Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019
અવસાન નોંધ

રસિકબા જાડેજા

ભાવનગર : રામપર (અબડા), કચ્છ/તળાજાના ક્ષત્રિય રામપર (અબડા) નિવાસી હાલ નોકરિયાત સોસાયટી, મઢી પાસે, તળાજા સ્થિત સ્વ. રસિકબા (ચકુબા) કરણસિંહ જાડેજા, તે કરણસિંહ (હકુભા) રૂપુભા જાડેજા પત્ની, રૂપુભા બચુભાના પુત્રવધુ, ગોવુભા બચુભાના ભત્રીજા વહુ, રાજેન્દ્રસિંહ રૂપુભા, સુરેન્દ્રસિંહ ગોવુભાના નાના ભાઇના પત્ની, રતનસિંહ ગોવુભાના ભાભી, વિશ્વરાજસિંહ, વિક્રમસિંહ, હરેન્દ્રસિંહ અને સત્યરાજસિંહના કાકી, હરિતાબા, જયદીપસિંહ (કાનો) અને હિતિશાબાની માતા, પ્રવિણસિંહ ટી. ગોહિલ (નિવૃત એસ.ટી.) અને વિરેન્દ્રસિંહ (ડિસવાળા)ના ભણેજ વહુ, તથા સ્વ. ધનુભા છનુભા ગોહિલ (પાદરી-ગો.)ના દિકરી, દશરથસિંહ રવુભા, કમલેશસિંહ રવુભા, પિન્ટુભા, મહાવીરસિંહ અનિરૂદ્ધસિંહના બહેન તથા બાવાજી રામસિંહ સીંધા ધુવારણ વાળાના ભાણીબાનું તા. ૧૬ના અવસાન થયેલ છે. સ્વ.નું સુવાળા તથા બેસણુ તા. ર૧ ને સોમવારે સાંજે ે ૪ થી ૬ કલાકે તથા ઉત્તરક્રિયા તા. રપ ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને તળાજા ખાતે રાખેલ છે.

ધીરજલાલ રેશમીંયા

ગોંડલ : સ્વ. ધીરજલાલ જાદવજી રેશમીંયા ઉ.વ. ૮ર, તે સ્વ. જાદવજી જેઠાભાઇના પુત્ર, તે દિનેશભાઇના પિતાશ્રી તેમજ રાજન તથા ચિરાગના દાદા તેમજ સ્વ. વનમાળીભાઇ, સ્વ. જયંતિભાઇ, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. બટુકભાઇના નાના ભાઇ તેમજ સ્વ. સવિતાબેન, પુષ્પાબેન, ઉષાબેનના ભાઇ તેમજ સ્વ. નરોતમદાસ ગાંડાલાલ મસરાણી (ભાવનગર)ના જમાઇનું તા. ૧૬ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું આજે તા. ૧૮ ને શુક્રવારે સાજે ૪ થી પ, લોહાણા મહાજન વાડી, મહાદેવવાડી, ગોંડલ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

હિરાલાલ તલસાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર હિરાલાલ સામજીભાઈ તલસાણીયા (ઉ.વ.૯૪) તે સ્વ.દીપકભાઈ તથા અરવિંદભાઈ, ભારતીબેન, લતાબેન, ચંદ્રીકાબેન, ભાવનાબેનના પિતાશ્રી તથા સ્વ.કાનજી નાનજી બાળંભીયાના જમાઈ તથા રજની, નીરજ, હાર્દીક, રૂપલ, રાધાના દાદા તા.૧૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉદયવન ગૌસ્વામી

રાજકોટઃ ઉદયવન યોગેશવન ગૌસ્વામી (ઉ.વ.૧૧) તે યોગેશવન અશોકવન ગૌસ્વામીના પુત્રનું તા.૧૭ને ગુરૂવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, નિવાસસ્થાને ગુજરાત હા.બોર્ડ, રણુજા મંદિરથી આગળ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનાબેન પરમાર

જસદણઃ ભાવનાબેન જનકભાઇ પરમાર (ઉ.વ.૫૬) તે સ્વ.નંદલાલભાઇ જીવરાજભાઇ પરમારના પુત્રવધુ, તે સુરેશભાઇ નંદલાલભાઇ પરમારના નાનાભાઇ જનકભાઇ પરમારના પત્ની તેમજ ભાસ્કરભાઇ તથા મનોજભાઇના માતૃશ્રી તથા તરૂણભાઇ અને અમિતભાઇના કાકીનું તા.૧૭ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર, આટકોટ રોડ, બસ સ્ટેશન સામે જસદણ ખાતે રાખેલ છે.

