Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018
અવસાન નોંધ

પ્રદિપસિંહ જાડેજા

ગોંડલઃ મૂળ ગામ ચાંદલી હાલ ગોંડલ પ્રદીપસિંહ સજુભા જાડેજા (ઉ.વ. ૪૦) તે સ્વ. સજુભા માનસિંહ જાડેજાના પુત્ર તથા સ્વ. પ્રવિણસિંહ, સ્વ. જોરૂભા તથા અનિરૂદ્ધસિંહના ભત્રીજા તથા હરપાલસિંહ, લખધીરસિંહ અને અશોકસિંહના નાના ભાઈ તથા જયપાલસિંહના પિતાનું તા. ૧૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૦ શુક્રવારે સાંજે ૫ થી ૭ નિવાસ સ્થાન સહજાનંદનગર, જે.એન. પટેલ સ્કૂલ રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

ગીતાબેન ઠાકર

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ ગીતાબેન રશ્મીકાંતભાઈ ઠાકર (ઉ.વ. ૪૬) તે બાવાલાલભાઈ ઠાકરની પૌત્રી તથા રશ્મીકાન્તભાઈ ઠાકર જીઈબીના પુત્રી તથા આશિષભાઈ ઠાકર કોન્ટ્રાકટરના બહેન તથા દિવાનભાઈ ઠાકર, પંકજભાઈ ઠાકર, નરેન્દ્રભાઈ ઠાકર અને યોગેશભાઈ ઠાકરની ભત્રીજીનું તા. ૧૫ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ દરમિયાન હેમવાડી, સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.

હર્ષીદાબેન ચૌહાણ

રાજકોટ : શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ, રાજકોટના સ્વ. વિનોદભાઈ પ્રભુદાસ ચૌહાણના પત્નિ હર્ષીદાબેન (ઉ.વ.૫૮) તે કે. પી. ચૌહાણ તથા અનિલભાઈના ભાભી અને અમી ધર્મેશકુમાર રાઠોડના માતુશ્રી તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે સવારે ૯ થી ૧૦ સુધી દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા નિમિતે શાંતિયજ્ઞ સવારે ૧૦ તે જ દિવસે રાખેલ છે.

ગાંડુભાઈ ધંધુકીયા

રાજકોટ : મુળ જગામેડી, પ્રજાપતિ કુંભાર લક્ષ્મણભાઈ તથા રમેશભાઈના પિતાશ્રી ગાંડુભાઈ ભવાનભાઈ ધંધુકીયા તા.૧૭ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને ૪ થી ૬ ઓમનગર શેરી નં. ૬, જ્ઞાન સૌરભ સ્કુલની સામે, ૪૦ ફૂટ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ખાતે રાખેલ છે. (મો.૯૯૨૫૩ ૬૦૪૩૭)

વિજયાબેન ભુપતાણી

રાજકોટ : દશા સોરઠીયા વણિક સ્વ. રમણીકલાલ ઉજમશી ભુપતાણીના ધર્મપત્નિ વિજયાબેન (ઉ.વ.૮૨) તે શૈલેષ રમણીકલાલ ભુપતાણી (ટેકસ કન્સલટન્ટ)ના માતુશ્રી, શિલ્પા ભુપતાણીના (સાસુ) તથા વિનોદરાય ઉજમશી ભુપતાણી, કાંતિલાલ ઉજમશી ભુપતાણી (એડવોકેટ) તથા મંજુલાબેન સાંગાણીના ભાભી, સ્વ. કાંતિલાલ નેમચંદ સાંગાણીના બેન તેમજ પ્રફુલાબેન, સાધનાબેન, ભાવનાબેન, શીલાબેન, સંગીતાબેન તથા સીમાબેનના માતુશ્રીનું તા.૧૫ના રવિવારના દુઃખદ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે, પુનિત હોલ, પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જુનાગઢ ગ્રોફેડના માજી ચેરમેન પોપટભાઇ અધેરાનું અવસાન

રાજકોટ : પોપટભાઇ રત્નાભાઇ અધેરા (માજી ચેરમેન જુનાગઢ ગ્રોફેડ) (ઉ.વ.૭૦) તે પીન્ટુભાઇ અધેરા અને કલ્પેશભાઇ અધેરા  (એડવોકેટ) ના પિતાશ્રીનું તા. ૧૬ ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણુ રાજકોટ મુકામે તા.૧૯ ના સવારે ૮ થી ૧૦ અમરનાથ મહાદેવ મંદિર, અંકુર વિદ્યાલયની સામે, અંકુરનગર શેરી નં. ૬ ખાતે તેમજ ગામ અજાબ મુકામે તા. ૧૯ ના સાંજે ૪ થી ૬   રાખેલ છે.

શશીકાંતભાઇ રાઠોડ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ સોલંકી પોપટભાઇ દેવજીભાઇના જમાય તથા લવજીભાઇ, રમણીકભાઇ, ચુનીભાઇ તથા વજુભાઇના બનેવી શશીકાન્તભાઇ ચુનીભાઇ રાઠોડનું (હાલ વડોદરા) (ઉ.વ.૭૦)નું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું પિયર પક્ષ તરફથી ગુ.મ.દ. જ્ઞાતિની વાડી ધર્મજીવન માર્ગ-ઢેબર રોડ ''સહયોગ'' ખાતે તા.૧૯ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

ગૌરીબેન જોટંગીયા

રાજકોટઃ વાળંદ સ્વ.ગૌરીબેન રમેશભાઇ જોટંગીયા (અરલા) (ઉ.વ.પ૦) હાલ રાજકોટ તે રમેશભાઇ બાબુભાઇ જોટંગીયાનાં પત્ની તે અશોકભાઇ તથા સ્વ.ચંદુભાઇ બાબુભાઇનાં ભાભી તે જીગ્નેશ, લખન તથા રાજુનાં માતુશ્રી તે મનસુખભાઇ, નાનજીભાઇ, બાબુભાઇગોહેલ (ખોખડદળ)નાં બેનનું તા.૧પને રવિવારે અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ, કોઠારીયા ચોકડી, રણુંજા નગર, શેરી નં.૧૦, રાખેલ છે.

લાભુબેન ગોહેલ

જેતપુરઃ ચુનીભાઇ નાનજીભાઇ ગોહેલના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૮૦) તે ભુપતભાઇ, અશોકભાઇ તથા અશ્વીનભાઇના માતુશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ના સાંજે ૪ થી ૬ વાગ્યે જગાવાળા ચોરા, રામ મંદીર, જેતપુર ખાતે રાખેલ છે.

રમણિકભાઇ જોશી

રાજકોટઃ જુનાગઢઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમણિકભાઇ જીવરામભાઇ જોશી (ઉ.વ.૮૬) (નિવૃત જુનાગઢ સિટી તલાટી મંત્રી) તે સ્વ.પ્રભાશંકરભાઇ, સ્વ.વિનુભાઇ, સ્વ.વસંતભાઇ, સ્વ.કાન્તિભાઇ અને મનસુખભાઇના ભાઇ તેમજ સ્વ.હર્ષાબેન જોશીના પતિ અને સંદીપભાઇ, સીમાબેન, પાયલબેનના પિતા, હેતલબેનના સસરા, ઇશાનના દાદાનું તા.૧પના અવસાન થયું છે. બેસણું તા.૧૯મીના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન, જુનાગઢ ખાતે રાખેલ છે.