Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019
રાજકોટ ટ્રાફિક PSI હરીભાઇ જેસંગભાઇ બરબચીયાના માતુશ્રી ધકુબેનનું અવસાન

રાજકોટ તા. ૧૬: મુળ ગરેડીયા નિવાસી હાલ રાજકોટ હરીભાઇ જેસંગભાઇ બરબચીયા (રાજકોટ શહેરના ટ્રાફિક પી.એસ.આઇ.) ના માતુશ્રી ધકુબેનનું જેસંગભાઇ બરબચીયાનું તા. ૧પને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯ ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને સૈનિક સોસાયટી જૈન મંદિરની બાજુમાં જામનગર નેશનલ હાઇવે રાજકોટ ખાતે રાખેલ છે.

અબતકના સિનીયર રિપોર્ટર જાલમસિંહ ચોૈહાણના બહેનનું અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ મુળ મોડપર (કચ્છ) નિવાસી માનકુંવરબા (જાયબા) નાનાભા જાડેજા (ઉ.વ.૭૫) તે કરણસિંહ (દિલીપસિંહ) જાડેજાના માતુશ્રી તથા સ્વ. અમરસિંહ ગગુભા ચોૈહાણ, પ્રતાપસિંહ ચોૈહાણ (દુરદર્શન રાજકોટ) અને જાલમસિંહ ચોૈહાણ (સિનીયર રિપોર્ટર અબતક) તથા ભુપતસિંહ ચોૈહાણના મોટા બહેનનું તા. ૧૫ના રવિવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે ૧૬મીએ સાંજે ૪ થી ૬, ઉદય હોલ, ૧-ભારતીનગર ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

સાવરકુંડલાના બાનુબેનનું નિધનઃ કાલે જીયારાત

જસદણ : બાનુબેન કપાસી (ઉ.વ.૭ર) તે મુર્હુમ મોંહમદ હુસૈનભાઇના બૈરો, હુસૈનભાઇના ભાભી, મર્હુમ અબ્દુલ હુસૈનભાઇ શબનમબેન, ફાતેમાબેનના માતા, મુફદ્લ, કાઇદજોહરના દાદી તા. ૧૪ના રોજ સાવરકુંડલામાં વફાત થયેલ છે. જીયારતના સિપારા (કુઆર્ન ખ્વાની) તા. ૧૭ ને મંગળવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ઇઝઝી મસ્જિદ સાવરકુંડલા રાખેલ છે.

અશોકકુમાર ઉદાણી

રાજકોટ : ગોંડલ નિવાસી સ્વ.હસમુખભાઈ જેચંદભાઈ ઉદાણીના પુત્ર અશોકકુમાર (ઉ.વ.૪૯) તે નયનાબેન જયેશભાઈ કપાસી (ભાવનગર), રૂપાબેન મુકેશભાઈ શેઠ (ઉપલેટા), પારૂલબેન ભાવેશકુમાર પારેખ (ધોરાજી), સોનલબેન શિતલકુમાર શાહ (રાજકોટ)ના ભાઈ, નટવરલાલ કેશવભાઈ મહેતા (જેતપુરવાળા)ના જમાઈ, દિપાબેનના પતિ, જીનલ અને સાક્ષીના પિતાનું તા.૧૪ના શનિવારે અરિહંતશરણ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૯ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે મહેતા ઉપાશ્રય, ભોજપરા - ૨૦, ગોંડલ તથા પ્રાર્થનાસભા તે જ દિવસે સવારે ૧૧ કલાકે બેનાણીવાડી, વચલી શેરીમાં ગોંડલ ખાતે રાખેલ છે.

