Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019
રસનાળના અકિલાના પ્રતિનિધી બળવંત ત્રિવેદીના પિતાશ્રીનું અવસાન

રસનાળ (તા. ગઢડા સ્વામી) બ્રાહ્મણ મોઢ ચર્તુવેદી (ખાસ), સ્વ.ધિરજલાલ રતીલાલ ત્રિવેદી (ઉ.વ.૮ર) તે નરેશભાઇ, રસનાળના પત્રકાર બળવંતભાઇ, વંદનાબેન કિશોરકુમાર મહેતાના પિતાશ્રી તથા દિલીપભાઇ લાભશંકર ત્રિવેદી, ચંદુભાઇ, દશરથભાઇ (ગામ ફિફાદ) વાળાના કાકા તેમજ ખીમશંકર મણીશંકર રાવલ બોટાદ તથા મનસુખભાઇ મણીશંકર રાવલ (રાજકોટ)ના બનેવીનું તા.૧રના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી રસનાળ મુકામે તા.૧૬ને સોમવારે રાખેલ છે. મો. ૯૭ર૬૩ રપ૩૬પ છે.

 

અવસાન નોંધ

ચંદ્રીકાબેન દેવમુરારી

આટકોટ : મૂળ અમદાવાદ હાલ જસદણ ચંદ્રીકાબેન કેશવલાલ દેવમુરારી ઉ.વ. ૮૩ તે સ્વ. કુંમનદાસ, ત્રિભોવનદાસ, અને ધીરૂભાઇ કુબાવત અમદાવાદ વાળાના મોટા બહેન અને જસદણ રામાનંદી સાધુ સમાજના સેવક કેતનભાઇ કુબાવત અને જીતુભાઇ કુબાવતના ફઇબાનું તા. ૧૪ના રોજ રામચરણ પામ્યા છે. બેસણું તા. ૧૬ના વિંછીયા રોડ આસોપાલવ પાન સામે આવેલ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઈ છાટબાર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ.અમૃતલાલ વનમાળીદાસ છાટબારના પુત્ર અરવિંદભાઈ (ઉ.૭૨) તે જેન્તીભાઈ, સ્વ.ગોવિંદભાઈ, સ્વ.દામોદરભાઈના નાનાભાઈ તેમજ વિનોદભાઈ, ચંદ્રેશભાઈના મોટાભાઈ તેમજ મનોજભાઈ, ડેનીશભાઈ તથા સંગીતા હિમાન્શુકુમાર રસપુત્રા (જામનગરવાળા)ના પિતા તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ના શનિવારે સાંજે ૫ કલાકે શીતળા માતાજીના મંદિરે, પટેલ વાડી સામે, ભાવનગર રોડ ખાતે રાખેલ છે.

ભરતભાઈ માંકડ

અમદાવાદઃ સ્વ. અનંતરાય જટાશંકર માંકડના પુત્ર ભરતભાઈ (જોઈન્ટ ડાયરેકટર ખેતીવાડી) તે સ્વ. માર્કન્ડભાઈ, સ્વ. જનુભાઈ, સ્વ. બિન્દુભાઈ, જયકાંતભાઈ, ઉષાકાંતભાઈ, સ્વ. હર્ષિદભાઈ અને મયંકભાઈના ભાઈ તેમજ કાવેરીબેનના પતિ તથા સ્વ. નિરંજનાબેન (બેબીબેન), વત્સલાબેન, દામીનીબેનના ભાઈ તેમજ સ્વ. મંગળપ્રસાદભાઈ છાયાના જમાઈનું તા. ૧૩મીએ શુક્રવારે અવસાન થયુ છે. તેમની સ્મશાન યાત્રા તા. ૧૫મીએ રવિવારે સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ૮-ગ્લોરીયસ હાઉસ, પરિમલ ગાર્ડન પાસે અમદાવાદ ખાતેથી નિકળશે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

