Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020
જસદણના બળવંતભાઇ પરમારનું અવસાનઃ કાલે ગુરૂવારે બેસણું

જસદણઃ લુહાર બળવંતભાઇ દામજીભાઇ પરમાર (ઉ.વ. ૭૧) તે રશ્મિનભાઇ, પ્રવિણભાઇના ભાઇ ચંદ્રેશભાઇ, રાહુલભાઇના પિતાનું તા. ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિ વાડી શાક માર્કેટ નજીક જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

કોમી એકતાના પ્રતિક યુનુસ શેઠ જસરાયાની વફાત મોચી બજારે બંધ પાળ્યોઃ કાલે ઝીયારત-બેસણું

રાજકોટ, તા.૨૨: હિન્દુ-મુસ્લીમ એકતાનાં પ્રતીક અને મુસ્લીમ સમાજનાં અગ્રણી યુનુસશેઠ જસરાયા (ઉ.વ.૬૮) ગઇકાલે સવારે જન્નત્તનશીન થયા છે. પરમ દિવસે રાત્રીના અચાનક તબિયત લથડતા વહેલી સવારે ૪: કલાકે અંતિમ શ્વાસ લઇ આ ફાની દુનિયાથી અલવિદા લીધેલ. તેઓના માનમાં મોચીબજાર એ આજે સ્વયંભુ બંધ પાડેલ.

તેઓના જનાજા મંગળવારે સવારે તેઓનાં નિવાસ સ્થાને નહેરૂનગર, આમ્રપાલી પાછળથી સવારે ૧૧ કલાકે નીકળી બપોરે ખામોશ કોલોની કબ્રસ્તાન  ખાતે દફનવિધી થયેલ હતી.

યુનુસશેઠ જસરાયાના દુઃખદ અવસાનની જાણકારી મળતાં મિત્ર વર્તુળથી લઇને હિન્દુ-મુસ્લીમ સમાજનાં લોકોમાં શોકનો માહોલ હતો.

તેમના જનાજામાં સૈયદ હૈદરબાપુ મોતીવાલા, સૈયદ હાજી બરકતશાબાપુ, સૈયદ હાજી નિઝામબાપુ, સૈયદ હાજી મહેબુબ બાપુ, હાજી યુસુફભાઇ જુણેજા, હાજી હુસેનભાઇ સમા (એડવોકેટ), યુનુસભાઇ (લક્કી), ફારૂકભાઇ બાવાણી, હબીબભાઇ કટારીયા, હુસેનભાઇ બાવાણી, રજાકભાઇ જામનગર, હનીફભાઇ જેસાણી, સીદીકભાઇ જસરાયા, દીલાવરભાઇ જસરાયા, ઇસ્માઇલભાઇ ખીયાણી, અલાઉદીનભાઇ કારીયાણીયા, બસીરબાપુ બુખારી, અલી જાનમહમદભાઇ, સલીમભાઇ બાવાણી, સલીમભાઇ કારીયાણીયા, આરીફભાઇ મામટી, અનવર દારૂવાલા, અબ્દુલભાઇ દલવાણી, હનીફ જુણેજા, યુસુફ સોપારીવાલા, બસીરભાઇ ખીયાણી, અલ્તાફભાઇ ઠાસરીયા તથા હિન્દુ સમાજના અગ્રણી જયસુખભાઇ દક્ષિણી, ધીરૂભાઇ મકવાણા, અશોકભાઇ રૂવાલા, ભરતભાઇ કુંડલીયા, શ્યામભાઇ મકવાણા, ટાંકભાઇ (બેંકવાળા), ભરત મેવાડા, ધીરૂભાઇ પ્રતિક, રાજુભાઇ મેઘાણી, કિરીટસિંહ, ઘોઘાભાઇ, મુન્નાભાઇ, અમિત તન્ના, નિલુ અડવાણી વિગેરે જોડાઇને ખીરાજે અકિદત્ત પેશ કરી હતી.

