Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019
જસદણ હવેલીના પ્રમુખ પ્રાણભાઇ ગાંધીનું કાલે ઉઠમણું

જસદણઃ દશા મોઢ માંડલિયા વણિક પ્રાણલાલ કેશવલાલ ગાંધી (ઉ.વ.૮૦) (પ્રમુખ,શ્રી ગોવર્ધનનાથજીની હવેલી જસદણ), તે ચંપકભાઇ, પ્રવીણભાઇ, હસમુખરાય તથા અશોકભાઇ ગાંધીના મોટાભાઇ તેમજ દિલીપભાઇ ગાંધી અને રીટાબેન ભરતકુમાર દામાણી (જેતપુર)ના પિતાશ્રીનું તા.૨૦-૬ના રોજ અવસાન થયું છે. ઊઠમણું તા.૨૨-૬ને શનિવારે સાંજે પથી૬ કલાકે મોટા રામજી મંદિર, મેઇન બજાર, જસદણ ખાતે રાખવામાં આવ્યું છે. સદગત પ્રાણભાઇ ગાંધીની ગઇકાલે સાંજે નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેઓ શ્રી વાજસૂરેશ્વર મહાદેવ મંદિરના શિવ શકિત મંડળના સ્થાપક પ્રમુખ, શિવરાજપુર વૈષ્ણવ હવેલીના પ્રમુખ, જસદણ વણિક જ્ઞાતિ સમાજ, સમસ્ત ગાંધી પરિવારના સુરાપુરા દાદા મંદિરના પ્રમુખ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.

રાજુલાના પત્રકાર જયંતિભાઈ આચાર્યનું દુઃખદ અવસાન

રાજુલાઃ પત્રકાર જયંતભાઈ આચાર્ય (ઉ.વ. ૬૯)નું નિધન થયુ છે. તેઓ તાલુકા પંચાયતમાં વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ પત્રકાર ક્ષેત્રે પ્રવેશ કરી રાજુલા, જાફરાબાદ વિસ્તારના લોક પ્રશ્નો અંગે સતત જાગૃત રહી પ્રાણ પ્રશ્નો અંગે આલેખન કરેલ. સદ્ગત જયંતિભાઈ તેઓ નીતિનભાઈ નિવૃત સેલટેક્ષ ઓફિસર (અમદાવાદ) ભારતભાઈ આચાર્ય (નિવૃત કર્મી તાલુકા પંચાયત રાજુલા), મુકેશભાઈ ફોટોગ્રાફર (અમદાવાદ)ના લઘુબંધુ અને નિલાબેન આચાર્યના પતિ તથા પ્રેમલ, ફાલ્ગુનીબેનના પિતાશ્રી થાય છે. ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિતના આગેવાનોએ સદ્ગતને અંજલી અર્પી હતી.

અવસાન નોંધ

બીએસએનએલના સ્વ. રવિન્દ્રભાઈ દવેના પત્નિ કિરણબેનનું અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. રવીન્દ્રભાઈ જયંતિલાલ દવે (બીએસએનએલ)ના પત્ની કિરણબેન રવીન્દ્રભાઈ દવે (ઉ.વ. ૫૫) તે પલકભાઈ દવેના માતુશ્રી તથા હેમેન્દ્રભાઈના ભાભી તેમજ દિપકભાઈ (બીએસએનએલ)ના નાનાભાઈના પત્ની તથા સ્વ. રમણીકલાલ કે. દવે (મોરવાડા)ના પુત્રી તેમજ કમલેશભાઈ દવેના બહેનનું તા. ૨૦ના અવસાન થયેલ છે. બેસણુ  તા. ૨૨ને શનિવારે સાંજે ૫ થી ૬ ધૂમકેતુ હોલ, ૪-રોયલ પાર્ક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કમળાબેન રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.કમળાબેન ઉમેદસાહ રાઠોડ (ઉ.વ.૮૫) જેઓ સ્વ.ઉમેદસીસિંહ (ઘોઘાભાઈ) એસ.ટી.ના પત્ની તથા પ્રવીણસિંહ, પ્રફુલસિંહ, સ્વ.સુરેશભાઈ તથા મુકેશભાઈ તથા રમણીકભાઈના માતુશ્રીનું તા.૨૦ ગુરૂવારે અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૨૨ શનિવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર રાખેલ છે.

