Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018
અવસાન નોંધ

બાલુભાઈ ચૌહાણનું દુઃખદ અવસાનઃ સોમવારે શબરી આશ્રમે બેસણું

રાજકોટ : બાલુભાઈ પી. ચૌહાણ તે પ્રિયજીતભાઈના પિતાશ્રી તથા સ્વ.જેન્તીભાઈ, સ્વ.કમલેશભાઈ રાજુભાઈ, ઘનશ્યામભાઈ અને મુકેશભાઈના મોટાભાઈનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના સોમવારે સાંજે ૫ થી ૬ સુધી ૩ બોમ્બે હાઉસીંગ સોસાયટી યુનિ. રોડ, શબરી આશ્રમ, રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મણસિંહ ડોડીયા

રાજકોટ : લક્ષ્મણસિંહ ભીમસિંહ ડોડીયા (નિવૃત પોલીસ વાયરલેસ સબ ઈન્સ્પેકટર) (ઉ.વ.૭૬)નું તા.૧૪ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૮ને સોમવારે ૪:૩૦ થી ૬:૩૦ રાજપૂત વાડી, ૫/૧૫ રણછોડનગર, કુવાડવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

યાસ્મીનબેન માકડા

રાજકોટ : યુસુફભાઈ માકડા તથા કુલસમબેન માકડાના પુત્રવધુ અને શેહબાઝભાઈ માકડાના પત્નિ યાસ્મીનબેન જન્નતનશીન થયેલ છે. મરહુમ યાસ્મીનબેનની જીયારત આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યે અસરની નમાઝ બાદ બહેનો માટે તેમના નિવાસસ્થાને સુભાષનગર ૮-અ તથા ભાઈઓ માટે નેહરૂનગર મસ્જીદ એ હાવા ખાતે રાખેલ છે.

ગીતાબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય બ્રાહ્મણ ધર્મેશભાઇ હર્ષદભાઇ મહેતાના પત્ની તેમજ સ્વ. જીજ્ઞેશભાઇ અને દિલીપભાઇ અશ્વિનભાઇ મહેતાના ભાભી તેમજ રોહન, જેનિસના માતુશ્રી ગીતાબેન મહેતાનું તા. ૧૫ ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૮ ના સોમવારે સાંજે ૪ થી ૬ સુધી ધર્મેશભાઇ મહેતાના નિવાસ સ્થાન, ઘનશ્યામનગર શેરી નં.૧૦, સહકાર મેઇન રોડ, કોઠારીયા રોડ, કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન પરમાર

ઉપલેટાઃ વાંજા દરજી કાંતીલાલ પ્રેમજીભાઇ પરમારના પત્ની સ્વ.હંસાબેન કાંતીલાલ પરમાર (ઉ.વ.૬પ) તે લીલાધરભાઇ, હેમંતભાઇ, જગદીશભાઇના મોટાભાભી અને વિમલભાઇ, બીપીનભાઇ, દિપકભાઇના માતુશ્રી તા.૧પના શ્રી ગોપાલ ચરણ પામેલ છે. બેસણું તા.૧૬ને શનિવારે સવારે ૧૦ થી ૧૧ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી ઉપલેટામાં રાખેલ છે.

શાંતાબેન કારીયા

જુનાગઢઃ ગં. સ્વ. શાંતાબેન દેવચંદભાઇ કારીયા (ઉ.વ.૯ર) તે સ્વ.દેવચંદભાઇ પરમાણંદભાઇ કારીયાના ધર્મપત્ની તે સ્વ.રમણીકભાઇ (ખડીયા) હરસુખભાઇ કારીયા (બહાઉદીન કોલેજ) સ્વ.તુલસીભાઇ (રાજકોટ) તેમજ શ્રીમતિ સરોજબેન ધરમશી લુખાના માતુશ્રી તથા પો.બી.બી. ઉનડકટ અને વી.બી. ઉનડકટના બહેનનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૬ શનિવારે ભુતનાથ મંદિર જુનાગઢ ખાતે સાંજના પ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન ભાડજા

મોરબીઃ મંજુલાબેન મહાદેવભાઇ ભાડજા (ઉ.વ.પપ) તે મહાદેવભાઇ કુબેરભાઇ ભાડજાના પત્ની તથા સાવનભાઇ ભાડજાના માતુશ્રીનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને સોમવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાન ખોડીયાર પાર્ક રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