મણીબેન ડાભી

ગોંડલ : મણીબેન હીરાભાઇ ડાભી (ઉ.વ.૧૦૫), તે રઘુભાઇના માતા, ગોરધનભાઇ ના મોટાબાનું તા.૧૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ૨૮/૧૩ ભોજરાજપરા, ચબુતરા પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

બનુભા નાનભા ખીમાણી

ગોંડલ :  મુળ ખીમાણી સણોસરા-શિવરાજગઢ હાલ ગોંડલના ખીમાણી બનુભા નાનભા (ઉ.વ.૭૦) નિવૃત સીનીયર કલાર્ક શિવરાજગઢ હાઇસ્કુલ, જેઓ ખીમાણી નટુભા નાનભા નિવૃત એસ.ટી. શિવરાજગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના નાનાભાઇ, તેમજ ધર્મેન્દ્રસિંહ (ભુવેનશ્વરી ઓૈષધાશ્રમ), પ્રદ્યુમનસિંહ (શિક્ષક જવાહર વિદ્યાલય), દશરથસિંહ (શિક્ષક રાજકુંવરબા હાઇસ્કુલ), તેમજ અ.સોૈ. સંગીતાબા પ્રદીપસિંહ ચુડાસમાના પિતાનું તા. ૧૭ ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ ને શનિવારે બપોરે ૪ થી ૬ તેમજ તેમની ઉત્તરક્રિયા તા. ૨૫/૧૦ ને શુક્રવારે આશાપુરા રોડ, આશાપુરા હોલ સામે, ગોંડલ મુકામે રાખેલ છે.

વૃજલાલભાઇ સિધ્ધપુરા

જેતપુર :  લુહાર વૃજલાલ મકનજીભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૮૭) તે પ્રવિણભાઇ (ઓમ કટીંગ), રસીલાબેન પીઠવા, દક્ષાબેન ચોૈહાણ, ચંદ્રીકાબેન પરમાર (રાજકોટ) શોભનાબેન કારેલીયા (વેરાવળ) ના પિતાશ્રી તથા કલ્પેશભાઇ, પિયુષભાઇના દાદા તા. ૧૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧૯ ને શનીવારે સાંજે ૪ થી ૬ લુહારજ્ઞાતીની વાડી, ખોડાપરા મેઇન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

રંજનબેન પાંધી

જુનાગઢઃ રંજનબેન લખુભાઇ પાંધી (ઉ.વ.૭૪) તે મહેશભાઇ પેટ્રોલપંપ વાળાના માતુશ્રીનું અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. જેમનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬, સાંઇબાબાના મંદિર સામે ત્રીલોક હનુમાન તેમજ નર્મદેશ્વર મહાદેવના મંદિરે ત્રીલોક નગર, મધુરમ બાયપાસ વંથલી રોડ, જૂનાગઢ રાખેલ છે.

શર્મિષ્ઠાબેન તન્ના

રાજકોટઃ ભરતકુમાર અમૃતલાલ તન્નાના ધર્મપત્ની શ્રીમતી શર્મિષ્ઠા ભરતભાઇ તન્ના (ગીતા) કે જે વિનોદરાય, પ્રમોદભાઇ, મનહરભાઇ, મુકુંદરાય, ભગવાનજી સુચક તથા રંજનબેન મહેન્દ્રકુમાર ગઢિયાના નાના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૮ના શુક્રવારે સાંજે પ થી ૬, ર૦૩, વાસુપુજય એપા., સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સામેની શેરીમાં, નાગેશ્વર, જામનગર રોડ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ જોષી

