઇ તથા વૈભવભાઇનાં દાદાશ્રી તા.ર૦ને સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણુંતા.ર૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ચંદ્રેશવાડી, પંચવટી મેઇન રોડ ખાતે રાખેલ છે.

નરોતમભાઇ બામરોલીયા

રાજકોટઃ શ્રી ગુર્જર સુથાર હાલ રાજકોટ નિવાસી (મુળ-ફતેપર ગામ) નરોતમભાઇધીરજલાલ બામરોલીયા તે પરેશ નરોતમભાઇ બામરોલીયા, તેજલ રાજેશકુમાર તલસાણીયા, અંજના નિલેશકુમાર ઝોલેરાના પિતાશ્રી તથા જગદિશભાઇ, સ્વ.ભરતભાઇ, કમલેશભાઇ, અતુલભાઇના મોટાભાઇનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના ગુરૂવારે (સાંજે ૪ાા થી ૬) વિશ્વકર્માકેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

મધુબેન ત્રિવેદી

મોરબીઃ મોટી વાવડી તા. જી. મોરબીનિવાસી મધુબેન અનંતરાય ત્રિવેદી (ઉ.વ.૭પ) તે અશ્વિનભાઇના માતુશ્રી તથા હસમુખલાલ, મનસુખલાલ અને ગીરીશભાઇના બહેન તથા રાજકોટ નિવાસી સતિષભાઇ (૧૦૮ સ્ટાફ), સુનિલભાઇ, વિજયભાઇ હિતેષભાઇ અને ભરતભાઇના ફૈબા તા.ર૧ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.ર૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન મુ.મોટી વાવડી તા.જી. મોરબી ખાતે રાખેલ છે.

સીમાબેન દેસાઇ

રાજકોટઃ રાજકોટ નિવાસી (ભાડેર વાળા) સ્વ.મનસુખલાલ ત્રીભોવનભાઇ દેસાઇના પુત્રવધુ, ચંપકભાઇના નાનાભાઇનલીનભાઇ દેસાઇના ધર્મપત્ની સીમાબેન દેસાઇ (ઉ.વ.પ૮) તે ચીરાગભાઇ, રૂપલબેન, તથા ખુશ્બુબેનના માતુશ્રી તે જીનીશાબેન દેસાઇ, હેતલકુમાર મહેતા, સુમીતકુમાર પટેલના સાસુ, તે વિલાસબેન જયવંતભાઇ ગાંધી, મધુબેન દીલીપકુમાર મહેતા, કનકબેન દીલીપભાઇ વોરાના ભાભી, તે પ્રાણલાલ પ્રભાશંકર દોશી (રાણીગંજ બંગાલ)ના પુત્રી તે બીપીનભાઇ, દીલીપભાઇ, ઉષાબેન શાહ, મીતાબેન શેઠ, હીનાબેન ગાર્ડીના બેનનું તા.૧૮ના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.ર૩ને ગુરૂવારે સવારે ૯-૪પ કલાકે નલીનભાઇ દેસાઇના નિવાસસ્થાને પ્રાર્થનાસભા તા.ર૩ને ગુરૂવારે ૧૦-૩૦ કલાકે એવર ગ્રાન્ડ પેલેસ હોટલ, લીમડા ચોક, ખાતે રાખેલ છે.

ઇન્દુબેન ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ઇન્દુબેન હિંમતલાલ ભટ્ટ (ઉ.૮૦) તે મનોજભાઇ (કાનાભાઇ) ભાવનાબેન, સંગીતાબેનના માતુશ્રી અને ગજેન્દ્રભાઇ ત્રીવેદી તથા સોમનાથભાઇ ત્રીવેદીના બહેનનું તા. ર૧/પ/ર૦૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ર૩/પ/ર૦૧૯ ને ગુરૂવારે સાંજે ૬ થી ૬-૩૦ કલાકે જ્ઞાતીની વાડી કલ્યાણજી નરશી જાની હોલ, ચંદન પાર્ક, સરકારી કર્મચારી સોસાયટી પાસે, ચંદ્રમોલેશ્વર મંદિર પાસે  રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

બીપીનકુમાર જોષી

રાજકોટ : મુળ જામકંડોરણા, હાલ જામનગર (ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ) બીપીનકુમાર ઉમેદલાલ જોષી (ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર) તે સ્વ.ઉમેદલાલ બેચરલાલ જોષીના નાના પુત્ર તે સ્વ.અશોકભાઈ ઉમેદલાલ જોષી (જા.મ્યુ.કોર્પો. માર્કંડભાઈ જોષી (કોર્ટ, એડવોકેટ), મહેશભાઈ જોષી (ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર), નરેન્દ્રભાઈ જોષીના નાનાભાઈ, સન્ની જોષી તથા મિહિર જોષીના પિતાનું તા.૨૦ના સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૨૩ને ગુરૂવારના પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર ખાતે સાંજે ૫ થી ૫:૩૦ સુધી ભાઈઓ તેમજ બહેનોનું રાખેલ છે.

