Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019
અવસાન નોંધ

જયાબેન પરમારનું અવસાનઃ વાસાવડમાં ગુરૂવારે બેસણું

ગોંડલઃ ગોંડલના વાસાવડ નિવાસી કડીયા હરિભાઇ શામજીભાઇ સોલંકી તથા પ્રભાબેન હરિભાઇ સોલંકીના સુપુત્રી સાવરકુંડલાના જયાબેન વિનુભાઇ પરમાર (ઉ.૫૦)તે મનુભાઇ હરિભાઇ સોલંકી, વલ્લભભાઇ હરિભાઇ સોલંકી તથા ભારતીબેન મોરી, લત્તાબેન ટાંકના બહેન તા. ૧૭ના રોજ શ્રીચરણ પામ્યા છે. સદ્દગતનું પિયર પક્ષનું બેસણું તા. ૨૧ના ગુરૂવારે વાસાવડ મુકામે સવારથી સાંજ સુધી રાખેલ છે.

કંચનબેન પંડયા

રાજકોટ :   ગોંડલ હાલ રાજકોટ અને ભાદર ડેમ લિલાખા નિવાસી ઓૈદિત્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ. હરીભાઇ મૈયારામ પંડયાના ધર્મ પત્ની કંચનબેન હરીભાઇ પંડયા (ઉ.વ. ૬૩) તે સ્વ. અશ્વીનકુમાર પંડયા તથા અલ્કાબેન હરીભાઇ પંડયા (એડવોક.ેટ) તેમજ શશીકાંતભાઇ પંડયા તથા ગીતાબેન હીરેનભાઇ શાહના માતુશ્રીનું તા. ૧૭ ના રોજ અવસાન થયેલ છે.

કંચનબેન પીઠડીયા

ધ્રોલ : સ્વ. લવજીભાઇ નથુભાઇ લીંબડ ના પુત્રી તથા સ્વ. ભુપતભાઇ, વિનેશભાઇ, તથા નવનીતભાઇ ના બેન તથા મુંબઇ નિવાસી સ્વ. હંસરાજ પીતાંબર પીઠડીયા ના ધર્મ પત્ની  કંચનબેન હંસરાજભાઇ પીઠડીયા (ઉ.વ. ૯૦) નું તા. ૧૪ ના  રોજ  મુંબઇ ખાતે ેઅવસાન  થયેલ છે. સદ્ગતની સાદડી રાજકોટ મુકામે રાતીયા હનુમાન (શંખેશ્વર મહાદેવ આમ્રપાલી ટોકીઝ પાછળ રૈયા રોડ ખાતે તા. ૨૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ રાખેલ છે.

અનસુયાબેન ગોસાઇ

રાજકોટઃ મુળ પાંચવડા હાલ રાજકોટ નિવાસી ગં. સ્વ. અનસુયાબેન જીતેન્દ્રપુરી ગોસાઇ (ઉ.વ.૬૩) તે સ્વ. જીતેન્દ્રપુરી સોમપુરી ગોસાઇ (જનકભાઇ)ના પત્ની તથા સ્વ.પ્રકાશપુરી (વિછીયા) તેમજ પરેશપુરીના ભાભી તથા વિશાલ ગોસાઇ (એડવોકેટ)ના માતુશ્રી તથા સ્વ.જયંતિગીરી નિર્ભયગીરી ગોસ્વામી, રવિન્દ્રગીરી, ઇન્દ્રગીરી (વેરાવળ)ના બહેનનું તા.૧૭ના કૈલાસગમન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ના ગુરૂવારે સાંજના ૪ થી ૬, સર્વધર્મ મંદિર સામે, શાસ્ત્રીનગર (અજમેરા), નાના મૌવા રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ દવે

રાજકોટઃ યજુર્વેદીય શ્રીમાળી બ્રાહ્મણ બોટાદ નિવાસી ચંદ્રકાન્ત દામોદરદાસ દવે તે ઉદયકુમાર ચંદ્રકાન્ત દવે (ટી. એન. રાવ કોલેજ)ના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

અમૃતભાઇ ભુત

રાજકોટઃ મુ. બરડીયા નિવાસી સ્વ. અમૃતભાઇ કરશનભાઇ ભૂતનું તા.૧૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૫ કલાકે નિવાસ સ્થાને રાખેલ છે.

નંદલાલભાઇ મહેતા

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના મુળ ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ શ્રી નંદલાલભાઇ મથુરદાસ મહેતા (ઉ.વ.૮૨ નિવૃત શિક્ષક) તે શ્રી હિમાંશુભાઇ તથા કિરહાબેન નિતિનભાઇ મહેતા, વર્ષાબેન હર્ષદભાઇ પંડયા સ્મીતાબેન    દિપકભાઇ રાજયગુરૂ, ઉષાબેન યોગેશભાઇ ભટ્ટના પિતાશ્રી તથા હંસાબેન જાની, નિવૃત શિક્ષિકાના પતિ તથા માનશંકરભાઇ ચિમનભાઇ, હસમુખભાઇ તથા શશીકાંતભાઇના જયેષ્ઠ બંધુનું તા.૧૮ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનુ બેસણું શ્રીરામ મંદિર રામનગર મેઇન રોડ, પી.ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ  રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમિલાબેન વખારીયા

રાજકોટઃ દ.સો.વણિક મુંબઈ નિવાસી પ્રેમિલાબેન દિલીપકુમાર વખારિયા (ઉ.વ.૭૧) તે દિલીપકુમાર મુલચંદ વખારિયાના ધર્મપત્ની, હસમુખભાઈ તથા ગીરીશભાઈ માંડાણી (મુંબઈ), ભરતભાઈ માંડાણી (મોટાદડવા), જયેશભાઈ તથા પ્રદીપભાઈ માંડાણી, મીનાબેન પરેશકુમાર લોટીયા (રાજકોટ)ના મોટાબહેન તા.૧૪ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ જયેશભાઈ પરષોતમભાઈ માંડાણી, શ્યામ એપાર્ટમેન્ટ, ૬- વાણિયાવાડી ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વજીબેન ટાંક

રાજકોટઃ મુળ ઉપલેટા હાલ રાજકોટ નિવાસી તનસુખલાલ તથા ધીરજલાલ હરીલાલ ટાંકના માતુશ્રી વજીબેન હરીલાલ ટાંક (ઉ.વ.૮૫)નું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રીયા તથા ઉતરક્રિયા બંધ રાખેલ છે.

ગોદાવરીબેન ચૌહાણ

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના ગોદાવરીબેન હંસરાજભાઇ ચૌહાણ (ઉ.વ.૯૦) તે સ્વ. મહેન્દ્રભાઇ, મનસુખભાઇ, સુરેશભાઇ (ગુ.હા.બોર્ડ)ના માતુશ્રી તેમજ ભાવેશભાઇ (પી.જી.વી.સી.એલ), તેજષભાઇ, રાજેનભાઇ, દર્શનભાઇ, અતુલભાઇના દાદીમાંનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા.૨૧ના રોજ ગુરૂવારે સવારે ૯ થી ૧૦ તથા શાંતીયજ્ઞ સવારે ૧૦ થી ૧૧ દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

મુળશંકર દોશી

રાજકોટઃ મુળશંકર જટાશંકર દોશી (ઉ.વ.૮૮) તે પદમાબેનના પતિ તેમજ જયેશભાઇના પિતાશ્રીનું તા.૧૭ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.