ભાનુબેન કક્કડ

રાજકોટ : ભાનુબેન ચંદુલાલ કક્કડ તે ચંદુલાલ વીરચંદભાઈ કક્કડના ધર્મપત્નિ તેમજ લતાબેન પંકજકુમાર ઘેલાણી, હર્ષાબેન મયુરકુમાર રાડીયા, કિરણબેન પ્રકાશકુમાર વિઠ્ઠલાણી તથા વિમલભાઈ ચંદુલાલ કક્કડના માતુશ્રી તેમજ સ્વ.ભીમજીભાઈ અંદરજીભાઈ સોમમાણેકના દિકરી તા.૧૫ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા આજે સોમવારે સાંજે ૫ થી ૬ જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

નાનાલાલ ગોહેલ

રાજકોટ : શ્રી સોરઠીયા દરજી (નવાગામવાળા) સ્વ.ગોહેલ નાનાલાલ વલ્લભદાસ તે રસીકલાલના નાનાભાઈ તેમજ રાજુભાઈના પિતાશ્રી તથા મનુભાઈ, અમુભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ, શૈલેષભાઈના કાકા તા.૧૬ના સોમવારના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૂવારના રોજ ગુંદાવાડી દરજી મંદિર, ગુંદાવાડી ચોરા પાસે, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધારાભાઇ મોવાલીયા

ખંભાળિયાઃ ગઢવી ધારાભાઇ સુરાભાઇ  મોવાલીયા (ઉ.વ.૬૦) તે સ્વ. દેવુભાઇના નાનાભાઇ, ગગુભાઇના મોટાભાઇ તથા વાલાભાઇના મોટાભાઇ અને થાટીયાભાઇ ડી. મોવાલીયા, રાણાભાઇ દેવુભાઇ મોવાલીયાના કાકા તા.૧૩મીએ અવસાન પામ્યા છે. આગરી દશા તા. ૨૨ના રોજ ખંભાળિયા સોનલ માતાજીના મંદિરે રાખેલ છે.

પ્રતાપભાઇ દત્તાણી

ખંભાળિયાઃ સ્વ. રૂગનાથ નથુભાઇ દત્તાણીના પુત્ર પ્રતાપભાઇ (ટેક્ષીવાળા) (ઉ.વ.૭૦) તે સ્વ. હેમંતભાઇ રાજભોગવાળા તથા સ્વ. જગદીશભાઇના નાના ભાઇ, પરિમલ તથા અમિતના પિતા અને બાંસુરી હોટલવાળા રૂપેશ, મનોજ, વંદન અને કેતનના કાકા, તેમજ પરિશ્રમવાળા પરેશ અને જયેશના મામા તા. ૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬ સોમવારે ૪ થી ૪.૩૦ કલાકે જલારામ મંદિર ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે. સાથે સસરા પક્ષની સાદડી રાખેલ છે.

ભાગીરથીબેન મલકાણ

જેતપુરઃ દ.સો. વણીક ભાગીરથીબેન (મંગીબેન) ચુનીલાલ મલકાણ (ઉ.વ.૮૫) તે સુભાષભાઇ, ગં.સ્વ. બીનાબેન, વર્ષાબેન, ભારતીબેનના માતુશ્રી તા. ૧૪ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણુ તા. ૧૬ આજરોજ સાંજે ૫ થી ૬ આંબલી શેરી, વોરાવાડ જેતપૂર ખાતે રાખેલ છે.

દિલીપસિંહ ભટ્ટી

રાજકોટ : દિલીપસિંહ છગનસિંહ ભટ્ટી (પેંગ્વીન રેફ્રીજરેશનવાળા) તે મૌલિકભાઇ અને મૌલેશભાઇના પિતાશ્રી તેમજ હરિષસિંહ ભટ્ટી, રાજેન્દ્રસિંહ ભટ્ટ (આર.ટી.ઓ.વાળા), દિપકસિંહ ભટ્ટી (રાજકોટ રેફ્રી.વાળા)ના ભાઇ તેમજ રાહુલભાઇ અને ઉદયભાઇ (શિવ રેફ્રી., આશુતોષ એન્ટરપ્રાઇઝ) ના મામાનું તા. ૧૫ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૯ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નંદકિશોર હોલ, ૮/ગાયકવાડી જંકશન મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શશીકાંતભાઇ બુદ્ધદેવ

