Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018
મોહનભાઈ પરમારનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ મોહનભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૯૦) તે સ્‍વ.ચીમનભાઈના નાનાભાઈ તથા નવિનભાઈ, સ્‍વ.રાજુભાઈ, સ્‍વ.કાનાભાઈ તથા ટીનાભાઈ (કિરણ ફલોર મીલ વાળા) તથા દક્ષાબેન મારૂના પિતાશ્રી, ધીરેન અને સૂરજના દાદાનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાન ગાંધીગ્રામ શેરી નં-૧, કિરણ ફલોરની બાજુમાં સાંજે ૪ થી૬ રાખેલ છે.

અવસાન નોંધ

રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા હેતલબેન ગોહેલનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા હેતલબેન લક્ષ્મણભાઈ ગોેહેલ (ઉ.વ.૨૨) તે મુળ સુપેળીવાળા હાલ રાજકોટ લક્ષ્મણભાઈ ગોહેલના પુત્રી તથા ડો.કાંતીભાઈ ગોહેલ અને ચીમનભાઈ ગોહેલના ભત્રીજીનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, કવાર્ટર નં.૪૪૯, ભારત નગર હાઉસીંગ બોર્ડ, શેરી નં.૩, પુનીત નગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ મીશ્રા

રાજકોટઃ રામાનંદી સાધુ રાજેન્દ્રભાઇ હેમેન્દ્રભાઇ મીશ્રા (રાજુભાઇ બંગડીવાળા) હનુમંત ડેરી પરીવાર તે રોહીતભાઇ, હિરલબેન અજયકુમાર, દિપાલીબેન યોગેશકુમાર, કલ્યાણીબેન કલ્પેશકુમારના પિતાશ્રી (ઉ.વ.૬૧)નું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ના ગુરૂવારે સાંજે ૪ થી પ, રોહીતભાઇ રાજેન્દ્રભાઇ મીશ્રા, ર,ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ સામે, સંત કબીર રોડ ખાતે રાખેલ છે.

હરિલાલભાઇ કકકડ

રાજકોટઃ હરિલાલ છોટાલાલ કકકડ (વાસણવાળા) મુ. કુવાડવા (ઉ.વ.૮૦) તે દિલીપભાઇ, રાજુભાઇ, શૈલેષભાઇના પિતાશ્રી તથા હાર્દિક, કિશન, કેયુરના દાદા તા.૧૭ના અક્ષરનિવાસ પામેલ છે. તે હરેશભાઇ ભીમજીયાણી તથા પીયુષભાઇ આહ્યા (એડવોકેટ)ના સસરા તથા સ્વ.જયંતીભાઇ, ચંદુભાઇ, રમણીકભાઇ હાલાણીના બનેવીનું ઉઠમણું તા.ર૦ને ગુરૂવારે સાંજે પ વાગે કુવાડવા લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

અરૂણાબેન બોરાણિયા

અમરેલીઃ બાબાપુર નિવાસી હાલ અમરેલી જતિનકુમાર નાગજીભાઇ બોરાણિયાનાં ધર્મપત્ની અ.સો. અરૂણાબેન (ઉ.વ.પ૮) તે ડો.તુષારભાઇ તથા દર્શનાબેનનાં માતુશ્રીનું તા.૧૭ના રોજ ગુપ્તકાશી (ઉત્તરાખંડ) અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ને ગુરૂવારનાં રોજ સાંજના ૪ થી ૬, સોની જ્ઞાતિની વાડી, મ્યુની ગર્લ્સ સ્કુલ સામે અમરેલી રાખેલ છે.

કિરીટભાઇ ઉધાસ

કાલાવડઃ કિરીટભાઇ જીલુભા ઉધાસ (નિવૃત શિક્ષક, મ્યુ. હાઇસ્કુલ) (ઉ.વ.૭૦) તે સ્વ.જીલુભા ઉધાસ (તાલુકા વિકાસ અધિકારી)ના પુત્ર તેમજ પ્રકાશભાઇ તથા કિશનભાઇના મોટાભાઇ અને અધુભાઇના પિતાશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું/પ્રાર્થનાસભા તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કૈલાશનગર તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ભુપતલાલભાઇ વ્યાસ

પારડીઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમવાય ભુપતલાલ (બાબુઅદા) શાંતીલાલ વ્યાસ (ઉ.વ.૭૧) જે કરૂણાશંકર તથા સ્વ.ધીરજબેન, સ્વ.રમાબેન, ઉર્મીલાબેન તથા પુષ્પાબેનના ભાઇ તથા ભાવેશભાઇ વિજય તથા મિનાબેનના કાકાનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ના ગુરૂવારે સાંજે ૩ થી પ, નિવાસસ્થાને જડેશ્વર મહાદેવ મંદિર, પારડી ખાતે રાખેલ છે.

