અવસાન નોંધ
પડધરીના ગજેન્દ્રભાઇ રાવલનું અવસાન : સોમવારે ઉઠમણું
પડધરી : નિવાસી સ્વ. નોતમભાઇ દેલેરાય રાવલના પુત્ર ગજેન્દ્ર નોતમભાઇ રાવલ (ટીનુભાઇ) ૪૬ વર્ષ તે ચિ. ધ્રુવભાઇ, ચિ.રમેશભાઇના ભત્રીજા , ચિ. કોશીકભાઇ ના નાના ભાઇ, ચિ.મનોજભાઇ, ચિ. પ્રશાંતભાઇ ના મોટાભાઇ, ચિ. ધ્રુવિતના પિતાશ્રી, ચિ. જીગરના ભાઇજી, હંસાપર મણીશંકર ઠાકરના જમાઇનું અવસાન તા. ૧૬ ને શુક્રવારે થયેલ છે. ઉઠમણું તા. ૧૯ નેસોમવારે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે પડધરી સાંજે ૪ થી૫ ના સમયે રાખેલ છે.
પાટણના પત્રકાર ભુપતભાઇ પારેખનાં પત્નીનું અવસાનઃ કાલે પ્રાર્થના સભા
પાટણ :.. હિન્દુસ્તાન સમાચાર ન્યુઝ એજન્સીના બ્યુરો ચીફ ભુપતભાઇ પારેખનાં પત્ની શ્રીમતી સરલાબેન પારેખનું ગઇકાલે સવારે દુઃખદ અવસાન થયું છે. તેમની પાછળ એક પુત્ર ડો. ભાવેશ પારેખ તથા બે પુત્રીઓ શ્રીમતી બિનાબેન રાકેશ કામદાર મોમ્બાસા કેન્યા, તથા શ્રીમતી ગીતાબેન કલ્પેશ કામદારને છોડતા ગયા છે.
સ્મશાન યાત્રા આજે ૧૭ નવેમ્બરને શનિવારે બપોરે ૩ વાગે તેમના નિવાસ સ્થાન મોહીની એપાર્ટમેન્ટ એન. એસ. કમ્પાઉન્ડ નહેરૂ સર્કલ નીકળી વી. એસ. હોસ્પિટલ પાછળ વિદ્યુત સ્મશાન ગૃહે બપોરે. પ્રાર્થના સભા તા. ૧૮ ને રવિવાર સવારે ૯ થી ૧ર, માણેકબા હોલ ખાતે રાખવામાં આવી છે.
મનસુખભાઈ ધોરેચા
રાજકોટઃ મોરબી ગુર્જર સુથાર, સ્વ.મનસુખભાઈ શામજીભાઈ ધોરેચા (ઉ.વ.૫૩) (જોધપર નદીવાળા) તે રવિભાઈ અનુજભાઈ, કાજલબેનના પિતાશ્રી તથા ચેતનાબેનના પતિનું તા.૧૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે વિશ્વકર્મા વાડી, યુનિટ- ૧માં મોરબી ખાતે રાખેલ છે. સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયાના જમાઈ (ખાખરેચી વાળા) પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રવિભાઈ મો.૯૬૮૭૦ ૩૭૩૧૮
અજીતબા ઝાલા
ખીરસરાઃ સ્વ.અજીતબા રતુભા (ઉ.વ.૮૯) ગામ ઉધલવાળા તે રતુભા ઝાલાના પત્ની તથા ખીરસરાવાળા (હાલ રાજકોટ) સામતસિંહ જે.જાડેજા અ.નિ.જયેન્દ્રસિંહ જે. જાડેજા તેમજ અજીતસિંહ જે. જાડેજા લખમણદેવ જે. જાડેજાના ફઇબાનું તા.૧૬ના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
પોરબંદરના વસંતબેન લોઢિયાનું અવસાન
પોરબંદર : મૂળ પોરબંદર નિવાસી સ્વ. દેવચંદભાઇ લોઢિયાના પત્ની ગં.સ્વ. વસંતબેન (ઉ.૯૦) પાજોદવાળા તા. પમીએ આબુ રોડ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગત તેઓ મનસુખલાલભાઇ, શાંતિલાલભાઇ (પોરબંદર), દિપકભાઇ અને ચેતનભાઇના કાકી થાય છે.