મોરબી : શશીકાંતભાઇ રતિલાલભાઇ બુદ્ધદેવ તે દિનેશભાઇ અને મનોજભાઇના મોટાભાઇ તેમજ પંકજ, સચિન, આશાબેન અજયકુમાર ઠક્કર, દિમ્પલ્બેન પ્રકાશકુમાર આશાણી અને મીરાબેન અતુલકુમાર દતાણીના પિતા તથા રાઘવજીભાઇ દુર્લભજીભાઇ ગણાત્રાના જમાઇનું તા. ૧પના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ૧૬ ને સોમવારે સાંજે પ-૩૦ કલાકે એ કે સહયોગ કોમ્યુનીટી હોલ, ગુજરાત હાઉસીંગ શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

કંચનબેન મહેતા

મોરબી : કંચનબેન મગનલાલ મહેતા તેઓ સ્વ. મગનલાલ મોહનલાલ મહેતા (કોયલીવાળા)ના પત્નીનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે.

મંજુલાબેન બારડ

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.ભુપતભાઈ મુળુભાઈ બારડના ધર્મપત્નિ મંજુલાબેન ભુપતભાઈ બારડ જે દિનેશભાઈ, અશોકભાઈ, નરેન્દ્રભાઈના માતુશ્રીનું તા.૧૫ રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના મુકામે રોયલ પાર્ક- ૧ના બ્લોકમાં, એસઆરપી કેમ્પ સામે ગોંડલ ખાતે રાખેલ છે.

તરૂલતાબેન

રાજકોટઃ તરૂલતાબેન તે સ્વ.પુષ્પેન્દ્રરાય (સીંધીયા સ્ટીમ નેવીગેશન)નાં પત્નિ મુળ પોરબંદર (હાલ ડલાસ અમેરીકા) તે યોગેશ (સીમેન્સ ઈન્ડિયા)ના માતુશ્રી, વિશાખાના સાસુ, સંજીવ (ડાયરેકટર- ઈન્ડિયન ડાયસ્પોરા) તથા મોહિત (એમ.ડી.ઈન્ટરનલ મેડીસીન)નાં દાદી, જામનગરનાં સ્વ.જયંતિલાલ બક્ષીનાં પુત્રી અને સ્વ.બીંદુભાઈ છાયાંનાં વેવાણનું ડલાસ અમેરીકા ખાતે તા.૧૨નાં રોજ અવસાન થયું છે.

મયુર સુરેજા

રાજકોટઃ ખડિયા (હાલ રાજકોટ) રતીભાઈ જીવરાજભાઈ સુરેજાના પુત્ર મયુર સુરેજા તે રવિભાઈ રતિભાઈ સુરેજાના ભત્રિજાનું તા.૧૩ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ સોમવારના રોજ સવારે ૮ થી ૫ કલાકે નાનો સમાજ, ખડીયા ખાતે રાખેલ છે.

ત્રિભોવનદાસ ઉનડકટ

રાજકોટઃ ત્રિભોવનદાસ જમનાદાસ ઉનડકટ (ઉ.વ.૭૩) (ટી જમનાદાસ કેન્વાસીંગ) તે વેરાવળ નિવાસી સ્વ.જમનાદાસ ગીરધરભાઈ ઉનડકટનાં પુત્ર તેમજ ડો.વજુભાઈ (અમરેલી), દીનુભાઈ (વેરાવળ), હસુભાઈ (જામનગર), ચંદુભાઈ, નટુભાઈ, નયનાબેન, જયાબેનનાંભાઈ તથા શૈલેષભાઈ તથા મનિષભાઈ, હેતલબેન ભાવેશકુમાર મશરૂ (જામનગર), મધુબેન રશ્મીનકુમાર બગડાઈ (ગોંડલ)નાં પિતાશ્રી તેશ્રી સ્વ.વૃંદાવનદાસ માધવજી રૂપારેલીયાનાં જમાઈ તા.૧૫ને રવિવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૬ને સોમવારે ૪:૩૦ થી ૫ પંચનાથ મંદીરે રાખેલ છે.