મુગટલાલ વ્યાસ

રસનાળઃ (તા. ગઢડા સ્વામિ) મુળ બોટાદ હાલ ભાવનગર નિવાસી મુગટલાલ કેશવલાલ વ્યાસ (ઉ.વ.૯પ) તે મહેશભાઇ, સ્વ.બકુલભાઇ, જયોત્સનાબેન, કોકીલાબેન, શકુંતલાબેન, સ્વ.અનસુયાબેન, સ્વ.જયાબેન, સ્વ.ચંદ્રીકાબેનના પિતાશ્રી તથા સ્વ.ભાઇશંકર સંતોકરામ ભટ્ટ (ઢસાવાળા)ના જમાઇનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ભરતનગર અર્બન - બે માળીયા બ્લોક નં.ર૮ર૩ ખાતે રાખેલ છે.

ગોમતીબેન ખાણધર

રાજકોટઃ ગંગા સ્વ.ગોમતીબેન રાઘવજીભાઇ ખાણધર, તે શ્રીમતિ ધર્મિષ્ઠાબેન પરમાર (નિ.ના. મામલતદાર)ના માતુશ્રી તથા રમણીકભાઇ પરમાર (નિ.ના.કા.ઇ.)ના સાસુ તથા દિપલ (પીજીવીસીએલ) તથા ધારાના નાનીમા તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ના ગુરૂવારે સાંજે પ થી ૬, ઓમકારેશ્વર મંદિર, કર્મચારી સોસાયટી, શેરી નં.ર, રૈયા ચોકડી ખાતે રાખેલ છે.

દયાબેન પાટડીયા

રાજકોટઃ ગં. સ્વ. સોની દયાબેન મગનલાલ પાટડીયા (ઉ.વ.૮૬) તે સ્વ.હરીલાલ વાલજીભાઇ પાટડીયા (જસદણ વાળા)ના પુત્રવધુ, મહેન્દ્રભાઇ રમણીકલાલ પાટડીયાના ભાભું તેમજ સ્વ.રણછોડદાસ મોહનલાલ રાજપરાના પુત્રી તેમજ સ્વ.દામોદરભાઇ તથા લલીતભાઇના બહેન, વિમલભાઇ અને કિર્તીભાઇના ફૈબાનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.ર૦ને ગુરૂવારે  સવારે ૧૦ થી ૧૧-૩૦ રૈયા ચોકડી, કર્મચારી સોસાયટી મેઇન રોડ, કીડવાઇનગર પાછળ ઓમકારેશ્વર મહાદેવ મંદીરમાં રાખેલ છે.

કમળાબેન પાટણવાડીયા

રાજકોટઃ બાદલપરા નિવાસી, હાલ રાજકોટ, કમળાબેન મગનલાલ પાટણવાડીયાનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગુર્જર સુથાર પ્રગતિ મંડળ, જકાતનાકા પાસે, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે.

કંચનબેન જીવરાજાની

રાજકોટઃ સ્વ.ચત્રભુજ લાલજીભાઇ જીવરાજાની ગોંડલવાળાના દિકરા સ્વ.રતીલાલના ધર્મપત્ની કંચનબેન તે ઉદય રમેશભાઇ જીવરાજાનીના ભાભુ તેમજ મોહનલાલ ગોકળદાસ ચગ વડાળી વારાના દીકરી તેમજ ગુણવંતરાય મણીલાલ શીંગાળાના સાસુ તેમજ જયશ્રીબેન ગુણવંતરાયના માતુશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પીયર પક્ષની સાદડી તા.ર૦ના ગુરૂવારે પંચનાથ મંદીર, લીમડા ચોક, ખાતે સાંજના પ-૦૦ કલાકે રાખેલ છે.

