Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019
ખંભાળીયા પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલના સસરાનું અવસાન

ખંભાળીયાઃ સહસ્ત્ર ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. લક્ષ્મીશંકર રેવાશંકર શુકલના નાના પુત્ર હરાકાંતભાઈ શુકલ (રીટાયર્ડ ફુડ ઈન્સ્પેકટર) (ઉ.વ. ૮૪) તે અમિતભાઈ શુકલ (ખંભાળીયા શહેર યુવા ભાજપ પ્રમુખ)ના પિતાશ્રી તથા સ્વેતાબેન શુકલ (ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ)ના સસરા તથા સ્વ. મહેશભાઈ શુકલ (રીટાયર્ડ ચીફ ઓફિસર) તથા સ્વ. પ્રહલાદભાઈ શુકલના નાનાભાઈ તથા રૂદ્ર અને અંશના દાદાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯ને શનિવારે ભાઈઓ તથા બહેનો માટે સાંજે ૪.૩૦ થી ૫.૦૦ સુધી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, નગર ગેઈટ, રામ મંદિર પાસે રાખેલ છે.

અવસાન નોંધ

લાભુબેન હરગોવિંદદાસ અગ્રાવતનું દુઃખદ અવસાન

મુ.કેરાળા (સરપદડ) નિવાસી લાભુબેન હરગોવિંદદાસ અગ્રાવત (ઉ.વ.૭૩) તે હરગોવિંદદાસ મોહનદાસ અગ્રાવતના ધર્મપત્ની તેમજ હસમુખભાઇ, મહેશભાઇ, ભાનુબેન, ભારતીબેનના માતુશ્રી તે ભાવિન, રવિ, જયના દાદીમા અને ચુનીલાલ જી. દેવમુરારી ભરતપુર નિરંજનભાઇ જે રામાનુજ રાજકોટ (સમાજ સુરક્ષા વિભાગ)ના સાસુ તા.૧૮-૧૦-ર૦૧૯ના કેરાળ મુકામે રામચરણ પામેલ છે. જેનું બેસણું તા.ર૧-૧૦-ર૦૧૯ને સોમવારે સાંજે ૪ થ્ી ૬ તેમના વતનમાં મુ. કેરાળા (સરપદડ) તા. પડધરી મુકામે રાખેલ છે.

જમનાદાસ મીઠાણીના પુત્રી નિરૂપમાબેનનું  અવસાનઃ સોમવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ સ્વ.ગીરીશ જે.પારેખના પત્ની તે જમનાદાસ મેઘજી મીઠાણી (અગતરાય)ના પુત્રી તે જીજ્ઞેશ, સ્વ.હેતલ મનીષભાઈ બાવીસી, ભૂમિકા હિતેષભાઈ મેઘાણીના માતુશ્રી તથા સાગર, નીમીત, કેવલના બા, નીરૂપમાબેન (ઉ.વ.૬૭)નું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૧ સોમવારે સવારેે ૧૦:૩૦ વાગ્યે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગીત ગુર્જરી મેઈન રોડ ઉપર રાખેલ છે.

વિજયભાઇ પરમાર

રાજકોટઃ મુ. ધ્રોલ  હાલ રાજકોટ નિવાસી શ્રી નાથાભાઇ રઘુભાઇ પરમારના નાના પુત્ર તથા શ્રી અશોકભાઇ પરમારના નાનાભાઇ તથા શ્રી કેશવજીભાઇ વાલજીભાઇ કણજારીયા (મુ. નાના ખીજડીયા) વાળાના જમાઇ સ્વ. વિજયભાઇ (ઉ.વ.૩૩)નું તા.૧૮ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાને ''શ્રી દેવકૃપા'' ૧૦ શાસ્ત્રીનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મલાબેન ગાંધી

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ અમદાવાદ નિર્મલાબેન ચંદુલાલ ગાંધી (ઉ.વ.૮૭) કે જે સ્વ.ચંદુલાલ હરીલાલ ગાંધીના ધર્મપત્ની, મુકેશભાઈ ચંદુલાલ ગાંધી  (રીટાયર્ડ શિક્ષક, આદર્શ સ્કુલ- ધોરાજી), રાજેશભાઈ ચંદુલાલ ગાંધી, હર્ષાબેન નવીનકુમાર દોશી (વેરાવળ વાળા- હાલ રાજકોટ), ભારતીબેન અજયભાઈ ભાયાણી (ભાવનગર વાળા- હાલ રાજકોટ)નાં માતુશ્રી જાગૃતિબેન મુકેશભાઈ ગાંધી, નીલમબેન રાજેશભાઈ ગાંધીના સાસુ તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા.૨૦ રવિવારના રોજ બપોરે ૪ થી ૫ કલાકે રાજહંસ એપાર્ટમેન્ટ, ૧૧/૧૨ કરણપરાનો ખૂણો, દેનાબેંક વાળી શેરી, કેનાલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાધાબેન આશીયાણી