મોરબીઃ મુળ કોટડા સાંગાણી હાલ મોરબી વાલમ બ્રાહ્મણ જીતેન્દ્રભાઇ પ્રતાપરાય જોષી (ઉ.વ.૬પ) તે નિમિતભાઇ અને આશિષભાઇના પિતાશ્રી તેમજ ભારતીબેન પ્રવિણભાઇ વ્યાસ (રીબળાવાળા વ્યાસ)ના પતિ તથા હરકાંતભાઇ મહેન્દ્રભાઇ (રાજકોટ), હર્ષાબેન અને હરીશભાઇ (જામનગર)ના લધુબંધુ તથા ભરતભાઇ (મોરબી)ના વડીલબંધુ તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના  સવારે ૮ થી ૧૦ કલાકે ગંગા ટાવર, રવાપર રેસીડન્સી સિધ્ધિ વિનાયક પાર્ક રવાપર-ધુનડા રોડ મુ. રવાપર તા.જી. મોરબી તેમજ તા.૧૯ના સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ, ભારત ગેસ ગોડાઉનની પાછળ, નારાયણનગર મેઇન રોડ, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

જેન્તીભાઇ લાઠિયા

રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ, મુળ ગામ જાંબુડા (બાવાના) હાલ રાજકોટ જેન્તીભાઇ લાખાભાઇ લાઠિયા (ઉ.વ.પ૭) તે વસંતભાઇ, દીનેશભાઇ, ચંદુભાઇ તથા ગીતાબેનના મોટાભાઇ તથા ગોપાલભાઇ નીતાબેન તથા તુષારભાઇના પિતાશ્રી તથા જય હર્ષીલ, સમર્થના દાદાનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને શનીવારે સરસ્વતિનગર ૧,ફોર્ચુન હોટલ, પાછળ ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

વલ્લભદાસભાઇ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતી કરાચીવાળા ગામ રાજકોટ હાલ મુંબઇ સ્વ.નંદુબેન વિરજીભાઇ વશરામભાઇ મકવાણાના પુત્ર વલ્લભદાસ (ઉ.વ.૮ર) તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. તે વનીતાબેનના પતિ, સ્વ.મનીષભાઇ તથા કૌશીકભાઇના પિતા, ધ્રુવના દાદા, સ્વ.જેઠાભાઇ, સ્વ.પ્રભુભાઇ, સ્વ.ધીરૂભાઇ, પ્રવિણભાઇના ભાઇ તથા રાજેશભાઇ, મહેશભાઇ, સ્વ.પંકજભાઇ, કેતનભાઇના કાકાનું બેસણું તા.૧૯ને શનીવારે સાંજે ૪ થી પ, મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતીની વાડી, કમળગંગા વાડી વીજય પ્લોટ શેરી નં.રર/ર૪ના ખુણે રાખેલ છે.

અભિલાષભાઈ દવે

રાજકોટઃ નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અભિલાષભાઈ પોપટલાલ દવે (ઉ.વ.૭૭) (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિવૃત કર્મચારી) તે ચંદ્રલેખાબેનના પતિ તથા મુંજાલ, પાર્થ અને કાલિન્દીના પિતાશ્રીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે ધૂમકેતુ હોલ, ૪- રોયલ પાર્ક, જી.ટી. શેઠ હાઈસ્કૂલની પાછળ, કે.કે.વી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે  રાખેલ છે.

હેતલબેન વાઘેલા

રાજકોટઃ વિરાણી સાયન્સ, યોગીજી મહારાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા હિતેષ મનસુખભાઈ વાઘેલાનાં ધર્મપત્નિ તેમજ કુંડલિયા કોલેજ અને હીરાણી કોલેજમાં ફરજ બજાવતા મેહુલ વાઘેલાનાં ભાભી હેતલબેન વાઘેલાનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૫ દરમિયાન શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિનેશભાઇ વસોયા

રાજકોટઃ નિવાસી શ્રી જેનીશ દિનેશભાઇ વસોયાના પિતા દિનેશભાઇ ભાદાભાઇ વસોયા તા.૧૭ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું સોમવારેે તા.૨૧ના સાંજે  ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.