Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019
બાબરા તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડનાં પિતાશ્રી નાથાભાઇનું અવસાન

બાબરા : તાલુકા કોળી સમાજના અગ્રણી અને બાબરા શહેર ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડના પિતાશ્રી નાથાભાઇ રાઠોડ (ઉ.૯૦) તે અશોકભાઇ, કાન્તીભાઇ, નિતીનભાઇના પિતાશ્રીનું  અવસાન થયું. સ્મશાન યાત્રામાં શહેર અને તાલુકાના રાજકીય આગેવાનો વેપારીઓ જોડાયા હતાં. અને અંજલી અર્પી હતી.

ઉપલેટા લોહાણા જ્ઞાતિ પ્રમુખ જગદીશભાઇના બનેવીનું અવસાનઃ સાંજે સાદડી

ઉપલેટાઃ સ્વ.લક્ષ્મીદાસ ગોરધનદાસ ગણાત્રા (તમાકુવારા)ના જમાઇ ભારતીબેનના પતિ તથા હીરેનભાઇના પિતાશ્રી તથા ઘનશ્યામભાઇ (રાજકોટ) જગદીશભાઇ (ઉપલેટા) જનકભાઇ (ઉપલેટા) રાજેન્દ્રભાઇ (રાજકોટ) સ્વ.ચંદનબેન હરીલાલ મોરઝરીયા (જામનગર), લતાબેન હર્ષદરાય પોપટ (રાજકોટ) ના બનેવી અશોકભાઇ લાલજીભાઇ સુચક (ઉ.વ.૭૦)નું તા.૧૪ના રોજ ચંચઇ (મોઝામ્બીક) ખાતે અવસાન થયેલ છે.  સાદડી તા.૧૮ના રોજ નિવાસ સ્થાન દોશી શેરી, પાવન એપાર્ટમેન્ટ પાસે બપોરના  ૪થીપ રાખેલ છે.

અવસાન નોંધ

ઈલાબેન તન્ના

કેશોદઃ શ્રી સ્વ. લીલાધરભાઈ દેવજીભાઈ તન્નાના પુત્રવધુ તથા મોતીલાલ લીલાધર તન્નાના ધર્મપત્નિ ઈલાબેન (ઉ.વ. ૫૪) તેમજ દર્પણભાઈ તથા કોમલબેનના માતુશ્રી અને કાંતીભાઈ તથા ચંદુભાઈના લઘુબંધુના પત્ની અને છોટુભાઈના ભાભી તથા વિશાલ, કૃણાલ, ભાવિન, મિથિલના કાકી અને વિશાલકુમાર એમ. વિઠલાણીના સાસુનું તા. ૧૭ ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા. ૧૮ શુક્રવાર સાંજે ૪ થી ૫ લોહાણા વિદ્યાર્થી ભવન, કાપડ બજાર, આંબાવાડી ખાતે તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

શાંતીલાલભાઇ બદ્રકિયા

રાજકોટઃ ટોરવાળા ગુર્જર સુથાર સ્વ.કલ્યાણજીભાઇ બદ્રકિયાના પુત્ર શાન્તીલાલ કલ્યાણજી બદ્રકિયા (ઉ.વ.૭ર) તે તા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.શામજીભાઇ, સ્વ.ઓધવજીભાઇ, સ્વ.ડાયાભાઇ, સ્વ.જગજીવનના ભાઇ તેમજ મુકેશ, નિતેશ અને ઉમેશના પિતાશ્રી તથા સંકેતના દાદા તથા લતીપરવાળા મી. સ્વ. પ્રાગજીભાઇ તથા સ્વ.રમેશભાઇ દેવજીભાઇ વડગામાના બનેવીનું બેસણું તા.૧૮ને શુક્રવારે, સાંજે ૪-૩૦ થી ૬, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, ખાતે રાખેલ છે.

પોપટભાઇ સાવલીયા

રાજકોટઃ પોપટભાઇ ભુરાભાઇ સાવલીયા (ઉ.વ.૯૦) તે મોહનભાઇ (લક્ષ્મી ઇન્ઙ), બાબુભાઇ (જય ખોડીયાર મેન્યુ.), રતિભાઇ (માટેલ ઇન્ઙ), મનસુખભાઇ (ગણેશ વે-બ્રીજ), રમેશભાઇ (પરમેશ્વર મેન્યુ.)ના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભવનાથ મહાદેવ મંદિર, ગુરૂજન સોસાયટી, સાધના સોસાયટીની બાજુમાં રાખેલ છે.

