Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018
નિવૃત એએસઆઇ રાજભા ઝાલાનું અવસાનઃ ૧૯મીએ શુક્રવારે બેસણું

રાજકોટઃ રેલનગર પાસે લોર્ડ ક્રિષ્ના સોસાયટી શેરી નં. ૩માં રહેતાં નિવૃત આસી. સબ ઇન્સ. રાજેન્દ્રસિંહ દોલુભા ઝાલા (ઉ.૬૨)નું તા. ૧૬ના અવસાન થયું છે. ગઇકાલે બપોરે બે વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

મૃત્યુ પામનાર રાજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ શહેર પોલીસમાં ૧૯૭૪માં ભરતી થયા હતાં. એ પછી તેમણે પ્ર.નગર, એમઓબી, એ-ડિવીઝન સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. છેલ્લે એએસઆઇ તરીકે એમઓબીમાંથી ૨૦૧૧માં નિવૃત થયા હતાં. તેઓ ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. સદ્દગતનું બેસણું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

ગંગાબેન વાઘજીભાઈ રાઠોડનું ૧૦૧વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ કારડિયા રાજપૂત ગં.સ્વ.ગંગાબેન વાઘજીભાઈ રાઠોડ (ઉ.વ.૧૦૧) તે જયસિંહભાઈ વાઘજીભાઈ રાઠોડના માતુશ્રી તથા જયદિપભાઈ (જયુભાઈ) જયસિંહભાઈ રાઠોડના દાદીમાનું તા.૧૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રામમંદિર ૨, રજપૂતપપરા ખાતે રાખેલ છે.

જસદણના કમળાબેન મહેતાનું દુઃખદ અવસાન

જસદણઃ રાજગોર બ્રાહ્મણ કમળાબેન મનસુખભાઈ મહેતા (ઉ.વ. ૭૫) તે મુકેશભાઈ, રાજેશભાઈના માતુશ્રીનું તા. ૧૫મીએ અવસાન થયેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૨૫મીએ ગુરૂવારે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, લાતીપ્લોટ-જસદણ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઈ જોષી

મોરબીઃ રાજકોટ નિવાસી નરેન્દ્રભાઈ રવિશંકર જોષી (ઉ.વ. ૫૨) તે મનીષાબેન નરેન્દ્રભાઈના પતિ તેમજ સ્વ. ભરતભાઈના નાના ભાઈ તેમજ છેલશંકરભાઈ મોટાભાઈ તથા વિશાલ અને અંકિતના પિતાનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન વિવેકાનંદનગર, ૮૦ ફુટ રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન વ્યાસ

મોરબીઃ મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી પુષ્પાબેન હિંમતલાલ વ્યાસ (ઉ.વ. ૮૧) તે સ્વ. હિંમતલાલ હરિશંકર વ્યાસના ધર્મપત્નિ તથા અશ્વિનભાઈ, શૈલેષભાઈ અને સંજયભાઈના માતા તેમજ સ્મિત, તન્મય, દક્ષ, દિયાના દાદીનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઔદિચ્ય બ્રાહ્મણની વાડી જેલ રોડ ખાતે રાખેલ છે.

કપિલભાઈ દવે

વઢવાણઃ સુરેન્દ્રનગર નિવાસી કપિલભાઈ કાંતિલાલ દવે (ઉ.વ. ૭૪) (રિટાયર્ડ એન્જીનીયર-જીઈબી) ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જે મીરાબેન (પંડીત) દવેના પતિ તથા યક્ષ તથા દિપાબેન જૈનના પિતાશ્રી તથા અરવિંદભાઈ, જનાર્દનભાઈના ભાઈ તથા શેખરભાઈના કાકાનું તા. ૧૩મીએ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન સમસ્ત બ્રહ્મસમાજની વાડી-પૂર્વ વિભાગ, ૮૦ ફૂટનો રોડ, સુરેન્દ્રનગર રાખેલ છે.

સુધાબેન દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. સુધાબેન જીતેન્દ્રભાઇ (વેસ્ટરલંડન)તે નવનીતભાઇ શાંતિભાઇ જોશી રીટાયર્ડ પોલીસ ઓફિસરનાં પુત્રી તથા ભાસ્કરભાઇ નવનીતભાઇ જોશી, પીડબલ્યું.ડી. તથા ભરતભાઇ નવનીતભાઇ જોશી, ગર્વમેન્ટ પ્રેસના બહેનનું તા.૧૪ના રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૧૮ ગુરૂવાર સાંજના ૪ થી ૬ ગૌરેશ્વર મહાદેવ મંદીર, રેફયુજી કોલોની, હંસરાજનગર ખાતે રાખેલ છે.