મંજુલાબેન કારેલીયા

ધોરાજીઃ લુહાર મંજુલાબેન મોહનભાઇ કારેલીયા, ઉ.વ.૭૭, તે મોહનભાઇના ધર્મ પત્ની તેમજ વલ્લભભાઇ તથા રવજીભાઇના ભાભી અને રમેશભાઇ, ભરતભાઇ, સુશીલાબેન, હંસાબેન, નયનાબેનના માતૃશ્રીનું તા.૨૦, ગુરૂવારના રોજ ૨૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ અમારા નિવાસ સ્થાન જમનાવડ રોડ, પ્રયાગ સોસાયટી, રૂદ્રાક્ષ એપાર્ટન્ટવાળી ગલી, ધોરાજી ખાતે રાખેલ છે.

ભીમસીભાઇ બોદર

કેશોદઃ ભીમસીભાઇ માલદેભાઇ બોદર ટીટોડી નિવાસી તે કરશનભાઇ બોદર (પ્રમુખ આહીર સમાજ) પૂંજાભાઇ બોદર (પ્રમુખ માર્કેટિંગ યાર્ડ)ના ભાઇનું અવસાન થયું છે બેસણું તા.૨૧ શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ એમ.વી.બોદર આહીરસમાજ ગાયોના ગોંદરા પાસે કેશોદમાં રાખેલ છે.

ઇન્દુબેન દોશી

રાજકોટઃ મુળ ખેરવા (વઢવાણ) નિવાસી હાલ રાજકોટ ઇન્દુબેન ચંદ્રકાન્તભાઇ દોશી તે સ્વ. ચંદ્રકાન્તભાઇ (ચંદુભાઇ) ઉમેદચંદ દોશીના ધર્મપત્નિ અને શાહ  રતિલાલ ઉમેદચંદના દીકરી તથા જયેશભાઇ (ફાઇવ સ્ટાર કેટરર્સ) અને ચારૂબેન કેતનકુમાર દોશી (બોટાદ) નો માતુશ્રી બ્રિજેશભાઇના દાદી તથા સ્વ. દલીચંદચભાઇ, દિલીપભાઇ, અને રમેશભાઇ દોશીના ભાભીનો સંથારો તા.૨૦ ગુરૂવારે સીજી ગયો છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૨ને શનિવારે સવારે ૧૦ કલાકે શ્રી વિશાશ્રી માળી જૈન સમાજની વાડી ૧૧-કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલ મહેતા

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ કાંતિલાલ રેવાશંકર મહેતા (ઉ.વ.૭૬) તે રમેશભાઇ તથા મુકેશભાઇ મહેતા તથા રમિલાબેન રમેશકુમાર મહેતાના મોટાભાઇ વિતરાગ તથા ઝંખના રાકેશભાઇ મડીયાના પિતાશ્રી બગસરા નિવાસી વૃજલાલ ભગવાનજી કોઠારીના જમાઇ, ધનવંતરાય વોરાના વેવાઇ બા.બ્ર.પૂ. સરોજબાઇ તથા ઇન્દુબાઇ સ્વામીના સંસારી બનેવી સાન્વી તથા પરમના દાદાશ્રી તા.૨૦ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ને શનિવાર સવારે ૧૦ કલાકેે તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે વિતરાગ-નેમિનાથ ઉપાશ્રય (વિતરાગ સોસાયટી) ખાતે રાખેલ છે.

પરેશભાઇ હિરાણી

રાજકોટઃ વાળંદ સ્વ. ધીરૂભાઇ ધરમશીભાઇ હિરાણીના પુત્ર પરેશભાઇ હિરાણીનું તા. ૨૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૨ના શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૦૦, કોઠારીયા રોડ હુડકો પાસે ખોડિયાર મંદિર ખાતે રાખેલ છે.