અરજણભાઇ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપૂત અરજણભાઇ (બટુકભાઇ) કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૬પ)નું તા.૧પના અવસાન થયેલ છે. તે સ્વ.પરસોત્તમભાઇ કરશનભાઇ રાઠોડના નાનાભાઇ તથા જીતેન્દ્રભાઇ પરસોત્તમભાઇ રાઠોડ, પ્રકાશભાઇ પરસોત્તમભાઇ રાઠોડના કાકા અને જયપાલસિંહ (જલો) અરજણભાઇ રાઠોડના પિતાશ્રી તેમજ રાઠોડ પરિવારના ભૂવાશ્રીનું સદ્દગતનું બેસણું તા.૧૮ના સોમવારે બપોરે ૪ થી ૬ માયાણીનગર શેરી નં.પ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અરજણભાઇ કટારીયા

રાજકોટઃ અરજણભાઇ કટારીયા (ઉ.વ.૯પ)નું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૮ના સોમવારે સાંજે ૪ થી પ, પોપટપરા મેઇન રોડ, કૃષ્ણનગર-૪, રવેચી મંદિર ખાતે રાખેલ છે.

વ્રજલાલ અજમેરા

રાજકોટઃ ગોવિંદપુર નિવાસી હાલ રાજકોટ વ્રજલાલ પરસોતમદાસ અજમેરા (ઉ.વ.૯૭) જે સ્વ.રતીલાલભાઇ,  સ્વ.ચીમનભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ અજમેરાના ભાઇ તથા જયંતભાઇ, ભુપેન્દ્રભાઇ, ધીરેનભાઇ, દિનાબેન દેસાઇ, મધુબેન બાવીસી, સ્વ.ચારૂબેન શાહ, લતાબેન શેઠના પિતાશ્રી તા.૧૩ના અરીહંત શરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૧૭ને સવારે ૧૦ થી ૧૦-૩૦ તથા પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ કલાકે, હરીહર સોસાયટી કોમ્યુનિટી હોલ, હરીહર સોસાયટી શેરી નં.૩, જલારામ પેટ્રોલ પંપ પાછળ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

નરભેરામ ગોળેશ્વર

લોધીકાઃ બાલસર નિવાસી નરભેરામ બાલકદાસ ગોળેશ્વર (ઉ.વ.૬પ) તે રાજેશભાઇ તથા નિતિનભાઇના પિતાશ્રી તથા ઇશ્વરભાઇ, રમેશભાઇ, વલ્લભભાઇના ભાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે.

શાંતિલાલભાઇ બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય શાંતિલાલ માધવજી બોસમીયા (નિવૃત રેલ્વે કર્મચારી) (ઉ.વ.૮૮) જેઓ હસમુખરાય માધવજી બોસમીઆના  ભાઇ અને જયવંતભાઇ, મહેશભાઇ અને હરેશભાઇના પિતાશ્રીનું તા.૧પના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૬ના સાંજે પ થી ૬, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

નિલેશભાઇ દવે

ગોંડલ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ મૂળ મોટી ખીલોરી હાલ અમદાવાદ નિલેશભાઇ હિંમતભાઇ દવે (ઉ.૪૯)નુ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૬ના બાપુનગર, અંબર સિનેમા સામે ઇ કોલોની ખાતે સવારે ૮ થી ૧૧ અમદાવાદ ખાતે રાખેલ છે.

નિતીનભાઇ વિરડીયા

ગોંડલ : હડમતાળા (કો) નિતીનભાઇ જેન્તીભાઇ વિરડીયા (ઉ.૪૬) તે સ્વ. જેન્તીભાઇ ગોરધનભાઇ વિરડીયાના પુત્ર તેમજ કુરજીભાઇ (બદ્રીનાથ ટ્રેડીંગ કું.ગોંડલ) ગાંડુભાઇ તથા રમેશભાઇના ભત્રીજાનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે હડમતાળામાં રાખેલ છે.

