Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018
પૂર્વ નગરસેવક નવલસિંહ ભાટીના નાનાભાઈનું અવસાનઃ સોમવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ માજી સૈનિક પરિવારોના આજીવન સેવક અને રાજકોટના પૂર્વેનગર સેવક નવલસિંહ ભાટીના નાનાભાઈ અગરસિંહ માધવસિંહ ભાટીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયું છે. સોમવાર તા.૨૩ના રોજ સાંજે ૫ થી ૬:૩૦ રાષ્ટ્રીયશાળા ખાતે સદ્દગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભા રાખેલ છે.

નિવૃત પીએસઆઇ જીવાભાઇ મુળાભાઇ મકવાણાનુ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મુળ કોલીથડ નીવાસી હાલ રાજકોટ જીવાભાઇ મુળાભાઇ મકવાણા(નિવૃત પીએસઆઇ-રાજકોટ રૂરલ)(ઉ.વ-૬૦)તે સ્વ. મંગાભાઇ , મનુભાઇ, વજુભાઇ તેમજ કનુભાઇના ભાઇ તથા રાહુલના પિતા, અશોક અને ગૌરવના કાકાનું તા.૨૦ને શુક્રવારનાં રોજ અવસાન થયુ છે.સદ્દગતનું બેંસણુ તા.૨૨ને રવિવારનાં રોજ સવારે ૯ થી ૧૦ વાગ્યે અનામિકા સોસાયટી,ભાગ-૧, શેરી નં.૫, બ્લોક નં.૩૬, આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ, રાજકોટ  ખાતે રાખેલ છે તેમજ સવારે ૧૦ કલાકે ઉતરક્રિયા રાખેલ છે.

અવસાન નોંધ

અવસાન નોંધ

કંકુબેન ધોળકીયા

રાજકોટઃ કંકુબેન રામજીભાઇ ધોળકીયા (ઉ.વ.૭૧) તે અશ્વીનભાઇ રામજીભાઇ ધોળકીયા (રેલ્વે કર્મચારી)ના માતુશ્રી તથા બાબુભાઇ ડી. સોલંકી, બાબુભાઇ વી. ધરજીયા (લોકો પાયલટ-ભાવનગર), બાબુભાઇ કે. જાદવ (સી.ટી.આઇ.-પોરબંદર)ના સાસુનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૧ના શનિવારે સાંજે ૪ થી ૬, વસુધા સોસાયટી, પ્રેસ કોલોની પાછળ, જામનગર રોડ ખાતે રાખેલ છે.

સવીતાબેન ગોરસીયા

રાજકોટઃ સવીતાબેન ધનજીભાઇ ગોરસીયા (ઉ.વ.પ૭)નું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ના સોમવારે સાંજે ૪ થી ૬, વીજયનગર-ર, મયુર ગેરેજ વાળી શેરી કોઠારીયા ચોકડી ખાતે રાખેલ છે.

પુનમબેન શાહ

રાજકોટઃ પુનમબેન કિશોરભાઇ શાહ (ઉ.વ.૭૦) તે કિશોરભાઇ ગોરધનદાસ શાહના ધર્મપત્ની તથા સમીત કિશોરભાઇ શાહ તથા રૂપા હનીશકુમાર પારેખના માતુશ્રી તથા ઉમેદભાઇ છોટાલાલ માધાણીના બહેન તા.ર૦ના રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૧ને શનીવારે સાંજે પ થી ૬, સોમનાથ મહાદેવ મંદિર, પાણીના ટાંકા સામે, સોજીત્રાનગર, નિર્મળા રોડ ખાતે રાખેલ છે.

મહેશભાઇ વડગામા

મોરબીઃ ગુર્જર સુથાર મૂળ ગામ રવાપર (નદી) હાલ મોરબી ઉત્તમ ઓટો ઇલેકટ્રિકવાળા મહેશ રવજીભાઇ વડગામા (ઉ.વ.પપ) તે ધવલ તથા ધરાના પિતા તથા જગદીશભાઇ (વડોદરા), નીતિનભાઇ (સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ), ભૂપેનભાઇ (અમદાવાદ) તથા પ્રવીણાબહેન લલિતકુમાર ધ્રાંગધરિયાના ભાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ના સાંજે ૪-૩૦ થી ૬-૦૦ સરસ્વતી રેસિડેન્સી, સરદાર બાગ સામેની શેરી શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