સુરેશભાઇ ચુડાસમા

રાજકોટઃ વાંઝા દરજી (ગીંગણીવારા) સુરેશભાઇ મોહનભાઇ ચુડાસમા (ઉ.વ.૬૧) તે આરસી ટેઇલર્સ વાળા અશોકભાઇ મોહનભાઇ ચુડાસમાના નાનાભાઇ તથા અમીતભાઇ તથા જીજ્ઞેશભાઇ ચુડાસમાના કાકા તા.૧૭ના ગુરૂવારે ગોપાલ શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૮ને શુક્રવારે સાંજે પ કલાકે ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે ગંગેશ્વર મહાદેવના મંદીરે રાખેલ છે.

વિજયાબેન વાઘેલા

વાંકાનેરઃ કારડીયા રાજપુત વિજયાબેન દેવસિંહ વાઘેલા તે અજીતસિંહ, નિતીનસિંહના માતાનું તા. ૧૭ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના સોમવારે સાંજે ૪ થી ૬, કેસરીયા હનુમાનજીના મંદિરની બાજુમાં, વીશીપરા, વાંકાનેર ખાતે રાખેલ છે.

સુલતાનઅલી વેજલાણી

રાજકોટઃ સુલતાનઅલી યુસુફઅલી વેજલાણી (રાજકોટવાળા) હાલ મહુવા તે યાસ્મીનબેન (ધંધુકા), શકીનાબેન (મોરબી), મુમતાઝબેન (મહુવા)ના બાવાજી તથા સિરાજભાઇ (ધંધુકા), હસનભાઇ (મોરબી), અબ્બાસભાઇ (મહુવા)ના સસરા તા. ૧૭/૧ના ૧૧મી જ.અવ્વલને જુમેરાતના રોજ ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્યા છે. મર્હુમના જીયારત (સુયુમ) તથા ચાલીસમાના સિપારા તથા ફાતેહા તા. ૧૨મી જ. અવ્વલને તા. ૧૮ના જુમ્માના રોજ રાત્રે મગરીશ ઇશાની નમાઝ બાદ કલીમી મસ્જીદ સૈફી સોસાયટી  મહુવા ખાતે રાખેલ છે.

નરેન્દ્રકુમાર વ્યાસ

જામનગરઃ નરેન્દ્રભાઇ કેશવલાલ વ્યાસ (ઉ.૬૨) (નિવૃત તલાટી મંત્રી માંગરોળ, હાલ જામનગર) તે ગોૈરાંગભાઇ તથા દિવ્યાબેન ચિરાગકુમાર ત્રિવેદીના પિતાશ્રી અને સ્વ. અમૃતલાલ કે. વ્યાસ (જુનાગઢ)ના નાના ભાઇ, મુકુંદભાઇ (કેશોદ), જીતુભાઇ (અમરેલી) તેમજ સરલાબેન કિશોરભાઇ ભટ્ટ (તોરણીયા)ના મોટા ભાઇ તથા ભાવેશભાઇ હિમતલાલ પંડ્યા (ગણોદ)ના મોટા બનેવીનું તા. ૧૬ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું કાલે શનિવારે સાંજે ૪ થી ૬, રોયલ પાર્ક નિવાસ સ્થાનની બાજુમાં કોમલ પ્લોટ જામનગર ખાતે રાખેલ છે.

ગગજીભાઈ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપૂત ગગજીભાઈ રણમલભાઈ સોલંકી (ઉ.વ.૯૨) તે સ્વ.ધનજીભાઈ, સ્વ.વજેસીંગભાઈના મોટાભાઈ તેમજ કિશોરભાઈ અને પ્રતાપભાઈના પિતાશ્રી તેમજ ચેતનભાઈ, દીલીપભાઈ, મિલનભાઈના દાદાનું તા.૧૭ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ના શનિવારે સાંજે ૪ થી ૬ નટેશ્વર મહાદેવનું મંદીર, કોઠારીયા કોલોની, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

મધુસુદનભાઇ પંડયા

મોરબી : મધુસુદનભાઇ બી. પંડયા (ઉ.૭૮) (નિવૃત એસ.ટી. કર્મચારી) તે કલ્પેશભાઇ તથા દક્ષેશભાઇના પિતા અને રાજુભાઇ પંડયાનાં કાકા તા. ૧૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ શનિવારના રોજ સાંજે ૪ થી પ.૩૦ કલાકે રામેશ્વર મંદિર, હાઉસીંગ બોર્ડ, મોરબી-ર, ખાતે રાખેલ છે.

