Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020
મહેન્દ્રભાઇ દોશીના ધર્મપત્નિ જયોત્સનાબેનનું અવસાન

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ જયોત્સનાબેન મહેન્દ્રભાઇ દોશી (ઉ.વ.૭૦) તે શ્રી મહેન્દ્રભાઇ ચુનીલાલ દોશીના ધર્મપત્નિ તથા સમીર, નીતુલ અને સ્વ. ભાવિનના માતુશ્રી તથા અ.સૌ. દિપ્તી તથા અ.સૌ. રૂપાના સાસુ તથા સ્વ. દિનેશભાઇ અને રાજેશભાઇ, સ્વ. રેખાબેન ઘેલાણી, ગં.સ્વ. હીરાબેન શાહ, સ્વ. પ્રજ્ઞાબેન દોશી, સ્વ. પ્રેમીલાબેન ટિંબડીયા, સ્વ. જયશ્રીબેન જોબલીયા, સ્વ. મુદુલાબેન દોશી, માલતીબેન કોઠારી, ભારતીબેન કામદારના ભાભી, તથા મીનાક્ષીબેનના દેરાણી તથા નીતાબેનના  જેઠાણી તથા દેવ, સ્વયમ અને દિવ્યમના દાદી તેમજ સરસઇ નિવાસી સ્વ. મધુરાબેન નેમચંદભાઇ ગાંધીના દીકરી, તથા લલીતભાઇ ગાંધી તથા ધનેશભાઇ ગાંધીના બહેન તા.૧૯ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ને આજે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે શ્રી સ્થાનકવાસી, જૈન મોટા સંઘ, રોયલ પાર્ક ઉપાશ્રય, શ્રી સી.એમ. શેઠ પૌષધશાળા, જી.ટી.શેઠ સ્કુલ પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાયેલ હતુ.

અવસાન નોંધ

૧૦૧ વર્ષની વયે શાન્તાબેન ગૌસ્વામીનું સ્વર્ગારોહણ : સોમવારે બેસણુ

માણાવદર : શાન્તાબેન પ્રભાતજતિ ગૌસ્વામી (ઉ.વ.૧૦૧) તે પ્રવિણજતિ, કુમનજતિ, મુકેશજતિ, મનોજજતિના માતુશ્રી તા. ૧૯ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૩ સોમવારે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન જૂન બાવાવાડી, પાણીના ટાંકા પાછળ, માણાવદર ખાતે રાખેલ છે.

ભાવેશભાઇ જોશી

ભાવનગર : સમઢીયાળા નિવાસી જોશી (પનોત) ભાવેશભાઇ બાલાશંકરભાઇ (ઉ.વ.૩ર), તે પનોત બાલાશંકરભાઇ ભાઇશંકરભાઇના પુત્ર, બચુભાઇ ભાઇશંકરભાઇ પનોતના નાનાભાઇના દિકરા, પનોત જયશંકરભાઇ કરશનભાઇ, ગૌરીશંકર પ્રેમજીભાઇ, નરશીભાઇ સુખદેવભાઇ, રમેશચંદ્ર મોતીરામભાઇ, નરેશચંદ્ર છગનભાઇ, નલીનભાઇ અમરજીતભાઇના ભાઇના દિકરા, પનોત અલ્પેશભાઇ બાલાશંકરભાઇના નાનાભાઇ, પનોત હિતેશભાઇ, ગોવિંદભાઇ, ચંદુભાઇના પિતરાઇ તેમજ પનોત બિરવાબેનના પિતા તેમજ પંડયા રણછોડભાઇ જગજીવનભાઇ (પીપરલા)ના જમાઇ, જાની નંદલાલભાઇ માવજીભાઇ, પ્રભાશંકરભાઇ, સ્વ. પોપટભાઇ, નરેશભાઇ, રામજીભાઇ, પ્રવિણભાઇ (તખ્તગઢ)ના ભાણેજનું તા. ૧૯મીએ અવસાન થયું છે. બેસણુ તા. ર૦ શુક્ર અને શનિ બે દિવસ સમઢીયાળા તેમના નિવાસસ્થાને રાખેલ છે. પિયરપક્ષનું બેસણું (બવળો ખરખરો) પંડયા રણછોડભાઇ જગજીતભાઇ (મુ. પીપરલા વાડીએ) ના નિવાસસ્થાને રાખેલ છે. સુવાળા તા. ર૩ને સોમવારે રાખેલ છે.

