Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018
ભાવનગરના પત્રકાર ધાનકનું નિધનઃ પ્રેસ કલબની શોકાંજલિ

ભાવનગર તા. ર૦: ભાવનગરના પત્રકાર કેતનભાઇ ધાનકનું ટુંકી બિમારી બાદ નિધન થયું છે. આજે સવારે તેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં પત્રકારો, આગેવાનો અને સગા-સબંધી-મિત્રો જોડાયા હતા.

ભાવનગરમાં આજકાલ દૈનિકમાં ક્રાઇમ રીપોર્ટર તરીકે ફરજ બજાવતાં કેતનભાઇ ધાનકનું ટુંકી બિમારી બાદ નિધન થતાં પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. છેલ્લા બે દાયકાથી તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. પત્રકારીત્વ પૂર્વે એ છાત્ર જનતાદળનાં વિદ્યાર્થી નેતા તરીકે સારી કામગીરી કરી હતી. આજે સવારે ૮-૩૦ કલાકે કેતનભાઇ ધાનકની અંતિમ યાત્રા તેમનાં નિવાસસ્થાન કાળીયાબીડથી નીકળી હતી. પ્રેસ કલબે શોકની લાગણી વ્યકત કરી શોકાંજલી પાઠવી છે.

જુની પેઢીના કોમર્શીયલ આર્ટીસ્ટ અને બાળકોના નીરૂસરની અલવિદા

રાજકોટ : ગુ.ક્ષ.કડિયા નિરંજનભાઇ જગજીવનભાઇ માવદીઆ (નિરૂસર) તે સોનલબેન જતીનકુમાર રાઠોડ (ડોમ્બીવલી) તથા ફાલ્ગુનીબેન પ્રવિણભાઇ મારૂના પિતાશ્રી સ્વ. પ્રાણજીવનભાઇ, અનિલભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, હરીશભાઇ, સ્વ. ચંદનબેન અને સ્વ. મધુબેનના ભાઇનું તા. ૧૯ ને ગુરૂવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. તેમણનું બેસણું તા. ર૧ ને શનિવારે, સાંજે પ થી ૬, તેમના નિવાસ સ્થાને મહાવીર પાર્ક, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

હડમતાળાના સજ્જનબા જાડેજાનું ૧૦પ વર્ષની વયે અવસાન

ગોંડલ : હડમતાળા નિવાસી સજ્જનબા મોતીભા જાડેજા (ઉ.૧૦પ) તે સ્વ. દિલીપસિંહ, ચંદુભા, સ્વ. વનરાજસિંહના માતુશ્રી મહેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, રાજપાલસિંહ, રાજેન્દ્રસિંહ, અરવિંદસિંહ, રામદેવસિંહ ના દાદીમાનું તા. ૧૯ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ર૩ ને સોમવારે હડમતાળા રાખેલ છે.

ડો.દુર્લભજીભાઇ મકવાણા

રાજકોટઃ મુળ જૂનાગઢ, હાલ-રાજકોટ નિવાસી ડો.દુર્લભજીભાઇ જીવરાજભાઇ મકવાણા, તે જતિનભાઇ તથા વિરલભાઇના પિતાશ્રી તેમજ સ્વ.બાબુભાઇ, નાગજીભાઇ, ભગવાનજીભાઇ તથા રમેશભાઇનાં ભાઇશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૧ શનિવારે સાંજે ૪ થી ૬, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન રાઠોડ

રાજકોટઃ હંસાબેન દીલીપભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) તે દીલીપભાઇ હીરજીભાઇ રાઠોડના ધર્મપત્ની, હીરજીભાઇ કનુજીભાઇ રાઠોડના પૌત્રવધુ મીલનભાઇ રાઠોડ (રામદૂત ગ્રુપ વાળા) બકુલભાઇ રાઠોડના ભાભી કિશનભાઇ રાઠોડના માતુશ્રી દીપકભાઇ રાઠોડ, સુનીલભાઇ રાઠોડ આનંદભાઇ રાઠોડના ભાભુનંુ તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ના શુક્રવારે આનંદી આશ્રમ ૧,લક્ષ્મીનગર ખાતે સાંજના ૪ થી ૬ તેમજ તેમની ઉત્તરક્રિયા તા.ર૪ના મંગળવારના રાખેલ છે.