કરૂણાશંકર જોષી

 રાજકોટ : નિવાસી ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શ્રી કરૂણાશંકર આણંદજી જોષી (ઉ.વ. ૮૫) (સમઢીયાળા-મુળ) જે જતિનભાઇ, ભાવેશભાઇ તથા ઘટનાબેનના પિતાશ્રી અને સ્વ. વિશ્વનાથભાઇ ના નાનાભાઇ તા. ૧૫ ના સ્વર્ગવાસી થયેલ છે. સદગતનું બેસણું સ્વ.ગૃહે રાજકોટ મુકામે તા. ૧૮ ને સોમવારના રોજ ૪:૩૦ થી ૬:૩૦ સુધી રાખેલ છે.

પોપટભાઇ જોટાણીયા

ગોંડલઃ માવજીંજવા નિવાસી પોપટભાઇ જોટાણીયા (ઉ.વ.૭૮) તે પ્રવિણભાઇ, ચતુરભાઇ, મુકેશભાઇ, હરેશભાઇના પિતાશ્રી તેમજ વિજય, વિમલ, ગોપાલ, પ્રિતીશ યશના દાદાનું તા. ૯ રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૧૬ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન માતૃ આશિષ કપુરીયાપરા શેરી નં. ૩, ગોંડલ ખાતે રાખેલ છે.

રઘુવીરસિંહ ઝાલા

ગોંડલ : ચોરડીના રઘુવીરસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.પ૪) તે ચંદ્રસિંહ ના ભાઇ તથા વિશ્વરાજસિંહના પિતાનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. રપ ને સોમવારે ચોરડી મુકામે રાખેલ છે.

લક્ષ્મણસિંહ ડોડીયા

રાજકોટ : શ્રી લક્ષ્મણસિંહ ભીમસિંહ ડોડીયા (નિવૃત વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેકટર) (ઉ.વ.૭૬) તે હરેન્દ્રસિંહ ડોડીયા (વિરાણી હાઈસ્કુલ), ગજેન્દ્રસિંહ તથા નીતાબેનના પિતાજી તથા હેત્વીબેનના દાદાજીનું તા.૧૪ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૮ના રોજ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે રાજપૂત વાડી, ૫/૧૫ રણછોડનગર, કુવાડવા રોડ ખાતે રાખવામાં આવેલ છે.

વિજયભાઈ સંચાણીયા

રાજકોટ : સ્વ.ભગવાનજીભાઈ વિરજીભાઈ સંચાણીયા (ધોરાજીવાળા)ના પુત્ર વિજયભાઈ (ઉ.વ.૫૪) તે સ્મિતાબેનના પતિ અને પ્રાંશુ તથા જીનીશાના પિતાશ્રી અને સતીષભાઈ, પ્રફુલભાઈ, ભારતીબેન પ્રવિણભાઈ ભાડેશીયા તથા હંસાબેન રાજેન્દ્રકુમાર કથ્રેચાના ભાઈ અને સંજયભાઈ તથા પ્રદિપભાઈ હસમુખભાઈ અંબાસણા (રાજકોટ)ના બનેવીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના સોમવારે સવારે ૮:૩૦ થી ૧૦ બી ૧૩/૧૪ શાસ્ત્રીનગર (અજમેરા) નાના મૌવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન મણીયાર

રાજકોટ : અમદાવાદ નિવાસી ચંદુલાલ જમનાદાસ મણીયારના ધર્મપત્નિ જયોત્સનાબેન (ઉ.વ.૬૭) જે ગોપાલભાઈ, અનંતભાઈ, પ્રવિણભાઈના નાનાભાઈના પત્નિ તથા નરેશભાઈ તથા હર્ષદભાઈના ભાભી તા.૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૧૮ને સોમવારના રોજ શીતળા માતાના મંદિરે (નદીના કાંઠે) સાંજના ૫ થી ૬ રાખેલ છે.

કાન્તાબેન રાવલ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાન્તાબેન પ્રેમશંકર રાવલ (બાઈસાહેબા હાઈસ્કુલ રાજકોટ) (ઉ.વ.૯૧) તે સ્વ.પ્રેમશંકર ફુલશંકર રાવલ (આલ્ફેડ હાઈસ્કુલ- રાજકોટ)ના પત્નિ, રાજેશભાઈ, અમિતભાઈ, હર્ષાબેન, સ્મિતાબેનના માતુશ્રી, જયોતિબેન, વર્ષાબેનના સાસુનું તા.૧૨ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૭ને રવિવારે સાંજે ૪ થી ૬, જાગનાથ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.