Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019
જસદણ હવેલીના પ્રમુખ પ્રાણભાઇ ગાંધીનું અવસાન

જસદણ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના પ્રમુખ પ્રાણલાલ કેશવલાલ ગાંધી (ઉ.વ.૮૦) નું આજે સવારે જસદણ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર મળતા જ વૈષ્ણવ હવેલીના હોદ્ેદારો, વણિક સમાજના હોદ્ેદારો, અગ્રણી વેપારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા.ચંપકભાઇ, પ્રવીણભાઇ, અશોકભાઇ, તથા અશોકભાઇ ગાંધીના મોટાભાઇ તેમજ દિલીપભાઇ ગાંધીના પિતાશ્રી, પ્રાણભાઇ ગાંધી વાજ સુરેશ્વર મંદિરના શિવ શકિત મંડળ, જસદણ વણિકજ્ઞાતી સમાજ  શિવરાજપુર વૈષ્ણવ હવેલી સહીત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.

જામનગરના સેવાભાવી વેપારી ગુલાબભાઇ દાવડાનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

જામનગર : રઘુવંશી સેવાભાવી વેપારી ગુલાબભાઇ મોહનલાલ દાવડા (ઉ.૭૦) (ઠક્કર એન્ડ કંપની ગ્રેઇન માર્કેટ) તે સ્વ. મોહનલાલ નારણદાસ દાવડાના પુત્ર અને સ્વ. નંદલાલભાઇ (રાજકોટ)ના લઘુબંધુ તેમજ મનસુખભાઇ, જગદીશભાઇ તથા મયુરભાઇ (ઠક્કર એન્ડ કંપની)ના વડીલ બંધુ અને ગૌરવ, દર્શના, મનીષકુમાર (નાસીક), બોની રીંકુકુમાર શિંગાળાના પિતાશ્રી, તેમજ ભાવિન, જીગર, અને વિરલના અદા તેમજ ઓખાના મનહરલાલ મથુરાદાસ ગોકાણીના જમાઇ તા. ૧૯ ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલછે.

પ્રાર્થનાસભા તા. ર૦ ના સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલમાં તથા બહેનો માટે સેલરમાં રાખેલ છે.

ઓખા વાળા સ્વ. સુરેશભાઇ, હરેશભાઇ, જયેશભાઇ, વિજયભાઇ, પરેશભાઇ, રોહિતભાઇ, પ્રવિણભાઇ ના સદગત મોટા જીજાજીની માવતર પક્ષની સાદડી તા. ર૧ શુક્રવારના રોજ સાંજે પ થી પ.૩૦ ઉષેશ્વર મહાદેવ મંદિર દાવડા હોલ ઓખા ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

અબ્બાસભાઇ સાબુવાલા

રાજકોટઃ સુરેન્દ્રનગર નિવાસી અબ્બાસભાઇ મુલ્લા ગુલામહુસેન સાબુવાલા તે તસ્નીમબેનના શોહર મુલ્લા સેફુભાઇ મહમદભાઇ, ફીરોજભાઇના ભાઇ, દાઉદભાઇ, ઇસુકીભાઇના કાકા વફાત થયા છે. તેમની જીયારત તથા સીયુમના સીપારા શુક્રવાર બપોરેના ૧૨ વાગે સૈફી મહોલ્લા મસ્જીદમાં રાખેલ છે.

ચંદ્રીકાબેન માવાણી

રાજકોટઃ કંસારા પોપટલાલ કાનજીભાઇ ધેલાણીના પુત્રી ચંદ્રીકાબેન માવાણી રહે. આણંદનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું  મોસાળ પક્ષનું બેસણું તા.૨૧ શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમિયાન રાજકોટ કંસારા મહાજન વાડી, લોહાણા પરા ખાતે રાખવામાં આવેલ છે.

દિનેશભાઇ ગોટેચ

વાંકાનેરઃ દિનેશભાઇ વશરામભાઇ ગોટેચા (ઉ.વ.૮૦) તે સ્વ.બાબુભાઇ તથા સ્વ.ભુપતભાઇના ભાઇ તથા પંકજભાઇ, બીપીનભાઇ તથા સંજયભાઇના પિતાશ્રી તથા ચોટીલા વાળા સ્વ.કાનજીભાઇ સુંદરજીભાઇ પુજારાના જમાઇનું તા.૧૭ના અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી ગંગેશ્વર મહાદેવ મંદીર, ભાટીયા સોસાયટી, વાંકાનેર રાખેલ છે.

નારણદાસ કારીયા

વાંકાનેરઃ નારણદાસ હરીભાઇ કારીયા (ઉ.વ.૯૦) તે ભુપતભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાશ્રી તથા સૌરભ અને મોહીતના દાદાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.ર૧ને શુક્રવારે સાંજે પ-૦૦ વાગ્યે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર જડેશ્વર રોડ, વાંકાનેર રાખેલ છે.