તેઓની ઝીયારત આવતીકાલે ભાઇઓ માટે ગુરૂવારે સવારે ૧૦ કલાકે મસ્જીદે રઝા નહેરૂનગર, આમ્રપાલી પાછળ તથા બહેનો માટે તેઓનાં નિવાસ સ્થાને રઝાનગર, શેરી નં.૩, 'આયેશા મંઝીલ', આમ્રપાલી પાછળ રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

નાથાભાઈ ધામેલીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી નાથાભાઈ ટપુભાઈ ધામેલીયા તે અજય નાથાભાઈ ધામેલીયા, કિરણબેન જગદીશભાઈ ગોહેલ અને પ્રિતિબેન શશીકાંત લીંબાણીના પિતાશ્રીનું તા.૨૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ શુક્રવારના રોજ જનતાનગર, કેનાલ રોડ, રામદેવ પીરનાં મંદીર પાસે, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે

યશવંતકુમાર ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના સ્વ.વ્રજલાલ કરશનભાઈ ચાવડાના જમાઈ તથા સ્વ.ભૂતપભાઈ, ગીરીશભાઈ, સંજયભાઈના બનેવી અમદાવાદ નિવાસી (નાનડીયા વાળા) યશવંતકુમાર દામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૮)નું દુઃખદ અવસાન તા.૨૨ને બુધવારના રોજ થયેલ છે. તેમનું બેસણું રાજકોટ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી  જ્ઞાતીની વાડી સાંગણવા ચોક કોટક શેરી ખાતે તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.

કરણસિંહજી વાળા

રાજકોટઃ કૃષ્ણપુર (હાલ રાજકોટ) કરણસિંહજી નથુભા વાળા (ઉ.વ.૯૫) રીટા. સુપ્રિ. ઓફ કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઇઝ તે જીતેન્દ્રસિંહજી બી. વાળા, ઉપેન્દ્રસિંહજી બી. વાળા (કૃષ્ણપુર)ના કાકાબાપુશ્રી તથા ઇન્દ્રજીતસિંહ કે. વાળા (સીટીઝન્સ બેન્ક), સુદર્શનસિંહ કે. વાળા (ડીવાયએસપી)ના પિતાશ્રી તથા દુર્ગેશનંદીની આઇ.વાળા (આરકેસી) ના શ્વસુરશ્રી તથા નિકુંજલતા એચ. ઝાલા (આરકેસી), ભાર્ગરાજસિંહ વાળા, નિત્યરાજસિંહ વાળા, યશરાજસિંહના દાદાબાપુનું તા.૨૦ના અવસાન થયેલ છે. જેઓનું બેસણું તા.૨૩ ગુરૂવારના સાંજે ૪ થી ૬ સુધી અમારા નિવાસ સ્થાને, ડી-૧૭, મણિનગર, રામેશ્વર પાર્ક પાછળ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

શિવદતભાઇ પંડયા

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ સુરત શ્રી શિવદતભાઇ પ્રભાશંકર પંડયા (ઉ.વ.૮૨) (જી.ઇ.બી) તે સુબોધભાઇ, જયોતિબેન કમલેશભાઇ જાની, શોભના સંજય જોશીના પિતાશ્રી તથા દિનેશચંદ, સ્વ. મધુસુદન, સ્વ. શ્રીપતભાઇ, હેમચંદ્રભાઇ તથા અજયભાઇના ભાઇ તા.૨૦ના રોજ સુરત મુકામે કૈલાશવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૩ ગુરૂવારે સાંજે ૫ થી ૭ વાગ્યે હાટકેશ્વર મહાદેવ મંદિર, બ્રાહ્મણ ગલી, અડાજણ સુરત ખાતે રાખેલ છે.

