Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019
સોરઠીયા પ્રજાપતિ છગનભાઇ ફટાણીયાનું દુઃખદ અવસાન ૨૯મીએ નાની ઘંસારી ગામે ક્રિયા

રાજકોટઃ મુળ કેશોદના નાની ઘંસારી ગામના વતની હાલ રાજકોટ છગનભાઇ માવજીભાઇ ફટાણીયા (સોરઠીયા પ્રજાપતિ) (ઉ.વ.૫૦) તે કાનજીભાઇ, જીવનભાઇ અને જીવનભાઇના ભાઇ તથા અભિષેકના પિતાશ્રીનું તા. ૧૭/૪ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૨૯ના સોમવારે નાની ઘંસારી ગામે રાખેલ છે. (૧૪.૧૧)

 

અવસાન નોંધ

રેખાબેન પુરોહિત

લાલપુર :  ગીરીનારાયણ બ્રાહ્મણ શ્રી જગદીશભાઇ પુરોહિત (એડવોકેટ જામનગર), પૂર્વ  પ્રમુખ લાલપુર બ્રહ્મ સમાજ તથા ભુતપૂર્વ જીલ્લા સરકારી વકીલ (જામનગર) ના ધર્મ પત્નિ રેખાબેન (ઉ.વ. ૭૮) તે  જયદિપભાઇ પુરોહિત (એડવોકેટ) તથા હેતલબેન શાહ ના માતૃશ્રી તેમજ મનિષ શાહ (જામનગર) ના સાસુ નું તા. ૧૮ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ રાજપુત સમાજ, જુના પોલીસ સ્ટેશન સામે લાલપુર રાખેલ છે.

હેમલતાબેન સાકરીયા

ઓખા : સ્વ. કાકુભાઇ માધવજીભાઇ ચંદારાણા ના પુત્રી લંડન નિવાસી સ્વ. હેમલતાબેન ભીખાલાલ સાકરીયા (ઉ.વ.૭૮), તેઓ બળવંતભાઇ, સુભાષભાઇ, સ્વ. દિપકભાઇ,સ્વ. કિર્તીભાઇ ના  મોટા બહેન તથા પૃથવ, યસ, શ્રૃત અને શાનીકા ના ફઇબા શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પીયર પક્ષની સાદડી તા. ૧૯ શુક્રવારે સાંજે પ.૩૦ થી ૬.૦૦ વાગ્યે ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા  હોલ ખાતે  ભાઇઓ બહેનોનું સાથે રાખેલ છે.

હઘાભા જામ

ઓખા : વાઘેર સમાજના અગ્રણીય ઓખા ફીસરીઝના નીવૃત કર્મચારી હઘાભા નાનુભા જામ (ઉ.વ.૬૩),તેઓ રમેશભાઇ, મનોજભાઇ તથા નાનુભા  જામના પિતા તથા રાજેશભાઇ અને અજીતભા ના બનેવી શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું ૧૧ દિવસ સુધી તેમના નિવાસ સ્થાન ગાંધીનગરી ભુગા, અંબા માતાના મંદિર બાજુમાં રાખેલ છે.

કોકિલાબેન ત્રિવેદી

કુવાડવાઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ કોકિલાબેન ત્રિવેદી (ઉ.વ.૬૦) તે રમેશભાઇ ત્રિવેદી (પોસ્ટ) ના પત્ની તેમજ મૂળ બંગાવડી નિવાસી સ્વ. કાંતિલાલ નારણજીભાઇ ત્રિવેદીના પુત્રવધુ અને દિવ્યેશભાઇ, વિનુભાઇ ઇલાબેન, ઉર્મિલાબેન (જુનાગઢ)ના ભાભી તથા નૈમિષભાઇ અને વૈશાલીબેનના માતુશ્રી તથા હિનેશ કુમાર પંચોલીના સાસુ તેમજ સુરેશભાઇ ભુપતરાય જાનીના બહેનનું તા. ૧૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે પ વાગ્યે લોહાણા મહાજન વાડી કુવાડવા ખાતે રાખેલ છે.

કાંતાબેન ભારદીયા

રાજકોટઃ સ્વ.કાંતાબેન મગનભાઈ ભારદીયા તે મૂળગામ નાના ભેલા હાલ રાજકોટ તે રમેશભાઈ મગનભાઈ ભારદીયા, પુષ્પાબેન, ગોદાવરીબેન, વિજયાબેન તથા લતાબેનનાં માતુશ્રી તે સંદિપભાઈના દાદીમાંનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને શુક્રવાર સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ગુર્જર સુથાર કેળવણી મંડળ ભકિનગર સ્ટેશન પ્લોટ ૭/૧૦ ખાતે રાખેલ છે.

મંછાબેન જસાણી

રાજકોટઃ સુલતાનપુર નિવાસી હાલ કોલકતા સ્વ.ધીરજલાલ શામળજી જસાણીના ધર્મપત્ની મંછાબેન (ઉ.વ.૮૯) તે સાધ્વી ચેતનાજી મહાસતીજી, ચેતન, નરેન્દ્ર, યોગેશ, સ્વ.સુભાષ મુકેશના માતુશ્રી પ્રમીલા, જયોત્સના, કવિતા, સંગીતા, રૂપલના સાસુ, પૂજા, શ્રેયાસ, વાસુકી, મનાલી, અમી, રોનકના દાદી તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૨ સોમવારના રોજ શ્રી કામાણી જૈન ભવન, કોલકતા મુકામે સવારે ૯ કલાકે રાખેલ છે.