નટવરલાલ અંબાસણા

જામનગરઃ ગુર્જર સુથાર નટવરલાલ મોહનલાલ અંબાસણા (ઉ.૮૩) તે તારાબેનના પતિ, અતુલભાઇ, વંદનાબેન બિપીનકુમાર છનિયારા (હાલ-અમેરીકા)ના પિતાશ્રી તેમજ આનંદના દાદા અને સાર્થકના નાના તેમજ સ્વ.ધીરૂભાઇ, સ્વ.બાબુભાઇ, સ્વ. જયંતિભાઇના નાનાભાઇ તેમજ મણીભાઇ કેશવજી અઘેરા, સ્વ. હરગોવિંદભાઇ,સ્વ. જયંતિભાઇ, સ્વ. રમણીકભાઇના બનેવીનું તા.૧૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ના સોમવારના સાંજે ૪-૩૦ થી પ વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે રાખેલ છે.

અનસુયાબેન ભટ્ટ

જુનાગઢ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ ગં. સ્વ. અનસુયાબેન ભટ્ટ (ઉ.વ.૭પ) તે મુળ લોધીકા સ્વ. નટવરલાલ રવિશંકર ભટ્ટના પત્નિ તથા સ્વ. કાશીરામ જાદવજી જોષી (પાંચપીપળા)ના પુત્રી તેમજ ધર્મેન્દ્રભાઇ, હેમેન્દ્રભાઇ, મનોરમાબેન ચંદ્રેશકુમાર જોષી અને જાગૃતિબેન સુનિલકુમાર રાવલના માતુશ્રી તથ દેવાંશના દાદીનું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૬ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, ગિરીરાજ સોસાયટી મેઇન રોડ, એસ. ટી. બસ સ્ટેન્ડ પાછળ, જુનાગઢ ખાતે રાખેલ છે.

રામભાઇ શીંગળ

ઉપલેટા : ઉપલેટા નિવાસી રામભાઇ જેતાભાઇ શીંગળ (ઉ.વ.પ૪) તે સ્વ. રાજશીભાઇ, સ્વ. હરદાસભઇ, અશોકભાઇ, ભરતભાઇના ભાઇ તેમજ જયદીપભાઇ તથા દેવેનભાઇના પિતાશ્રીનું તા. ૧ર-૯-ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬-૯ ના રોજ સાંજે ૪ થી ૬ સુવા પ્લોટ કચરાડાયા ચોક પાસે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.

ચંદ્રીકાબેન જોષી

જુનાગઢ : મુળ ઢુંઢીયા પીપળીયા હાલ વડાલ નિવાસી ચંદ્રીકાબેન નરોતમભાઇ જોષી કે જેઓ નરોતમભાઇ અંબારામ જોષીના ધર્મપત્ની તેમજ જયેશભાઇ, યોગેશભાઇ ભાવનાબેન (રામપરા)ના માતુશ્રી તા. ૧૩ મીએ અવસાન થયેલ છે. બેસણું ઢુંઢીયા પીપળીયા મુકામે ૧૪ મીએ  તેમના નિવાસ સ્થાને રાખેલ છે તેમજ વડાલમાં તા. ૧૬ સોમવારના સાંજે ૪ થી ૬ પટોળીયા વાડી રેલ્વે સ્ટેશન પાસે રાખેલ છે.

કાંતાબેન ગઢિયા

રાવલ : મોટી વેરાવળ વાળા ગં. સ્વ. કાંતાબેન અમૃતલાલ ગઢિયા (ઉ.વ.૮૦), તે સ્વ. અમૃતલાલ બેચરદાસ ગઢિયાના ધર્મપત્ની તે જશુબેન ધીરજલાલ ગોકાણી (રાવલ) ના માતુશ્રી, સ્વ. પુરસોતમભાઇ, સ્વ. ગોરધનદાસ, તથા મનસુખલાલ બેચરદાસ ગઢિયાના ભાભી તથા સ્વ. માવજીભાઇ તથા સ્વ. ગોરધનભાઇ નારણદાસ લાધાણી ના બહેન તા. ૧૩ ના શ્રીજી ચરણ પામેલ છે, બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૪ ના બપોરે ૩ થી ૩-૩૦ પાબારી હોલ, જામનગર ખાતે રાખેલ છે.