કુસુમબેન જોશી

રાજકોટઃ કુસુમબેન હરીશભાઇ જોશી (ઉ.વ.૫૨) જે હરેશ મોટર્સ ગેરેજવાળા હરીશભાઇ નારણજીભાઇ જોશીના ધર્મપત્નિ તથા એસ.ટી.વાળા જેન્તીભાઇના નાનાભાઇના ધર્મપત્નિ તથા હીરેનભાઇ જોશી થતા હીરેનભાઇ જોશીના માતુશ્રી તા.૨૧ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ ભીડભંજન મહાદેવના મંદિર પરસાણાનગર શેરીનં.૭, જામનગર રોડ ખાતે રાખેલ છે.

રાહુલભારથી ગોસ્વામી

રાજકોટઃ રાહુલભારથી સુરેશભારથી ગોસ્વામી (ઉ.વ.૨૪) તે સુરેશભારથી નારણભારથીના પુત્ર તથા હેતલબેન, કાજલબેન તથા અલ્પાબેનના ભાઈનું તા.૨૦ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને આંગન રેસીડેન્સી એપાર્ટમેન્ટ બી- વાવડી (રાજકોટ) ખાતે રાખેલ છે. તેમનું શકિત પુજન તા.૨૭ના રોજ રાખેલ છે.

જયેશભાઈ કલ્યાણી

રાજકોટઃ મોઢવણિક જયેશભાઈ મનસુખભાઈ કલ્યાણી (મુળ જેતપુર) (ઉ.વ.૭૧) હાલ રાજકોટ જે ગૌરાંગભાઈ, જતિનભાઈ, આરતીબેન તથા હેતલબેનના પિતાશ્રી અને હિતેષભાઈ, સુનિલભાઈ, દિપેનભાઈના કાકા તથા રસિકભાઈ તથા ડો.બાબુભાઈ જી.ગાંધી (ધારી)ના બનેવી અને રાકેશભાઈ ગાંધી તથા સમીરભાઈ શાહના સસરા તા.૨૦ને સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. બેસણું તથા પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન શ્રી મોઢવણિક જ્ઞાતીની બોર્ડીંગ, ઉપરના હોલમાં, ૫- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસરાજભાઈ તંતી

રાજકોટઃ હંસરાજભાઈ જીવાભાઈ તંતી (ઉ.વ.૯૧) તે રવિભાઈ, કિશનભાઈ, નિલેશભાઈ તથા કૌશલભાઈના દાદાજીનું તા.૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ ગુરૂવાર સવારે ૮:૩૦ થી ૧૦ કલાકે રાજનગર કોમ્યુનિટી હોલ, રાજનગર સોસાયટી, શેરી નં.૧, નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધિરજલાલ જાની

રાજકોટઃ વાંકાનેર નિવાસી મુળ આજક નિવાસી હાલ વાંકાનેર જગદિશ અબોટી બ્રાહ્મણ ધીરજલાલ દયારામ જાની તે ચેતનભાઈ (દિપક), હરેશભાઈ તેમજ મીતેષભાઈ જાનીના પિતાશ્રી તેમજ ગં.સ્વ. દમયંતીબેનના પતિનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ વિવેકાનંદ સોસાયટી વાંકાનેરના કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે.

મોઇઝભાઇ વેજલાણી

ગોંડલઃ મુ.મોવિયા હાલ ગોંડલ મોઇઝભાઇ મહમદઅલી વેજલાણી તે હાજી મનસુરભાઇ, હાતીમભાઇ, ફરીદાબહેનના ભાઇ ગોંડલમાં વફાત થયા છે. જીયારત અને ચેહલુમના ફાતેહા ગુરૂવાર તા.ર૩ ના રોજ નવી મસ્જીદમાં ૧૧-૩૦ કલાકે ગુંદાળા શેરી ગોંડલ રાખેલ છે

દુધીબેન રાદડીયા

ગોંડલઃ દુધીબેન લાલજીભાઇ રાદડીયા (ઉ.૯પ) તે સ્વ.લાલજીભાઇ રાદડીયાના ધર્મપત્ની તે છગનભાઇ, મગનભાઇ, ચંદુભાઇ, હરસુખભાઇ, ધીરૂભાઇ, બટુકભાઇ, જયેશભાઇના માતુશ્રીનું તા.ર૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જવાહર સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ ગોંડલ રાખેલ છે.

