Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020
જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.સંદિપ ઝાલાનું ૬૩ વર્ષની વયે દુઃખદ અવસાન : શસ્ત્રક્રિયા વગર ઉપચાર માટે

અમદાવાદ : રેડીયોલોજી ક્ષેત્રે રિસર્ચ અને અનેક પ્રકારની બિમારીમાં શસ્ત્રક્રિયા વગર ઉપચાર માટે જાણીતા ડો.સંદીપ ઝાલા (ઉ.વ.૬૩)નું એપોલો હોસ્પિટલમાં કોરોના ન્યુમોનિયાની સારવાર દરમિયાન દુઃખદ નિધન થયુ છે. તેઓ તેમની પાછળ પત્નિ નીરાબેન ઝાલાને વિલાપ કરતાં મૂકી ગયા છે.

ડો.ઝાલાએ ૧૯૭૯થી ૧૯૮૪ દરમિયાન મુંબઈની ગ્રાન્ટ કોલેજમાં રેડીયોલોજીનો અભ્યાસ કર્યો હતો. ઈન્ટરવેશનલ રેડીયોલોજીના નિષ્ણાંત ડો. ઝાલા અમેરીકાની રીસર્ચ અને ઈમેજીંગ સ્ટડીઝ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.હેમંત પટેલે શોકની લાગણી વ્યકત કરતાં જણાવ્યુ કે તેમના રેડીયોલોજીના ફિલ્ડમાં કરેલા કામો દ્વારા આવનારી પેઢીઓ માટે દિવાદાંડી સમાન બની રહેશે.

ભાયાવદરનાં અતુલભાઇ ભટ્ટનું અવસાનઃ ગુરૂવારે સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ વિસનગરા નાગર બ્રાહ્મણ મુળ ગામ ભાયાવદર હાલ રાજકોટ અતુલભાઇ ભટ્ટ (ઉ.વ. પ૬) તે પ્રમોદભાઇ ભટ્ટના પુત્ર તથા અંજનાબેનના પતિ તેમજ હરિશભાઇ, હિતેશભાઇ અને અલ્કાબેન પંડિતના મોટાભાઇ તથા અંકિત અને ધરીતના પિતાશ્રી તથા વિધ્યાબેન અને ધર્મના બાપુજી તથા સંજયકુમાર એમ. પંડિતનાં જમાઇનું તા. ર૦ના રોજ અવસાન થયેલ છે.

ટેલીફોનીક બેસણું તા. ર૪ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ હરીશભાઇ પી. ભટ્ટ (મો. ૬૩પપ૩ ૮૦૧૬૦) હિતેશભાઇ પી. ભટ્ટ (મો. ૬૩પપ૩ ૪ર૦૪પ) અંકિત અતુલભાઇ ભટ્ટ (મો. ૯૭૩૭૬ ૩૦૩૭૬)

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારી જીતેન્દ્રભાઇ જાનીનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટ તા. ર૧: ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. વસંતરાય લાભશંકર જાનીના પુત્ર જીતેન્દ્રભાઇ વસંતરાય જાની (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-જામનગર) તે દિપકભાઇ, હરેશભાઇ તથા નીરૂબેન અરૂણભાઇ જોશી, ભાવનાબેન કિશોરભાઇ મિશ્રાના ભાઇ ત્થા પ્રતિક અને તન્વીના કાકા તે સ્વ. બળવંતરાય ત્રિવેદી (જામનગર) ના જમાઇનું અવસાન તા. ર૦ ને રવિવારે થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૪ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિપકભાઇ જાની-૯૯૧૩૧ ૩૪૦૧પ, હરેશભાઇ જાની-૯૯૦૯૧ ૩૭૧ર૮, અરૂણભાઇ જોશી-૯૪ર૮૮ ૯રર૦પ, કિશોરભાઇ મિશ્રા-૯૪૦૮૦ રપ૧૯પ

અવસાન નોંધ

ગીરીશ ભીમાણી

રાજકોટ : મુળ બાબરાના હાલ રાજકોટ નિવાસી ગિરીશકુમાર જયંતિલાલ ભીમાણી તે જયંતિલાલ પાનાચંદ મોદીના પુત્ર, પ્રેમચંદ નાગરદાસ દાણી(ખોપાળાવાળા)ના જમાઇ, યતિન ભીમાણી (લંડન)ના પિતા તથા કિશોરભાઇ મોદી તથા હરેશભાઇ મોદીનાભાઇ તા.ર૧ના અરિહંતશરણ પામેલ છે.