રાજકોટઃ મુળ ગામ ખોડાપીપર (હાલ રાજકોટ) સ્વ.રાધાબેન રામજીભાઈ આશીયાણી (ઉ.વ.૭૦) તે વિપુલભાઈ તથા પ્રવિણભાઈનાં માતાનું તા.૧૮નાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન શાહનગર- ૨, મુરલીધર કૃપા, બટુક મહારાજની ગૌશાળા પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

જયાબેન પીઠડીયા

રાજકોટઃ શ્રી મચ્છુકઠિયા સઈ સુથાર જ્ઞાતિના જયાબેન છગનભાઈ પીઠડીયા (ઉ.વ.૬૭) (શિવરાજગઢવાળા હાલ રાજકોટ) છગનભાઈ દેવજીભાઈ પીઠડીયાના ધર્મપત્ની તથા ભરતભાઈ અને પ્રવિણાબેનના માતુશ્રી તથા બ્રિજેશ અને શિવાંગીના દાદી તથા મનસુખભાઈના ભાભીશ્રી તથા અમરશીભાઈ ટંકારીયાના  દિકરી તથા હસમુખભાઈ, જેન્તીભાઈ, દિનેશભાઈ ટંકારીયાના બહેનનું અવસાન તા.૧૮ના રોજ થયેલ છે. તેમનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી સાથે છે. તા.૨૧ના સાંજે ૪ થી ૫ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અજયભાઈ ત્રિવેદી

રાજકોટઃ મૂળ સિહોર નિવાસી સિ.સ.ઔ.અ.બ્રાહ્મણ સ્વ.જશુમતીબેન ચંપકલાલ ત્રિવેદીના પુત્ર અજયભાઈ ત્રિવેદી (સિનિયર આર્ટિસ્ટ) (ઉ.વ.૬૩) તેઓ સીમાબેનના પતિ, ગ્રીષ્મા હાર્દિકકુમાર જોશી તથા વૈભવના પિતાશ્રી તે ઈન્દીરાબેન નોમાનભાઈ ધ્રોલિયાના જમાઈ તથા દિનેશચંદ્ર મૂળશંકર ભાઈ જોશીના વેવાઈ, બેલાબેન કૌશિકભાઈ વોરાના બનેવીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૨૧ સોમવારના રોજ તેમના નિવાસસ્થાને, શ્રી રેસીડેન્સી, માધવ વાટિકા પાછળ, મોરબી બાયપાસ રોડ, માધાપર ચોકડી પાસે, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ધનીબેન ગોહેલ

જેતલસર : ધનીબેન ગોપાભાઇ ગોહેલ (ઉ.વ.૧૦પ) તે જમનભાઇ, વશરામભાઇ, બાવનજીભાઇ, હરિભાઇ (લાયસન્સ સર્વેયર) તથા ભલાભાઇના માતુશ્રી તા. ૧૬ના અવસાન થયેલ છે.

બિરેન ગોહેલ

રાજકોટ : બિરેન હિતેશભાઈ ગોહેલના પુત્ર બીરેન (ઉ.વ.૧૫) તે સ્વ.હિતેશભાઈ વિજયસિંહ ગોહેલના તથા તેના કેવલભાઈના નાનાભાઈ તેમજ સ્વ.કિશોરભાઈ વિજયસિંહ ગોહેલ અજીતભાઈના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કોઠારીયા કોલોની કવોર્ટર નં. બ્લોક નં.૧૩૭, પુલ પાસે રાખેલ છે.