શાંતાબેન માવાણી

રાજકોટઃ શાંતાબેન નારણભાઇ માવાણી (ઉ.વ.૭પ) જે નારણભાઇ ડાયાભાઇ માવાણીનાં ધર્મપત્ની, રાજુભાઇ નારણભાઇ માવાણી તથા દિપકભાઇ નારણભાઇ માવાણીનાં માતુશ્રી તેમજ રવિ રાજુભાઇ માવાણીનાં દાદીનું તા.૧૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ને ગુરૂવારે સવારે ૯ થી ૧૧, ૧પ૦ ફુટ રીંગ રોડ, શિવ પાર્ક શેરી નં.ર, તુલસી ટાવર, હવેલી પાછળ, મવડી ચોકડી નજીક, મવડી ખાતે રાખેલ છે.

દશરથબા જાડેજા

રાજકોટઃ ગામ નાનામૌવા નિવાસી ગં.સ્વ. દશરથબા ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૬૯) તે ભોજુભા તથા કરણસિંહના ભાભી તથા વીરભદ્રસિંહ અને પ્રદીપસિંહ (ચકુભાઇ - આશીર્વાદ મંડપ સર્વિસ)ના માતુશ્રી તા.૧૮ના અક્ષરવાસી થયેલ છે. બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, અલય પાર્ક, ગાંધી સ્કૂલની સામે, નાના મૌવા રોડ, ખાતે રાખેલ છે.

પારૂલબેન આહ્યા

રાજકોટઃ સ્વ.અમૃતલાલ નરશીદાસ આહ્યાના પુત્રવધુ રમેશભાઇ આહ્યાના ધર્મપત્ની અને રાજના માતુશ્રી તેમજ માણાવદર નિવાસી રમણીકલાલ મથુરદાસ રાયચુરાના પુત્રી પારૂલબેનના  તા.૧૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા.ર૦ ગુરૂવારે સાંજે પ થી ૬, ભવનાથ મહાદેવ મંદિર, દેવપરા શાક માર્કેટવાળી શેરી ઇન્દીરાનગર મેઇન રોડ ઉપર રાખેલ છે.

હંસાબેન તન્ના

રાજકોટઃ સ્વ.હરીલાલ લાલજીભાઇ તન્નાના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ.૭પ) તે સ્વ.મહેશભાઇ તથા રાજુભાઇ, વિજયભાઇ અને હર્ષદભાઇના માતુશ્રી તેમજ મોરબીવાળા વલ્લભદાસ ડોશાભાઇ મીરાણીના દિકરીનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું  ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.ર૦ને ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, સમય પ-૩૦ કલાકે રાખેલ છે.

સાયરકુંવરબા રાઠોડ

રાજકોટઃ નિવૃત પી.એસ.આઇ. ગજેન્દ્રસિંહ (ગજુભા) શંકરસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ (સિવિલ હોસ્પિટલ) અને સ્વ.સુરેન્દ્રસિંહ રાઠોડના માતુશ્રી તેમજ મયુરસિંહ પ્રવિણસિંહ જેઠવાના દાદીજી સાસુ સાયરકુંવરબા શંકરસિંહ રાઠોડનું તા.૧ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા તા.ર૦મીને ગુરૂવારે બપોરે ૪ થી ૬, પોલીસ હેડ કવાર્ટર કોમ્યુનિટી હોલ, રેસકોર્ષ રિંગ રોડ ખાતે રાખી છે.

જયંતિલાલ કટારીયા

રાજકોટઃ પડધરી નિવાસી હાલ રાજકોટ શેઠ જયંતીલાલ નારયણજીભાઈ કટારીયા તેઓ પ્રદ્યુમનભાઈ તથા મનોજભાઈનાં પિતાશ્રી તથા આશિષ, સાવન, શ્યામના દાદા તેમજ બેડલા વાળા શેઠ સવજીભાઈ છગનભાઈ પૂજારાનાં જમાઈનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર (રવિ રત્ન પાર્ક), ૧૫૦ ફુટ રીંગ રોડ ઈન્દીરા સર્કલ પાસે રાજકોટ ખાતે તા.૨૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

તખતસિંહ ખેરડીયા

રાજકોટઃ નિવાસી સ્વ.તખતસિંહ સવાજી ખેરડીયા તે બટુકસિંહ તખતસિંહ ખેરડીયા (રાષ્ટ્રીય શાળા), કિશોરસિંહ તખતસિંહ ખેરડીયાના પિતાશ્રીનું તા.૧૬ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી ગૂર્જર રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી, વિદ્યાનગર- ૨, રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ ટીલાવત

રાજકોટઃ નિવાસી નટવરલાલ હિમ્મતલાલ ટીલાવત (ઉ.વ.૬૦) તે મનસુખલાલ, દોલતરાયના ભાઈ તથા જયેશ, વિરલના પિતાશ્રી તથા ડો.શૈલેષભાઈ રામાવતના સસરાનું તા.૧૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦ ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, બાપાસીતારામ ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ગોહેલ

મોરબીઃ પ્રવિણભાઇ મુળજીભાઇ ગોહેલ (ટંકારાવાળા) તે સ્વ. કાનજીભાઇ જુઠાભાઇ ટંકારીયાના જમાઇ, લલીતભાઇ અને શશીકાંતભાઇના બનેવીનું તા. ૧૭ના રોજ અવસાન થયું છે. સ્વસુર પક્ષની સાદડી તા.૨૦ને ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

દેવકીબેન જાની

મોરબી : ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન અનંતરાય જાની તે મોરબી નિવાસી સ્વ. અંબાશંકર રાવલના પુત્રી, સ્વ. દિનકરરાય અંબાશંકર રાવલના બહેન અને કે.ડી.રાવલ (એસ.ટી) વાળાના ફઇબાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા. ૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ઓૈદિચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા મોરબી ખાતે રાખેલ છે.

વસંતબેન નકુમ

રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ. પ્રવિણસિંહ મોહનસિંહ નકુમના ધર્મપત્ની વસંતબેન (ઉ.વ.૬૮) તે સ્વ. જયેશભાઇ, જીગ્નેશભાઇ, જીતેન્દ્રભાઇ તથા કાજલબેનના માતુશ્રી તથા હર્ષિત, ભગીરથ, પ્રિયંકાના દાદીમાનું તા. ૧૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે, કારડીયા રાજપૂત જ્ઞાતિની વાડી, ૧પ૦ ફુટ રીંગ રોડ મવડી ચોકડી ખાતે રાખેલ છે.

રંજનબેન સોમૈયા

દ્વારકા : લક્ષ્મીદાસ પરસોતમ સોમૈયાના ધર્મ પત્ની રંજનબેન (ઉ.વ.૬૧) તે ચકુબેન હેમલ તથા સોનલબેનના માતુશ્રી અને હિંમતલાલ શાંતિલાલ પંચમનીયાના બહેનું તા. ૧૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૦ને ગરૂવારે લોહાણા મહાજન વાડી દ્વારકા ખાતે સાંજે ૫ થી ૫:૩૦ સુધી રાખવામાં આવેલ છે. પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

બીપીનભાઇ મદલાણી

મોરબી : પોરબંદર નિવાસી સ્વ. પ્રભુદાસ અમરશીભાઇ મદલાણીના પુત્ર બીપીનભાઇ (ઉ.૬૩) આનંદ બુક સ્ટોરવાળા, તે પ્રફુલભાઇ, કિર્તીબેન ચંદ્રકાંતભાઇ રાજાણી તથા સ્વ. દિનેશભાઇના મોટાભાઇ તેમજ તુષાર અને ગૌરવના પિતાશ્રી તથા રાજકોટવાળા સ્વ. વિશનજીભાઇ લાલજીભાઇ જોબનપુત્રના જમાઇનું તા. ૧૮ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૩-૩૦થી ૪, શ્રી લોહાણા મહાજન પ્રાર્થના હોલ, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં રાખેલ છે.

અમૃતાબેન થાનકી

મોરબી : અમદાવાદ નિવાસી સ્વ. હીરજી કલ્યાણજી થાનકીના ધર્મપત્ની ગં.સ્વ. અમૃતબેન હરીજી થાનકી તે કૌશિકભાઇ, નિલેશભાઇ, મનોજભાઇ, રંજબેનના માતુશ્રી તેમજ ભગવાનજીભાઇ ડી. પુરોહીત (મોરબી)ના મોટાબેન તા. ૧૭ ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા બેસણું તા. ર૧ શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે, ૩૦૮, આમ્રપર્ણ ફલેટ, શ્રી નારાયણી સ્કૂલની સામે, દાસ્તાન સર્કલથી કઠવાડા રોડ પર, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ રાખેલ છે.