હરદેવસિંહ જાડેજા

રાજકોટ : સ્વ.હરદેવસિંહ ભારતસિંહ જાડેજા (ગામ મેંગણી હાલ રાજકોટ) તે મહાવીરસિંહના મોટાભાઈ તથા હરવિજયસિંહજી તથા મેઘરાજસિંહના પિતાનું તા.૨૧ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ના રોજ તેમના નિવાસસ્થાને રૂચી રેસીડેન્સી બચ્ચા સ્કુલની બાજુમાં મોટા મૌવા કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન સિદ્ધપુરા

રાજકોટ : લુહાર મંજુલાબેન જેરામભાઈ સિદ્ધપુરા - દાત્રાણાવાળા (ઉ.વ.૬૮) તે જેરામભાઈના ધર્મપત્નિ તથા જીતેન્દ્રભાઈના માતુશ્રી તેમજ મિલનભાઈ અને પૂજાબેનના દાદીમા તથા ગોકળભાઈ અને સતીષભાઈના કાકીનું તા.૨૦ના સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના ગુરૂવારના રોજ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, ૨-સૂર્યનગર, પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (એલીકોન એન્જીનિયરીંગ વર્કસ અને ઈમ્પલ્સ મશીન ટુલ્સવાળા)

રમાબેન ભેસાણીયા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ.રમાબેન વૃજલાલ ભેસાણીયા (ઉ.વ.૭૨) તે વૃજલાલ લાલજીભાઈ ભેસાણીયાના પત્નિ અને હરીલાલ અને વસંતભાઈના ભાભી તથા નરેન્દ્રભાઈ, નીતીનભાઈ, દુર્ગેશભાઈ, પ્રેમીલાબેન, મહેશકુમાર ખંભાયતાના માતુશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન પંડ્યા

રાજકોટ : શ્રી ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના મુળ મોરબીના હાલ સુરત મુકામે ગં.સ્વ.મંગળાબેન (ઉ.વ.૮૩) તે સ્વ.દયાશંકર ગૌરીશંકર પંડ્યાના ધર્મપત્નિ  તથા સ્વ.કિશોરચંદ્ર, કંચનબેન અમૃતલાલ જાનીના માતુશ્રી તથા શુભમભાઈ, અલ્પાબેન, સિદ્ધાર્થકુમાર દવે, શિલ્પાબેન સંદિપકુમાર મેતા, નિધિબેન મેહુલકુમાર દવે, કુ.હેમાલીબેનના દાદીનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ સુરત મુકામે તેમનું નિવાસસ્થાન ૨૦૧, ક્રિષ્ના 'બી' વાત્સલ્ય વિલા રેસીડેન્સી, છાપરાભાઠા, અમરોલી, સુરત રાખેલ છે.

પુષ્પાગોૈરી જોષી

જામજોધપુર :  મૂળ પાટણવાવ નિવાસી સ્વ. મનસુખલાલ લક્ષ્મીશંકર જોષીના પત્ની, તથા હિંમતલાલ લક્ષ્મીશંકર જોશી, જોષીપરા વાળા ના નાનાભાઇના પત્ની સ્વર્ગસથ પુષ્પાગોૈરી મનસુખલાલ જોષી (ઉ.વ.૮૧), તે વિનોદભાઇ, જયંતભાઇ મેગલોર, રાજેન્દ્રભાઇ જામજોધપુર, ભરતભાઇ જુનાગઢ ના માતુશ્રી, તથા હાર્દિક અને જૈમિનના દાદીમાનું અવસાન તા. ૨૧ ના થયેલ છે. બેેસણું તા. ૨૩ ને ગુરૂવારે ૪ થી ૬ રામનાથ મહાદેવના મંદિર, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે, અશોક હોલ વાળી ગલી, ટીંબાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે. તેમજ જામજોધપુર મુકામે તા ૨૪ ને શુક્રવાર ૪ થી પ તેમના રામવાડીના નિવાસસ્થાને રાખેલ છે.

ભાનુશંકરભાઇ ત્રિવેદી

ટંકારા : ધ્રુવનગર નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ ભાનુશંકરભાઇ મગનલાલ ત્રિવેદી (ઉ.વ. ૮૫) તે સ્વ. જટાશંકરભાઇ, સ્વ. કાન્તીભાઇ અને સ્વ. વલ્લભભાઇના ભાઇ તેમજ ચેતકુમારના પિતાનું તા. ૨૧ ના રોજઅવસાન થયું છે, ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૨૩ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે ધ્રુવનગર, તા. ટંકારા રાખેલ છે.

સંજયભાઇ ભગદેવ

મોરબી : કરાચીવાળા સ્વ. પમુભાઇ જેઠાલાલ ભગદેવ તથા ગં.સ્વ. ઉષાબેન ભગદેવના પુત્ર સંજયભાઇ (૫૪) તે, નિલાબેન તુષારભાઇ માવાણી (વલસાડ) ના ભાઇ તથા મહેન્દ્રભાઇ તથા કેતનભાઇ વિઠલાણી (વેરાવળ) ના બનેવીનું તા. ૨૧, મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા ૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ કલાકે સેજપાલ હોલ, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.