ભરતભાઇ સુરાણીયા

રાજકોટઃ ભરતભાઇ હેમરાજભાઇ સુરાણીયા (ઉ.વ.૫૭) તે હેમરાજભાઇ ખેતશીના પુત્ર ઝવેરીલાલ મોતીલાલ સાગરના જમાઇ વનિતાબેનના પતિ,  કિશનભાઇના પપ્પા, સ્વ. નીતાબેન , રાજુભાઇ, અનીલભાઇ, રાજેશ્રીબેન, હિનાબેનના મોટાભાઇ, જસ્મીનભાઇ તથા જયદીપભાઇના સાળા તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છેે.  લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમેશભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર રમેશભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા (શ્રી રામેશ્વર મોટર્સ, રાજકોટ) (ઉ.વ.૫૪) તે હિરેનભાઈના પિતા તથા નલીનભાઈ, બકુલભાઈના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવાર બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે. હિરેનભાઈ રમેશભાઈ સિધ્ધપુરા (પુત્ર) મો.૯૮૨૫૨ ૧૭૧૯૫, નલીનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા (ભાઈ) મો.૯૯૭૮૯ ૧૭૧૯૫, બકુલભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા (ભાઈ) મો.૯૮૨૪૫ ૧૭૧૯૫, વિમલભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા (સસરા  પક્ષ) મો.૯૮૭૯૮ ૩૬૭૪૭

ઉર્મિલાબેન રાણપરીયા

રાજકોટઃ હીરાભાઈ ભુટાભાઈ રાણપરીયાના ધર્મપત્નિ ઉર્મિલાબેન હીરાભાઈ રાણપરીયા તે દિનેશભાઈના માતુશ્રી રીતેશના દાદીનું તા.૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૭૨ ૨૩૦૦૪, રિતેશ મો.૯૯૨૪૭ ૭૯૭૯૦

કાન્તાબેન પાટડીયા

રાજકોટઃ પડધરીવાળા સ્વ.સોની ગીરધરલાલ મણીલાલ પાટડીયાના ધર્મપત્નિ ગં.સ્વ.કાન્તાબેન ગિરધરલાલ પાટડીયા (ઉ.વ.૮૨) તે મનસુખલાલના ભાભી, દિલીપભાઈ, મધુબેન, સરોજબેન તથા રમાબેનના માતુશ્રી, કૃણાલ તથા રાધિકા ભૌમિકકુમાર આડેસરાના દાદીમા, સ્વ.હરજીવનદાસ કાલીદાસ રાણપરા (ખાખરેચીવાળા)ના દિકરી તા.૨૦ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્નેપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવારે સવારે ૧૦ :૩૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દિલીપભાઈ મો.૯૮૨૪૮ ૪૪૯૪૮, હિમંતભાઈ મો.૮૯૮૦૭ ૧૨૮૯૦

વનિતાબેન પોબારૂ

રાજકોટઃ માધાપર નિવાસી સ્વ.ખોડીદાસ વશરામભાઈ પોબારૂના પત્ની વનીતાબેન ખોડીદાસ પોબારૂ (ઉ.વ.૮૯) તે ભરતભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.દિપકભાઈ, સ્વ.વિપુલભાઈ તથા બકુલભાઈના માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. બકુલભાઈ મો.૯૮૨૪૮ ૮૦૧૮૪, ભરતભાઈ મો.૯૮૨૪૫ ૮૯૬૦૭

પુષ્પાબેન કારીયા

રાજકોટઃ સાવરકુંડલાવાળા હાલ રાજકોટ પુષ્પાબેન ભાયાલાલભાઇ કારીયા તે હિતેષભાઇ, સ્વ. નરેશભાઇ, પરાગભાઇ, હીનાબેન અને ઉષાબેનના માતુશ્રી તથા સ્વ. કાંતિભાઇ, જગદીશભાઇ અને નવીનભાઇ મસરાણીના બહેન તા. ૨૦/૧૨ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૯૪૨૮૬ ૧૯૩૪૪, ૯૮૨૪૦ ૪૦૫૪૪, ૬૩૫૨૪ ૭૬૩૧૫) આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગિરીશકુમાર ભીમાણી

રાજકોટ : મુળ બાબરાના હાલ રાજકોટ નિવાસી ગિરીશકુમાર જયંતિલાલ ભીમાણી તે જયંતિલાલ પાનાચંદ મોદિના પુત્ર, પ્રેમચંદ નાગરદાસ દાણી (ખોપાળાવાળા)ના જમાઇ, યતિન ભીમાણી (લંડન)ના પિતા તથા કિશોરભાઇ મોદી તથા હરેશભાઇ મોદીના ભાઇ તા. ૨૧ના અરિહંતશરણ પામેલ છે.