લલીતાબેન અખીયાણીયા

મોરબી : લલીતાબેન રતિલાલ અખિયાણીયા (ઉ.વ.૭૯), તે સ્વ. રતિલાલ નરશીભાઇ અખિયાણીયાના પત્ની, તેમજ ભરતભાઇ, મહેન્દ્રભાઇ, કીરીટભાઇ અને ઇન્દુબેન હર્ષદકુમાર ખારેચાના માતાનું તા. ૧૯ ના રોજ અવસાન થયું છે, બેસણું તા. ૨૧ નેશુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાળીશેરી,  શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે, તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

વીણાબેન મહેતા

જૂનાગઢઃ વીણાબેન તે મિશ્રીલાલ મહેતાના ધર્મપત્ની તથા આદિત્ય મહેતાના માતુશ્રીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે દેવેશ્વર મહાદેવ મંદિર, ભુલકા ઘર પાસે, મુરલીધર સોસાયટી, જોશીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજુલાના પત્રકાર જયંતિભાઈ આચાર્યનું દુઃખદ અવસાન

રાજુલાઃ પત્રકાર જયંતભાઈ આચાર્ય (ઉ.વ. ૬૯)નું નિધન થયુ છે. તેઓ તાલુકા પંચાયતમાં વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ પત્રકાર ક્ષેત્રે પ્રવેશ કરી રાજુલા, જાફરાબાદ વિસ્તારના લોક પ્રશ્નો અંગે સતત જાગૃત રહી પ્રાણ પ્રશ્નો અંગે આલેખન કરેલ. સદ્ગત જયંતિભાઈ તેઓ નીતિનભાઈ નિવૃત સેલટેક્ષ ઓફિસર (અમદાવાદ) ભારતભાઈ આચાર્ય (નિવૃત કર્મી તાલુકા પંચાયત રાજુલા), મુકેશભાઈ ફોટોગ્રાફર (અમદાવાદ)ના લઘુબંધુ અને નિલાબેન આચાર્યના પતિ તથા પ્રેમલ, ફાલ્ગુનીબેનના પિતાશ્રી થાય છે. ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિતના આગેવાનોએ સદ્ગતને અંજલી અર્પી હતી.

મંગળાબેન સરવૈયા

ચલાલાઃ વાટલીયા પ્રજાપતિ સમાજના આગેવાન વલ્લભભાઈ ઉકાભાઈ સરવૈયાના ધર્મપત્નિ મંગળાબેન (ઉ.વ. ૭૬) તે દિપકભાઈ વલ્લભભાઈ સરવૈયા (એસ.બી.આઈ. અમરેલી) તેમજ જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ સરવૈયા ચલાલા (ઓઈલવાળા)ના માતુશ્રી તેમજ જયદીપ સરવૈયા અને રાજદીપ સરવૈયાના મોટાબાનું તા. ૨૦મીએ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨ શનિવાર સાંજના ૪ થી ૭ કલાક સુધી જીતુભાઈ સરવૈયાના નિવાસ સ્થાન સાટોડીયાપરા, ચલાલા રાખેલ છે.

પુરીબેન મોઢવાડિયા

જામરાવલઃ ગોરાણા ગામના પુરીબેન પરબતભાઈ મોઢવાડિયા (ઉ.વ. ૮૫) તે ભીખાભાઈ, લીલાભાઈ (સરપંચશ્રી, ગોરાણા ગ્રામ પંચાયત), મથુરભાઈ, કેશવભાઈ તથા ભૂપતભાઈના માતુશ્રી તેમજ અરજનભાઈ મોઢવાડિયાના દાદીમાં તા. ૧૯ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૨૯ શનિવારે ગોરાણા ગામે રાખેલ છે.

પ્રેમજીભાઇ વાલંભીયા

રાજકોટઃ ગુર્જર સુથારઃ પાળ નિવાસી હાલ રાજકોટ ધીરૂભાઇ ખિમજીભાઇ વાલંભીયાના મોટાભાઇ પ્રેમજીભાઇ ખિમજીભાઇ વાલંભીયા (ઉ.વ.૮ર) જે સ્વ.અશ્વીનભાઇ તથા દિપકભાઇ તથા દિનેશભાઇ તથા જયશ્રીબેન દિપકકુમાર સાંકડેચાના પિતાજીનું તા.૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૧ના શુક્રવારે, સાંજે ૪ થી ૬, સાગર હોલ, ૮૦ ફુટ મેઇન રોડ, પપૈયાવાડી, ગોંડલરોડ, ગોકુલધામ પાસે રાખેલ છે.

