Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019
જસદણના એડવોકેટ જે ડી રાઠોડના માતૃશ્રીનું નિધનઃ સોમવારે ધાર્મિક વિધિ

જસદણઃ હીરાબેન દુદાભાઇ રાઠોડ (ઉ.વ.૮૫) તે સ્વ.એન ડી રાઠોડ જે ડી રાઠોડ (એડવોકેટ) રામજીભાઇ, શિવલાલભાઇ, અરજણભાઇ, જયદેવભાઇના માતાનું તા.૧૬મેના રોજ આંબરડી (જામ) નિધન થયેલ છે. ધાર્મિક વિધિ ''બારમુ'' તા.૨૦મે સોમવારના રોજ તેમના નિવાસસ્થાન આંબરડી (જામ) જસદણ ખાતે રાખેલ છે

અવસાન નોંધ

રતનપરના સિતાબા રાણાનું અવસાનઃ ૨૦મીએ બેસણું

રાજકોટઃ ભડવાણા નિવાસી હાલ રતનપર (સુરેન્દ્રનગર) સ્વ. સિતાબા પ્રધ્યુમનસિંહ રાણા તે રાજેન્દ્રસિંહ રાણા તથા વિજયસિંહ એમ. ઝાલા (રાજકોટ ક્રાઇમ બ્રાંચ)ના ભાભીસાહેબ તથા જયકિશનસિંહ ઝાલા અને રવિરાજસિંહ રાણા તથા ઋતુરાજસિંહ રાણાના ભાભુમાનું તા. ૧૫/૫ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના સાંજે ૪ થી ૭ , રતનપર ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. ૨૪ના રોજ રાખેલ છે.

અતુલભાઈ તન્ના

રાજકોટઃ સ્વ.જગજીવનદાસ જીવરાજ તન્નાના પુત્ર અતુલભાઈ (ઉ.વ.૫૯) તે સ્વ.રસિકલાલ, સ્વ.હિંમતભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ (સુરત), સ્વ.નીતિનભાઈના નાનાભાઈ તથા કાંતિલાલ માવજીભાઈ રાજવીરના જમાઈનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.

શરદચંદ્ર વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક વાંકાનેર નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર નરશીદાસ વખારીયા (ઉ.વ.૯૧) તે રાજશ વખારીયા (એલ.આઈ.સી.), ચંદ્રેશ વખારીયા, કલ્પના, જયશ્રી તથા કાશ્મીરા વખારીયાના પિતાશ્રી, પાર્થના દાદા તથા સ્વ.ધીરજલાલ, સ્વ.વ્રજલાલ તથા સ્વ.રસિકભાઈ વખારીયા, શોભનાબેન બાબરિયાના ભાઈ, હેમેન્દકુમાર ગોરસિયા તથા જયેશભાઈ પારેખના સસરા તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ નવદુર્ગા હોલ, બોમ્બે હાઉસિંગ સોસાયટી શેરી નં-૧, ધોળકિયા સ્કૂલની સામે, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

જયોત્સનાબેન દવે

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ, હાલ અમેરીકા (શિકાગો) સ્વ.જયોત્સ્નાબેન (ઉ.વ.૭૫) તે ડો.શરદભાઈ મનસુખલાલ દવેના ધર્મપત્ની, તેમજ ડોે.સંદિપભાઈ અને સમિતભાઈના માતુશ્રી, કિશોરભાઈ, લલિતભાઈ, રેખાબેન પ્રવીણભાઈ જોશી, સ્વ.મધુબેન દિનેશચંદ્ર ભટ્ટ, અરૂણાબેન બિપિનભાઈ (દાદા) પંડ્યા અને વર્ષાબેન વિપુલચંદ્ર વાગડિયાના મોટા ભાભી અને સ્વ.પ્રેમશંકર વાલજી પંડ્યાના પુત્રી, હર્ષદભાઈ અને દિપકભાઈ મણીલાલ પંડ્યાના બહેન મૂળ વતન અમરેલી તા.૧૦ના શિકાગો ખાતે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શનિવારના રોજ ૫:૩૦ થી ૬:૩૦ કલાકે શ્રી ઉન્નતિ વિદ્યાલય, ગાંધીગ્રામ ૪-બી, એસ.કે.ચોક, રાજકોટ ખાતે દવે અને પંડ્યા બંને પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે.