લાભુબેન પાનસુરીયા

ગોંડલઃ લાભુબેન બાવાલાલ પાનસુરિયા (ઉ.૭૮) તે બાવાલાલ ભુરાભાઇ પાનસુરીયાના ધર્મ પત્ની તેઅશોકભાઇના માતુશ્રી કેશુભાઇ (કેશુમામા)ના ભાભી પ્રવિણભાઇના ભાભુ, વરૂણ, પાર્થ, તથા દીપમાં દાદીનું તા.ર૧ ના રોજ અવસાન પમોલ છે. બેસણું તા. ર૩ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ પટેલ વાડી જેલ ચોક ગોંડલ મુકામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ પઢીયાર

ગોંડલઃ રાજેન્દ્રભાઇ રામજીભાઇ પઢીયાર (ઉ.પ૭) તે ભુપતભાઇ, પ્રવિણભાઇના નાનાભાઇ ગૌરવભાઇના પિતાશ્રી તથા મુકેશભાઇ પ્રિતેશભાઇના કાકા અર્પિત, માનસના દાદાનું તા.ર૦ ને સોમવારે અવસાન થયું છે. બેસણું  તા.ર૩ નેગુરૂવારે સાંજે ૪ થી ૬ અમારા નિવાસસ્થાને પુનિતનગર શેરી નં.-૬ જેતપુર રોડ ગોંડલ રાખેલ છે.

હરસુખલાલ પંડયા

જામનગર : ઔ.ખ.સ.બ્રા.ખરેડી નિવાસી હરસુખલાલ જગજીવનભાઇ પંડયા (ગુરૂજી) (ઉ.૭૩) તે રમણીકલાલ જગજીવન પંડયાના નાનાભાઇ, ગૌત્તમભાઇ, પ્રશાંતભાઇ (એડવોકેટ) ડો. તુષારભાઇના પિતાશ્રી માર્કડ, શિવાની, આદિત્યના દાદા તેમજ અરૂણભાઇ નવલશંકર ઠાકર (જામનગર) ના બનેવીનું તા.ર૧ ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.ર૩ ના રોજ ૩ થી પ કલાકે નિવાસસ્થાને રાખેલ છે.

રમણીકલાલ બુદ્ધ

જુનાગઢઃ મારૂ કંસારા રમણીકલાલ ચુનીલાલ બુદ્ધ (ઉ.૯૦) તે સ્વ. ચુનીલાલ ધરમશી બુદ્ધના પુત્ર અને દિનેશભાઇ બુદ્ધ (પત્રકાર) ના પિતાશ્રી તા.ર૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે ઉઠમણું તા.ર૩ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧ સિદ્ધનાથ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ચંદુલાલ માણેક

રાજકોટ : સ્વ. ચંદુલાલ પ્રાગજીભાઇ માણેક (ઉ.વ.૭૮) તે સ્વ. સુરેશભાઇ, સ્વ. નંદકિશોરભાઇનાં મોટાભાઇ તેમજ નયનભાઇ, કમલભાઇ, નિતીબેન તથા જયદિપભાઇનાં પિતાશ્રી તેમજ સ્વ. વશરામભાઇ ઠાકરશીભાઇ રાચ્છ (થાનગઢ)ના જમાઇ તા.૨૧ને મંગળવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૩ને ગુરૂવાર સાંજે ૪:૩૦ કલાકે ૨૪-કેરેટ એપાર્ટમેન્ટ, એલન ઇન્સ્ટીટયુટ વાળી શેરીમાં, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશ્રીબેન ગોસલીયા

રાજકોટ : મોરબી નિવાસી રાજેશ્રીબેન ભોગીલાલ ગોસલીયા (ઉ.વ.૬૪) તે કૃતિકાબેન શાહના માતા તેમજ શાહ આકાશ પ્રકાશચંદ્ર ઘડીયાળીના સાસુનું તા. ૨૦ના રોજ અવસાન થયું છે સદગતની પ્રાર્થનાસભા તા. ૨૩ને ગુરૂવારે સવારે ૧૦થી ૧૧ કલાકે શુભ ટાવર, સરદાર બાગ પાછળ, કાયાજી પ્લોટ શેરી ૫ મોરબી ખાતે રાખેલ છે.