નિરંજનાબેન આમરણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર ખિરસરા (રણમલજીનું) વાળા સ્વ.ભગવાનજીભાઇ માધવજીભાઇ પાટડીયાના દિકરી નિરંજનાબેન ધીરજલાલ આમરણીયા (ઉ.વ.પ૬) તે દેવરાજભાઇ, સ્વ.ધનસુખભાઇ, જગદીશભાઇ, નરેન્દ્રભાઇ, નવિનભાઇ (દુરદર્શન), જયેશભાઇઅને હંસાબેન બાબુલાલ ધોળકીયા, ઇલાબેન ધીરેન્દ્ર મહેમદાવાદીયાના બહેન અને ધવલ, ઉર્વી અને મોહિતના માતુશ્રી, સરોજબેન માંડવીયા, ઉષાબેન પંચાસરા, કાન્તાબેન સંચાણીયા, સ્વ.કિરણબેન વડગામા, રાજુભાઇ અને જગદીશભાઇના ભાભીનું જામનગર મુકામે તા.૧૯ના અવસાન થયેલ છે.  પિયર પક્ષનું બેસણું તા.રરના, શનિવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ નવિનભાઇના નિવાસસ્થાન શુભ એપાર્ટમેન્ટ, અંબાજી કડવા પ્લોટ શેરી નં.ર, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક પાસે રાખેલ છે.

સુશીલાબેન ત્રિવેદી

રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ અ.સૌ. સુશીલાબેન મુકુંદરાય ત્રિવેદી (ઉ.વ.૬૬) તે સ્વ.ઇંદુભાઇ પ્રાણજીવનદાસ ત્રિવેદીના પુત્ર મુકુંદરાય ઇંદુભાઇ ત્રિવેદીના ધર્મપત્ની, મુળ ઓખાવાળા સ્વ.ઇશ્વરલાલ ઉમીયાશંકર જોશીના પુત્રી, મહુલ તથા મમતાના માતુશ્રી, સ્વ.પ્રવિણભાઇ, કિશોરભાઇ, ભુપેન્દ્રભાઇના બેન તથા વિનુભાઇ, મહેશભાઇ, વીણાબેન અને નિલાબેનના ભાભી તા.૧૯ના સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.રરને શનિવારે સાંજે પ થી ૬, શ્રી મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ, મીલપરા મેઇન રોડ, ખાતે રાખેલ છે.

કંચનબેન ટાંક

રાજકોટઃ રાજકોટ નિવાસી કંચનબેન જસમતભાઇ ટાંક (ઉ.વ.૭૯) તે જસમતભાઇ દેવશીભાઇ ટાંકના ધર્મપત્ની તથા અલ્પેશભાઇ જસમતભાઇ ટાંકના માતુશ્રી, તા.ર૦ના અક્ષરવાસી થયેલ છે.  સદ્દગતની પ્રાર્થનાસભા તા.રરના શનિવારે સાંજે ૪ થી ૬, શ્રેષ્ઠ સંકુલ, ભકિતનગર સર્કલ, ગીતા મંદિર પાછળ, શ્યામવાડી વાળી શેરીમાં રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

નિર્મળાબેન સાંચલા

મોરબી : મચ્છુ કઠીયા સઇ સુતાર નિર્મળાબેન જયંતીલાલ સાંચલા (હાલ વિલે પાર્લે ઇસ્ટ) તે સ્વ. બાબુલાલ દેવજીભાઇ રાઠોડ (દેવજી જેરામવાળા) ના પુત્રી તેમજ સ્વ. મોહનભાઇ દેવજીભાઇ રાઠોડના ભત્રીજી તથા અશ્વિનભાઇ, યોગેશભાઇ, ધર્મેશભાઇ,જીતુભાઇ અને નિયોગભાઇના  મોટા બહેનનું  મુંબઇ મુકામે અવસાન થયેલ છે, બેસણું તા.૨૧ ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે દરજી જ્ઞાતી વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે