Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018
વઢવાણના નિવૃત રેલ્વે કર્મચારી હાજી અબ્બાસભાઇ સોલંકીનું ટૂંકી માંદગી બાદ અવસાન

વઢવાણ, તા. ૧૯: વઢવાણ ખાતે રહેતા નિવૃત જીવન ગાળતા રેલ્વે કર્મચારી હાજી  અબ્બાસભાઇ મહંમદભાઇ સોલંકીનું તા. ૧૮ને ગુરૂવારના રોજ ટૂંકી માંદગી બાદ અવસાન થતા પરિવારમાં સગા સ્નેહીજનોમાં દુઃખની લાગણી સાથે શોકનો માહોલ છવાઇ જવા પામેલ હતો.

ગુરૂવારે રાત્રીના હાજી અબ્બાસભાઇ સોલંકીની જનાજા યાત્રામાં બોટાદ, વા઼કાનેર, અમદાવાદ સહિતના ગામોમાંથી સગા સ્નેહીજનો આવી જોડાયા હતા. જેમની જનાજા યાત્રામાં સ્વયંભૂ સર્વજ્ઞાતિના લોકો પણ જોડાયા હતાં.

પરિવારમાં હાજી અબ્બાસભાઇ સોલંકી તેમની ત્રણ પુત્રીઓ અને પત્ની હાજીયાણી રસિદાબેન અનવરભાઇ સોલંકી પુત્ર-પુત્રી હાજીયાણી અફસાનાબેન, મુમતાઝબેન, અંજુમનબેન (પત્રકાર) તેમજ જમાઇ હાજી આશિકભાઇ ચૌહાણ, કાઝી વાહીદભાઇ તેમજ ફારૂકભાઇ ચૌહાણ પત્રકાર, તેમજ પુત્રવધ બિલ્કીશબેન પૌત્ર રમિઝ પૌત્રવધુ નફિશાબેન  પૌત્રી જસ્મીન જસ્મીન જમાઇ રમીઝભાઇ સહિતના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. હાજી અબ્બાસભાઇ સોલંકીની ઝીયારત શનિવારે તા. ર૦ના રોજ સવારે ૯ કલાકે વઢવાણ કસ્બા સિપાઇ જમાત ખાને રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

મગનભાઈ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.મગનભાઈ નાનજીભાઈ રાઠોડ તે સ્વ.અજીતભાઈ નાનજીભાઈ રાઠોડના નાનાભાઈ તથા બહાદુરભાઈ તથા અરૂણાબેન મહેશભાઈ ડોડીયાના પિતાશ્રી તથા મહેશભાઈ, ભાવસિંગભાઈ તથા મુન્નાભાઈ તથા ભલાભાઈના કાકા તેમજ દિનેશભાઈ સવજીભાઈ વાઘેલા, સુરેશભાઈ સવજીભાઈ વાઘેલાના બનેવીનું અવસાન તા.૧૮ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે માયાણીનગર, શેરી નંબર-૧, શ્રી ગંગાસાગર રામજી મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

રૂક્ષ્મણીબેન દલાલ

રાજકોટઃ રૂક્ષ્મણીબેન નરોત્તમભાઈ દલાલ (ઉ.વ.૯૦) તે અશોકભાઈ દલાલ, અમીતભાઈ ભટ્ટનાગર અને કિરણબેન પટેલના માતુશ્રી, મીનલ, રૂપેન (રીજીયોનલ મેનેજર- એચડીબી ફાયનાન્સીયલ સર્વિસ) અને રાજીવ (એરીયા બીઝનેશ મેનેજર- ટેલી સોફટવેર સોલ્યુશન્સ)ના દાદીમા લંડન મુકામે તા.૧૫નાં શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૫ થી ૬, 'મીનલ', ૯ નિલકંઠનગર, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કૃષ્ણચંદ્ર  પંડયા

રાજકોટઃ નથુ તુલશી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ કૃષ્ણચંદ્ર છોટાલાલ પંડયા (ચાડીયા વાળા) (ઉ.વ.૬૩) તે હસમુખભાઇ છોટાલાલ પંડયા, ગં. સ્વ. દુર્ગાબેન જયસુખલાલ મહેતા, સરોજબેન ચંદ્રકાંતભાઇ પંડયાના ભાઇ, તથા એડવોકેટ હિતેષભાઇ પંડયા, તથા  પ્રિતિબેન વિજયકુમાર જોશી, મીનાબેન હિરેનકુમાર જોશી, પ્રવિણાબેન ભાવેશકુમાર રાવલના પિતાશ્રી અને સ્વ.ગીરજાશંકર ટી. ઠાકર (ઘેલારામજી)ના જમાઇનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૦ને શનિવારે ૪-૩૦ થી ૬-૦૦ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, અંકુર વિદ્યાલયની બાજુની શેરી, કડીયાનગર, શેરી નં.૧, મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

જીવુબેન મહેતા

રાજકોટઃ મુળ મેંદરડા હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ જીવુબેન મહિધરભાઇ મહેતા (ધાંધીયા) (ઉ.વ.૧૦૧) તે ગાંડુભાઇ (મેંદરડા) તથા કાંતિભાઇ તથા સુરેશભાઇના માતુશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રરના સોમવારે સાંજે ૪ થી ૬, કોઠારીયા રીંગ રોડ નેશનલ હાઇવે સિધ્ધાર્થનગર શેરી નં.૩ સહજાનંદ મંડપ સર્વીસ ઉપર રાખેલ છે.

અશોકકુમાર અમલાણી

રાણાવાવ : અશોકકુમાર રમણિકલાલભાઇ અમલાણી (ઉ.૫૦) તે પ્રદીપભાઇના નાનાભાઇ તેમજ તુલસીભાઇ, ગોરધનભાઇ તથા માધવદાસ ભાઇના ભત્રીજા અને લક્ષ્મીદાસભાઇ વલ્લભભાઇ કોટેચા (મોડપર)  ના જમાઇનું તા. ૧૮મીએ અવસાન થયું છે. ઉઠમણું તા. ૨૦મીએ શનિવારે સાંજે ૪.૩૦ થી પ ભીડભંજન મહાદેવ મંદિરે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

નિર્મળાબેન રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત ભાવસિંહભાઈ તથા રામસિંહભાઈ રાઠોડના નાનાભાઈ રૂપસિંહભાઈ રાઠોડના ધર્મપત્ની નિર્મળાબેન રૂપસિંહભાઈ રાઠોડ (ઉ.વ.૭૩) તે ગંભીરસિંહ, કરશનભાઈ તથા રાજુભાઈ પરમારના બહેનનું તા.૧૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૦ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપસિંહ જાડેજા

રાજકોટઃ દિલીપસિંહ (દિપભા) નટુભા જાડેજા (ઉ.વ.૭૨) તે હકુમતસિંહ, અજીતસિંહના પિતાશ્રી તથા મહેન્દ્રસિંહ, હરદેવસિંહ નટુભા જાડેજાના મોટાભાઈનું તા.૧૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શનિવારના રોજ, સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને, વાવડી ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૨૬ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અરવિંદભાઈ વસાવડા

રાજકોટઃ સ્વ.અરવિંદભાઈ ભરતભાઈ વસાવડા (વડનગરા નાગર- જુનાગઢ) તે રાદીઠ અને શુભેચ્છા (દેનાબેંક)ના પિતાશ્રી તથા સ્વ.અજીતરાયના નાનાભાઈ તેમજ ઉમાકાંત (નિવૃત્ત રેલ્વે), મિલાપરાય (નિવૃત્ત ગુ.હા.બોર્ડ), રાજેશભાઈ (નિવૃત્ત કા.પા.ઈ.જીઈબી)ના મોટાભાઈ તા.૧૭ બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧૯ને શુક્રવારે સાંજે ૫ થી ૬ નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી સ્કૂલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

વ્રજલાલ ઠોસાણી

રાજકોટઃ સ્વ.રજનીકાંત પી.મહેતા તથા મહેન્દ્રભાઈ પી.મહેતાના બનેવી અમદાવાદ નિવાસ વ્રજલાલ ગોવિંદભાઈ ઠોસાણી તા.૧૭ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૧૯ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે 'સ્નેહ', પ્લોટ નં.૯/૧૦, સોજીત્રાનગર- ૧, રૈયા રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

જયંતીભાઇ દશાડીયા

મોરબી : ગુર્જર સુતાર જયંતીભાઇ કેશવજીભાઇ દશાડીયા (ઉ.વ.૭૮) તે હંસાબેનના પતિ તથા જગજીવનભાઇ, પ્રભુભાઇ, સ્વ.મનસુખભાઇ, મયાબેન ગોવિંદલાલ ઇસ્લાણીયા, પુષ્પાબેન કિશોરભાઇ કડેચા અને ચંદ્રિકાબેન જગદીશભાઇ પાટડીયાના ભાઇ તેમજ દયાલજીભાઇ અંબારામભાઇ સુરેલીયા (જબલપુરવાળા) ના બનેવીનું તા. ૧૮ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા. ૨૦ને શનિવારે સાંજે ૪ થી પ.૩૦ કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ ૧, ઘંટિયાપા, મોરબી ખાતે રાખેલ છે.