વનિતાબેન જાની

રાજકોટઃ નિવાસી સાતોદડિયા શ્રીગોડ મેળતવાડ બ્રાહ્મણ વનિતાબેન કેશવલાલ જાની (ઉ.વ.૭૬) ભૂતપૂર્વ આચાર્યશ્રી વનિતાબેન દિક્ષિત (જ.મા.હ.કન્યા વિદ્યાલય- ઉપલેટા)ને કિરીટભાઈ કે.જાની (જામનગર આઈટીઆઈ) તથા કેતનભાઈ કે.જાની (ગઢકા મા.શાળા)ના માતુશ્રી તથા રતિલાલભાઈ તથા અમૃતલાલભાઈના ભાભીશ્રીનું દુઃખદ અવસાન તા.૧૫ને રવિવારના રોજ થયું છે. સદ્દગતનું બેસણું બન્ને પક્ષ તરફથી તા.૧૬ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ શ્રી મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી- ૨, રાજકોટ ખાતે રાખેલ છે.

દલપતરાય પંડ્યા

રાજકોટઃ નથુતુલસી ઔ.જ્ઞાતિ- અલીયાબાડા નિવાસી દલપતરાય લાલજી પંડ્યા (ઉ.વ.૮૩) તે સ્વ.ભુપતલાલ લાલજી પંડ્યાના ભાઈ તથા જગદીશભાઈનાં પિતાશ્રીનું તા.૧૪ને શનિવારે કૈલાસવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી ૫ વાછરાડાડાનાં મંદિરે રાખેલ છે.

સુમિત્રાબેન મહેતા

રાજકોટઃ ઔ.ખરેડી બ્રાહ્મણ મૂળ લોધીકા હાલ જૂનાગઢ ભૂપતરાય લાભશંકર મહેાનાં ધર્મપત્ની સુમિત્રાબેન તે પ્રદિપભાઈ, જતીનભાઈ તેમજ મીનાબેનનો માતુશ્રી તેમજ મનોજભાઈ, ધીરૂભાઈ, અશોકભાઈનાં ભાભીનું તથા પરેશભાઈનાં કાકીનું તા.૧૫નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૯નાં રોજ વાણંદસમાજની વાડી લોધીકા મુકામે સાંજે ૩ થી ૫ રાખેલ છે.

જયોત્સનાબેન ગોસ્વામી

રાજકોટઃ મૂળ વતન ઢાંક હાલ રાજકોટ નિવાસી છગનભારથી મોહનભારથી ગોસ્વામીના પુત્રિ જયોત્સનાબેન છગનભારથી ગોસ્વામી (ઉ.વ.૫૫) (હાલ લંડન) તે વિજયભારથી ગોસ્વામી (શિક્ષક પાઠક સ્કૂલ) તથા કમલેશભારથી અને મનિષભારથી ગોસ્વામીના મોટા બહેન લંડન ખાતે તા.૧૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.૧૯ના રોજ ૪ થી ૬ દરમ્યાન શાસ્ત્રીનગર (અજમેરા ગ્રુપ)નાના મવા મેઈન રોડ, શાસ્ત્રીનગર મંદિર સામે, સોસાયટીના કોમન પ્લોટમાં રાજકોટ મુકામે રાખેલ છે.

કિશોરભાઈ પટેલ (જૈન)

રાજકોટઃ સરપદડ (તા.પડધરી) નિવાસી પટેલ (જૈન) સ્વ.ભગવાનજી રૂપશીભાઈના પુત્ર તે સ્વ.ઈન્દુબેન જે.મહેતા (નિકાવાવાળા) તથા વસંતબેન શાહ (જામનગર) જે તપસ્વી બા.બ્ર.જયોતસનાબાઈ મહાસતીજીના સંસારીભાઈ અને ક્રાંતિકારી સંતશ્રી પારસમુનિ મ.સા.ના સંસારી મામા કિશોરભાઈ સરપદડ મુકામે અરિહંત શરણ પામેલ છે. જેમનું ઉઠમણું આજે તા.૧૬ને સોમવારના રોજ  પ્રગટેશ્વર મહાદેવના મંદિરે સોમવારના રોજ સાંજના ૪ થી ૫ સરપદડ મુકામે રાખવામાં આવેલ છે.(મો.૬૩૫૫૦ ૭૭૪૧૮)