ભવાનભાઇ રાઠોડ

રાજકોટઃમ.સ.સુ.-દરજી વનાળિયાવાળા(હાલ રાજકોટ) ભવાનભાઇ (ભાઇલાલભાઇ) વનમાળીભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) તે સ્વ.ભનુભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇ તથા ભાવિક તથા મિતલના પિતાશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૩ને ગુરૂવાર સાંજે ૪ થી ૫ કલાકે ગાંધીનગર- ગાંધીગ્રામ, માવતર ચોક, સવેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

અમિતભાઇ ગેડીયા

રાજકોટ : સ્વ. સોની સુર્યકાન્તભાઇ દેવચંદભાઇ ગેડીયાના પુત્ર અમિતભાઇ (ઉ.વ.૪૦) તે શ્રી પીયુષભાઇ, અલ્પાબેન તથા પુનમબેનના ભાઇ તેમજ સ્વ.  રમેશભાઇ સુરેશભાઇ ભરતભાઇ મદાણીના ભાણેજનું તા. ૨૧ના મંગળવારે અવસાન થયેલ છે. બને પક્ષોની સાદડી/ બેસણું તા. ૨૩ને ગુરૂવારના સાંજે ૪ થી ૫:૩૦ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ  પાસે રાજકોટ ખાતે રાખેલ છે.મો નં. ૯૮૨૪૫ ૩૭૦૩૯

નરોતમભાઇ મશરૂ

રાજકોટ : સ્વ. નરોતમભાઇ ગોવીન્દજીભાઇ મશરૂ (ઉ.વ.૭૦) એ મશરૂ એન્ડ કંપની વાળા તે હરજીવનભાઇ તથા અતુલભાઇના ભાઇશ્રી તથા સ્વ. અનિરૂધ તથા વિશ્વજીત તથા કેતકીબેન મનીશકુકમાર માણેકના પિતાશ્રી તથા સ્વ. મનજીભાઇ જેઠાલાલ ચોટાઇના જમાઇનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

જગમોહનભાઇ વખારીયા

રાજકોટ : દશા સોરઠીયા વૈશ્વનવ વણિક, શ્રી જગમોહનભાઇ ગીરધરભાઇ વખારીયા (ઉ.વ.૯૪)  તે સ્વ. ગીરધરભાઇ ત્રિકમજી વખારીયા (વાંકાનેર નિવાસી)ના સુપુત્ર તેમજ સ્વ.શ્રી જયંતિભાઇ તેમજ સ્વ.શ્રી  શૈલેષભાઇ વખારીયાનાં અને ભાઇ શ્રી દિપક, આષુતોષને પ્રેમના પિતાશ્રી, તેમજ નિરંજનાબેન વખારીયાનાં પતિનું આજરોજ તા.૨૧ મંગળવારનાં વહેલી સવારે અવસાન થયેલ છે. લૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જયંતિલાલ જાની