ચંપાબેન ખોડા

પોરબંદર : ચંપાબેન તે જમનાદાસભાઇ લાલજીભાઇ ખોડાના પત્ની, બિપીનભાઇના માતુશ્રી, વાસુભાઇ ખોડા બારદાનવાળાના ભાભુ તેમજ જીવનદાસ મથુરાદાસ મોદી જામનગર વાળાના પુત્રીનું તા. ૧૭મીએ અવસાન થયું છે.

લીલાબા ભાટી

રાજકોટઃ નવી મેંગણી નિવાસી સ્વ.લીલાબા માનસિંહ ભાટી તે માનસિંહ કેશરસિંહ ભાટીના પત્ની તથા પ્રતાપસિંહ,  જીલુભા અને દિલીપસિંહના માતુશ્રીનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.ર૭ના રોજ નવી મેંગણી ખાતે રાખેલ છે.

પદમાબેન કારીયા

જુનાગઢઃ પદમાબેન ચંદ્રકાંતભાઇ કારીયા (ઉ.વ.૬૮) તે ચંદ્રકાંતભાઇ વલ્લભદાસ કારીયા (નીવૃત શીક્ષક, થાણાપીપળી વાળા)ના ધર્મપત્ની, જયેશભાઇ(રીલાયન્સ જામનગર) તથા દીવ્યેશભાઇ (ડી. કે. એજન્સી વાળા)ના માતુશ્રી તથા સ્નેહાબેન તેમજ મંથનભાઇના દાદીમાંનું તા.૧૯મીએ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.ર૦ના શુક્રવારે હાટકેશ્વર મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે સાંજના પ થી ૬ રાખેલ છે.

પ્રાણશંકર વ્યાસ

રાજકોટઃ નવા ઊજળા નિવાસી હાલ બગસરાવાળા વ્યાસ પ્રાણશંકર નરભેરામભાઈ તે સંજયભાઈ, જીતુભાઈ, ભરતભાઈનાં પિતાશ્રી તા.૧૯ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું ભગવતી ટ્રેડીંગ કાું. જી.આઈ.ડી.સી. કુવાડવા ખાતે તા.૨૧ના સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

કમળાબેન સવજાણી

રાજકોટઃ મૂળ ભાણવડ નિવાસી (હાલ રાજકોટ) સ્વ.લીલાધર કેશવજી સવજાણીના ધર્મપત્ની ગં.સ્વ.કમળાબેન લીલાધર સવજાણી (ઉ.વ.૮૭) તે રાજેશભાઈ (ઈન્ટીરીયર ડિઝાઈનર), નીતેશભાઈ (એલઆઈસી), આરતીબેન અમરીશ કટારીયા (યુકે), પ્રીતી વિકેશ ખગરામ (યુકે), મનીષા સુકેતુ ઓઝા (યુએસએ)ના માતુશ્રી તેમજ ઈશા, અભીતેજ, ફોરમના દાદીમા તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૦ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, પંચયાતનગર પાસે, શ્રી રામ પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાબુલાલ પંડયા

રાજકોટઃ શ્રી ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ બાબુલાલ વ્રજલાલ પંડ્યા (ઉ.વ.૮૮) તેઓ સ્વ.વિજયભાઈ, બિપીનભાઈ, મનોજભાઈ, સંજયભાઈ તથા રેખાબેન જયેશકુમાર ખેતીયાના પિતાશ્રીનું તા.૧૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ શનિવારે સાંજે ૪ થી ૫, તેમના નિવાસસ્થાને 'ચામુંડા કૃપા' કનકનગર-૪, સંતકબીર રોડ, ગોકુલ પાન વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

શરદચંદ્ર રૂપાણી

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ માંચેસ્ટર (યુ.કે.) શરદચંદ્ર દલપતરાય રૂપાણી (ઉ.વ.૭૯) તે સ્વ.વકીલ જેઠાલાલ પ્રાગજી રૂપાણીના પૌત્ર, સ્વ.દલપતરાય જેઠાલાલ રૂપાણીના પુત્ર શરદચંદ્ર દલપતરાય રૂપાણી ચા વાળા દિલીપભાઈ રૂપાણી, જયોતિબેન પ્રતાપરાય સંઘરાજકા, ઈન્દુબેન રમેશભાઈ શાહ, પરાગબેન સંજયભાઈ કામદાર, સ્વ.નિતાબેન કિરણભાઈ શાહના મોટાભાઈ તે સોનલબેન ડેવિડભાઈ મેથ્યુઝ, રૂચિરભાઈના પિતાશ્રી તે ઈનાયા, એરિકના દાદા તે અમન, ઉષ્મા, અક્ષયના નાના તે બોટાદ નિવાસી સ્વ.છોટાલાલ ઓઘડભાઈ દોશીના જમાઈનું લંડન (યુ.કે.) મુકામે તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.