Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020
અવસાન નોંધ

ખંભાળિયાનાં કલ્યાણરાયજી મંદિરના પુજારીનું અવસાન

ખંભાળિયા : સારસ્વત બ્રાહ્મણ તથા ખંભાળિયાના પ્રસિધ્ધ કલ્યાણરાયજી ભગવાના પુજારી તથા નિવૃત શિક્ષક શશીકાંતભાઇ મોહનલાલ સેવક (ઉ.વ.૮પ)નું તા.૧૧-પ-ર૦ના રોજ રાજકોટ મુકામે અવસાન થયું છે.

ખંભાળિયાના કલ્યાણજી ભગવાનના સેવક તથા હસમુખા સ્વભાવ અને પરોપકારી શશીકાંત સેવકના મૃત્યુથી ખંભાળિયા બ્રહ્મ સમાજ કાર્યકરો, સારસ્વત બ્રહ્મસમાજ તથા કલ્યાણરાયજીના ભકતોમા શોકનું મોજુ છવાઇ ગયેલ હતુ.

જસુમતીબેન લાલસેતા

રાજકોટઃ જસુમતીબેન પ્રસન્નલાલ લાલસેતા (દારેસ્લામ આફ્રિકા) તે કિરીટભાઇ શીંગાળા કેનેડા તેમજ સ્વ. અશોકભાઇ શીંગાળાના (પીપલ્સ બેંક વાળા) ના બહેન તથા શ્યામ શીંગાળાના ફઇ તેમજ ઉષાબેન શીંગાળાના નણંદનું તા. ૧૪ના રોજ દારેસ્લામ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પિયરપક્ષની સાદડી હાલમાં કોરોના મહામારીના કારણે સરકારશ્રીના નિયમ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા ટેલીફોન ઉપર તા.૧૬/પ/ર૦ર૦ શનીવારના રોજ બપોરે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૮૭૯૪  ર૧૭૮૯

ભાનુમતીબેન રાજયગુરૂ

ગોંડલઃ ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ.નટવરલાલ પ્રભુલાલ રાજયગુરૂના પત્નિ ભાનુમતીબેન (ઉ.૯પ) તે સ્વ.ભાનુશંકર, કરૂણાશંકર, ગીરજાશંકરના ભાભી રાજેશભાઇ, નૈમીશભાઇ, સમીરભાઇ, અમિતભાઇના ભાભુ ચંપકભાઇ રાજયગુરૂના બહેનનું તા.૧ર મંગળવારના અવસાન થયું છે.

રાધાબેન ખેતિયા

જામનગર : શ્રી રાજય પુરોહિત બ્રાહ્મણ જામખંભાળીયા નિવાસી ગં. સ્વ. રાધાબેન કાશીરામ કે. ખેતિયા (ઉ.૧૦૧) તે ભાનુપ્રસાદ કાશીરામ ખેતીયા (શ્રી કે. પી. ખેતિયા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષના) માતુશ્રી જગુભાઇ બી. ખતીયા, પત્રકાર ઇલકટ્રોનિક મીડીયા જામનગર, સંદીપભાઇ બી. ખેતીયા પ્રમુખ (સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ દેવભુમિ દ્વારકા જીલ્લા), જયદીપભાઇ ખેતીયા (સહજાનંદ સ્ટેશનરીના દાદીમાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે.  કોરોના વાઇરસ મહામારીને લઇને લોકડાઉનને કારણે મો. ૯૯૦૪૩ ૭ર૧પ૪, મો. ૯પ૧૦૩ ૯૦૯૯૯ જગુભાઇ મો. ૯૯૦૯૯ ર૪૯ર૬, સંદીપભાઇ ૮પ૩૦૯ ૭પ૮૯૦ જયદીપભાઇ ઉપર શોક સંદેશ પાઠવવો.

ભરતભાઈ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ મૂળ માંગુકા હાલ રાજકોટ નિવાસી સ્વ.નવલશંકર મયારામ ભટ્ટના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૪૯) જેઓ ગૌતમભાઈ તથા દિવ્યેશભાઈના પિતાશ્રી તેમજ રસિકભાઈ, મહેશભાઈ , હરેશભાઈ  તેમજ ઉષાબેન, નિર્મળાબેન, કલ્પનાબેનના ભાઈનું તા.૧૪ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને સોમવાર ટેલિફોનિક રાખેલ છે અને તેમની ઉત્તર ક્રિયા તા.૨૬ના રોજ છે. મો.૯૭૨૭૫ ૩૮૯૭૩ / ૯૯૨૫૮ ૭૫૯૦૩ / ૭૦૪૬૮ ૬૪૫૨૫

બાબુભાઈ પોબારૂ

રાજકોટઃ બાબુભાઈ મગનભાઈ પોબારૂ (રાજકોટ) તે ધર્મેન્દ્રભાઈ પોબારૂ તથા જીતેન્દ્રભાઈ પોબારૂ તથા યોગી કૃપા બાંધકામ ભંડારવાળા મહેન્દ્રભાઈ પોબારૂના પિતાશ્રી તેમજ જામખંભાળીયા વાળા પોબારૂ પરિવારના વડિલ તા.૧૩ બુધવારના રોજ રાજકોટ ખાતે અક્ષરનિવાસી થયેલ છે. જેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૬ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિપ્તીબેન ધુલીયા

રાજકોટઃ દિપ્તીબેન રાજેન્દ્રભાઈ ધુલીયા (આર.કે.) (ઉ.વ.૪૭) તે મોટી પાનેલી નિવાસી રાજેન્દ્રભાઈ ત્રંબકલાલ ધુલીયા તથા સ્વ.સુરભીબેન / નયનાબેનના મોટા પુત્રી તથા રજનીભાઈ / ડો.ધીરેશભાઈ (કેનેડા)ની ભત્રીજી તે પ્રફુલાબેન, સુધાબેન, હીનાબેન, સાધનાબેન તથા જાગુબેનની ભત્રીજી તે ચિંતનભાઈ અને ખ્યાતિબેનના મોટા બેનનું અવસાન થયેલ છે. મો.૯૪૨૭૭ ૩૦૮૧૫ / ૬૩૫૨૨ ૧૮૭૭૮