ભાણજીભાઇ ધાણક

રાજકોટઃ પરજીયા પટ્ટણી સોની વેરાવળ બહેરીન નિવાસી રમેશભાઇ ભાણજીભાઇ ધાણકના પિતાશ્રી ભાણજીભાઇ રણછોડભાઇ ધાણક (ઉ.વ.૮૩)  તે અમુભાઇ રણછોડભાઇ ધાણકના નાના ભાઇ, અને દક્ષાબેન શૈલેષકુમાર જીણાદ્રા, સ્વ.પન્નાબેન રજનીકાન્ત જગડા, સ્વ.રેણુકાબેન નરેન્દ્રકુમાર વાયા તથા ધીરજભાઇ, રમેશભાઇ, ચંદ્રકાન્તભાઇના પિતાશ્રી તા.૧૬ના અમદાવાદ ખાતે શ્રીજી ચરણ પામેલ છે.

રમણીકભાઇ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.હરીલાલ લક્ષ્મીચંદ જોબનપુત્રાના પુત્ર રમણીકભાઇ મુંબઇ (મીરા રોડ) તે કેશોદના સ્વ.ત્રીભુવનદાસ હંસરાજ વીઠ્ઠલાણી જમાઇ તથા સ્વ.કિશોરભાઇ, હાલ સુરેશભાઇ, નીતીનભાઇ, કીરણભાઇ, બકુલભાઇ તથા સ્વ.કલાવતીબેન ખખ્ખરના ભાઇનું ધામગમન થયેલ છે.

ઇન્દુબેન જોષી

રાજકોટ : અમદાવાદના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ઇન્દુબેન હર્ષવદન જોષી (ઉ.૭૬) તે સ્વ. હર્ષવદન ઉમીયાશંકર જોષીના ધર્મપત્ની, તેમજ ગીરીશ હર્ષવદન જોષી ચાંદખેડા-અમદાવાદ, રેખા, મુંજાલ મહેતા, બોપલ અમદાવાદ, માલતિ અતુલ મહેતા, અસારવા-અમદાવાદ, નિતા હર્ષદ પાઠક-કાળીયાબીડ ભાવનગરના માતુશ્રીનું  અવસાન તા. ૧૮ ને બુધવારે થયેલ છે. સ્વ. ઇન્દુબેનનું બેસણુ તા. ર૦ ને શુક્રવારે સાંજે પ.૩૦ થી ૭.૩૦ તેમના નિવાસ સ્થાન ૮૧પ પાર્શ્વનાથ (જનતા) નગર, આશાપુરા પ્રોવીઝન સ્ટોર સામેની ગલી, મેઇન રોડ, કોમન પ્લોટથી આગળ, ઓ.એન.જી.સી. ગેસ્ટ હાઉસ પાસે ચાંદખેડા અમદાવાદ ખાતે રાખેલ છે.

પ્રફુલાબા ઝાલા

રાજકોટઃ જંડેશ્વર કોઠારીયા હાલ રાજકોટ નિવાસી ગિરિરાજસિંહ જામભા ઝાલાના ધર્મપત્ની ઝાલા પ્રફૂલાબા ગિરિરાજસિંહ (ઉ.વ.૫૫) તેમજ હરદેવસિંહ જામભા ઝાલાના ભાભીશ્રી તેમજ જયપાલસિંહ ઝાલા, હિમાક્ષીબાના માતૃશ્રી તથા દિવ્યરાજસિંહ,ધર્મિષ્ઠાબા, પ્રિયંકાબા ઝાલાના ભાભુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ શુક્રવાર સાંજેના ૫ થી ૭ તેમના નિવાસ સ્થાન બજરંગવાડી પાણીના ટાંકા પાછળ બંધ શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન દિક્ષીત