નિર્મળાબેન ઠાકર

વાંકાનેર : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના શ્રીમતી નિર્મળાબેન રવિશંકરભાઇ ઠાકર (ઉમર વર્ષ ૮૧) તે રવિશંકરભાઇ મોહનભાઇ ઠાકરના ધર્મપત્ની તથા ધનંજયભાઇ, દીપકભાઇ (દીપક ટ્રાન્સપોર્ટ) તથા ધર્મેન્દ્રભાઇના માતૃશ્રી તથા અમિતભાઇ, દુષ્યંતભાઇ, મયુરભાઇ (શિવમંડપ સર્વિસ) તથા યશના દાદીમાંનું તારીખ ૧૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તારીખ ૨૧ને સોમવારે ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટીયા સોસાયટી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અશ્વીનભાઈ ભટ્ટ

મોરબીઃ અશ્વિનભાઈ ભટ્ટ (ઉ.વ.૬૬) તે સ્વ.જેઠાલાલ પી.ભટ્ટના પુત્ર તથા શૈલેષભાઈ ભટ્ટ, મિતાબેન દવે, દક્ષાબેન દવે, કિરણબેન પંડિત, પ્રીતિબેન ભટ્ટના મોટાભાઈ તેમજ પત્રકાર હાર્દિકભાઈ ભટ્ટ (અમદાવાદ ટીવી-૯), નિધિબેન હરનીસકુમાર વોરાના પિતાનું તા.૨૦ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ના રોજ મંગળવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન રાખેલ છે.

વિઠ્ઠલભાઈ ભાયાણી

જામનગરઃ સ્વ.પીતાંબરભાઈ લીલાધરભાઈ ભાયાણીનાં પુત્ર વિઠ્ઠલદાસ પીતાંબરભાઈ ભાયાણી (વિશાલ બાંધણીવાળા) (ઉ.વ.૮૦) તે નિલાબેનનાં પતિ તથા સાલોનીબેન તથા નિયતીબેન નિતેશકુમાર બારદાનવાલાનાં પિતા તથા રસીકભાઈ (અમદાવાદ), જયસુખભાઈ (વિશાલ બાંધણીવાળા), મહેશભાઈ (મુંબઈ), ગં.સ્વ.કાન્તાબેન ગુલાબરાય ગાંગાણી (જામનગર), ગં.સ્વ.નીરૂબેન ઉદયકુમાર ગાંધી (બેંગ્લોર)નાં ભાઈ તથા ઓધવજીભાઈ પંચમતીયા નાગપુરનાં જમાઈનું તા.૨૦મીએ નાગપુરમાં અવસાન થયેલ છે. વોટસએપ બેસણું હેમતભાઈ ભાયાણી (ધરમ સન્સ- જામનગર, રાજકોટ, મોરબી) મો.૯૯૨૫૧ ૭૦૧૬૦, રસીકભાઈ ભાયાણી (અમદાવાદ) મો.૯૭૩૭૪ ૮૭૮૭૭, જયસુખભાઈ ભાયાણી (વિશાલ બાંધણીવાળા જામનગર) મો.૯૪૨૯૮ ૦૫૭૪૮, મહેશભાઈ ભાયાણી (મુંબઈ) મો.૯૩૨૪૬ ૫૮૭૧૦, રાજુભાઈ ભાયાણી (ભાયાણી બધર્સ- જામનગર) મો.૯૪૨૯૮ ૦૪૬૦૦, નિયતીબેન નિતેશકુમાર બારદાનવાલા (જામનગર) મો.૯૪૨૮૪ ૨૨૧૨૦

રમણીકસિંહ ચુડાસમા

ગોંડલઃ મૂળ કેશવાળા હાલ ગોંડલ નિવાસી રમણીકસિંહ લખુભા ચુડાસમા (માજી સરપંચ) તે વામનસિંહ તથા પરાક્રમસિંહના પિતા, પ્રતીકસિંહ, ધર્મરાજસિંહ, પ્રણવસિંહના દાદાનું તા.૧૮ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ ગુરૂવારના રાખેલ છે. મો.૯૮૯૮૧ ૯૧૮૭૭, મો.૯૯૨૫૦ ૨૯૬૨૩, મો.૯૧૦૬૧ ૪૧૧૦૬