મુકતાબેન ભારદીયા

રાજકોટઃ સ્વ.વલ્લભદાસ પોપટભાઇ ભારદીયાના ધર્મપત્ની મૂકતાબેન વલ્લભદાસ (ઉ.વ.૮૬) તે અશોક જનરેટર તથા મિસ્ત્રી ઇલેકટ્રીકવાળા પ્રવીણભાઇ, સ્વ.લલિતભાઇ, અશોકભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ ભારદીયા તથા હંસાબેન મહેન્દ્રકુમાર પેશાવારીયા અને હીનાબેન રાજકુમાર સંચાણિયાના માતુશ્રી તથા કમલભાઇ, વિશાલભાઇ, અમિતભાઇ, વિવેકભાઇ, મિતેષભાઇ, વિકાસભાઇ ભારદીયાના દાદીશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના ગુરૂવારે ૪ થી ૬, પંચશીલ હોલ, પંચશીલ સોસાયટી મેઇન રોડ, એચ.જે. દોશી હોસ્પિટલ પાસે રાખેલ છે.

ઓતમબેન રામાણી

ગોંડલઃ શામજીભાઇ હીરજીભાઇ રામાણીના પત્ની ઓતમબેન(ઉ.૮૦)તે કિશોરભાઇના માતાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું: તા.૧૮ને ગુરૂવારે સાજે ૪થી૬ તેમના નિવાસ સ્થાન હાઉસિંગ બોર્ડ સોસાયટી ગોંડલ મુકામે રાખેલ છે.

રસીકભાઇ ચોટાઇ

રાજકોટ : ઠા.રસીકભાઇ પ્રભુદાસભાઇ ચોટાઇ (ઉ.વ.૬૫), તે સ્વ. પ્રભુદાસ દુલર્ભજી ચોટાઇના પુત્ર (પુનાવાળા) પ્રફુલ્લા નરોતમભાઇ કોટેચા (જામનગરવાળા) નરેન્દ્રભાઇ, કોૈશીકભાઇ રોનલ પાંઉભાજી પુનાવાળાના ભાઇ તથા પરાગભાઇ (રોનક ઓપ્ટીકલવાળા) ના પિતાશ્રી તેમજ સ્વ. જયંતિલાલ જીવરાજભાઇ દાસાણી (પુનાવાળા) ના જમાઇનું તા.૧૬ને મંગળવારે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૧૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ આસુતોષ મહાદેવ મંદિર હરિહર સોસાયટી કાલાવડ રોડ, નુતનનગર હોલ સામે ગલીમાં રાજકોટ ખાતે બંન્ને પક્ષની સાથે રાખેલ છે.

કિરીટભાઇ અનડા

જામનગર : કિરીટભાઇ રસિકલાલ અનડા ઉ.વ.૬૦ તે રેખાબેનનાં પતિ તથા સુમતીબેન, હર્ષાબેન તથા મુકેશભાઇનાં ભાઇ તેમજ ધીરેનભાઇ તથા હિતેષભાઇ રૂપારેલનાં બનેવી તા.૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. સસરા તેમજ મોસાળ પક્ષનું બેસણું તથા સાદડી તા.૧૮ને સાંજે ૪:૩૦ થી પ તેમના નિવાસ સ્થાને ૪૦૩- સમકીત એપાર્ટમેન્ટ કામદાર કોલોની, શેરીનં.૧૧, જનતા ફાટક પાસે, જામનગર ખાતે રાખેલ છે.

શિવરામભાઈ કયુર

રાજકોટઃ લક્ષ્મણ ટ્રેંડીગ કાું (ખાંડવાળા) દાણાપીઠ રાજકોટ વાળા અશોકભાઈ, લક્ષ્મણભાઈ, સુરેશભાઈ તથા જયંતભાઈના પિતાશ્રી શિવરામભાઈ દિપચંદભાઈ કયુરનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું / પગડીયુ તા.૧૮ના ગુરૂવારના સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ૭, લાતીપ્લોટ, ''શ્રીરામ નિવાસ'', મોરબી રોડ પાસે રાખેલ છે.

ઉકાભાઇ ચાવડા

વેરાવળ : સૌરાષ્ટ્ર દલીત સંગઠન ગીર સોમનાથ જિલ્લાના ઝોનલ સંયોજક અને સામાજીક કાર્યકર સેવા ગોવિંદભાઇ ચાવડાના પિતા ઉકાભાઇ રામસીભાઇ ચાવડા (ઉ.વ.૮૫)નું તા. ૧૫ના અવસાન થયેલ છે.

