Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019
પૂ.હંસાબાઈ મ.સ.અમદાવાદ ખાતે છઠ્ઠા ઉપવાસે સંથારા સાથે કાળધર્મ પામ્યા

રાજકોટ,તા.૧૬: દરિયાપુરી સંપ્રદાયનાં પૂ.આચાર્ય ગુરૂદેવ વિરેન્દ્રજી સ્વામીની આજ્ઞાનુવર્તી બા.બ્ર.પૂ.હંસાબાઈ મ.સ. કલ્પતરૂ ઉપાશ્રય અમદાવાદમાં ૬ ઉપવાસે સંથારા સહિત ગઈકાલે રાત્રે ૨:૫૦ કલાકે કાળધર્મ પામ્યા છે. ઉછામણી આજે તા.૧૬ને મંગળવારે બપોરે ૩ કલાકે તથા પાલખી ૪ કલાકે કલ્પતરૂ ઉપાશ્રય અમદાવાદથી નીકળશે.

અવસાન નોંધ

મધુકાંતાબેન સોલંકી

રાજકોટઃ મધુકાન્તાબેન નટવરલાલસોલંકી (ઉ.વ.૭૦) તે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.અર્જુનલાલ હિરાણીનાં પુત્રી તેમજ હૃદયસ્થ ચંદ્રકાંત હિરાણી, પ્રોફે. કલાધર આર્ય, ચંદ્રકળાબેન ધીરજભાઇ ધામેલિયા, મનોરમાબેન જગદીશભાઇ કારેલિયા તથા પ્રવિણચંદ્ર હિરાણીનાં બહેન તેમજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક હિરાણીનાં ફૈબાનું તા.૧પના સ્વધામગમન થયુ છે.

હિતેષભાઇ ઠાકર

રાજકોટઃ હિતેષભાઇ ભાનુશંકર ઠાકર (શ્રી મહાવીર ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો વાળા) તે હાર્દિક, નવજયોતના પિતાશ્રીતથા વિજયભાઇ, લાલજીભાઇના મોટાભાઇ તથા વોર્ડ નં.૧૩ ભાજપના ઉપપ્રમુખ હરેશભાઇ એમ. ઠાકરના પિતરાઇભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના ગુરૂવારે ૪ થી ૬, 'અંબિલ' ૧૦ કૃષ્ણનગર, સ્વામિનારાયણ ચોક પાસે  રાખેલ છે.

જયોતિબેન તુવર

રાજકોટઃ જયોતિબેન પંકજભાઇ તુવર (ઉ.વ.પ૪) તે પંકજભાઇ ખીમજીભાઇ તુવરના ધર્મપત્ની તથા સંદિપભાઇ, કિશનભાઇઅને આરતીબેનના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી દેશળ દેવ હોલ ૧/૩ શ્યામનગર નાનામવા રોડ, મુકામે રાખેલ છે.

સમજુબેન વઘાસીયા

મોટી કુંકાવાવઃ સ્વ.પોપટભાઇ કુરજીભાઇ વઘાસીયાના પત્ની સમજુબેન (ઉ.વ.૭૭) તે વિનુભાઇ, હરેશભાઇ તથા ભુપતભાઇના માતુશ્રીનું તા.૧પને સોમવારે અવસાન થયેલ છે.

મધુકાંતાબેન જાની

મોરબીઃ ખરેડા નિવાસી રતિલાલ જયંતિલાલ જાનીના ધર્મપત્ની મધુકાંતાબેન (ઉ.વ.૬ર) તે મયુરભાઇ અને નારણભાઇના ભાભી તેમજ નવિનભાઇ અને વિજયભાઇતથા ભાવનાબેન જયેશકુમાર જોષી (મોરબી)ના માતુશ્રી તા.૧૪ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન મુ.ખરેડા તા.જી. મોરબી રાખેલ છે.

શિવલાલભાઇ મહેતા

અમરેલીઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજના (મુ. અમદાવાદ, હાલ અમરેલી) શિવલાલભાઇ જટાશંકરભાઇ મહેતા (ઉ.વ.૮ર) તે યોગેશભાઇ, સુરેશભાઇ તથા ભાવનાબેન જોષી (યુએસએ)ના પિતાશ્રી તથા ચાડિયા નિવાસી સ્વ.ભુદરજીભાઇ મકનજીભાઇ પંડયાના જમાઇનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે પ થી ૬, ઓમકારેશ્વર હોલ, ઓમ નગર, અમરેલી ખાતે રાખેલ છે.

હેમકુંવરબા જાડેજા

રાજકોટઃ મુળ ગામ ચાંદલી હાલ રાજકોટ નિવાસી સજ્જનસિંહ રણજીતસિંહ, બળદેવસિંહ રણજીતસિંહ, સ્વ.જયેન્દ્રસિંહ રણજીતસિંહ, તનુભા રણજીતસિંહ, બહાદુરસિંહ રણજીતસિંહ તથા ભુપેન્દ્ર રણજીતસિંહના માતુશ્રી હેમકુંવરબાનું તા.૧પના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ખોડિયાર મંદિર, ભોમેશ્વર પ્લોટ, જામનગર રોડ ખાતે રાખેલ છે. તથા તેમની ઉતરક્રિયા વિધિ તા.૧૯ને શુક્રવારે ભૂપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (હકુભા) (આર.એમ.સી.) ભોમેશ્વર પ્લોટ, શેરી નંબર-૧૧, આશાપુરા નિવાસ, જામનગર રોડ ખાતે રાખેલ છે.