નગીનભાઇ દોશી

રાજકોટઃ દોશી બ્રધર્ર્સવાળા કે જે ધારશી શામજી દોશી પરિવારના સ્વર્ગસ્થ હેમતરામ શામજી દોશીના પુત્ર નગીનભાઇ દોશી (ઉ.વ.૯૦) કે જેઓ સ્વ. હસમુખભાઇ, સ્વ. દોલતભાઇઘ સ્વ. મહેન્દ્રભાઇ, ભાનુબેન શેઠ, સ્વ. જશવંતીબેન ભોડીયા અને સ્વ. ઇન્દુબેન મહેતાના ભાઇ તથા દિલીપભાઇ, વિજયભાઇ અને સંજયભાઇના પિતાશ્રી તથા ચોટીલાવાળા સ્વ. ભનુલાલ ખીમચંદ શાહના જમાઇ તથા મેહુલ, સ્વ. સિધ્ધાર્થ, જીજ્ઞેશ, મિલન અને ભવ્યના દાદાનું આજ રોજ તા.૨૦ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. જેનુ ટેલીફોનીક બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગોકળભાઇ ઉમરાડીયા

રાજકોટઃ ગુર્જર સુથાર ગોકળભાઇ પરસોતમભાઇ ઉમરાડીયા કોયલીવાળા હાલ રાજકોટ તે બટુકભાઇ રમેશભાઇ તથા ઘનાભાઇના ભાઇ તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. તા.૨૧ સોમવારે હાલની પરિસ્થીતી ધ્યાનમાં રાખીને ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૪૨૮૮ ૯૦૨૯૫, ૯૮૨૪૫ ૨૩૧૪૩

 વિજયભાઇ જોષી

રાજકોટઃ મનહરપ્લોટ વેપારીમંડળના પ્રમુખશ્રી વિજયભાઇ હિમતલાલ જોષી ગોંડલ નિવાસી હાલ રાજકોટ (ઉ.વ.૫૭) ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ તે બિંદુબેન જોષીના પતિશ્રી ત્થા પ્રતાપભાઇના નાનાભાઇ, રાજેશ્વરીબેન ભંડારી, નયનાબેન જોષી, ગીતાબેન પંડયા તથા સોનલબેન ઠાકરભાઇના તેમજ દિશાબેન વિશાલકુમાર ભારદીયાના પિતાશ્રી તથા વિશાલકુમારના સસરાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. પ્રતાપભાઇ   જોષી (મોટાભાઇ) ૯૮૭૯૫ ૨૧૧૨૧, વિશાલકુમાર (જમાઇ) ૯૯૦૪૭૭૭૭૨૫, દિશાબેન (દિકરી)૯૭૨૩૯ ૦૦૦૦૨

દિનેશચંદ્ર પુજારા

રાજકોટઃ નિવાસી શ્રી દિનેશચંદ્ર (કિશોરભાઇ) પ્રતાપરાય પુજારા તે શ્રી ગીરીશચંદ્ર પ્રતાપરાય પુજારા (અમેરીકા) ઉર્વશીબેન સવજાણી, ઉમાબેન મજીઠીયા, હિનાબેન બોદાણી, શુભ્રાબેન પાઉ, શોભનાબેન સેદાણીના ભાઇ તેમજ વિશાલ (ઘનશ્યામ સ્ટેશનર્સ) વિપુલ (નિતિન સ્ટેશનર્સ) ના પિતાશ્રી નિલ્પા તથા પુનમના સસરા, શ્રૃતિ, જીનીશના દાદાનું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું આજે  સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિશાલ ૯૮૨૪૫ ૬૮૨૨૨, વિપુલ ૯૪૨૭૭ ૬૯૬૩૫, નિલ્પા ૯૪૨૬૪ ૪૪૨૨૬, પુનમ ૯૫૩૭૮૬૭૧૧૮

મનોજભાઇ સોલંકી

રાજકોટઃ ઝાલાવાડી દરજી સમાજના મનોજભાઇ મગનભાઇ સોલંકી (ધંધુકીયા) તેઓ ધર્મેશભાઇ સોલંકી (નોકરી સચીવાલય ગાંધીનગર) ના પિતાશ્રી તથા જયાબેન સોલંકી (રીટા. મેટર્ન સિવીલ હોસ્પિટલ, રાજકોટ)ના પતિ તેમજ જે.વી. ગોહેલ (રીટા. વહીવટી અધિકારી, ટા.પ્લા.ના બનેવી થાય) અને અમદાવાદ સ્થીત મંગળદાસ તથા દિલીપભાઇ મગનલાલ ધંધુકીયાના મોટાભાઇનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાની મહામારીના કારણને લઇને સ્વ.નો લૌકીક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે અને ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. ધર્મેશભાઇ મો.૮૭૮૦૯ ૯૨૨૪૨, ૯૦૩૩૬ ૬૭૬૭૯, જે.વી.ગોહેલ મો.૮૮૪૯૨ ૫૨૦૦૪, ૯૪૨૮૨ ૫૮૦૪૨, મંગળદાસ મો.૯૨૨૮૨ ૧૪૦૨૮, દિલીપભાઇ ૯૮૯૮૧ ૯૪૬૭૮