રાજકોટ : ઊમરાળા નિવાસી હાલ રાજકોટ શ્રી ગૌડ સાતોડીયા મેડતવાડ બ્રાહમલા સ્વ. જંયતિલાલ પરસોતમ જાની (ઉ.વ.૮૦) જે સ્વ. અમૃતલાલ, સ્વ. નટુભાઇ, જમનાશંકર, લાભશંકરભાઇ તથા જેઠાલાલ ઉમિયાશંકર દિક્ષીતના જમાઇ તથા હરકાંન્તભાઇ, સ્વ. બંસીભાઇ, રમેશભાઇ, યશવંતભાઇના બનેવી તથા સ્વ. જયેશભાઇ, રાજેશભાઇના પિતાશ્રી સ્વ. ધારાબેન, સ્વ. કિશનભાઇ, દિવ્યા, પ્રિયાંશના દાદાનું તા. ૨૦ના કૈલાશગમન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ નિલકંઠ મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, ગીત ગુર્જરી મેઇનરોડ ખાતે બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

 કેશુભાઇ અમરેલીયા

રાજકોટ : મુળ સુર્યપ્રતાપગઢ (અનિડા) હાલ રાજકોટ વાણંદ સ્વ. કેશુભાઇ છગનભાઇ અમરેલીયા (ઉ.વ.૭૭) તે દિલીપભાઇ અમરેલીયાના પિતા તથા સ્વ. ડાયાભાઇ, વિનુભાઇ સ્વ. બાબુભાઇ અમરેલીયાના ભાઇનું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમજ બેસણું તા. ૨૩ ગુરૂવારના રોજ લક્ષ્મીનગર શેરી.નં.૨, વાણંદ સમાજની વાડી એ બપોરે ૩ થી ૫ રાખેલ છે.

ભાનુબેન જાની

 રાજકોટ :  ઔદિચ્ય ઘેલારામજી મહારાજ જ્ઞાતીના સ્વ. મુળશંકરભાઇ નાથાલાલ જાનીના ધર્મપત્ની ભાનુબેન (ઉ.વ.૮૩), તે નિલમબેન, ચંદ્રકાંતભાઇ જોષી (મોટા દેવળીયા), અરૂણભાઇ (કેબલવાળા), પંકજભાઇ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.)ના માતુશ્રીનું તા. ૧૯ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૩ને ગુરૂવારે બપોરે ૪ થી ૬, ઘેલારામજી મહારાજની વાડી, જયંત કે.જી. મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિક્રમભાઈ વસા

રાજકોટઃ શ્રી સોરઠ વીસા શ્રીમાળી જૈન જેતપુર નિવાસી હાલ રાજકોટ જેઠાલાલ હીરાચંદ વસાના પુત્ર વિક્રમભાઈ (ઉ.વ.૬૬) જે પારૂલબેનના પતિ, નીરવ તથા શીખા આકાશકુમાર કોઠારીના પિતાશ્રી પુનમભાઈ, તથા સ્વ.વિમલભાઈ, ઉષાબેન હેમેન્દ્ર દોશી તથા ભારતીબેન શૈલશ દલાલના મોટાભાઈ, દામનગર નિવાસી, સ્વ.ગુણવંતરાય ત્રંબકલાલ અજમેરાના જમાઈ તા.૨૦ના રોજ અરીહંત શરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે જાગનાથ પ્લોટ ઉપાશ્રય અને ૧૧ કલાકે પ્રાર્થનાસભા જૈનભુવન, સર્વેશ્વર ચોક, ૨૧, જાગનાથ પ્લોટ ખાતે તેમજ જેતપુર ખાતે  પ્રાર્થનાસભા તા.૨૪ને શુક્રવારે સવારે ૧૧ કલાકે જૈન દેરાસર ઉપાશ્રય ખાતે રાખેલ છે.

અશોકભાઇ સોરઠીયા

જસદણઃ પ્રજાપતિ અશોકભાઇ કાનજીભાઇ સોરઠીયા, તે ધનજીભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ અને મહેન્દ્રભાઇના ભાઇ તથા અમિતભાઇ અને અંકિતભાઇના પિતાશ્રીનું તા.૨૧ના અવસાન થયું છે બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વડલાવાડી, પટેલવાડી, પાણીના ટાંકાની સામે, આટકોટ રોડ, જસદણ ખાત રાખેલ છે.

