Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018
અવસાન નોંધ

ટંકારાના જબલપુરના રેવીબેન ૧૦૫ વર્ષની વયે અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે કાલાવડીયા ખાડાભાઇ  બોઘાભાઇ બેચરભાઇ બોઘાભાઇ તથા ભગવાનજીભાઇ બોઘાભાઇના માતૃશ્રી રેવીબેન બોઘાભાઇ  કાલાવડીયા નો ૧૦૫ વર્ષની વયે સ્વર્ગવાસ થયેલ છે.

જશુભા પરમાર

રાજકોટ : વડીયા નિવાસી જશુભા રતનસિંહ પરમાર (ઉ.વ.૮૦) તે નિવૃત આચાર્ય શ્રી દેવળકી પ્રાથમિક શાળાને સંચાલક શ્રી હરસિદ્ધિ હાઈસ્કુલ દેવળકી તે ભરતસિંહ જે. પરમારના પિતાશ્રી તથા દિલીપસિંહ રતનસિંહ પરમાર (નિવૃત ટી.આઈ.એસ.ટી., ગોંડલ ડેપો) તથા રણજીતસિંહ પી. પરમાર (નિવૃત) તથા ચંદ્રસિંહ આર. પરમાર (નિવૃત એ.ટી.આઈ. જૂનાગઢ એસટી ડેપો) તથા જીતેન્દ્રસિંહ આર. પરમાર (સુરેન્દ્રનગર)ના વડીલબંધુ તેમજ પ્રદ્યુમનસિંહ ડી. પરમાર (પી.ડી.પરમાર, ટી.સી. ગોંડલ ડેપો) તથા ઘનશ્યામસિંહ ડી. પરમાર (ડ્રાઈવર ગોંડલ ડેપો) તથા જયેન્દ્રસિંહ સી. પરમાર (ડ્રાઈવર જેતપુર ડેપો) તથા વિક્રમસિંહ સી. પરમાર (ડ્રાઈવર બગસરા ડેપો) તથા પરાક્રમસિંહ જે. પરમાર (સુરેન્દ્રનગર)ના મોટાબાપુનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે.

જશવંતીબેન શાહ

 વાંકાનેરઃ  નિવાસી શાહ અમૃતલાલ પદમશીભાઇના પુત્ર સ્વ. રમણીકલાલના ધર્મપત્ની જશવંતીબેન (ઉ.વ.૯૦) તે વિજયભાઇ, વિરેન્દ્રભાઇ, સ્વ. વર્ષાબેન તથા કમલબેન ના માતુશ્રી તથા અમિતભાઇના ભાભુ તથા દિનેશકુમાર મહેતા (અમદાવાદ) અને મહેન્દ્રકુમાર દોશી (નાગપુર) ના સાસુનું તા. ૧૫મી એ અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થના તા. ૧૯ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે શ્રી દિગંમ્બર જેન હોલ, પ્રતાપ રોડ, વાંકાનેર રાખેલ છે.

બિપીનભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ આંણદપર નિવાસી બિપીનભાઈ કરૂણાશંકર ત્રિવેદી (ઉ.વ.૬૨) તે હિરેનભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાશ્રી તથા મનુભાઈ, કૃષ્ણકાંતભાઈ, સ્વ.ગીરીશભાઈ તથા લલીતભાઈના નાનાભાઈ તેમજ ખીમરાણા વાળા જગદીશભાઈ, વજુભાઈ, પરષોત્તમભાઈ તથા બીપીનભાઈ મહેતાના બનેવીનું તા.૧૫ રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું આંણદપૂર ખાતે તા.૧૯ના ગુરૂવારે બપોરનાં ૩ થી ૪:૩૦ કલાક રાખેલ છે.

પ્રભાબેન વાજા

ગોંડલ : વાળંદ સ્વ. પ્રભાબેન વિઠ્ઠલભાઇ વાજા તે સ્વ. નટુભાઇ, પ્રવિણભાઇ, સ્વ. અશોકભાઇ, મનોજભાઇના માતાનું તા. ૧૫ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાળંદ જ્ઞાતિની વાડી, પુનિત નગર, ગોંડલ રાખેલ છે.

જશવંતીબેન શાહ

રાજકોટઃ વાંકાનેર નિવાસી શાહ અમૃતલાલ પદમશીના પુત્ર સ્વ.રમણીકલાલના ધર્મપત્ની જશવંતીબેન (ઉ.વ.૯૦) તે વિજયભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ.વર્ષાબેન તથા કમલાબેનનાં માતુશ્રી તથા દિનેશકુમાર મહેતા (અમદાવાદ) મહેન્દ્રકુમાર દોશી (નાગપુર)ના સાસુનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૧૯ને ગુરૂવારનાં રોજ સવારે ૧૦ કલાકે શ્રી દિગંમ્બર જૈન હોલ, પ્રતાપ રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

જયોતિબા મકવાણા

રાજકોટઃ દેવચડી નિવાસી કારડીયા રાજપુત રણજીતસિંહ ભીખુજી મકવાણાનાં ધર્મપત્ની જયોતીબા રણજીતસિંહ મકવાણા (ઉ.વ.૫૫) તે અનિરૂધ્ધના માતુશ્રી અને પ્રતાપભાઈ મકવાણાનાં નાનાભાઈના પત્નીનું તા.૧૬ના અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૨૦ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને દેવચડી મુકામે રાખેલ છે. તેઓ નવલસિંહ મકવાણા તથા સુરેશભાઈના ભાભી તથા કનકસિંહ મકવાણાના કાકી થાય.