Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020
ઝૈબુનબેન દલવાણીની વફાત

રાજકોટ : સદર વિસ્તારમાં જૂમ્મા મસ્જીદ પાસેજ, અકિલા દૈનિક કાર્યાલયવાળી શેરીમાં રહેતા રોશનબેન આદમભાઇ દલવાણી(ઉ.પ૦) તા.ર૪ ના વફાત પામ્યા છે તેઓ મોટા બ્હેન ઝૈબુનબેન ત્થા હારૂનભાઇ, રઝઝાકભાઇ, ઇસાકભાઇ, દાઉદભાઇ, ફારૂકભાઇ, આસિકભાઇ અને અકબરભાઇના બ્હેન થતા હતા. (૬.૧૩)

અવસાન નોંધ

મંજુલાબેન સાવલીયા

રાજકોટઃ મંજુલાબેન ગોવિંદભાઈ સાવલીયા (ઉ.વ.૬૦) તા.૨૩ને સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઈને બેસણું રાખવામાં આવેલ નથી. સગાસંબંધીઓ તથા સ્વજનોએ ફોન/ મેસેજ દ્વારા શોક સંદેશો પાઠવવા વિનંતી. કોરોના વાયરસની પરિસ્થિતી સુધર્યા પછી શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવશે.

સુશીલાબેન શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણીક ગૌલોકવાસી ચંદ્રકાંતભાઈ દ્વારકાદાસ શેઠના ધર્મપત્ની સુશીલાબેન ચંદ્રકાંત શેઠ (ઉ.વ.૮૪) તે ભરતભાઈ શેઠ, સુધીરભાઈ શેઠ, રાજેશભાઈ શેઠ તથા ગૌલોકવાસી સ્વ.ઉષાબેન જશવંતરાય વિભાકરના માતુશ્રી તે સ્વ.હરીકાંતભાઈ શેઠ, સ્વ.સનતભાઈ શેઠ તથા પ્રફુલભાઈ શેઠના મોટાભાભી તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા લૌકીક ક્રિયા હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને મોકુફ રાખેલ છે. ફોન પર સંપર્ક કરવા વિનંતી.

મનુસિંહ રાઠોડ

રાજકોટઃ મનુસિંહ ભીખુભા રાઠોડ (ઉ.વ.૭૦)નું તા.૨૪ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સુધી જય મોમાઈ, ૪૨- શુભમ પાર્ક, માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મો.૮૪૬૦૪ ૦૦૦૬૦ ખાતે રાખેલ છે.

હેમશંકરભાઇ રાવલ

અમરેલીઃ મોરબી નિવાસી હેમશંકરભાઇ વિશ્વનાથ રાવલ (ઉ.૮૧) (નિવૃત્ત શિક્ષક, નાની વાવડીવાળા) તે ભરતભાઇ, કિરીટભાઇ તેમજ ઇલાબેન જોષી, તૃષાબેન ઠાકરના પિતાનું તા.ર૪ ના અવસાન થયું છે

કરશનભાઇ તેરૈયા

રાજકોટ : ગામ કનેશરા હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ કરસનભાઇ માધવજીભાઇ તેરૈયા (ઉ.૬૬) તે ધર્મેશભાઇના પિતા ધીરૂભાઇના મોટાભાઇનું  અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા. ર૭ શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રીનાથજી સોસાયટી શે. નં. ર, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

ગોંડલના હિતેન્દ્રભાઇ વ્યાસનું અવસાનઃ બેસણુ-ઉતર ક્રિયા બંધ

ગોંડલ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હિતેન્દ્રભાઇ નાનુભાઇ વ્યાસ (ભાઇલાલભાઇ) (ઉ.૬પ) તે આશાબેનનાં પતિ, સ્વ. મહેશ્વરભાઇ તથા આચાર્ય ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ) નાં ભત્રીજા, કમલભાઇ, મયુરભાઇ તથા નયનભાઇનાં લઘુબંધુ, ભુપેન્દ્રભાઇ મહેતા, કેતનભાઇ મહેતા, ભાવનાબેન (મુંબઇ) સંજનાબેન (જુનાગઢ) નાં બનેવી તેમજ અમૃતાબેન મેહુલભાઇ જોશી (ઓસ્ટ્રેલિયા) તથા આભાબેનનાં પિતાજીનું તા. ર૩ સોમવારના અવસાન થયું છે. બેસણું-ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.

નાથાભાઈ કોટક

આટકોટઃ ગો.વા.ઠા. નાથાભાઈ લક્ષ્મીદાસ કોટક તે સ્વ. બાબુલાલ લક્ષ્મીદાસ કોટક તથા બકુલભાઈ લક્ષ્મીદાસ કોટક (ધોરાજી)ના મોટાભાઈ તેમજ ચેતનભાઈ તથા ડોલીબેન વિશાલકુમાર ગણાત્રા (રાજકોટ)ના પિતાશ્રી તથા સરલાબેન ભરતભાઈ દેવાણી (રાજકોટ), કુસુમબેન રાજેશભાઈ કોટેચા (ભાણવડ)ના મોટાભાઈ તેમજ વિપુલભાઈ વિશાલભાઈ, પૂજાબેન મિતુલભાઈ ખીમાણી (ગોંડલ), પાયલબેન હિતેશભાઈ વસંત (જસદણ) તથા શ્રેયાબેન સન્નીકુમાર કક્કડ (જામનગર)ના મોટાબાપુજી તા. ૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે.