Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018
અવસાન નોંધ

લીનાબેન રાઠોડ

રાજકોટઃ મોટી બાણુંગાર નિવાસી હાલ અમેરિકા લીનાબેન રાઠોડ (ઉ.વ.૩૪) તે મગનલાલ દેવજીભાઈ સાપરીયા (નિવૃત એજ્યુકેશન ઈન્સ્પેકટર, જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી-જામનગર)ના પુત્રી તથા કુલદીપકુમાર શિવકુમાર રાઠોડના ધર્મપત્નિ, બીનાબેન નયનકુમાર ટાંક (રાજકોટ), વિભિષાબેન ધવલકુમાર રાઠોડ (રાજકોટ) અને નિરવભાઈના બહેનનો તા. ૧૮ને મંગળવારે અમેરિકા મુકામે અક્ષરવાસ થયો છે. સદ્ગતનું બેસણુ તા. ૨૨ને શનિવારે સવારે ૯ થી ૧૧, ડી-૧૨, જી-હીત પાર્ક, માધાપર ચોકડી પાસે, સ્વામીનારાયણ મંદિર પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચેતનભાઈ ઠાકર

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ મૂળ ગોંડલના હાલ રાજકોટ ઠાકર પરિવારના ચેતનભાઈ તનસુખભાઈ ઠાકર (ઉ.વ. ૪૭) તે ચિ. ધ્યેય ઠાકરના પિતાશ્રી તથા પારૂલબેનના પતિ તેમજ અનંતરાય ભોળાશંકર વ્યાસ (જૂનાગઢ)ના જમાઈ તથા અ.સૌ. સ્મિતાબેન રાજુભાઈ ઉપાધ્યાય ગોંડલ, અ.સૌ. શીલાબેન હિતેશભાઈ પંડયા ગાંધીનગર અને અ.સૌ. પ્રજ્ઞાબેન વિજયભાઈ પાણેરી રાજકોટના ભાઈ તેમજ અતુલભાઈ, અજયભાઈ અને પરેશભાઈ જૂનાગઢના બનેવીનું તા. ૨૦-૯-૧૮ના રોજ અવસાન થયેલ છે. સ્વ. ચેતનભાઈનું બેસણુ સોમવાર તા. ૨૪-૯-૨૦૧૮ના બપોરે ૪ થી ૬ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. ઓમ. શાંતિ..શાંતિ...

અમૃતબેન સોજીત્રા

ઉપલેટાઃ અમૃતબેન બચુભાઈ સોજીત્રા (ઉ.વ.૯૦) તે (મૌની પોલીમર્સવાળા) ચંદુભાઈ, વિજુભાઈ તથા હરસુખભાઈના માતુશ્રી તા. ૨૧ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૪ને સોમવારે ૪ થી ૫ લેઉઆ પટેલ સમાજ, શહિદ અર્જુન રોડ, ઉપલેટા મુકામે રાખેલ છે.

મંદાકિનીબેન ધોળકિયા

રાજકોટ : મંદાકિની યશવંતરાય ધોળકિયા તે રાજેશ, સાધના શિરીષ માંકડ, કૃપા રાજન મંકોડીના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૨ શનિવારે સાંજે પ થી ૬ નગર બોર્ડિંગ ખાતે રાખેલ છે.

શારદાબેન રાણા

ગોંડલ : શારદાબેન નગીનભાઇ રાણા (ઉ.વ.૬૩) તે યોગેશભાઇ, વિશાલભાઇ તથા કેતનભાઇના માતાનું તા. ૯ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૩ના રવિવાર સવારે ૯ થી ૧૧ કલાકે રૈયાણી નગર, સમર્પણ સ્કૂલ પાસે, વોરા કોટડા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખાલાલભાઇ રાજાણી

જુનાગઢઃ ભીખાલાલભાઇ કરશનદાસ રાજાણી (જામજોધપુર વાળા) તે મધુબેનના પતિ અને કાંતીલાલ રૂગનાથ વિઠલાણીના જમાઇ તેમજ નટુભાઇ, જશુભાઇ, શરદભાઇ, હરેશભાઇના બનેવી તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા.ર૧મીએ શુક્રવારે સાંજે પ થી ૬, હાટકેશ્વર મંદિર જવાહર રોડ, જુનાગઢ રાખેલ છે.

લીલાવંતીબેન ઘઘડા

ઉપલેટાઃ ઉપલેટા નિવાસી લીલાવંતીબેન પરસોતમભાઇ ઘઘડા (ઉ.વ.૯૩) તે મનસુખભાઇ (ઉપલેટા), ધીરજલાલ (ઉના), હરેશભાઇ (રાજકોટ)ના માતુશ્રી તથા નિરજના દાદીમાં તા.ર૦ ગુરૂવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. બેસણું તા.ર૧ શુક્રવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન દ્વારકાધીશ સોસાયટી, બ્લોક નં.રપ, ઉપલેટા રાખેલ છે.