સરોજબેન ગોહીલ

વાંકાનેર : હડમતીયા વારા કારડીયા રાજપૂત સરોજબેન દાનાભાઇ ગોહીલ (ઉ.વ.પ૭) તે દાનાભાઇ માલાભાઇ ગોહીલના પત્ની તેમજ વિક્રમભાઇ અને અરવિંદભાઇના માતુશ્રીનું તા. ૧ર ના અવસાન થયેલ છે.

શાંતાબેન વાળા

ટંકારા : લખધીરગઢ નિવાસી હાલ મોરબી સ્વ. ભવાનભાઇ જીવરાજભાઇ કકાસણીયા (રામકૃષ્ણ જીન. ટંકારા), વાળાના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ.૯૭) તે, વીરજીભાઇ ભવાનભાઇ, લવજીભાઇ, ભવાનભાઇ, રમેશભાઇ, ભવાનભાઇ તથા નરભેરામ ભવાનભાઇના માતુશ્રીનું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું મોરબી તા. ૧૬ સોમવાર સવારે ૬ થી ૧૦ સ્વાગત હોલ કેનાલ રોડ, મોરબી તેમજ લખધીરગઢ સોમવારે બપોરે ૪ થી ૬ સમાજવાડી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

લલીતાબેન મહેતા

રાજકોટ : દશા સોરઠીયા વણિક લલીતાબેન કિશોરભાઈ મહેતા (ગોરસીયા) તે સ્વ.કિશોરભાઈ નરભેરામ મહેતા (ગોરસીયા)ના ધર્મપત્નિ તે ભગવાનદાસ નરભેરામ માલવીયા ઢાંકવાળાના પુત્રી, તે મીનાબેન પારેખ, દિપકભાઈ, કૌશિકભાઈ, હિતેષભાઈ મહેતાના માતુશ્રી તે પ્રીતિબેન, અમીબેન અને અશ્વિનીબેનના સાસુ, તે સ્મિત, શારલીન, હર્ષના દાદી, તે હાર્દિક તથા આસ્થાના નાની તા.૧૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૬ના સોમવારે પંચનાથ મંદિરે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.

ઉન્નતિ વ્યાસ

રાજકોટઃ સુરેન્દ્રનગર નિવાસી શશીકાંત કરૂણાશંકર વ્યાસના દીકરા ધવલ શશીકાંત વ્યાસના ધર્મપત્ની વ્યાસ પરિવારના પુત્રવધુ અ.સો. ઉન્નતિ ધવલભાઈ વ્યાસનું અવસાન સુરત મુકામે ગઈકાલે તા.૧૩ના રોજ થયેલ છે. તેમનું બેસણું પ્રાર્થનાસભા સુરેન્દ્રનગર ખાતે તા.૧૬ના રોજ સુરેન્દ્રનગર બ્રહ્મસમાજની વાડી મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખભાઈ પરમાર

રાજકોટ : નિવાસી મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી સ્વ.અમૃતલાલ રતિલાલ પરમારના પુત્ર હસમુખભાઈ અમૃતલાલ પરમાર (ઉ.વ.૩૭) તે પીન્ટુભાઈના નાનાભાઈ તથા કાંતિભાઈ, સ્વ.અરવિંદભાઈ અનિલભાઈના ભત્રીજાનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના રોજ તેમના નિવાસસ્થાને ૪ થી ૬ જૂનો મોરબી રોડ, રામનાથ પાર્ક શેરી નં.૨ રઘુવીર પાન વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.