ઇન્દીરાબેન  ગજ્જર

રાજકોટ : સ્વ. રતીભાઇ હંસરાજભાઇ ગજ્જર (વાલંભીયા) સેન્ટ્રલ એન્જી. વર્કસવાળાના પત્ની ઇન્દીરાબેન રતીભાઇ ગજ્જર (ઉ.૮૧) તે રજનીભાઇ, પ્રદીપભાઇ, ચંદ્રેશભાઇ તથા સાનીલભાઇના માતુશ્રીનું તા. ર૧ ને મંગળવારના અવસાન થયેલ છે.  અંતિમયાત્રા આજે તા. રર ને બુધવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન ગેલેકસી એપાર્ટમેન્ટ, રેસકોર્સ રોડ, રાજકોટથી નીકળી હતી. સદગતનું બેસણુ  તા. ર૩ ને ગુરૂવારે  સાંજે ૪ થી પ.૩૦ કલાકે પારસ સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન જાની

રાજકોટઃ સાતોદડ મેતડવાડ શ્રી ગોૈડ બ્રાહ્મણ ગં.સ્વ. ચંપાબેન કલ્યાણજીભાઇ જાની (ઉ.૯૫) તે સ્વ. કલ્યાણજીભાઇ નાગજીભાઇ જાનીના પત્નિ, કિશોરચંદ્ર (પા.પૂ. બોર્ડ), શાસ્ત્રી પુષ્કરરાય (સંતોષાનંદ પાઠશાળા), યોગેશભાઇ (ટાઉન પ્લાનિંગ), ઇન્દુમતિબેન જોષી, રંજનબેન જોષીના માતુશ્રી અને સંદિપભાઇ, અમિતભાઇ, આશિતભાઇ, હાર્દિકભાઇ, મોૈલિકભાઇ તથા નિપાબેનના દાદીમાનું તા. ૨૦/૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૩ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટિવ સ્કૂલ સામે યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.

બુધીલાલ છાંટબાર

રાજકોટ : મુળ જેતપુર, હાલ રાજકોટ નિવાસી બ્રહ્મક્ષત્રિય સમાજના બુધિલાલ નાનજીભાઇ છાટબાર (ઉ.વ.૯૫) તે રાજુભાઇ, કમલેશભાઇ તથા ઉષાબેન વિજયકુમાર દુબલ (મોરબી) ના પિતાશ્રી તા. ૨૨ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે, પેડક રોડ, શીતળા માતાજીના મંદિર, પટેલ વાડી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

જયદેવભાઈ ઠાકર

રાજકોટઃ જયદેવભાઈ નાનાલાલ ઠાકર તે લતાબેનના પતિ, તેમજ શૈલેષભાઈના પિતાશ્રી તથા દિવ્યાબેનના સસરાનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના સાંજે ૪ થી ૬ સુધી ,૧૦૪- ઉત્સવ એપાર્ટમેન્ટ, સોમનાથ-૨, શેરીનં.૬, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જગમોહનભાઈ વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વૈશ્નવ વણિક, જગમોહનભાઈ ગીરધરભાઈ વખારીયા (ઉ.વ.૯૪) ઈન્કમ ટેક્ષ પ્રેકશીનર, તે સ્વ.ગીરધરભાઈ ત્રીકમજી વખારીયા (વાંકાનેર નિવાસી, હાલ રાજકોટ)ના પુત્ર તેમજ નિરંજના જ.વખારીયાનાં પતિ અને દિપક (બેંગ્લોર), આશુતોષ (યુએસએ)ને પ્રેમના પિતાશ્રી અને રાજુભાઈ ધ્રુવના ફુઆનું તા.૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