પૂજા પાટડીયા

રાજકોટ : સોની રામજી સવજી પાટડીયાવાળા નાગરદાસભાઈ કાંતિલાલના નાનાભાઈ તથા અરવિંદભાઈ તેમજ પ્રવિણભાઈના મોટાભાઈ ગોવા, હસમુખલાલ સામજીભાઈના પુત્રી જીજ્ઞેશભાઈના પત્નિ અ. સૌ. પૂજા (ઉ.વ.૩૮) તે જામનગર નિવાસી સોના સ્વ.હીરાલાલ અમૃતલાલ વડનગરની પુત્રી તા.૧૬ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સોની સમાજની વાઘેશ્વરી વાડી - રામનાથપરા ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાંજે ૪ થી ૪:૩૦ પાબારી હોલ, જામનગર ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રંભાબેન સાટોડીયા

ગોંડલઃ ટપુભાઇ ડાયાભાઇ સાટોડીયાના પત્ની રંભાબેન (ઉ.વ.૯૧) તે રમેશભાઇના માતા ચિંતના દાદીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ગુરૂવારે સાંજે પ થી ૭ અમારા નિવાસસ્થાન સ્ટેશન પ્લોટ, ર ''શ્રીરામ ભુવન'' જી.ઇ.બી. સામે ગોંડલ ખાતે રાખેલ છે.

ઉષાબેન શાહ

ઉનાઃ જૂનાગઢ નિવાસી દશા મોઢ માંડલીયા વણિક ઉષાબેન હર્ષદભાઇ શાહ (ઉ.વ.૬૨ તે હર્ષદભાઇનાં ધર્મપત્ની તથા મુકેશભાઇ નોતરીયા (ગીર ગઢડા)નાં બેન તા. ૧૫નાં શ્રીજી ચરણ પામેલ છે. બેસણું પ્રાર્થના સભા તા. ૧૮ ગુરૂવારે સાંજે પ થી ૬૬ તેમના નિવાસ સ્થાન હરી ઓમ નગર દ્વારકાધીશ ૪ પેટ્રોલપંપ પાછળ ઝાંઝરડા રોડ, જૂનાગઢ રાખેલ છે.

દામજીભાઈ સખીયા

રાજકોટઃ સ્વ.ભીખાભાઈ રવજીભાઈ સખીયાના પુત્ર દામજીભાઈ ભીખાભાઈ સખીયા (ઉ.વ.૫૭) તે ગોલ્ડન ઈન્ડ.વાળા રમેશભાઈ, મગનભાઈ, કિશોરભાઈ, સ્વ.સુરેશભાઈના નાનાભાઈ તથા રેશવના પિતાશ્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ને ગુરૂવાર સવારે ૮:૩૦ થી ૧૦ પટેલવાડી, ૧૦-દયાનંદનગર, વાણીયાવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયેશભાઈ ભાયાણી

રાજકોટઃ સ્વ.જયેશભાઈ નંદલાલ ભાયાણી (ઉ.વ.૫૦) તે નંદલાલભાઈ લવજીભાઈ ભાયાણી (મે.અમરશી માધવજી ભાયાણી તમાકુવાળા)ના પુત્ર તથા તે નિલાબેન અતુલકુમાર સુબા તથા ડોલીબેન રોહિતકુમાર રાજાણી તથા સંજયભાઈના ભાઈ તથા નટવરલાલ પ્રભુદાસ ભીમજીયાણીના જમાઈનું તા.૧૫ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા સસરાપક્ષની સાદળી તા.૧૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૬, રાષ્ટ્રીયશાળા પ્રાર્થનાસભા હોલ, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન જીવરાજાની

રાજકોટઃ સ્વ.મોહનલાલ ભીમજીભાઈ જીવરાજાની (મરચાવાળા)ના ધર્મપત્ની ગ.સ્વ.નિર્મળાબેન તે મહેન્દ્રભાઈ, કમલેશભાઈ, હર્ષિદા નરેશકુમાર રાયચુરા તથા મમતા મનોજકુમાર અનડકટના માતુશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૫:૩૦ વાગ્યે નીલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઈન રોડ ખાતે રાજકોટ રાખેલ છે.

ગીતાબેન દવે

રાજકોટ : ચાતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ.રેવાશંકર માધવજી દવે (જસદણવાળા) ના પુત્ર કનૈયાલાલ રેવાશંકર દવેના ધર્મપત્નિ ગીતાબેન કનૈયાલાલ દવે (ઉ.વ.૫૬) તે ભુપતભાઈ, હરેશભાઈ, પંકજભાઈના મોટા ભાભીનું અવસાન થયેલ છે. સ્વ. જટાશંકર ગોવિંદજી પંડ્યા (ઉકરડાવાળા)ની પુત્રી તથા રકાભાઈ જે. પંડ્યાની બહેન તથા મેહુલભાઈ કે. દવેના માતુશ્રીનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું તથા પિયર પક્ષનું બેસણું તા.૧૮ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન સિહોર ખાતે રાખેલ છે.