જગદીશચંદ્ર શાહ

રાજકોટઃ ધોરાજી નીવાસી હાલ રાજકોટ જગદીશચંદ્ર મનસુખલાલ શાહ (ઉ.વ.૭પ) તે સ્વ.અનંતરાય મનસુખલાલ શાહના લધુબંધુ ચંન્દ્રકાંત મોહનલાલ મહેતાના બનેવી અમીષા, અવની, ખ્યાતી અને સ્વ.જયના પિતાશ્રી શ્વેતા, મીતાલી, હર્ષના નાનાજી અને અભયના દાદાજી તા.૧૯ના અરીહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.ર૩ને સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે શ્રી વીરાણી પોષધ શાળા, કોઠારીયા નાકા પાસે રાખેલ છે તેમજ પ્રાર્થનાસભા તેજ દિવસે સવારે ૧૧-૦૦ કલાકે વિરાણીની વાડી, કોઠારીયા નાકા પાસે રાખેલ છે.

સાવિત્રીબેન મહેતા

પ્રભાસ પાટણઃ શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજનાં પ્રભાસ પાટણ નિવાસી ગં. સ્વ. સાવિત્રીબેન હરીશંકર મહેતા (ઉ.વ.૯પ) તે જનાર્દનભાઇ તથા ચંન્દ્રપ્રકાશભાઇ ભટ્ટના માસીબા તથા હેમલભાઇ ભટ્ટ (પત્રકાર) પીયુષભાઇ ભટ્ટ, હર્નિશભાઇ ભટ્ટ અને આષુતોષભાઇ ભટ્ટના દાદીમાંનું તા.ર૦ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૩ના રોજ સાંજે પ કલાકે સોમપૂરા બ્રાહ્મણ જ્ઞાતિની વંડી બ્રહ્મપૂરીમાં રાખેલ છે.

જેન્તીભાઇ દેવળીયા

મેંદરડાઃ સ્વ.જેન્તીભાઇ આંબાભાઇ દેવળીયા (ઉ.વ.૬૦) તે નિકુંજભાઇના પિતાશ્રી તથા ચંદ્રકાંતભાઇ, અશોકભાઇ, રમણીકભાઇ અને મહેન્દ્રભાઇના મોટાભાઇનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના રોજ પ થી ૬ સુધી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નર્મદાબેન દુધૈયા

રાજકોટ : મુળ ગામ ગોઇંજ હાલ રાજકોટ ગુર્જર સુથાર નર્મદાબેન મોરારજીભાઇ દુધૈયા (ઉ.વ. ૯૮) તે સ્વ. મોરારજીભાઇ ભાણજીભાઇ દુધૈયા ના પત્ની અને સ્વ. ગોપાલભાઇ દુધૈયા, હરિભાઇ દુધૈયા, લાલજીભાઇ દુધૈયા, ધીરજલાલ દુધૈયા તથા સ્વ. વિનુભાઇ દુધૈયા ના માતુશ્રી તથા જેન્તીલાલ ગીરધરલાલ દુધૈયા અને દિલીપભાઇ ના ભાભુ નું તા. ૨૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મંદિરે માલવિયા પોલીસચોકી પાસે મવડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ચેતનાબેન પંડયા

અમદાવાદ : મુંબઈ નિવાસી ચેતનાબેન એ. પંડ્યા તે એ.જે. પંડ્યા (અંબુજા સિમેન્ટ) ના પત્ની કિરીટભાઈ (અમદાવાદ) મીનાબેન (જૂનાગઢ) ના ભાભી નું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે ઉઠમણું : તા. ૨૧ શનિવારે સાંજે ૫ થી ૬ નીલકંઠ મહાદેવ સંકુલ કે.કે.નગર (વિભાગ -૧) રન્ના પાર્ક બસ સ્ટોપ પાછળ, અમદાવાદ મુકામે રાખેલ છે.

પ્રફુલાબેન ખખ્ખર

ગોંડલ : અરવિંદભાઈ ભગવાનજીભાઈ ખખ્ખર ના પત્ની પ્રફુલ્લાબેન તે જયેશભાઇ, મનીષભાઈ, જીગ્નેશભાઈ, નિશાબેન રુપેશકુમાર અનડકટ, દિશાબેન સમીરકુમાર કારિયા ના માતુશ્રી ગીરધરલાલ અમરશી પોપટ ના પુત્રી બટુકભાઈ, સ્વ, મુકુંદભાઈ ના બહેન નું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી : તા. ૨૩ સોમવારે સાંજે ૫ વાગ્યે, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨/૦૯ ભોજરાજપરા,  ગોંડલ મુકામે રાખેલ છે.