રમાબેન લાખાણી

રાજકોટઃ સ્વ.રમાબેન વિનોદરાય લાખાણી, તે જમનાદાસ ઠકરારના પુત્રી (ઉ.વ.૭ર), તે પોરબંદર લો-કોલેજના નિવૃત પ્રિન્સીપાલશ્રી ડો.વિનોદરાય અમરશી લાખાણીના ધર્મપત્ની તેમજ સુરેન્દ્રનગરની ગાર્ડી લો કોલેજના પ્રાધ્યાપક ડો.મોનાબેન શૈલેષભાઇ પુજારાના માતુશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સ્વ.રમાબેનનું ઉઠમણું તા.ર૦ને શનિવારે સાંજના પ થી ૬, કલાકે જાગનાથ મંદિર, ખાતે રાખેલ છે.

નિતાબેન કાનાબાર

મોરબીઃ નિતાબેન રમેશભાઇ કાનાબાર (ઉ.વ.૪૯) તે સ્વ.લીલાધરભાઇ કલ્યાણજીભાઇ કાનાબારના પુત્રવધુ તેમજ રમેશભાઇ લીલાધરભાઇના પત્ની તથા રાજ, દિશા, ખુશ્બુના માતુશ્રી તથા અલ્પેશભાઇ, વિજયભાઇ પુજારા અને જય મુકેશભાઇ પુજારાના સાસુનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.રરને સોમવારે સાંજે પ વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી નાગરીક બેન્ક સામે મોરબી ખાતે રાખેલ છે.

સોનલબેન પાડલીયા

રાજકોટઃ વાણંદ રાજેશભાઇ ભગવાનજીભાઇ પાડલીયાના ધર્મપત્ની સોનલબેન રાજેશભાઇ પાડલીયા (ઉ.વ.૩૯) જે નિલેશભાઇ જયેશભાઇ તથા હિતેષભાઇ પાડલીયાના ભાભી તેમજ તેજશ, કેયુરના માતુશ્રીનું અવસાન તા.૧૭ના થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ના શનિવારે સાંજે ૪ થી ૬, નિલકંઠ મહાદેવ મંદિર, મોચી નગર-પ, મોચીનગર મેઇન રોડ, ખાતે રાખેલ છે.

ભરતભાઇ વ્યાસ

રાજકોટઃ ભરતભાઇ (બટુકલાલ) અમૃતલાલ વ્યાસ (ઉ.વ.૬૭) (મુળ ગામ સરપદડવાળા) વિપુલભાઇ વ્યાસ (મેડી સોફટ) પ્રકાશભાઇ વ્યાસ તેમજ પ્રશાંતભાઇ વ્યાસ (સીટી સ્પોર્ટસ)ના પિતાશ્રીનું તા.૧૬નાં રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.ર૦ના કપીલેશ્વર મહાદેવ મંદિર, સફલ રેસીડેન્સીની બાજુમાં, આંગન સીટી પાસે, મોટા મૌવા ગામ પાછળ કાલાવડ રોડ ખાતે સાંજે ૪ થી ૬માં રાખેલ છે.

રાધાબેન સંચાણીયા

રાજકોટઃ મુળગામ વડપાંચસરા હાલ રાજકોટ નિવાસી રાધાબેન કેશુભાઇ સંચાણિયા (ઉ.વ.૭ર) તે કેશુભાઇ મોટભાઇ સંચાણિયાના ધર્મપત્ની તેમજ કિશોરભાઇ, ભરતભાઇ, પ્રદિપભાઇ, કમલેશભાઇના માતુશ્રી તથા નિમેશ, હિરેનના દાદીમા, તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સ્થળ આર્યનગર કોમ્યુનીટી હોલ, આર્યનગર સોસાયટી પેડક રોડ ખાતે રાખેલ છે.

વેજાણંદભાઇ કરમુર

જુનાગઢ : વેજાણંદભાઇ રાજશીભાઇ કરમુર (ઉ.૭૦) (મુળ. કાટકોલા, હાલ જુનાગઢ) તે ધનાભાઇ, અરશીભાઇ ના મોટાભાઇ તથા ધરણાંતભાઇ, પાલાભાઇ (મુન્નાભાઇ) અને રામભ ાઇના પિતાશ્રીનું તા. ૧૭ ને બેધવારના રદજ અવસાન થયેલ છે. તા. ૧૯ શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ તેમના નિવાસ સ્થાન, બંસીધર વિદ્યાલય પાછળ, દોલતપરા, જુનાગઢ ખાતે રાહખેલ છે.