રેવંતભાઇ કાનાણી

માણાવદર : રેવંતભાઇ કાનાણી (ઉ.વ.૪૯) તે સ્વ. ઓધવજીભાઇ પરસોતમભાઇ કાનાણીના પુત્ર, દયાળજીભાઇ સાંગાણીના જમાઇ, મુકેશ તથા શૈલેષ સાંગાણી (શ્રીનાથજી મંડપ વાળા) ના બનેવી તા. ૨૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની સસરા પક્ષ તરફથી સાદડી તા.૨૪ ને શુક્રવારે સાંજે ૪ થી પ વાગ્યે જલારામ મંદિર, માણાવદર રાખેલ છે.

કાન્તાબેન બાવરવા

મોરબી : મુળ વિરપર, હાલ મોરબી નિવાસી મથનભાઇ લાલજીભાઇ બાવરવાના ધર્મ પત્ની કાન્તાબેન (ઉ.વ.૫૧) તે અંકિતભાઇના માતુશ્રી તા.૨૧ ના રોજ કૈલાશવાસ પામેલ છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૩ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ સોમનાથ ટાવર,બ્લોક નંબર ૧૦૨, રત્નકલા એકસપોર્ટની સામે, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે ૪ થી પ મુ. વિરપર પ્લોટ વિસ્તારમાં નિવાસ સ્થાને રાખેલ છે.

બચુબેન રાજયગુરૂ

રાવલઃ રાવલના ગં.સ્વ. બચુબેન રામજીભાઇ રાજયગુરૂ (ઉ.વ.૮૦) તે.સ્વ. રામજીભાઇ કાનજીભાઇ રાજયગુરૂના ધર્મ પત્નિ, તથા ભગવાનજીભાઇ,દોલતભાઇ, મણીલાલભાઇ, અશોકભાઇ, અરૂણભાઇ તથા રંભાબેન જેન્તીલાલ મોઢા (છાંયા), નર્મદાબેન પ્રવિણચંદ્ર મોઢા (પોરબંદર), જયશ્રીબેન મહેન્દ્ર થાનકી (આરંભડા)ના માતુશ્રી તા.૨૦ના રોજ અવસાન પામેલછે, પ્રાર્થના સભા (ઉઠમણું) તા.૨૪ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૫ વાગ્યે શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ ખાતે રાખેલ છે.

ભારતીબેન રાજદેવ

રાજકોટઃ ભારતીબેન મહેશભાઇ રાજદેવ (ઉ.વ.પપ) તે મહેશભાઇ રાજદેવનાં પત્ની તથા સ્વ.દામોદરદાસ રાજદેવનાં પુત્રવધુ, સ્વ. શ્રીચંદભાઇ, સ્વ.અશોકભાઇનાં ભાભી, વિશાલ, ભાવના ભાવેશકુમાર ગોંડલીયાના માતા, નરેશભાઇ, મનીષભાઇના કાકીનું તા.ર૦ના અવસાન થયુ છે.તેમનું ઉઠમણું (પઘડીયું) તા.ર૩નાં સાંજે ૬ થી ૭ રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ ૩,પરસાણાનગર ખાતે રાખેલ છે.

જિતેન્દ્રભાઇ ડાભી

રાજકોટઃ તળપદા કોળી જિતેન્દ્રભાઇ તે સ્વ.ધીરજલાલ નાનજીભાઇ ડાભીના પુત્ર તે હરેશભાઇ, નયનાબેનના મોટાભાઇ તે અંકિત, રાજના પિતાશ્રી તથા સ્વ.માવજીભાઇ મકવાણાના ભાણેજ તે અરજણભાઇ જીણાભાઇ મકવાણા (પોરબંદર)ના જમાયનું તા.ર૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ શ્રમજીવી કોમ્યુનિટી હોલ, શ્રમજીવી સોસાયટી, ઢેબર રોડ પાણીના ટાંકા સામે રાખેલ છે.

દમયંતીબેન દોશી

રાજકોટઃ સ્વ.પ્રભુલાલ ગીરધરલાલ દોશી (પી.લાલ. દોશી)ના પુત્ર સ્વ.કાંતીલાલભાઇના ધર્મપત્ની શ્રીમતિ દમયંતીબેન (ઉ.વ.૮૮) તા.૧૯ના સીંગાપુર મુકામે અવસાન પામેલ છે. તે સ્વ.જટાશંકર ફુલચંદ મહેતા (વાંકાનેર)ના દિકરી, તથા સ્વ.જયાબેન ચંપકલાલ પારેખ તથા સ્વ.દીનસુખલાલ, સ્વ.ભનુલાલ તથા સ્વ.નવનીતલાલના ભાભી તથા વાસંતીબેન તથા રાજેશભાઇ પારેખના મામી થાય.

હર્ષદબા પરમાર

રાજકોટઃ હર્ષદબા દિલિપસિંહ પરમાર તે મહાવીરસિંહ, સુરપાલસિંહ, વિજયસિંહ તથા અજયસિંહનાં માતુશ્રીનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રામાનંદ આશ્રમ, સત્યનારાયણ નગર, શેરી નં.ર, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.