નાગરદાસ મહેતા

ભાવનગરઃ નાગરદાસ લાલજીભાઇ મહેતા (ઉ.વ.૭૪) તે જીગરભાઇના પિતાજી સ્વ.પોપટલાલ લાલજીભાઇ તથા મનસુખભાઇ લાલજીભાઇ, કમુબેનના ભાઇ તેમજ રસિકભાઇ, બળવંતભાઇ અને અશોકભાઇના કાકા તથા લતાબેન જોષી, અરૂણાબેન જાની, ધર્મિષ્ઠાબેન જાનીતથા પ્રસન્નબેન પંડયાના પિતાજી તથા કંટાસર નિવાસી નરશીભાઇ, પ્રવિણભાઇ તથા ભોળાભાઇના બનેવી તથા ઢુઢસર નિવાસી સ્વ.જેન્તીભાઇ ધનજીભાઇ જોષીના વેવાઇ કૈલાસવાસ થયેલ છે. સરવણી તા.ર૮ને શુક્રવારે તથા ઉતર કારજ તા.ર૯ને શનિવારે લાખણકા તા.જી. ભાવનગર રાખેલ છે.

સુરેશકુમાર આશરા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સુરેશકુમાર હરીલાલ આશરા ગોંડલવાળા, તે ગીરધરલાલ હરીલાલ પડીયાના જમાઈ તે સ્વ.નલીનભાઈ, વિરેનભાઈ, પિયુષભાઈના બનેવી તે ગોરધનભાઈ, મુળજીભાઈ છાંટબારના સાળા તે કિશોરભાઈ મનસુખભાઈ જાડાના વેવાઈ તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૨૨ને શનિવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંદાકિનીબેન ધોળકીયા

રાજકોટ : ગં.સ્વ. મંદાકિનીબેન યશવંતરાય ધોળકીયા (ઉ.વ.૮૨) તે રાજેશભાઈ (ના.કા.ઈ. લીંબડી), સાધનાબેન શીરીષભાઈ માંકડ, કૃપાબેન રાજેનભાઈ મંકોડીના માતુશ્રીનું તા.૨૦ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૨ના શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી હાઈસ્કુલ સામે, રાજકોટ મુકામે રાખેલ છે.

રમણીકલાલ સંઘવી

જસદણઃ જામખંભાળીયા નિવાસી હાલ લેસ્ટર (યુ.કે.) સ્થિત રમણીકલાલ સુંદરજી સંઘવી (ઉ.વ. ૯૩) તે હરેશભાઈ સંઘવી, દિપેશભાઈ સંઘવી, કનકલતાબેન ચંદ્રકાન્તભાઈ સંઘવી (જામનગર), પ્રતિભાબેન સંઘવીના પિતાશ્રી તા. ૨૦ને ગુરૂવારે લેસ્ટર (યુ.કે.)માં અરિહંતશરણ પામ્યા છે.

કૌશિકકુમાર કક્કડ

જામજોધપુરઃ મગનલાલ વિઠલદાસ સવજાણી (ગીપવાળા)ના જમાઈ કૌશિકકુમાર વીરજીભાઈ કક્કડ (ઉ.વ.૫૪) (પોરબંદરવાળા) તે નરેન્દ્રભાઈ તથા હિતેષભાઈના બનેવીનું અવસાન તા. ૨૦ના થયેલ છે. સાદડી તા. ૨૨ના સાંજે ૪ થી ૫ સવજાણી દેવભુવન, ગીંગણી દરવાજા પાસે રાખેલ છે.

ગોપાલદાસ કુબાવત

રાજકોટ :(મોરબી) ગોપાલદાસ ભગવાનદાસ કુબાવત જે ભગવાનદાસ ગંગારામ ના મોટા પુત્ર તથા કાન્તીભાઇ/નલીનભાઇ, દિવ્યેશભાઇના મોટાભાઇ તા. ૨૦ ના રોજ શ્રી રામચરણ પામેલ છે તેમનું બેસણું તા.૨૨ ને શનીવાર ના રોજ કેન્દ્રીય વિદ્યાલય પાછળ, કાલાવડ રોડ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે. લોૈકીક પ્રથા બંધ રાખેલ છે.

જીવનબેંકના નિવૃત કર્મચારી હિતેન્દ્રભાઇના કાકીનું અવસાનઃ કાલે સાંજે બેસણું

રાજકોટ : મંજુલાબેન નરસીભાઇ ચોહાણ (ઉ.વ.૮૫) તે હિતેન્દ્રભાઇ વેલજીભાઇ ચોહાણ (નિવૃત-જીવનબેંક), વિજયભાઇ વેલજીભાઇ ચોહાણના કાકી, તેમજ પ્રિતેશ ચોહાણ અને ઓમ ચૌહાણના દાદીમાનું તા. ૨૧ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. રરને શનિવારે સાંજે ૪ થી ૬ નાના મવા રોડ, રામેશ્વર પાર્ક રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.