હર્ષદસિંહ સોલંકી

રાજકોટ : હર્ષદસિંહ પ્રદ્યુમનસિંહ સોલંકી તે પ્રદ્યુમનસિંહ વજેસિંહ સોલંકીના નાના પુત્ર તેમજ ક્રિપાલસિંહ પ્રદ્યુમનસિંહ સોલંકીના નાનાભાઈનું તા.૧૭ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૪ થી ૬ શ્રીરામ મંદિર, ૧, રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

અનસુયાબેન જોષી

રાજકોટઃ ગં. સ્વ. અનસુયાબેન પ્રતાપભાઇ જોષી (ઉ.વ.૮૬) તે રાજેશભાઇ તથા લતાબેનના માતુશ્રી તેમજ ભાવનાબેન જોષીના સાસુ (ઔ. ઝા. બ્રહ્મસમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના સહમંત્રી) વિરેનભાઇ મીસ્ત્રીના સાસુ યશના દાદીમાં જૈશિલ તથા અક્ષયના નાનીમાંનું તા.૧૭ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે પ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

દિનેશભાઇ ગોહીલ

સોરઠીયા દરજીઃ દિનેશભાઇ સવજીભાઇ ગોહીલ (કાંટાભાજી વાળા) હાલ રાજકોટનું તા.૧૮ના અવસાન થયેલ છે. તે સંદિપભાઇ તથા ચેતનભાઇના પિતાશ્રીનું બેસણું તા.ર૧ને સોમવારે સાંજે ૪ થી ૬, સોરઠીયા દરજી જ્ઞાતીની વાડી બ્રહ્મસમાજ બસ સ્ટોપ પાસે રૈયા રોડ ખાતે રાખેલ છે.

કુંદનબેન અજાગીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા કુન્દનબેન ગુણવંતરાય અજાગીયા (ઉ.વ.૭૧) તે ગુણવંતરાય તુલસીભાઇ અજાગીયાના ધર્મપત્ની તેમજ અભયભાઇ અને સંજયભાઇના માતુશ્રી તા.૧૭ના શ્રીજી ચરણ પામેલછે. બેસણું તા.ર૧ના સાંજે ૪ થી ૬ સોમનાથ મંદિર, રણુજા મંદિર પાછળ, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

ભાણાભાઇ ટીંબડીયા

રાજકોટઃ ભાણાભાઇ પોલાભાઇ ટીંબડીયા (ઉ.વ.૮પ) તે કાંતાબેન ટીંબડીયાના પતિ તથા ગોબરભાઇ, બાબુભાઇ, જેન્તીભાઇ, અશ્વીનભાઇ ટીંબડીયાના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬, બાલાજી હોલ પાછળ, શ્રી રામપાર્ક સોસાયટી, શેરી નં.૧ર, કોમન પ્લોટ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઇ દવે

રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ (મુળ જોડીયા) હાલ રાજકોટ લક્ષ્મીશંકરભાઇ અંબારામ દવેના પુત્ર રજનીકાન્તભાઇ દવે (ઉ.વ.૬૩) (આર.ટી.ઓ.) એજન્ટ, તે ભરતભાઇના મોટાભાઇ તથા આશિષ અને પરાગના પિતાશ્રી તેમજ મુળ ખોડાપીપર વાળા કિશોરભાઇ એમ. જોષીના બનેવીનું તા.૧૭ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ, મીલપરા શેરી નં.૧, ગુલાબવાડી તા.ર૧ને સોમવારે સાંજે પ થી ૬ રાખવામાં આવેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મધુબેન ભુપતાણી

રાજકોટઃ ગોંડલવાળા સ્વ.શાંતિલાલ વિઠ્ઠલદાસ ખખ્ખર તેમજ લલીતાબેનના પુત્ર વિનોદભાઈ શાંતિલાલ ખખ્ખરના મોટાબેન તેમજ પૂર્વ કોર્પોરેટર રંજનબેન ખખ્ખરના નણંદ ગં.સ્વ.મધુબેન જીતેન્દ્રભાઈ ભૂપતાણી તા.૧૬ને બુધવારના રોજ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતની સાદડી તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હેતલબેન વાઘેલા

રાજકોટઃ વિરાણી સાયન્સ, યોગીજી મહારાજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા હિતેષભાઇ મનસુખભાઇ વાઘેલાના ધર્મપત્ની તેમજ કુંડલીયા કોલેજ અને હીરાણી કોલેજમાં ફરજ બજાવતા મેહુલભાઇ વાઘેલાના ભાભી હેતલબેન હિતેષભાઇ વાઘેલાનું તા.૧૭/૧૦ ના રોજ અવસાન થયું છે.