પ્રભાબેન વઘાસીયા

ગોંડલ : પ્રભાબેન  કેશવભાઇ વઘાસિયા (ઉ.વ.૬૨), તે બિપીનભાઇ, પુનીતભાઇ ના માતા, હરેશભાઇના ભાભીનું તા.૧૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી, ૨૮/૧૧ ભોજપરા, ચબુતરા પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

શારદાબેન નિમાવત

પોરબંદરઃ શારદાબેન હરીભાઈ નિમાવત (ઉ.વ. ૮૯) તે સ્વ. હરિભાઈ કાશીરામ નિમાવતના ધર્મપત્ની તથા સ્વ. રમેશભાઈ હરિભાઈ નિમાવત તથા હરેશભાઈ તથા ચંદ્રીકાબેન હસમુખભાઈ નિમ્બાર્ક (ભરૂચ) તથા અલ્કાબેન શૈલેષભાઈ અગ્રાવત (રાજકોટ)ના માતુશ્રી તથા રીમાબેન, ભાર્ગવભાઈ, ગૌતમભાઈ તથા મેઘાના દાદીમાનુ તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ આજે સાંજે જડેશ્વર મંદિર ખાતે સાંજે ૪ થી ૫ દરમિયાન રાખેલ છે.

કિશોરચંદ્ર જોષી

રાજકોટઃ યસ્મીનભાઇ જોષીનાં પિતાશ્રી કિશોરચંદ્ર ઉમીયાશંકર જોષી (ઉ.વ.૭૪) તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને સોમવારે સવારે ૮ થી ૧૧ ડી-ર૦ર, ઘનશ્યામપાર્ક સોસાયટી, એ.ઇ.સી. ઝોનલ ઓફીસ પાછળ, સપ્તક પાર્ટી પ્લોટ પાસે, નારણપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે.

શારદાબેન મકવાણા

ધારીઃ ભાડેર નિવાસી હસુભાઇ તેમજ મુકેશભાઇ મકવાણાના માતુશ્રી શારદાબહેન (ઉ.વ.૭પ) તે હરેશભાઇ, પ્રિન્સ, વિવેક, તેમજ હિનાબહેનના મોટાબાનું તા.૧૧ના રોજ ભાડેર મુકામે અવસાન થયેલ છે.

સકીનાબેન વૈદ

રાજકોટઃ સકીનાબેન બદરૂદીનભાઇ વૈદ (સૈફી કોલોની રૂમ નં.૩) તા.૧૪ના ગુજરી ગયેલ છે. તેઓ રસીદાબેન વઢવાણ વાળા અને શીરીનબેન લોટીયાના માતા અને અઝીઝભાઇ વઢવાણ વાળા તથા સલીમભાઇ લોટીયાના સાસુ થાય છે. તેઓના ઝયારતના સીપારા આજે તા.૧૬ના સોમવારે સૈફી કોલોની કુત્બીમવાઇદમાં જોહર-અસરની નમાઝ બાદ રાખેલ છે.

રણછોડભાઇ જોટાણીયા

રાજકોટઃ રણછોડભાઇ કાનજીભાઇ જોટાણીયા (ઉ.વ.૮૦) તે કિશોરભાઇ, કિરીટભાઇ, રાજુભાઇ, વિનુભાઇ, ઇન્દુબેન રમેશભાઇ લીંબાસીયા, ગીતાબેન સવજીભાઇ લાઠીયાના પિતાશ્રી તથા જયેશભાઇના દાદાનું તા. ૧૬-૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી એસ.ટી. વર્કશોપની પાછળ પાવર હાઉસ પાસે ખોડીયાર નગર શેરી નં. ૬ ખાતે રાખેલ છે.