ઉના : ગીર ગઢડા તાલુકાનાં ઝાલાવડ ગામનાં શ્રી ગોડ મેડતવાળ બ્રાહ્મણ પુષ્પાબેન જીવનભાઇ દિક્ષીત (ઉ.૯૦) તે કાંતીભાઇ, વિનોદભાઇ, ચંદ્રકાન્તભાઇ, અનિલભાઇ, ગીતાબેન, નયનાબેન, ઉર્મિલાબેનના માતુશ્રી તા. ૧૮ નાં ખીલાવડ ગામે કૈલાસવાસી થયા છે. ઉઠમણુ તા. ર૦ મીને શુક્રવારે સાંજે ૪ થી ૬ ખીલાવડ મુકામે તેના નિવાસ સ્થાને રાખેલ છે.

બચુભાઇ કંસારા

ઉના : કંસારા બચુભાઇ માધવભાઇ (ઉ.૭૭) (પ્રકાશ વાસણ ભંડાર) તે નરેન્દ્રભાઇના મોટા ભાઇ ત્થા બિમલભાઇ, અભયભાઇના  પિતાશ્રી તા. ૧૯ મીના અવસાન પામેલ છે. બેસણુ તા. ર૦ મીએ શુક્રવારે તેમના નિવાસ સ્થાન વિદ્યાનગર સોસાયટી દેલવાડા રોડ ઉના રાખેલ છે.

હિંમતભાઇ ચોલેરા

ઉના : ગીર ગઢડા તાલુકાના ધોકડવા નિવાસી હિંમતભાઇ મગનભાઇ ચોલેરા (ઉ.૮૩) તે દિપકભાઇ સ્વ. ભાવેશભાઇ, હરેશભાઇના પિતાશ્રી ત્થા અરવિંદભાઇનાં કાકા તા. ૧૯ મીએ અવસાન પામેલ છે. તેમનું બેસણુ ર૦ મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન વાણીયા શેરી ધોકડવા રાખેલ છે.

મનસુખભાઇ દોશી

ધોરાજી : મનસુખભાઇ કેશવજીભાઇ દોશી (ઉ.૯ર) તે હેમતભાઇ, ઇશ્વરભાઇ તથા નિર્મળાબેન ના ભાઇ તથા અનીલભાઇ, રમેશભાઇ, પંકજભાઇ દોશીના પિતાશ્રીનું તા. ૧૯ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર૧ ને શનિવારે સવારે ૧૦ વાગ્યે તથા પ્રાર્થના સભા સવારે ૧૧ વાગ્યે ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.

પ્રાગજીભાઇ તારાપર

ગોંડલઃ પ્રાગજીભાઇ વશરામભાઇ તારાપર ઉ.વ.૭૭ તે સંજયભાઇ તથા જીતેન્દ્રભાઇના પિતા, હર્ષ તથા દર્શનના દાદાનુ તા.૧૯ના અવસાન થયેલ છે, બેસણુ તા.૨૧ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન ભોજરાજપરા શેરી નંબર ૬ માર્ગ નં.૧૫ ગોંડલ ખાતે રાખેલ છે.

હેમીબેન લાઠીયા

રાજકોટઃ નિવાસી હેમીબેન પરસોતમભાઈ લાઠીયા (ઉ.વ.૮૫) તે સ્વ.પરસોતમભાઈ મનજીભાઈ લાઠીયાના ધર્મપત્ની તથા હરસુખભાઈ અને પ્રવિણભાઈના માતુશ્રી તથા યોગેશભાઈ અને જયદીપભાઈના દાદી તા.૧૯ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના રોજ નિવાસસ્થાન લક્ષ્મીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

આદમઅલી સાયકલવાલા

મોરબીઃ આદમઅલી અકબરઅલી સાયકલવાલા (ઉ.વ.૮૪) તે મુર્તઝાભાઈ - (રાજબેંક- મોરબી) તથા સકીનાબેન મદ્રાસવાલાના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. જીયારતના સીપારા તે શનિવારેે જોહર-અસરની નમાઝ બાદ સેફી મસ્જીદ મોરબી મુકામે મરદો- બૈરાઓના સાથે રાખેલ છે.