ગુણવંતિબેન આશર

ગોંડલ  : ગુણવંતીબેન ગોકળદાસ આશર (ઉ.વ. ૯૩) તે મોહનભાઇ ના માતા મિતેષ, હિતેશ ના દાદીમા નું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે ઉઠમણું તા. ૨૨ રવિવારે સાંજે ૫ થી ૬, રામેશ્વર મહાદેવ મંદિર, ૪-મહાદેવવાળી, ગોંડલ ખાતે રાખેલ છે.

મનિષભાઇ ગાંગાણી

જામનગર : અમરશી જેઠાભાઇ ગાંગાણી (વાળા) ગુલાબરાય ગાંગાણીના પુત્ર મનિષભાઇ (ઉ.૪૬) તે વિશાલદીપવાળા સુનિલભાઇ તથા હિમાંશુભાઇ (ટીનુભાઇ) ના નાના ભાઇ તથા દક્ષિણાના પપ્પા તેમજ જીગરભાઇ, રાજભાઇ, પાર્થવીબેન, દેવાંગીબેનના કાકા તથા હસમુખરાય જમનાદાસ ગણાત્રા વિસાવદરવાળાના જમાઇ ર૦ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા. ર૧ ને શનિવારે સાંજે પ થી પ.૩૦ ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નરોતમદાસ મદલાણી

જુનાગઢઃ નરોતમદાસ નાથાલાલ મદલાણી (ઉ.વ.૮ર) (માડાગાસકરવાળા) હાલ જુનાગઢ નિવાસી તે બિંદુબેનના પિતાશ્રી રાજેશ મનસુખલાલના સસરાનું તા.ર૦ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૧ને શનીવારે તેમના નિવાસસ્થાને બ્લોક નં. ૩૦૪-એ શીલ્પ એપાર્ટમેન્ટ સરદાર પટેેલ ભવન સામે જયશ્રીરોડ જુનાગઢ ખાતે પ થી ૬ રાખેલ છે.

ફાતેમાબેન ભારમલ

ફાતેમાબેન દાઉદભાઇ ભારમલ(ઉ.વ.૭૩)નું તા.૨૦ના અવસાન થયેલ છે તેઓ કુરબાનભાઇ સૌફુદીનભાઇ, અસમાબેન તથા અબ્બાસભાઇના બહેન, શબ્બીરભાઇ સૈફી ગ્લાસનાં ફૈબા, જિયારત તથા ચાલીસમાના ફાતેહાના સિપારા રવિવાર તા.૨૨ નવી મસ્જિદ ગુંદાળાં શેરી ગોંડલ ખાતે ૧૧:૩૦ કલાકે રાખેલ છે.

ભરતદાસ અગ્રાવત

રાજકોટઃ મૂળ તરકાસર વાળા (હાલ રાજકોટ) સાધુ મંછારામ ગોવિંદરામ અગ્રાવતના પુત્ર ભરતદાસ (ઉ.વ.૫૮) તે ચેતનભાઈ તથા હાર્દિકભાઈના પિતાશ્રી તથા પ્રવિણદાસ એસ.ટી.નિવૃત કંડકટર, કાંતિભાઈ, કિશોરદાસ, છબિલદાસ એસ.આર.પી.ના ભાઈનું તા.૨૦ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ, બપોરે ૪ થી ૬ જીથરીયા હનુમાન મંદિર, મવડી ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

નરશીભાઈ સંચાણીયા

રાજકોટઃ પ્રજાપતિ નરશીભાઈ મનજીભાઈ સંચાણીયા (ઉ.વ.૯૭) (મું. મેટોડા (સરપદળ), હા.રાજકોટ) તે સ્વ.લાલજીભાઈ મનજીભાઈ સંચાણીયાના નાનાભાઈ તથા ભગવાનજીભાઈ, કેશુભાઈ, ચંદુભાઈ તથા  પ્રવીણભાઈના કાકા તા.૨૦ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ સ્થળઃ શ્રી સ.પ.વ.વૈ.જ્ઞાતિની વાડી, ૧૨- બજરંગવાડી, જામનગર રોડ- રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રકિશોરભાઇ આશારા

ગોંડલ, બ્રહ્મક્ષત્રિય ચંદ્રકિશોર દયાળજી આશારા (ઉ.વ.૮૫) જામનગર તે સ્વ. લાલચંદ કાનજી નિર્મળ તથા વસંતભાઇ કાનજી નિર્મળના બનેવીનું તા.૧૯ના અવસાન થયેલ છે સાદડી તા.૨૧ સાંજે ૫થી૬ કલાકે ગોંડલ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની વાડી ગોંડલ ખાતે રાખેલ છે.