ભાનુબેન જોષી

જુનાગઢ : સારસ્વત બ્રાહ્મણ ભાનુબેન આત્મારામ જોષી (ઉ.જ.૮૬) તે એસ.ટી. વાળા ધીમંતભાઇ, દિપ્તીબેન, મનિષભાઇ, ના માતુશ્રીનું તા. ૧૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ શુક્રવારે સાંજે પ થી ૬ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જવાહર રોડ, જુનાગઢ રાખેલ છે.

ભવાનજીભાઇ ગણાત્રા

જુનાગઢ : ભવાનજીભાઇ ચુનીલાલ ગણાત્રા (ઉ.વ.૭૫) (નિવૃત એસ.જ્ઞી. ડેપો મેનેજર) તે નીલેશ ગણાત્રા (ડી.જી.સિસ્ટમ જુનાગઢ) તથા હિનાબેન  શૈલેષકુમાર વડેરા  અમદાવાદના પિતાશ્રી, મનીષાબેન ગણાત્રા (વી.એમ.સી.બેંક જુનાગઢ) ના સસરા તેમજ રમેશચન્દ્ર ચુનીલાલ ગણાત્રા જામનગર ના વડીલ બન્ધુ તેમજ સ્વ. દ્વારકાદાસ હેમરાન ભીંડે ધ્રાંગધ્રાના જમાઇ તા. ૧૭ બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનો બનને માટે તા. ૨૦ શનિવાર ના રોજ સાંજે પ.૦૦ થી ૬.૦૦ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, જી.ઇ.બી. ઓફીસ સામેે, ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રાખેલ છે

મંજુલાબેન જોશી

 રાજકોટ : ઔદિચ્ય ખરેડી  સમવાય બ્રાહ્મણ સ્વ. વૃજલાલ અમૃતલાલ જોશીના ધર્મપત્નિ મંજુલાબેન વૃજલાલ જોશી (ઉ.વ.૮૫) તે નિતિનભાઇ, શશીભાઇ, અશ્વિનભાઇ, યોગેશભાઇ, અશોકભાઇ તથા સરલાબેન, હર્ષાબેન તેમજ નયનાબેનનાં માતુશ્રી અને સ્વ. મોહનલાલ પ્રાણજીવનભાઇ દવેના પુત્રીનું તા.૧૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૦ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ દરમિયાન નુતનનગર કોમ્યુનીટી હોલ, કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કંચનગૌરીબેન રવિયા

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ ગં.સ્વ.કંચનગૌરીબેન પ્રભાશંકર રવિયા (ઉ.વ.૮૪) તે સ્વ.પ્રભાશંકર પુરૂષોત્તમ રવિયા (નિવૃત નાયબ કલેકટર, પૂર્વ ટ્રસ્ટી રા.બ્રા.સેવા સંઘ, પૂર્વપ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ તથા પંચાયતનગર સોસાયટી)ના ધર્મપત્ની અને કિરીટભાઈ (નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના), કોકિલાબેન જગદીશકુમાર જોશી (મુંબઈ), કિશોરભાઈ (નિવૃત ફાર્માસીસ્ટ, સીવીલ હોસ્પિટલ), મહેશભાઈ (નિવૃત સી.કલાર્ક, જિલ્લા પંચાયત) અને જગદીશભાઈ (નિવૃત નાયબ મામલતદાર)ના માતુશ્રીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવારના રોજ સાંજના ૪ થી ૫: ૪૫ કલાક શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક રોડ, પંચાયતનગર પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

નાનજીભાઈ બારડ

રાજકોટઃ નિવાસી નાનજીભાઈ નાથાભાઈ બારડ (ઉ.વ.૭૪) તે રાજુભાઈ બારડ (જિ.શિ.અ.કચેરી, રાજકોટ)ના પિતાશ્રી, તે અમિતકુમાર કાકુભાઈ ચુડાસમાના દાદાજી સસરા તથા ભાવિન રાજુભાઈ બારડના દાદાબાપુ અને કિશોરભાઈ કાનજીભાઈ વાઘેલા (બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કુલ)ના બનેવી તેમજ ઉપલેટા નિવાસી રંજનબેન ભરતકુમાર ચૌહાણ, મિતાબેન અશોકકુમાર ચૌહાણના પિતાશ્રીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શનિવારે બંને પક્ષનું આનંદી આશ્રમ, લક્ષ્મીનગર-૧, રાજકોટ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.(મો.૯૯૯૮૭ ૭૧૫૬૯)