રંભાબેન જોલીપરા
સરધાર : હલેન્ડાના વતની ગુર્જર સુતાર રંભાબેન હરિભાઇ જોલીપરા (ઉ.વ.૯૦) ત ે સ્વ. રતીલાલ વિઠલભાઇ તથા પ્રવીણભાઇ ના માતુશ્રીનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે.બેસણું તા. ૧૯ ને સોમવારે હલેન્ડા તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
કાંીતલાલ ક્કકડ
મોરબી : કાંતિલાલ કુંવરજીભાઇ ક્ક્કડ (ઉ.વ.૮૫) તે અશ્વીનભાઇ, વિપુલભાઇ, સંજયભાઇ (હીના ટાઇમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતા, તથા સ્વ. હંસરાજભાઇ મોરારજીભાઇ મીરાણી (ખેવારીયા વાળા) ના જમાઇ તેમજ મોરબી લોહાણા મહાજન મંત્રી નરેન્દ્રભાઇ રાચ્છના સસરા નું તા. ૧૬ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૧૯ ને સોમવારે સાંજે પ.૦૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર , અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
સૌભાગ્યચંદ્ર આડેસરા
રાજકોટઃ કચ્છ અંજારવાળા હાલ રાજકોટ સ્વ.રતિલાલ જગજીવન આડેસરા, શંભુલાલ તથા હેમતભાઇનાં ભાઇ તે કિરોભાઇ તથા ધર્મેન્દ્રભાઇનાં પિતાશ્રી તથા પ્રિયંક તથા અભિષેકનાં દાદા સૌભાગ્યચંદ્ર જગજીવનદાસ આડેસરા (ઉ.વ.૮૯) જે તા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૭ના શનિવારે સાંજે ૪ થી પ, ખત્રીવાડ, પારેખવાડીમાં રાખેલ છે.
કમલેશભાઇ છનીયારા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.ગોરધનભાઇ જાદવજીભાઇ છનીયારાના પુત્ર કમલેશભાઇ ગોરધનભાઇ છનીયારા (ઉ.વ.પપ) હરકાંતભાઇ, નટુભાઇ તથા સુરેશભાઇ છનીયારા તેમજ મીનાબેન વી. દસાડીયાના નાના ભાઇ અને નિલય તથા ખુશ્બુના પિતાશ્રી તે (જેતપર વાળા) સ્વ.રતીલાલ મનજીભાઇ સુરેલીયાના જમાઇ તથા પરેશભાઇ અને બીપીનભાઇના બનેવી તા.૧પના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું - પ્રાર્થનાસભા તા.૧૯ના સોમવારે સાંજે ૪ થી ૬, પંચશીલ સોસાયટી કોમ્યુનિટી હોલ, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે. સ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
પ્રવિણચંદ્ર લાખાણી
રાજકોટઃ પ્રવિણચંદ્ર ભોગીલાલ લાખાણી (ઉ.વ.૭૪) તે બ્રીજેશભાઇ પી. લાખાણી તથા ડોલીબેન અલ્પેશભાઇ ભીંડીના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬, સોમેશ્વર મહાદેવ મંદીર, રવિરત્ન પાર્ક, યુની. રોડ, ખાતે રાખેલ છે.
મંજુલાબેન શાહ
રાજકોટઃ મુળ જામજોધપુર (શીવા વાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.જશવંતરાય મણીલાલ શાહનાં ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉ.વ.૭૦) તે રાજેશભાઇ, દિપકભાઇ, કૈલાશભાઇ, માધવીબેન પરેશભાઇ, રીટાબેન મુકેશકુમાર, જાગૃતિબેન સમીરકુમારનાં માતુશ્રી તે પારસભાઇ પ્રવિણચંદ્ર માવાણી (દેના બેંક)નાં ફૈબાનું તા.૧પને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૮ના રવિવારે સવારે ૧૦-૦૦ કલાકે પ્રાર્થનાસભા તા.૧૮ રવિવારનાં ૧૧ કલાકે વિરાણી વાડી, યુનિટ નં.ર, કોઠારીયા નાકા,રાજકોટ ખાતે રાખેલ છે.
વસંતરાય રાઠોડ
રાજકોટ : ધ્રોલ નિવાસી (હાલઃરાજકોટ) વસંતરાયભાઇ દામજીભાઇ રાઠોડ (ઉ.વ.૭૭) તે પ્રશાંતભાઇ (અતુલ મોટર્સ) રશ્મિબેન તથા પ્રજ્ઞાબેનના પિતાશ્રી તથા સ્વ. પ્રકાશકુમાર ચૌહાણ જામનગરવાળાના સસરા તથા બટુકભાઇ, પ્રવિણભાઇ ભરતભાઇના કાકા તથા સ્વ. રમેશભાઇ જોટંગીયાનાં બનેવી તથા અમિતભાઇ પાડલીયાનાં વેવાઇનું તા. ૧૭ને શનિવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯ને સોમવાર સાંજના ૪ થી પ કલાકે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, પંચાયત ચોક, મિલાપનગર મેઇન રોડ યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કાંતિલાલભાઇ પંડયા
મોરબી : કાંતિલાલભાઇ પંંડયા તે ત્રિભોવનભાઇ, ભાઇશંકરભાઇ, પ્રભાશંકરભાઇ, અને લાભશંકરભાઇના નાના ભાઇ, તે પંકજભાઇ, વિજયભાઇ, ભારતીબેન અને અંંજનાબેન ના પિતાશ્રી તેમજ સ્વ. નટવરલાલ દેવશંકર ભટ્ટ (વાઘેશ્વરી મંદિર પુજારી) ના જમાઇનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૯ ના રોજ સાંજે ૪ થી ૫ તેઓના નિવાસ સ્થાન આનંદનગર સોસાયટી, મયુર સોસાયટીની પાસે મોરબી-ર રાખેલ છે.