હંસાબેન મકવાણા

ગોંડલ : હંસાબેન શાંતિલાલ મકવાણા તે શાંતિલાલ કલ્યાણજીભાઇ મકવાણા ના પત્ની તથા મનહરભાઇ, નિલેશભાઇ, યોગેશભાઇના માતા તથા હેમંત, આશુતોષ, અમૃતના દાદીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ અંકુર સ્ટુડિયો, ભગવતપરા શેરીનં-૧૫, મેઇન રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

શાંતિલાલ ભાડેશીયા

ગોંડલ : ગુર્જર સુથાર શાંતિલાલ પરશોત્તમ ભાડેશીયા તે બિરેનભાઇ તથા નીરજભાઇના પિતા તથા દિલીપભાઇ યુએસએ, જગદીશભાઇ, દિપકભાઇના કાકા તથા મીતના દાદાનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ શનિવાર સાંજે ૫ થી ૬:૩૦ કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ભોજરાજપરા, શેરી નંબર ૨૮ ગોંડલ ખાતે રાખેલ છે.

કુસુમબેન ગોટેચા

રાજકોટઃ સ્વ.દયાળજી અમરશી ગોટેચાના પુત્રવધુ તે સદગુરૂ ડિપાર્ટમેન્ટ સ્ટોરવાળા હર્ષદભાઈ દયાળજી ગોટેચાના ધર્મપત્ની કુસુમબેન તે ચિરાગભાઈ, દીપા રિતેશભાઈ પારેખ, પૂજા પિયુષકુમાર ગોકાણીના માતુશ્રી તે મહેન્દ્રભાઈ, જીતુભાઈ ગોટેચાના ભાભી તેમજ સ્વ.વજુભાઈ કોટકના પુત્રી તથા રાઘવભાઈ, અશ્વિનભાઈ, ઘશ્યામભાઈ, રવિભાઈ તથા ભરતભાઈ કોટકના બહેન તે કીર્તિબેન વ્રજલાલ ઠકરાર, હીનાબેન હરિભાઈ મોરઝરીયા, કોકિલાબેન જયંતિલાલ ગણાત્રાના બહેનનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષોનું ઉઠમણું તા.૨૧ શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે પુષ્કરધામ મંદિર, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે

મનસુખભાઈ દોશી

રાજકોટઃ શ્રી રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીના વડીલ બંધુ મનસુખભાઈ દોશી ધોરાજી સંઘ ઉપ પ્રમુખ (ઉ.વ.૯૨) તા.૧૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓશ્રીએ ધોરાજી સંઘશ્રી વર્ષો સુધી સેવા કરેલ. તેમજ સાધુ- સાધ્વીની ર્વૈયાવચ સેવા કરેલ. તેઓ ધોરાજી મુકામે અવસાન પામેલ છે. તેઓનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા ધોરાજી મુકામે તા.૨૧ તે શનિવારના રોજ ઉઠમણું સવારે૧૦ વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે  ગાંધીવાડી સ્ટેશન પ્લોટ ધોરાજી ખાતે રાખેલ છે.

મુકતાબેન વડગામા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ. કલ્યાણજીભાઇ ત્રિભોવનભાઇ વડગામાના ધર્મપત્ની મુકતાબેન વડગામા (ઉ.વ.૯૫) તે મીસ્ત્રી ઓટો ગેરેજવાળા સ્વ. રોહીતભાઇ, સ્વ. પ્રકાશભાઇ, કિરીટભાઇ, મીરાબેન, વિરેન, હિતેશ, મિતેશ, નિશાંત, શનિ, ભુમિ નિલેશકુમાર દીલીપભાઇ બદ્રકીયાના દાદીમાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૧ ના સાંજે પ થી ૬ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ખાતે રાખેલ છે.