Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019
અવસાન નોંધ

દેવજીભાઇ સંચાણીયા

રાજકોટઃ વરીયા પ્રજાપતિ સમાજના મુળગામ કોંઝા હાલ મહિકા, દેવજીભાઇ જાદવજીભાઇ સંચાણીયા તેઓ મનસુખભાઇ, કિશોરભાઇ, દિનેશભાઇ, કાંતિભાઇના પિતાશ્રીનું તા.૧૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને મહિકા ખાતે રાખેલ છે.

કિરણબેન ગોહેલ

રાજકોટઃ વડીયાદેવડી નિવાસી હાલ રાજકોટ લુહાર કિરણબેન ભુપતભાઇ ગોહેલ (ઉ.વ.૫૩) તે ભુપતભાઇ મગનભાઇ ગોહેલના ધર્મપત્નિ અને સ્વ. મગનભાઇ ભગવાનજીભાઇ ગોહેલના પુત્રવધુ તથા લુહાર  સ્વ. મોહનભાઇ પરસોતમભાઇ સિધ્ધપુરા (ભાણવદવાળા)ના પુત્રીનું તા.૧૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતના બંને પક્ષનું બેસણું તથા પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ૮૦ ફુટ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

બકુલાબેન વાઢેર

રાજકોટઃ વાંઝા રાજેન્દ્ર વાલજીભાઇ વાઢેરના ધર્મપત્નિ બકુલાબેન વાઢેર (ઉ.વ.૫૪) તા.૧૯ના રોજ રવિવારે ગોપાલ શરણ પામેલ છે. જેઓ પ્રવિણભાઇ વાલજીભાઇ વાઢેરના નાનાભાઇ થાય તથા રીટાબેન, જલ્પાબેન તથા ઉર્વશીબેનના માતુશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધરમનગર મંદિર , ધર્મશ્વર મહાદેવ મંદિરે સ્ટલીંર્ગ હોસ્પિટલ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

લખમણભાઇ રામાણી

જુનાગઢઃ જોષીપુરા (જુનાગઢ) લખમણભાઇ માધાભાઇ રામાણી (ઉંમર વર્ષ ૮૦) તે હરસુખભાઇ, નારણભાઇ પિતાશ્રી અને જેઠાભાઇ કેશવભાઇ (સંચાલકશ્રી, નેબ્યુલા ઇંગ્લીશ સ્કુલ વાળા) ના કાકા અને લાભુબેન કરશનભાઇ સાવલીયા નિવૃત કર્મચારી કન્યા વિદ્યાલય જોષીપુરાના મામા અને કરશનભાઇ સાવલીયા અંધવૃધ્ધ ખેડૂત પાટીદાર જુનાગઢવાળાના મામાજી તા. ૧૯ રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ગુરૂવારના રોજ મુકતેશ્વર મહાદેવ કૈલાસનગરમાં રાખેલ છે.

ભગવાનદાસભાઇ અગ્રાવત

રાજકોટઃ ભગવાનદાસ પ્રાગદાસ અગ્રાવત (ઉ.વ.૮૪)નું તા.ર૦ના ખડવંથલી મુકામે અવસાન થયેલ છે. તેઓ અંબારામભાઇ તથા હસુભાઇના પિતાશ્રી, તે હિતેશભાઇ (એલ.સી.બી. બ્રાંચ રાજકોટ) તથા ધર્મેશભાઇ તથા રોહિતભાઇ (ગુજ. હાઇ. કોર્ટ) તથા નિકુંજભાઇ (ગોંડલ કોર્ટ)ના દાદાશ્રીનું બેસણું ખડવંથલી મુકામે તા.ર૪ના શુક્રવારે સાંજે પ થી ૭ રાખેલ છે.

સર્વોદયભાઇ પારેખ

ઉના : મોઢ વણીક સર્વોદયભાઇ નરોત્તમદાસ પારેખ (ઉ.વ.૬૭) (પૂર્વ નગરપાલિકા કર્મચારી), તે યોગેશભાઇ, પ્રતિકભાઇના પિતાશ્રી તથા રૂડાભાઇ, મનુભાઇના મોટાભાઇ તા. ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર૧ મંગળવારે સાંજે ૪થી ૬, તેમના નિવાસ સ્થાન સદ્ગુરૂ કૃપા બહુમાળી સામે ઉન્નત નગર સોસાયટી ઉના રાખેલ છે.

કિશોરભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. કાંતિલાલભાઇ એ વ્યાસના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૬૧) (બેંક ઓફ બરોડા) તેઓ શ્રી શિરીષભાઇ તથા પ્રજ્ઞાબેન જે દવેના મોટાભાઇ તથા વત્સલભાઇ નેહાબેનના પિતાશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવારે ૪:૩૦ થી ૬:૩૦ તેઓના નિવાસ સ્થાન શુભમ રેસીડેન્સી, ઓમ રેસીડેન્સી સામેની શેરી વુડ ચાર રસ્તા વડોદરા ખાતે રાખેલ છે.

કમળાબેન સરવૈયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ મોચી સ્‍વ. બાબુભાઇ પોપટભાઇ સરવૈયાના ધર્મપત્‍ની ગં. સ્‍વ. કમળાબેન સરવૈયા ઉંમર (૭પ) વર્ષ તે પ્રવિણભાઇ ત્‍થા સુશીલાબેન ત્‍થા ભાવનાબેનના માતુશ્રી ત્‍થા સ્‍વ. રૂગનાથભાઇ ત્‍થા વિનુભાઇના ભાભી ત્‍થા રવીના દાદીમાં તા. ર૦ના સોમવારે સવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ર૩ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ બજરંગવાડી ખાતે અમારા નિવાસસ્‍થાને રાખેલ છે.