Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019
જામજોધપુરના પત્રકાર ભરતભાઇ ગોહિલના માતુશ્રીનું અવસાન

જામજોધપુર : ભનુભાઇ કાનાભાઇ ગોહિલના ધર્મપત્ની સ્વ. લીલાબેન (ઉ.વ.૬૬) તે ભરતભાઇ ગોહિલ-પત્રકાર, મુકેશભાઇ, વિઠલભાઇ અને લખનભાઇના માતુશ્રી અને જીજ્ઞેશ, શિવમ, વૈભવ, નિરજના દાદીમાનું તા. ૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ધાર્મિક કાર્યક્રમ અને ઉતરક્રિયા તા. ર૬ને સોમવારે મુળ નિવાસ સ્થાન મેલાણ ગામે સવારે ૯થી ૪ વાગ્યા દરમ્યાન રાખેલ છે.

અમરેલીઃ માહિતી ખાતાના નિવૃત સહાયક અધિક્ષક લગધીરની પુત્રીનું અવસાન

અમરેલીઃ કુ. રિધ્ધિ નારણભાઇ લગધીર (ઉ.વ.૩૦) તે માહિતી ખાતાના નિવૃત સહાયક અધિક્ષક એન. વી. લગધીર અને દક્ષાબેનની પુત્રી તથા બ્રિઝલની મોટી બહેન તા.૧૯ના રોજ અવસાન પામેલ  છે.

અવસાન નોંધ

કિશનચંદ ભખતીયાપુરી

રાજકોટ : સ્વ.કિશનચંદ કિરોડીમલ ભખતીયાપુરી તે ધનરાજભાઈ કિશનચંદ ભખતીયાપુરીના પિતાશ્રીનું તા.૧૮ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું - પઘડીયુ તા.૨૧ના બુધવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે શ્રી ગુરૂ મંદિર ૦૫, ગાયકવાડી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

મહેન્દ્રભાઈ શીશાંગીયા

રાજકોટ : (ગઢની રાંગવાળા શીશાંગીયા) મુળ રાજકોટ નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ નાનુભાઈ શીશાંગીયા (વાણંદ) (ઉ.વ.૫૪) તે સ્વ.નાનાલાલ ગોવિંદજીભાઈ શીશાંગીયાના પુત્ર અને સ્વ.ભીખાભાઈ, સ્વ.ચુનીભાઈ શીશાંગીયાના ભત્રીજા તેમજ સ્વ.રસીકભાઈ નાનાભાઈ શીશાંગીયા તથા અરૂણભાઈ નાનાલાલ શીશાંગીયા તેમજ શીવાભાઈ ભીખાભાઈ શીશાંગીયા અને નવલભાઈ ચુનીભાઈ શીશાંગીયાના ભાઈનું તા.૧૯ના સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી વાળંદ જ્ઞાતિની વાડી, લક્ષ્મીનગર રાજકોટ ખાતે રાખેલ છે.

દયાબેન શનિશ્વરા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય પોરબંદર નિવાસી હાલ રાજકોટ સ્વ.ચીમનલાલ વૃંદાવન શનિશ્વરાના ધર્મપત્નિ દયાબેન (ઉ.વ.૭૩) તે ભગવાનજીભાઈ, દલપતભાઈના નાનાભાઈના ધર્મપત્નિ, જેન્તીભાઈના ભાભી અને જયભાઈના માતુશ્રી તે મનીષભાઈ શ્રીનિવાસ (રગડા પેટીસ)વાળાના કાકી તા.૧૯ના શ્રવણ વદ ૪ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ વિદ્યુતનગર સોસાયટી કોમ્યુનિટી હોલ ૨, વિદ્યુતનગર સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન પરમાર

રાજકોટઃ શ્રી સિધ્ધપુરિયા બારશાખ રાજપુત રાજકોટ નિવાસી સ્વર્ગસ્થ રમાબેન મણીલાલ પરમાર (ઉ.વ.૬૫)નું તા.૧૭ના રોજ દેવલોક પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને શુક્રવારે તેમના નિવસાસ્થાને સાંજે ૪ થી ૬ હુડકો કવાટર્સ નં.૧૬૯/ બી ફાયર બ્રિગેડની સામે કોઠારિયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૬૬૨૭  ૩૩૧૫૩