વાલબાઇબેન ભુટક

કોટડાપીઠાઃ જુના વાઘણીયા નિવાસી હાલ કોટડાપીઠા રાજગોર બ્રાહ્મણ વાલબાઇબેન વસરામભાઇ ભુટક (ઉ.વ.૯૫) તે ચંદુભાઇ તથા ગૌરીશંકરભાઇનાં માતુશ્રી તેમજ સ્વ. વનરાજભાઇ, જીલુભાઇ, બાવભાઇ, કમલેશભાઇ, દિલીપભાઇ તથા રેખાબેનનાં દાદીમાંનું તા. ૧૪-૧-૧૯ના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા. ૧૮-૧-૧૯ને શુક્રવારના રોજ વાવડા રોડ ખાતે આવેલ સરદારનગર શેરીનં. ૫ કોટડા પીઠા ખાતે ૪ થી ૬ રાખેલ છે.

બીપીનભાઇ દેસાઇ

જામકંડોરણા :  બીપીનભાઇ ભોથાલાલ દેસાઇ (ઉ.વ.૬૬) (મું. જામકંડોરણા) નિવાસી  હાલ રાજકોટનું તા. ૧૮ ના અવસાન થયું છે. તેઓ સ્વ. રેખાબેનના પતિ,  સ્વ.ભિખાભાઇ તથા  છબીલભાઇ (કલકતા) ના લઘુ બંધુ તેમજ હિમાંશુ દેસાઇ (યુનિ. રોડ દેરાસર ના ટ્રસ્ટી અને ક્રિષ્ના સ્કુલના પ્રિન્સીપાલ) ના પિતાશ્રી તથા  લિનાબેનના સસરા, તથા મોહનલાલ રાઘવજી મહેતા ના જમાઇ તથા શાંતાબેન (કલકતા), ભારતીબેન (ઉપલેટા) , ધનીબેન (કલકતા), નિર્મળાબેન (વંથલી) ના ભાઇનું ઉઠમણું તા. ૨૦ ને રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે ,બાદ ૧૦.૩૦ કલાકે પ્રાર્થનાસભા યુનિવર્સિટી રોડ  જૈન દેરાસર રામપાર્ક શેરી નં.-૫, પંચાયત બસ સ્ટોપ  નજીક  રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ભાનુમતીબેન રાવલ

રાજકોટ : ઔદિચ્ય બ્રાહ્મણ રાજકોટ નિવાસી ભાનુમતીબેન અનતકુમાર રાવલ (ઉ.વ.૮૧) તે દિલીપ રાવલ, રાજેન્દ્ર રાવલના માતુશ્રી તથા ઉર્વશી રાવલ, બિંદીબેન રાવલના સાસુ તેમજ પાર્થ, સુકેતુ, વત્સલ, અવનીના દાદીમાનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને સોમવારે ૦૬ અનંતાનગર, કાલાવડ રોડ, તેમના નિવાસસ્થાને સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.

ઓધવદાસ નિરંજની

રાજકોટ : નિવાસી મુકેશભાઈ તથા નવનીતભાઈ (રીન્કુભાઈ) નિરંજનીના પિતા તેમજ દિલેશકુમાર, દિપકકુમારના સસરા ઓધવદાસ રામદાસ નિરંજની (ઉ.વ.૭૮)નું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને સોમવારે ઉદયનગર-૨ ઉદેશ્વર મહાદેવ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કેશવજીભાઈ ગોહેલ

રાજકોટઃ પૂ.કેશવજીભાઈ લવજીભાઈ ગોહેલ (મેસર્સ કે.એલ.કાું વાળા) તે નટુભાઈ ગોહેલ, સ્વ.મનસુખભાઈ ગોહેલ, જગદીશભાઈ ગોહેલ, લલિતભાઈ ગોહેલના પિતાશ્રી તા.૧૬ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ શુક્રવારે બપોરે ૪ થી ૬ દરમ્યાન શ્રમજીવી સોસાયટી કોમ્યુનિટી હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિભાઈ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ (ધ્રાફાવાળા) જયંતિભાઈ પરષોતમભાઈ મકવાણા (ઉ.વ.૭૫) તે ભાવેશભાઈ, મહેશભાઈ, જયશ્રીબેન, અંજુબેનના પિતાશ્રી કમલેશકુમાર, કિરીટકુમારના સસરા તથા અમુભાઈ, કાન્તિભાઈ, જગદીશભાઈ, પ્રવિણભાઈના ભાઈ તથા નારણભાઈ ખીમજીભાઈ સાંચેલા (રાણાવાવ) તેના જમાઈનું તા.૧૭ના ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૯ને શનિવારના રોજ ૪ થી ૫ ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગવાડી પુનિતનગર- ૨, સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.