પ્રવિણચંદ્ર શાહ

રાજકોટઃ રાણપુર નિવાસી હાલ રાજકોટ  પ્રવિણચંદ્ર હરગોવિંદદાસ શાહ (ઉ.વ.૮૭)  તે શ્રી પાર્થ સ્ટીલ વાળા વિપુલભાઈ શાહ તથા દિપીકાબેન શૈલેષભાઈ શાહ તથા વર્ષાબેન શનતભાઈ મહેતા તથા રૂપાબેન પંકજભાઈ વસાણીના પિતાશ્રી તથા પાર્થ વિપુલભાઈ શાહના દાદા તા.૨૨ના અરીહંતશરણ પામેલ છે. જેમનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.૨૩ના સવારે ૧૦ વાગ્યે શ્રી દિગંબર જૈન મંદીર પંચનાથ પ્લોટ, શાસ્ત્રીમેદાન સામે રાખેલ છે.

જયશ્રીબેન વરસડા

રાજકોટઃ વાણંદ જયશ્રીબેન જેન્તીભાઈ વરસડા (ઉ.વ.૫૫) તે જેન્તીભાઈના ધર્મપત્ની તેમજ ચેતનભાઈ તથા રોહીતભાઈના માતુશ્રી તેમજ લીલાધરભાઈ મગનભાઈ શિશાંગીયાના બહેન તા.૨૦ના રોજ રામચરણ પામેલ છે. જેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ બાબરીયા મેઈન રોડ પી.પટેલ પાનની સામે નંદા હોલ પાછળ રાખેલ છે.(મો.૮૩૪૭૬ ૩૯૭૯૬)

શામજીભાઈ નડીયાપરા

રાજકોટઃ શામજીભાઈ મેઘજીભાઈ નડીયાપરા (મુળ ગામ- નાના ખીજડીયા, હાલ- અમદાવાદ નિવાસી) તા.૨૦ને સોમવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારે બપોરે ૩ થી ૫ કલાકે વરીયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, બજરંગવાડી શેરી નં.૧૨, રાજકોટ- જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઈ પરમાર

રાજકોટઃ લુહાર કિશોરભાઈ ધરમશીભાઈ પરમાર (ઉ.વ.૬૨) તા.૨૦ના રોજ અવસાન પામ્યા છે. તે આનંદભાઈ તથા તેજસભાઈના પિતાશ્રી તથા સ્વ.ધીરૂભાઈ તથા વિનુભાઈના નાનાભાઈ તથા અશોકભાઈ જગજીવનભાઈ સિધ્ધપુરાના બનેવીનું બેસણું તેમના નિવાસસ્થાને  ઈ-૩૦૨, માધવ વાટીકા એપાર્ટમેન્ટ, જીનામ એપાર્ટમેન્ટ પાસે જામનગર મોરબી બાયપાસ રોડ, બ્રિજ પાસે, માધાપર ચોકડી રાજકોટ ખાતે તા.૨૩ને ગુરૂવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે.

મહેશભાઈ પરમાર

રાજકોટઃ સ્વ.લુહાર વેલજીભાઈ ભુરાભાઈ પરમારના દિકરા ભીખુભાઈ વેલજીભાઈ પરમારના પુત્ર મહેશભાઈ (ઉ.વ.૩૧) તા.૨૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન ન્યુ રાધેશ્યામ સોસા. શેરી નં-૧, કોઠારીયા રોડ, બ્રાહ્મણી હોલવાળી શેરી, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

યોગેશભાઈ ગાંધી

રાજકોટઃ મોઢવણીક માંડલીયા પાવી- જેતપુર વાળા (હાલ રાજકોટ) સ્વ.જયંતિલાલ નરભેરામ ગાંધીના પુત્ર યોગેશભાઈ ગાંધી (ઉ.વ.૪૩) તે વિપુલભાઈ ગાંધી, સંજયભાઈ ગાંધી તથા શિતલબેન મહુવા વાળાના નાનાભાઈ તે રમેશભાઈ ચુનિલાલ પટેલ (ભાડલાવાળા)ના ભાણેજનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, મોઢવણિક વિદ્યાર્થી ભુવન, ૫- રજપુતપરા રાજકોટ ખાતે રાખેલ છે.