ભાવસીંગભાઇ ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપુત ભાવસીંગભાઇ માનસીંગભાઇ ગોહેલ તે પ્રદીપભાઇ તથા શકતીભાઇના પિતા તથા દિલીપભાઇના કાકા કિરીટભાઇ રાઠોડના સસરાનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬, રણુજા મંદિર કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

યશવંતલાલ શાહ

રાજકોટઃ વહાણવટી એસ્ટેટ એજન્સી વાળા યશવંતલાલ શાંતીલાલ શાહ (કનુભાઇ) (ઉ.વ.૭૬) તે સ્વ.શાંતિલાલ કેશવલાલ શાહના પુત્ર તથા સ્વ.નવીનભાઇ તથા નરેન્દ્રભાઇના ભાઇ, સ્વ.શાંતીલાલ વિઠ્ઠલદાસ ધારૈયાના જમાઇ અને રૂત્વાબેન વિક્રમભાઇ પારેખ, મૌલીકાબેન જીગરભાઇ શાહના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ના ગુરૂવારે સાંજે પ થી ૬, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રૈયા રોડ, સુભાષનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઇ ટાંક

રાજકોટઃ વંદના તથા સુનીલના પિતાશ્રી ટાંક મહેન્દ્રભાઇ છગનલાલ (ઉ.વ.૬૦) તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ના સાંજે પ થી ૭ સહકાર સોસાયટી શેરી નં.૭, શ્રી સહકારેશ્વર મહાદેવ મંદીરમાં રાખેલ છે.

સુરેખાબેન મહેતા

રાજકોટ : બાજ ખેડાવળ બ્રાહ્મણ સુરેખાબેન મહેતા (ઉ.વ.૬૫) તે અશ્વિનભાઈ મુળશંકરભાઈ મહેતા (નિલકંઠ ભાભા બજારવાળા)ના મોટા બહેનનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર ચોક, રામેશ્વર મંદિર રૈયા રોડ પાછળ રાખેલ છે.

ચંદ્રિકાબેન દવે

રાજકોટ : ચા.મ.મો.બ્રા. ચંદ્રિકાબેન હર્ષદરાય દવે તે સ્વ.હર્ષદરાય એચ. દવેના ધર્મપત્નિ, તે સંદિપ તથા ફાલ્ગુનીબેનના માતુશ્રી તથા ઘનશ્યામભાઈ, દક્ષાબેન, દુર્ગાબેનના ભાભી તેમજ અશ્વિનભાઈના બેનનું તથા કૌશલભાઈના નાનીમાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨૧ના શુક્રવારે રોજ તેમના નિવાસસ્થાને પ્રમુખનગર - ૪ 'ગણેશ કૃપા' હોટલ ફોર્ચ્યુન પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

અમૃતલાલ રાજપોપટ

સાણથલી :  સ્વ. ટપુલાલ અમરશી રાજપોપટ ના પુત્ર અમૃતલાલભાઇ ટપુભાઇ (ઉ.વ.૮૫) ઘાટકોપર મુંબઇવાળા તે સ્વ. પ્રાણલાલભાઇ ના નાનાભાઇ અને લલીતાબેન કનુભાઇ ઉનડકટ (મોટા દડવા), પુષ્પાબેન મનહરલાલ વસંત (રાજકોટ) તથા જયંતીભાઇ અને હસુભાઇ, રમેશભાઇ (સાણથલી વાળા) ના મોટાભાઇ તેમજ મનિષ તથા મેહુલ (ઘાટકોપર) ના પિતાશ્રીનું અવસાન તા. ૧૮/ર્૬/૨૦૧૯ ના રોજ મુંબઇ મુકામે થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨/૬/૨૦૧૯ નારોજ સાણથલી મુકામે શામળાબાપના મંદિર, બસસ્ટેન્ડ પાસે રાખેલ છે

ચંદ્રકાંતભાઇ મહેતા

રાજકોટઃ નિવાસી સ્વ. બાલાચંદ વખતચંદ મહેતાના પુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉ.વ.૮૨) તેઓ શ્રી સ્વ. ચંદુલાલભાઇ, પુષ્પાબેન મનસુખલાલ દોશી (મલેશીયા), અ.સૌ. ભાનુબેન ધીરજલાલ પારેખ (મુંબઇ)ના ભાઇ તથા દિનેશભાઇ, રાજેષભાઇ, અ.સૌ. રજજુબેન દિલીપભાઇ ગાંધી (મુંબઇ) અસૌ. ચેતનાબેન અનીલભાઇ કાનાબાર (લીસ્બન)ના પિતાશ્રી તથા અમીત, હર્ષીત, અસૌ. ચાર્મીબેન ચિનમય મહેતા (અમદાવાદ) ના દાદા તથા ચોકી નિવાસી સ્વ. તલકચંદ લાધાભાઇ સંઘવીના જમાઇ તા.૧૮ને મંગળવારના અરિહંત શરણ પામેલ છે. તેઓશ્રીનું ઉઠમણું તા.૨૧ને શુક્રવાર સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૧ કલાકે વીરાણીવાડી રામનાથપરા, કોઠારીયા નાકા પાસે રાખેલ છે.

કિશોરદાસ વિષ્ણુસ્વામી

રાજકોટઃ લીલાપુર નિવાસી કિશોરદાસ ભગવાનદાસ વિષ્ણુસ્વામી તે ભાવેશભાઇ તથા વિશાલભાઇના પિતા તેમજ ધીરજલાલ ભગવાનદાસ વિષ્ણુસ્વામીના નાનાભાઇ અને અશ્વિનભાઇ ભગવાનદાસ વિષ્ણુસ્વામીના મોટાભાઇનું તા.૧૮ને મંગળવારના રોજ અવસાન થયું છે.

વિજયાબેન કુબાવત

જુનાગઢ :  વિજયાબેન મયારામ કુબાવત (ઉ.વ. ૮૮) તેઓ સ્વ. રમેશભાઇ કુબાવતના માતુશ્રી અને જીજ્ઞેશભાઇના દાદીમાનું અવસાન થયું છે. બેસણું તા. ૨૧ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬  તેમના નિવાસસ્થાને, રાજમોતી સોસાયટી, ખ્રામધ્રોળ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.