Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021
અવસાન નોંધ

મનસુખલાલ મોઢા

રાજકોટઃ મનસુખલાલ પ્રેમજી મોઢા (ઉ.વ.૮૩) (ગામઃ વિશાવાડા, હાલ- પોરબંદર) નિવાસી તેઓ જયાબેન મોઢાના પતિ, સ્વ.હરિલાલ તથા સ્વ.શાંતિલાલના નાનાભાઈ, રાજેશભાઈ, રસિકભાઈ, અનિલાબેન ચંદ્રકાંત થાનકીના પિતાશ્રી, પ્રફુલા રાજેશભાઈ, હેમાબેન રસિકભાઈના સસરા અને દેવલ, સતિષ, નિશિતના દાદાનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ટેલીફોનીક પ્રાર્થના સભા તા.૧૮ને ગુરૂવારના ૪ થી ૫ દરમ્યાન રાખેલ છે. રાજેશભાઈ મોઢા મો.૯૪૨૯૧ ૫૪૯૧૨, સિકભાઈ મોઢા મો.૮૧૬૦૩ ૫૦૨૩૮, દેવલ મોઢા મો.૯૭૧૪૩ ૯૧૨૪૨, વિનોદરાઈ મોઢા મો.૯૪૨૭૨ ૧૩૦૦૯, ચંદ્રકાંત થાનકી મો.૯૯૨૫૨ ૧૦૦૦૪, યોગેશ મોઢા મો.૯૫૩૭૧ ૫૯૮૫૬

જયશ્રીબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિ. ખરેડી બ્રાહ્મણ જયશ્રીબેન જગદીશચંદ્ર ભટ્ટ (ઉ.વ.૭૫) તે જગદીશચંદ્ર કાંતિલાલ ભટ્ટના પત્ની તે મેહુલ જગદીશચંદ્ર ભટ્ટ તથા નિકુંજ જગદીશચંદ્ર ભટ્ટના માતુશ્રી, જીજ્ઞાશાબેન કૃણાલભાઈ દવેના માતુશ્રી તથા કૃણાલ રજનીભાઈ દવેના સાસુમા, શિલ્પા તથા નિમાના સાસુમાનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૫ના સાંજે ૪ થી ૬ ધર્મેશ્વર મહાદેવનું મંદિર, ધરમનગર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૫૫૮૯ ૮૫૨૦૯

નાથાભાઈ કંડોલીયા

રાજકોટઃ ખાંટ રાજપુત નાથાભાઈ રામજીભાઈ કંડોલીયા જે અધીક્ષક ઈજનેર, નિવૃત કર્મચારી તે સમજુબેનના પતિનું તા.૧૩ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને 'સુનીલ' ૧૦ વિશ્વનગર પતંજલી સ્કુલ પાછળ, મવડી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મધુબેન રાચ્છ

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.વિનોદરાય રાચ્છના પત્ની મધુબેન વિનોદરાય રાચ્છ (ઉ.વ.૬૨) તે મનીષભાઈ વી.રાચ્છ (જલારામ ટ્રાન્સપોર્ટ વાંકાનેર- રાજકોટ) તથા વૈશાલીબેન દર્શનકુમાર મિરાણી (અમદાવાદ)ના માતુશ્રીનું તા.૧૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૫ મનીષભાઈ મો.૯૮૨૫૨ ૨૪૫૫૫, ચંદુભાઈ મો.૯૮૨૫૨ ૯૩૨૧૨, જતીનભાઈ મો.૯૮૨૫૨ ૧૫૪૪૪, રાજુભાઈ મો.૯૮૨૫૨ ૬૬૨૨૨ સમક્ષ રાખેલ છે. મોરબી નિવાસી ઠા. રસીકલાલ હિરાલાલ કોટકના દીકરી મધુબેન વિનોદરાય રાચ્છ (ઉ.વ.૬૨) તે અશ્વિનભાઈ, સ્વ.હર્ષદભાઈ, હિતેષભાઈ (જલારામ એજન્સી મોરબી) તથા સ્વ.ચંદનબેન રૂપારેલીયા (ગોંડલ), મીનાબેન પુજારા (રાજકોટ)ના બહેનનું તા.૧૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.ની પીયર પક્ષની સાદડી અશ્વીનભાઈ મો.૯૮૨૫૪ ૮૦૬૬૧, હિતેષભાઈ મો.૯૯૯૮૮ ૧૫૮૪૦

મંજૂલાબેન હંસોરા

ઉપલેટાઃ સ્વ.અમૃતલાલ આંબાભાઇ સિધ્ધપુરા તથા સ્વ.દલસુખભાઇ સ્વ.શરદભાઇ, ધીરૂભાઇ અને કિર્તિભાઇના બહેન લુહાર મંજુલાબેન હરિલાલ હંસોરા (ગોંડલવાળા) તા.૧૨ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું: તા.૧૫ના સોમવારે ૪ થી ૬ નિવાસસ્થાન કોલકી રોડ, ઉપલેટા રાખેલ છે.

નંદલાલભાઈ રાજા

રાજકોટઃ સ્વ.હેમકુંવરબેન તથા સ્વ.રામજીભાઈ ભવાનભાઈ રાજાના પુત્ર તે જયોત્સનાબેન રાજાના પતિ તે સ્વ.ધિરજલાલ છોટાલાલ પોપટ (અમદાવાદ)ના જમાઈ તે અમિતભાઈ તથા કાનનબેન કમલેશભાઈ ગઢીયાના પિતાશ્રી, તે સ્વ.ગુણવંતભાઈ, નવનીતભાઈ તથા સ્વ.મનસુખભાઇના ભાઈ નંદલાલભાઈ રામજીભાઈ રાજા (ઉ.વ.૮૧)નું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / પ્રાર્થના સભા તા.૧૫ સોમવાર સમય સાંજે ૪:૩૦ થી ૬ કલાકે કાઠીયાવાડ જીમખાના, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાકરરાય જોશી

રાજકોટ : ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ પ્રભાકરરાય દલપતરાય જોશી -અમરેલી નિવાસી (ઉ.વ.૭૧) તે મયુરભાઇ જોશી, સ્વ. કમલેશભાઇ જોશીના મોટાભાઇ તેમજ અભિષેક જોશીના પિતાશ્રી, તથા આશાબેન જોશીના પતિ તથા ચંદનબેન, હંસાબેન, જયશ્રીબેન તથા છાયાબેનના ભાઇનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯પ૭૪૩ ૩૩૦૮૬

હંસાબેન જાદવ

રાજકોટઃ (કારડીયા રાજપુત) સ્વ.મહેન્દ્રસિંહ રતનસિંહભાઈ જાદવના ધર્મપત્ની હંસાબેન મહેન્દ્રસિંહ જાદવ (ઉ.વ.૭૦) વિજયભાઈ મહેન્દ્રસિંહ જાદવ ના માતૃશ્રી તથા સંજયભાઈ મહેન્દ્ર સિંહ જાદવ ના માતૃશ્રી તેમજ મહાવીરસિંહ રતનસિંહ જાદવના મોટા ભાભી તથા હનુસિંહ રતનસિંહ જાદવ નાના મોટા ભાભીનું તા. ૧૪ને રવિવાર અગિયારસના દિવસે દુઃખદ અવસાન થયેલ છે જે સદગતનું બેસણું તા.૧૯ને શુક્રવાર સમય સાંજે ૪ થી ૬ કુવાવાળી ખોડીયાર લક્ષ્મીવાડી રાખેલ છે.