અમુભાઈ સોલંકી

રાજકોટઃ નવાગામ (આણંદપર) મચ્છુ કઠિયા સઈ સુતાર અમુભાઈ રવજીભાઈ સોલંકી (ખેરડીવાળા ઉ.વ.૭૦), સ્વ.રવજીભાઈ લાઘાભાઈ સોલંકીના પુત્ર, સ્વ.દુર્લભજીભાઈ તથા કાંતિભાઈ, પ્રવીણભાઈના ભાઈ તેમજ માધુરીબેન પ્રફુલકુમાર જૈસુર (કારંજા), સુમીતાબેન કિરણકુમાર પરમાર (વિદ્યાનગર), વીણાબેન સમીરકુમાર કુબાવત તથા કેતનભાઈના પિતાશ્રી, મનોજભાઈ હરજીવનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ હરજીવનભાઈ ચૌહાણના બનેવીનું તા.૧૯ને શનિવારના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડીમ તા.૨૧ સોમવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે. કેતનભાઈ મો.૯૮૭૯૩ ૦૬૧૯૯, કાંતિભાઈ મો.૯૪ં૦૯૭ ૧૬૩૪૯, પ્રવીણભાઈ મો.૯૯૨૫૫ ૨૮૪૦૫, મનોજભાઈ મો.૯૮૨૫૨ ૧૪૮૯૫, શૈલેષભાઈ મો.૯૯૨૫૨ ૫૫૫૫૧

કલ્પેશભાઈ બાવીશી

રાજકોટઃ સ્થાનકવાસી જૈન વણીક સ્વ.પ્રભુલાલ અંબાવીદાસ બાવીશીના  પુત્ર કલ્પેશભાઈ પ્રભુલાલ બાવીશી (ઉ.વ.૫૮) તે પદમીનીબેન (મીતુબેન)ના પતિ તથા  પ્રતિકકુમાર અને કાજલબેનના પિતા અને દિવ્યાબેનના સસરા તેમજ બીપીનભાઈ, દિલીપભાઈ, ચેતનભાઈના ભાઈ અને નવિનચંદ્ર એસ.સંઘવીના બનેવી તા.૨૦ને રવિવારે અરીહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવારને સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. પ્રતીક મો.૯૯૨૪૨ ૦૦૭૦૭, બીપીન મો.૯૮૨૪૫ ૦૦૨૭૯, દીલીપ મો.૯૩૭૪૧ ૦૧૧૪૫, ચેતન મો.૯૮૨૪૨ ૧૩૪૦૩, નવીન મો.૯૯૦૪૦ ૦૦૬૯૪

લલીતાબેન પારેખ

રાજકોટ : મુળ ધ્રાંગધ્રા હાલ રાજકોટ નિવાસી (મોઢવણીક) સ્વ.બચુભાઇ કેશવલાલ પારેખના ધર્મપત્ની લલીતાબેન (ઉવ.૯૪) રસીકભાઇ, દીલીપભાઇ, ભરતભાઇ, આશા, અંજનાના માતૃશ્રીનું  તા. ૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ આજે તા. ૨૧ને સોમવારે સાંજે ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. મો. નં. ૯૮૯૮૫ ૭૮૯૮ં૬ તથા મો.નં. ૭૬૨૩૯ ૭૪૫૦૫, મો.નં. ૯૫૭૪૫ ૯૬૩૨૨ છે.

શશીકાંત દોશી

રાજકોટઃ મોરબી નિવાસી હાલ મુંબઈ શશીકાંત જયંતિલાલ દોશી (ઉ.વ.૭૩) તે શાંતિભાઈ જટાશંકર દોશીનાં ભત્રીજા, તે મૃદુલાબેનનાં પતિ, સમીર તથા સ્નેહાનાં પિતાશ્રી, રૂપલ તથા દર્શનનાં સસરા, અમૃતલાલ હેમચંદ શેઠનાં જમાઈ, ચંદ્રકાંતભાઈ, પુષ્પાબેન, જયોતિબેન, ગીતાબેનનાં ભાઈશ્રી, દશાંગનાં દાદા અને ધૈર્યના નાના તા.૧૯ને શનિવારે રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૧ સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સમીરભાઈ દોશી મો.૯૮૭૯૫ ૦૫૯૧૮, રૂપલ એસ.દોશી મો.૯૮૨૫૦ ૬૪૫૭૦