રાજનભાઇ ગોડા

રાજકોટઃ નિવાસી સ્વ.શ્રી જગમોહનભાઇ મોનજી ગોડાના પુત્રશ્રી રાજનભાઇ ગોડા જે શૈલદીપ ઇન્ડસ્ટ્રીઝવાળા શ્રી ધીરેનભાઇ ગોડાના ભાઇ તથા કુણાલભાઇ ગોડાના કાકાનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.૨૨ને ગુરૂવારના  સવારે ૧૦ થી ૧૧ ગાયત્રી મંદિર, શેરી નં.૨, ગીતાનગર, પીએન્ડટી કોલોની પાસે, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર રજનીકાંતભાઈ ગોવિંદભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૪૨) તે ગોવિંદભાઈ હિરજીભાઈ સિધ્ધપુરાના પુત્ર તથા જયેશભાઈના નાનાભાઈનું સોમવાર તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬, શ્રમજીવી કોમ્યુનીટી હોલ, ગુરૂકુળ પાણીના ટાંકા સામે, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષકુમાર ગેડીયા

રાજકોટઃ ડાયાલાલ ભીમજીભાઈ ગેડીયાના પુત્ર હિતેષકુમાર ડાયાલાલ ગેડીયા (ઉ.વ.૫૬) તેઓ શિવલાલાભાઈ વાલજીભાઈ ગાંગાણીના જમાઈ તેમજ કિર્તીભાઈ, કમલેશભાઈ, સ્વ.ભાવેશભાઈ, પરેશભાઈ તથા સમીરભાઈના ભાઈ સ્વ.શીવલાલભાઈ, કાંતીભાઈ અને ભરતભાઈના ભત્રીજાનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ''અંબા આશિષ'', ૧૮, લક્ષ્મીવાડી, બોલબાલા મંદિરની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

મનીષભાઇ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઢીયા સઇ સુતાર રાજકોટ વાળા હાલ મુંબઇ ભાયદર વલ્લભભાઇ વિરજીભાઇ મકવાણાનાં પુત્ર મનીષભાઇ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.૪પ) તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. તે માલતીબેનના પતિ તથા ધ્રુવનાં પિતાશ્રી તથા કૌશીકભાઇનાં મોટાભાઇ તથા રાજેશભાઇ જેઠાભાઇ મકવાણા, મહેશભાઇ જેઠાભાઇ મકવાણા તથા સ્વ.પંકજભાઇ પ્રભુદાસભાઇ મકવાણા તથા કેતનભાઇનાં ભાઇનું બેસણું તથા દીનેશભાઇ છગનભાઇ સોલંકી (ખેરડી વાળા)નાં જમાઇની સાદડી તા.રરને ગુરૂવારે સાંજે ૪ થી પ, મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતીની વાડી કમળગંગા વાડી વિજય પ્લોટ શેરી નં.રર/ર૪નો ખુણો ખાતે રાખેલ છે.

અબ્દુલ્લાભાઇ વાડીવાલા

રાજકોટઃ અબ્દુલ્લાભાઇ ફીદાઅલી વાડીવાલા (ઉ.વ.૭૬) તે ફરીદાબેનના શોહર, અસગરભાઇ, ઇનાયતભાઇ, શબ્બીરભાઇ, રૂબાબબેન (બગસરા), હસીનાબેન (જુનાગઢ), ફાતેમાબેન (વઢવાણ)ના ભાઇ, અનીસાબેન (ધોરાજી), મુરતઝા, હુસેનના બાવાજી, જોયબભાઇ (ધોરાજી)ના સસરા, તા.૧૯ના વફાત થયા છે. તેમના જીયારતના સીપારા તા.ર૧ના મવાઇદ, સૈફી કોલોની ખાતે બપોરે ૧-૩૦ કલાકે રાખેલ છે.