મનજીભાઈ લાડાણી

રાજકોટઃ સ્વ.મનજીભાઈ (દિનેશભાઈ) લાડાણી (મુળગામ- કાલવાણી, તાલુકો- કેશોદ, હાલ- શાપર વેરાવળ) (c/oઓલિમ્પિક પ્લાસ્ટીક) તે જમનભાઈ, રમણીકભાઈ તથા મનસુખભાઈના ભાઈ તથા અશોકભાઈ, શૈલેષભાઈ મેનપરા કણજાવારાના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૭ શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ કૃષ્ણનગર મેઈન રોડ, સુરભી એપાર્ટમેન્ટ, ટેલીફોન એક્ષ્ચેંઝની સામે રાજકોટ ખાતે તથા કાબવાણી મુકામે શનિવાર તા.૧૮ના રોજ બેસણુ રાખેલ છે.

રાજેશભાઇ પરમાર

જોડિયાઃ મચ્છુંકઠિયા સઇ સૂથાર સ્વ.વલ્લભભાઇ માધવજીભાઇ પરમારના પુત્ર રાજેશભાઇનું જે સુરેશભાઇ, મહેનદભાઇ વસંતબેન, અનસૂયાબેન, ગીતાબેનના ભાઇનું અવસાન થયું છે. ઉઠમણું ૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૫ જોડિયા નિવાસ સ્થાને રાખેલ છે.

શશીકાંતભાઇ બોઘાણી

રાજકોટઃ ઉપલેટા નિવાસી સ્વ. એડવોકેટ જમનાદાસ નરભેરામ બોઘાણીના ભત્રીજા શશીકાંત નવલરામ બોઘાણીનું તા.૧૬ના અવસાન થયેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

હરસુખલાલભાઇ સોની

કેશોદઃ સ્વ. સોની વિઠલદાસ જીવનભાઇ ધોળકિયાના પુત્ર, હાલ રાજકોટ સોની હરસુખલાલ વિઠલદાસ ધોળકિયા (ઉ.વ.૬૮) તે સ્વ.જગદીશભાઇ, સુરેશભાઇ, હરીભાઇ તથા શ્યામભાઇના મોટાભાઇ તથા નયનભાઇના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું શનિવાર તા.૧૮ના સાંજે પ થી ૬ શ્યામકુંવરબાઇ વાડી દરબારગઢ ચોક પાસે રાખેલ છે.

વનીતાબેન ગોસ્વામી

રાજકોટઃ વનીતાબેન પ્રેમગીરી ગોસ્વામી (ઉ.૯૦) તેઓ પુષ્પાબેનના માતુશ્રી તેમજ મેહુલગીરી રમેશગીરીના દાદીમાનુ તા. ૧પમીએ કૈલાસવાસી થયેલ છે. બેસણું તા.૧૭મીએ સાંજે ૪ થી ૬ તથા પુજનવિધિ તા.રપમીએ સાંજે ૭ વાગ્યે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગાંધીગ્રામ શેરી નં.૪, ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હેમંત શુકલ

રાજકોટ : રાજકોટ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી (હડીયાણા ચોવીસી) હેમંતકુમાર નરભેશંકર શુકલ (ઉ.વ.૬૧) તે પૂજાબેનના પતિ, અપૂર્વ અને પ્રાર્થનાના પિતાશ્રી તથા સ્વ. કિશોરભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, ગજાનનભાઇ, તુષારભાઇ અને શિલવંતી કિશોરકુમાર વ્યાસના નાનાભાઇ તથા ધીરજલાલ જોષી (વેરાવળ)ના જમાઇ તથા કુણાલકુમાર કિશનભાઇ ઉપાધ્યાય (મોરબી) ના સસરાનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૮ને શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ દરમ્યાન શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પીયરપક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.