શોભનાબેન

રાજકોટ : લાધાભાઇ માધવજીવાળા સ્વ. હરિલાલ લાધાભાઇ રાજવીરના પુત્રવધુ શોભનાબેન (ઉં.વ. પપ) તે શ્રી પ્રદીપભાઇ રાજવીરના ધર્મપત્ની તેમજ કુ. હિનલના માતુશ્રી તે નરેન્દ્રભાઇ તેમજ પ્રવિણભાઇના નાનાભાઇના પત્ની તેમજ મધુબેન, રસિલાબેન, પ્રવિણાબેન તેમજ નીતાબેન (અમેરીકા) ના ભાભી તે જેન્તીલાલ પ્રાગજી કારીયાની સુપુત્રીનું તા.૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮ને ગુરૂવારે સાંજે પ-૩૦ કલાકે કાઠીયાવાડ જીમખાના કોમ્યુનીટી હોલમાં રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ધનગૌરીબેન ભોજાણી

રાજકોટઃ સ્વ. ભોજાણી અમરશી રાજશીભાઈના પુત્રવધુ તે ભોજાણી સ્વ.વસંતલાલ અમરશીભાઈના ધર્મપત્ની સ્વ. નારણદાસ વાલજીભાઈ રાચ્છ (મોટા દહીંસરવાળા) ના સુપુત્રી, રમેશભાઈ વસંતલાલ, સ્વ. મનીષાબેન સોમૈયા (મોરબી) તેમજ રીટાબેન છાગાણી (રાજકોટ) ના માતુશ્રી તથા કૌશિકભાઈ, હાર્દિકભાઈ, શીતલબેન પોપટ (સુરત) ના દાદીમાં તે ધનગૌરીબેન વસંતલાલ ભોજાણીનું તા. ૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા. ૧૮ના રોજ ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક-૩, રૈયા ચોકડી, રાજકોટ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

કમલભાઇ જયસ્વાલ

કમલભાઇ જયંતિલાલ જયસ્વાલ (કાલુભાઇ)નું તા.૧૮ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૮  ગુરૂવાર, સમયઃ સાંજે ૪ થી ૬, સ્થળઃ તેમના નિવાસ સ્થાનેઃ વાંકાનેર સોસાયટી-૧, જામનગર રોડ,આઇઓસી ડેપોની સામે, રાજકોટ 

કાંતીભાઇ ચાવડા

 રાજકોટઃ મુળ ગામ કોટડા સાંગાણી- હાલ રાજકોટ (ઉ.વ.૬૦)  (સોરઠીયા રજપુત) તે દિનેશભાઇ દેવજીભાઇ ચાવડા હાલ કોટડા સાંગાણીના નાનાભાઇ લધુબંધુ તથા સ્વ.  પુષ્પાબેન કનુભાઇ પરમાર રાજકોટ તથા સ્વ. જયાબેન નરસીભાઇ સોલંકી રાજકોટ તથા નયનાબેન જીતુભાઇ ચૌહાણ વલસાડ તથા અનિતાબેન શૈલેષભાઇ પરમાર રાજકોટના મોટાભાઇનું તા.૧૪ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ ગુુરૂવાર સાંજે ૪ થી ૬ શ્રી નટેશ્વર મહાદેવના મંદીર, એસી. ફુટનો રોડ, શેઠ હાઇસ્કુલ, બગીચા સામે  રાજકોટ ખાતે રાખેલ છે.

 સુરેશભાઇ ટાંક

 રાજકોટઃ સ્વ. ધીરજલાલ ત્રીકમજીભાઇ ટાંકના સુપુત્ર સ્વ. સુરેશભાઇ ધીરજલાલ ટાંક તે સ્વ. અશોકભાઇ તથા પરેશભાઇ તથા મુકેશભાઇના મોટાભાઇ તથા જયભાઇ, રવિભાઇનાં પિતાશ્રી તથા કેતનભાઇ વસંતભાઇ રાઠોડના સસરા તે સુરેશ મોટર ગેરેજ વાળા સ્વ. સુરેશભાઇ ધીરજલાલ ટાંક તા.૧૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ જય ભોજલરામ કોમ્યુનીટી હોલ, જય ભોજલરામ સોસાયટી, સંત કબીર રોડ મુકામે રાખેલ છે.