માનસિંહ કામલીયા

જુનાગઢઃ કારડીયા રજપૂત માનસિંહ રૂપસિંહ કામલીયા (ઉ.વ.૭૦)નું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના ગુરૂવો છગન મામાની સોસાયટી, ગાયત્રીનગર ભૈડા વાવની પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

નીતિનભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી (હડીયાણા ચોવીસી) કરાચીવાળા સ્વ.છગનલાલ રેવાશંકર ઠાકર (ભારત આર્ટ સ્ટુડીયો)ના પુત્ર નિતીનભાઈ ઠાકર (ઉ.વ.૭૪), તે આશાબેનના પતિ, પ્રફુલભાઈ, ચ્યવનભાઈ તથા શરદભાઈના મોટાભાઈ તથા ઓજસભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), જીજ્ઞાસા તથા ઉદમાના પિતાશ્રી, મંજુલાબેન દવે (જામનગર)ના જમાઈ તા.૧૮ને મંગળવારે કૈલાસવાસી થયા છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૫ થી ૬, શ્રી અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રૈયા ટેલીફોન એકસચેન્જની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન સોમૈયા

દ્વારકા : લક્ષ્મીદાસ પરસોતમ સોમૈયાના ધર્મ પત્ની રંજનબેન (ઉ.વ.૬૧) તે ચકુબેન હેમલ તથા સોનલબેનના માતુશ્રી અને હિંમતલાલ શાંતિલાલ પંચમનીયાના બહેનું તા. ૧૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૦ને ગરૂવારે લોહાણા મહાજન વાડી દ્વારકા ખાતે સાંજે ૫ થી ૫:૩૦ સુધી રાખવામાં આવેલ છે. પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

કાંતાબેન પંડયા

જૂનાગઢઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ શાપુર હાલ જૂનાગઢ કાન્તાબેન પંડયા (ઉ.વ. ૭ર) તે સ્વ. કનૈયાલાલ નાથાલાલ પંડયાના પત્નિ તથા છોટાલાલભાઇના નાનાભાઇના પત્નિ તથા ચેતનભાઇ અને શૈલેષભાઇના માતૃશ્રી તેમજ સ્વ. ચુનિલાલ હિરજીભાઇ દવે (બગડુ) ના પુત્રી તથા સ્વ. મગનલાલભાઇ અને બાબુલાલભાઇના ભત્રીજીનું તા. ૧૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ર૦ના સાંજે ૪ થી પ કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢમાં રાખેલ છે.

અરૂણાબેન બોરાણીયા

અમરેલીઃ બાબાપુર નિવાસી હાલ અમરેલી નીતિનકુમાર નાગજીભાઇ બોરાણિયાના પત્નિ અ.સો. અરૂણાબેન (ઉ.વ.૫૮) તે ડો.તુષારભાઇ તથા દર્શનાબેનના માતુશ્રીનુ તા.૧૭ના ગુપ્ત કાશી (ઉત્તરાખંડ) ખાતે અવસાન થયેલ છે તેમનું બેસણુ તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી મ્યુની. ગર્લ્સસ્કૂલ સામે અમરેલીમાં રાખેલ છે.

કાંતાબેન પંડયા

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ મુળ શાપુર હાલ જુનાગઢ કાન્તાબેન પંડયા (ઉ.વ.૭૨) તે સ્વ. કનૈયાલાલ નાથાલાલ પંડયાના પત્નિ તથા છોટાલાલભાઇના નાના ભાઇના પત્ની તથા ચેતનભાઇ અનેે શૈલેષભાઇના માતૃશ્રી તેમજ સ્વ. ચુનિલાલ હિરજીભાઇ દવે (બગડુ) ના પુત્રી તથા સ્વ. મગનલાલભાઇ અને બાબુલાલભાઇના ભત્રીજીનુ ં તા. ૧૭ ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ ના સાંજે ૪ થી ૫ કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢમાં રાખેલ છે.

રાષ્‍ટ્રપતિચંદ્રક વિજેતા હેતલબેન ગોહેલનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા હેતલબેન લક્ષ્મણભાઈ ગોહેલ (ઉ.વ.૨૨) તે મુળ સુપેળીવાળા હાલ રાજકોટ લક્ષ્મણભાઈ ગોહેલના પુત્રી તથા ડો.કાંતીભાઈ ગોહેલ અને ચીમનભાઈ ગોહેલના ભત્રીજીનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, કવાર્ટર નં.૪૪૯, ભારત નગર હાઉસીંગ બોર્ડ, શેરી નં.૩, પુનીત નગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.