ઝરીનાબેન સુલેમાનભાઇ

કોટડા સાંગાણી : માસીર સુલેમાનભાઇ એચ. લાડકાની સુપુત્રી ઝરીનાબેન સુલેમાનભાઇ લાડકા (ઉ.વ. ૭૦) તા. ૧૭ ને બુધવારના રોજ ખુદાની રહેમતમાં પહોચેલ છે.  જીયારત તા. ૧૯ ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે કોટડાસાંગાણી મુકામે જુમ્મા મસ્જીદમાં રાખેલ છે.

ઝુબેદાબેન રંગુનવાલા

બગસરાઃ દાઉદી વ્હોરા-બગસરા ઝુબેદાબેન એહમદઅલી રંગુનવાલા (ઉ.વ.૮૦) તે મર્હુમ સુલતાનભાઇ લોખંડવાલાના બૈરો, આશીફભાઇ, યુનુસભાઇ, શમીમબેન-રાજકોટ, યાસ્મીનબેન, સ્વીડન તથા નસીમબેન ભાવનગરના માતુશ્રી તા.૧૭ને બુધવારના રોજ વફાત થયા છે. તેમની ઝીયારતના સીપારા તા.૧૯ને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે બગસરા નવી મસ્જિદમાં રાખેલ છે.

કંચનબેન કોટક

રાજકોટઃ કંચનબેન નરોત્તમદાસ કોટક તે ઓધવજી ભવાનભાઇ રાજા રાજકોટના પુત્રી, તથા વિનોદભાઇ, ભરતભાઇ, પ્રફુલા બગડાઇ, સુમીત્રા મજીઠીયા તથા માલતીબેન અવલાણીના માતુશ્રીનું  અવસાન થયેલ છે.  તેમની સાદડી જામનગર મુકામે પાબારી હોલ ખાતે તા.૧૮ને ગુરૂવારે સાંજે રાખેલ છે.

મધુબેન પરમાર

રાજકોટઃ મધુબેન ભુરાભાઇ પરમાર (ઉ.વ.૮૪) તે બહાદુરભાઇ તથા મગનભાઇના માતુશ્રી તેમજ  વિપુલ અને રોનકના દાદીમાનું તા.૧૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ચંદ્રેશ વાડી, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.ર૭ને શનિવારે રાખેલ છે.

મુકતાબેન કુબાવત

રાજકોટઃ કોઠારીયા  ગામના મુકતાબેન મનહરદાશ કુબાવત (ઉ.વ.૬ર) તે મનહરદાશ છગનદાશ કુબાવતના ધર્મપત્ની ભાવેશભાઇ તથા બ્રિજેશભાઇના માતુશ્રી હશુભાઇ, હેંમતભાઇ તથા વિજયભાઇના ભાભી તા.૧૭ના રામ ચરણ પામેલ છે.

મધુબેન પૂજારા

રાજકોટઃ સ્વ.શાંતિલાલ રામજીભાઇ પૂજારા સુરેન્દ્રનગરવાળાના પત્ની તે થાનગઢ વાળા સ્વ.નાગજીભાઇ સવજીભાઇ સચદેવના દીકરી તે સ્વ.મોહનભાઇ, સ્વ.ત્રિભોવનભાઇ, સુરેશભાઇ સચદેવના બહેન તે કિશોરભાઇ તથા ઘનશ્યામભાઇના માતુશ્રી મધુબેન શાંતિલાલપૂજારા (ઉ.વ.૮પ) તા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી લોહાણા મહાજન વાડી, સાણંદ રોડ, બાવાળ ખાતે તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુષ્પાબેન જોષી

રાજકોટઃ મહારાજ શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ પુષ્પાબેન (ઉ.વ.૬ર) તે બંસીલાલ લાભશંકર જોષીના ધર્મપત્ની, રસીકભાઇના લધુબંધુના પત્ની, નિમિષાબેન અલ્પેશભાઇ વ્યાસના માતુશ્રી, સ્વ.નવલશંકર જીવરામ ભટ્ટના પુત્રી અને ડો.જયંતભાઇ, રમેશભાઇ, કિશોરભાઇ, સ્વ.વસંતભાઇ તથા જગદીશભાઇ ભટ્ટ (પોરબંદર)ના બહેનનું તા.૧૬ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

કાંતીભાઇ જાવીયા

રાજકોટઃ કાંતીભાઇ વીરજીભાઇ જાવીયા તે રાજેષભાઇતથા દીનેશભાઇ જાવીયાના પિતાશ્રી તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના શુક્રવારે ભવનાથ-૧, શેરી નં.૪, હરી ધવા માર્ગ, રામેશ્વર વાડીની પાછળ, કોઠારીયા રોડ, ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમેશચંદ્ર ચાવડા

મોરબીઃ મચ્છુ કઠીયા સઇસુતાર જામનગર નિવાસી રમેશચંદ્ર હિરાલાલ ચાવડા (ઉ.વ.૬૫) તે (ખેવારીયાવાળા) હાલ મોરબી સ્વ. ખીમજીભાઇ દેવજીભાઇ ધામેચાના જમાઇ તથા સ્વ. ચમનલાલ તથા સ્વ. સુરેશભાઇ તથા ભુપતભાઇના બનેવી તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૧૯ શુક્રવારે સાંજે ૪ થી પ દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર ચાવડા

મોરબીઃ મચ્છુ કઠીયા સઇસુતાર જામનગર નિવાસી રમેશચંદ્ર હિરાલાલ ચાવડા (ઉ.વ.૬૫) તે (ખેવારીયાવાળા) હાલ મોરબી સ્વ. ખીમજીભાઇ દેવજીભાઇ ધામેચાના જમાઇ તથા સ્વ. ચમનલાલ તથા સ્વ. સુરેશભાઇ તથા ભુપતભાઇના બનેવી તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૧૯ શુક્રવારે સાંજે ૪ થી પ દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.